Saturday, September 17, 2022

જિંદગી ... The Truth of Life

આમ ને આમ દિવસો ગયા ને

રોજ સાંજ પણ પડતી ગઈ, 

શોખ મરતા ગયા એક એક કરીને

જવાબદારી વધતી ગઈ,

સપનાઓ રુંધાયા અને 

મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ, 

પૈસા ને પરિસ્થિતિના ખેલમાં

સાલી જિંદગી ઢળતી ગઈ. 

સારા કે સાચા હોવાની સજાઓ

હર ઘડી ઘડી મળતી ગઈ, 

આ ન કરતા પેલું ન કરતાં તેવી

બરાબર સુચના મળતી ગઈ, 

રહેવું હતું નાનું અમારે પણ 

ઉંમર હતી કે વધતી ગઈ, 

આમ ને આમ દિવસો ગયા ને

જિંદગીની સાંજ પણ પડતી ગઈ.

🙏🙏🙏

સાભાર :- અજ્ઞાત લેખકની ડાયરીમાંથી..




Sunday, June 12, 2022

સંબધો સાચવવા....ચૂપ રહીને...

સબંધ બોલીને બગાડવા કરતાં ચૂપ રહીને તેને થોડો સમય આપવો વધારે સારો છે....



        આપણે દરેકને  સંબંધોમાં જીવવું ગમતું હોય છે. કારણકે દુનિયામાં ખુશી પણ તેમના દ્વારા જ મળતી હોય છે.પણ દરેક સંબંધને એક સરખું મહત્વ આપવું જરૂરી નથી. દરેક સંબંધને પોતાનું એક અલગ સ્થાન હોય છે. માટે જ જે સંબંધને જેટલું મહત્વ આપવું જરૂરી છે એટલું જ આપીએ તો આપણે ખુશ રહી શકીએ છીએ.પણ ઘણા એવા વિચારો  ધરાવતા હોય છે કે જે પોતે દરેક સંબંધને દરેક લોકોને એક સરખું જ પોતાના દિલમાં સ્થાન આપતા હોય છે.

      અને જ્યારે સંબંધોમાં થોડી ઘણી પણ તિરાડ પડતી હોય છે ત્યારે લાગણીશીલ સ્વભાવવાળા વધારે દુઃખી થાય છે. અને તેમના આ જ સ્વભાવને કારણે તે પોતાની સાથે જે ખરાબ થયું તેને સ્વીકારી નથી શકતા. જે પોતાની વાતને સરળતાથી સમજાવી નથી શકતાને તેમના સંબંધો વધારે સમય સુધી નથી રહી શકતા. માટે જ પોતાની વાત સામેવાળાને કેવી રીતે સમજાવવી તે શીખવું બહુ જરૂરી છે‌. સાથે સાથે દુનિયામાં પ્રેક્ટિકલ બનવું પણ બહુ જરૂરી છે.

     સંબંધો જીવન કરતાં વધારે મહત્વનાં નથી. એકબીજા વચ્ચે વધારે પડતાં મન-ભેદ થઈ જાય અને તેના કારણે જ્યારે મતભેદ ઊભા થાય છે ત્યારે વાતને વધારવા  ચૂપ રહીને થોડા સમય માટે દૂરી લાવવી વધારે સારી છે. મનમાં જે ભરાયું હોય તે બોલીને સંબંધોનો અંત ના લાવવો જોઈએ. જો થોડો સમય મનને શાંત રાખીને સમય ઉપર થોડું છોડી દઈશું તો બગડેલો સબંધ આપોઆપ સારો થઈ જાય છે.

    બસ આવી થોડી નાની- નાની વાતોને સમજી લઈશું તો પોતાની અંદર થોડું પરિવર્તન કરી શકીશું. જેનાં કારણે આપણું ભવિષ્ય પણ વધારે સારું બનશે.


સાભાર :- 

પિંકી પરીખ (અક્ષયવાણી)

Saturday, June 4, 2022

જીવન...બે રીતનું.....


મંદિરમાં જતો યુવાન અને જીમમાં જતો યુવાન મને સરખાં આદરણીય લાગે છે. ગાર્ડનમાં વોકિંગ કરતી યુવતી અને ભાદરવી પૂનમે ચાલતાં અંબાજી જતી યુવતી સરખી લાગે છે. ક્યારેક સંસારની અસારતાની વાતો કરતાં બાળકો કરતાં ફૂટબોલ રમતાં બાળકો વધારે પ્રિય લાગે છે. આ દેશને મેદાનની જરૂર છે એ વાત ક્યારે સમજાશે ? 


હું જેલમાં ગયેલા એ બાવાનો અત્યંત આભાર માનું છું કે, એણે સમાજમાં દાખલો બેસાડ્યો કે બધાં સફેદ રંગના પ્રવાહી દૂધ હોતાં નથી. ગંદા ધંધા ખૂબ ચાલે છે ને પ્રામાણિકતા ભૂખે મરે છે. “બદલાપુર”માં એક ડાયલોગ બહુ ગમ્યો. એક પ્રાઈવેટ ડીટેક્ટીવ મહિલા કહે છે,” એક કોલગર્લને એક કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે અને મને ૨૪ કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે !!!” 


પુરૂષના પગના તળીયાનો ભાગ ઘર્ષણબળ વગરનો હોય છે. તેથી તે ગમે ત્યારે લપસી જાય છે. ગમે ત્યારે લપસી જાય એનો કોઈ વાંધો નથી, ગમે ત્યાં લપસી જાય છે એનો ખેદ છે. જે ગુના બદલ પત્ની પતિને માફ કરી શકે છે તે જ ગુના બદલ પતિ પત્નીને માફ કરી શકે છે ખરો ? જવાબ- ના. 


તમારી પોસ્ટ વાંચવાથી બે-ચાર જણાં સુધરી ન શકતાં હોય.....પણ બે-ચાર જણાં બગડી શકતાં હોય તોય તમારી પોસ્ટ સફળ થઈ ગણાય. આ વાત મને ઓશોના જીવનમાંથી સમજાઈ છે. સમાજની એક ફરીયાદ રહી છે કે, ઓશોએ લોકોને બગાડ્યાં છે. યસ, તમારા શબ્દોથી માણસ સુધરતો હોય કે બગડતો હોય તો ડેફિનેટલી તમારા શબ્દોમાં તાકાત છે એ વાત સાબિત થાય છે. 


સાભાર :- જે.કે.સાંઈ

Saturday, November 20, 2021

પ્રસંશા અને નિંદા

 એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી. પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું. બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી. પછીના બે-ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા. બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, ‘મારા જીવન પર તમારું ઋણ છે. આજે હું જીવું છું તો તે તમારા જ કારણે.’ પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું, ‘સર, એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.’


પ્રોફેસરે કહ્યું, ‘હું નહોતો જાણતો કે ઘડિયાળ તેં લીધી હતી. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઇચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય.’ આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો. કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવી મહાનતા છે. મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં. માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે.

Friday, July 10, 2020

કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...

કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...


હવે ચોમાસું નજીક આવે છે, કૂંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ...

■ કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારાનું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહીં તે ચેક કરો, ન હોય તો કાંણા પાડો.

■ નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કૂંડાની માટી ક્યારેય ન વાપરો.

■ નવી માટી બનાવવા... ખેતરની સારી માટીનો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેતને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

■ કુંડામાં પહેલાં ત્રણ ચાર ઇચ (કૂંડાની ઉંચાઇની સાઇઝ પ્રમાણે) મોટા કાંકરાની રેત અથવા ઇંટોના રોડાં ભરો,

■ છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોંઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી.

■ સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મૂળિયાં જમીનમાં ઉતરેલા હોય તો, એને ખેચીને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવીને લો.

■ લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડિયું એને મુકી રાખો, એ નર્સરીના વાતાવરણમાં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપને અનુકૂળ થવા દો.

■ રોપતી વખતે ઠાંસી ઠાંસીને માટી ન ભરો....
■ રોપીને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી  કૂંડાની નીચેના કાણાંમાંથી નીકળે નહીં, આમ કરવાથી માટી બેસી જશે અને વધારાનું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મૂળ કહોવાશે, છોડના મૂળને પાણી નહીં ભેજની જરુર છે.

■ ઉપરોક્ત ક્રિયા બાદની એક અતિ મહત્વની વાત...
સૌથી અગત્યની ટીપ્સ...
કુંડામાં કે બાગમાં છોડની રોપણી થયા બાદ તુરંત અતિ ધારદાર કાતરથી એના 50% પાન દુર કરો, તથા નિર્દય અને કઠોર બની તેની પરની કળીયો, ફૂલ કે ફળ (જો હોય તો) કાતરથી દૂર કરો...

■ યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફૂલ, કળી, ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાના છે...

■ આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન, કળીઓ, ફૂલ અને ફળને વિકસાવવામાં નહી પણ મૂળને વિકસાવવા વાપરશે, જો આમ નહીં કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેઘણે અંશે ક્ષતિ પામેલા મૂળ (રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળને પોષણ પુરું પાડવાની જવાબદારી વધશે અને તે મુરઝાશે...

■ ચોમાસામાં કેક્ટસના કૂળના છોડને સીધા વરસાદથી દૂર રાખો... અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયે જ પાણી આપો.

■ જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, અને એ છોડ સાચા માણસના હાથમાં જશે તો જ પર્યાવરણમાં જીવ આવશે .

◆ બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતિ ઉત્સાહથી નહીં પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તો જ કરો, કારણ કે આ ધીરજ માંગી લે તેવો સજીવને ઉછેરવાનો શોખ છે.

■ એને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટનું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો...

◆ તો તૈયાર રહો સીઝન આવી રહી છે...

ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , 
નયે અંકુર ખીંચવાને કે દીન હે, 
જીગર કે તાર છીડ જાને કે દીન હે,
અચ્છે બાગબાં બન જાને કે દિન હે...

◆ જેમ પ્રાણીઓને પાળીયે છીએ એમ બહુ પ્રેમ અને લાડકોડથી પાળો, છોડ ઝાડ ને...

કેમ કે... દુનિયામાં આ એક જ સજીવ એવું છે જે ઝાડો પેશાબ કરતું નથી...

એટલે એ ગંદી સફાઇ અને પાળનારે કરવાની નથી...
ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફતમાં...

લુંટાય એટલું લુંટો... દિલ ખોલીને...


Copy paste from
Bharatbhai solanki fb post

https://m.facebook.com/story.php?story_fbid=1789594147849519&id=100003968520142

Tuesday, March 31, 2020

ભગવાનના કામને ચેલેન્જ કરી શકે એવો એકમાત્ર વ્યક્તિ એટલે ડોક્ટર.

અનેકવાર સાંભળવા મળ્યું છે કે, ભગવાન બાદ આ જગતમાં ચાર જણાં એવા છે જે ચમત્કારો સર્જી શકે છે. માતા-પિતા, શિક્ષક, ડોક્ટર અને વૈજ્ઞાનિક. ભૂતકાળમાં પણ મેજિક કર્યા છે, હાલ પણ કરી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ કરતાં રહેશે. ભારત એક એવો દેશ છે જ્યાં વર્ષોથી કહેવાતું આવ્યું છે- "Doctors are second to god on this earth." આપણાં શાસ્ત્રોની વિશેષતા તો જુઓ, ભગવાનને પણ ડોક્ટરની જરૂર પડે છે. સ્વર્ગના બે પરમેનન્ટ ડોક્ટરો છે. ગ્રીકમાં પણ દેવોના ફિજીશિયન હતા.

સૂર્યને પ્રભા નામની પત્ની હતી. આ પ્રભાથી સૂર્યનું તેજ સહન ન થયું. પ્રભા ઘોડીનું રૂપ લઈને ત્યાથી ભાગી. સૂર્યદેવ પણ ઘોડાનું રૂપ લઈ તેની પાછળ પડ્યાં. આગળ જતાં તેમની વચ્ચે સબંધ બંધાતા બે જોડિયા પુત્ર અવતર્યા. આ ટ્વીન્સ અશ્વિનીકુમાર કહેવાયા. અશ્વિની=ઘોડી અને કુમાર=પુત્ર. જેઓ સ્વર્ગના વૈધ છે. તેઓ સદાય સુંદર અને જુવાન દેખાય છે. આ બે માસ્ટર ડિગ્રીવાળા ડોકટરોએ ઘરડા ચ્યવન ઋષિને તેઓએ ફરી જુવાન બનાવ્યા અને આંખો આપી.( ચ્યવનપ્રાશ યાદ આવ્યું ?) મહાભારતના માદ્રીપુત્ર નકુળ-સહદેવના પિતા એટલે અશ્વિનીકુમાર.

મહાન એવા દેશ ભારતમાં ડોક્ટરોને "વૈધ" કહેવાનો રિવાજ હતો. આધુનિક ડોક્ટર તો અંગ્રેજ શાસન આવ્યા બાદ જોવા મળ્યાં. સદીઓથી મેડિકલ ક્ષેત્રે ભારત ધ્વજવાહકની ભૂમિકામાં હતું. આપણે ત્યાં એવું કહેવાતું હતું કે, કોઈપણ રોગના જુદાજુદાં સો મારણો જાણનાર "ખરેખરો વૈદ્ય" કહેવાય. જ્યારે એક જ રોગના બસો ઉપચારો જાણનારો "વૈદ્ય ભિષજ" કહેવાય છે.

આ સિવાય ડોક્ટરોના ત્રણ પ્રકાર કહેવાય છે.(1) જે ડોક્ટર જેમ-તેમ કરીને ડિગ્રી મેળવીને, બીજા ડોક્ટરના જેવાં સાધનો વસાવીને સારા ડોક્ટર હોવાનો ડોળ કરે એવા. (2) બીજો એવો કે જેનામાં ગુણ ન હોય પણ ધનાઢ્ય, જ્ઞાની અને ઉચ્ચ વર્ગના લોકોની પ્રસંશાને કારણે ડોક્ટર તરીકે ઓળખાતો હોય. (3) ડોક્ટરને લગતી તમામ વિદ્યામાં પારંગત હોય, ડોક્ટરના તમામ ગુણ ઠાંસીઠાંસીને ભરેલા હોય એવો ડોક્ટર.... જેની પાસે ઉચ્ચ કક્ષાની ડિગ્રી છે પણ કરૂણા, દયા અને પરોપકારના ગુણ ન હોય તો તેને "હાફ-ડોક્ટર" ગણવો.

રોગની પરિક્ષા કરી દવા આપવાનો ધંધો કરનાર માણસ એટલે દાક્તર. આવી સીધી સમજણ આપણાં સૌની છે. દાક્તરની એક ખૂબી એવી છે જે ક્યારેક સંતોમાં પણ જોવા મળતી નથી- પોતાને કોઈ લોહીનું સગપણ નથી, તે પોતાનો કોઈ સગો-સંબંધી નથી, તે પોતાનો દિલોજાન મિત્ર નથી, તેના પ્રત્યે દયાભાવ રાખી તેની સારવાર કરવી એ અત્યંત કઠિન કામ તેઓ કરે છે. એક સર્વે એવું દર્શાવે છે કે, ડોક્ટરો દર્દીને 18 સેકંડથી લઈને 30 મિનિટ સુધી તપાસે છે, સાંભળે છે અને રોગનું નિદાન કરવા પ્રયત્ન કરે છે. મોટાભાગે તેઓનું નિદાન સાચું હોય છે. માત્ર શ્યોર થવા ઘણીવાર ટેસ્ટ કરાવે છે. આજે જે પરિસ્થિતી ઊભી થઈ છે તેમાંથી કોઈ બચાવી શકે એમ હોય તો આ આધુનિક અશ્વિનીકુમારો જ છે.

પોતાના ફેમિલીને ભગવાન ભરોસે મૂકી બીજાનો ભગવાન બનનાર આ આપણાં સમાજનો સાચો ભગવાન છે. પોતાના જીવને જોખમમાં મૂકી રાઉન્ડ ધ ક્લોક સેવા કરનાર અત્યારે આ જ એક છે. આજેપણ આપણાં બુધ્ધિના બાળ બ્રહ્મચારીઓ બીમારીમાથી સાજા થઈને કહે છે, "દસ હજાર ખર્ચ થયો ત્યારે સારું થયું." દાક્તરની જગ્યાએ ધનને ક્રેડિટ આપવાની આદત સુધારવા જેવી છે. જો પૈસા અને જ્ઞાનથી જ કોઈના જીવ બચતાં હોત તો રાજાઓ આજેય સજીવન હોત !! સિકંદર અને અશોક રાજ કરતાં હોત !

ડોક્ટરોની ફી વધારે હોય તેનું કારણ છે-જ્યારે તેઓની સાથે ભણનારા મજાક મસ્તી અને ધિંગા મસ્તી કરતાં હતા ત્યારે આ લોકો આંખો ફોડીને-ઉજાગરા કરીને ભણતા હતા. પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો દાક્તરી જ્ઞાન મેળવવામાં ખર્ચી નાંખ્યા. યુવાની બાયોલોજી નામની પ્રેમિકા સાથે વીતાવી નાંખી. નાનપણથી સતત અને લાગલગાટ ઉચ્ચ ક્રમાંક મેળવ્યો ત્યારે આજે જેને તમે ફી કહો છો એ "ફળ' મળે છે. તમને પણ એ ફળ મળી શકતું હતું પણ તમે એ ન મેળવી શક્યા. આજે અત્યંત જ્વલનશીલ બની એની નિંદા કરો છો એ યોગ્ય નથી.

ડોક્ટરને ક્યારેય નાત-જાત, રંગ, ધર્મ, વર્ગ હોતાં નથી. હા, કબૂલ કે ડોક્ટર ફી કરતાં તેની સેવાથી વધારે ઓળખાય છે. ખેડા જિલ્લાના માતર તાલુકાનાં એક નાનકડાં ગામ માલાવાડામાં વૈદ્ય ભીખાભાઈ રબારી વસે છે. લકવાના રોગના સ્પેશયાલિસ્ટ ગણાય છે. અનેક લોકો દૂરદૂરથી સારવાર માટે આવે છે. કોઈ ગરીબ સારવાર માટે આવે તો આ ભોળિયો વૈદ્ય દવાના પૈસા તો ન લે ઉપરથી જમાડે અને જવા-આવવાનું ભાડું પણ આપે !!! આભને ટેકો આપનારા આવા લોકોથી પૃથ્વી વિહરવા યોગ્ય રહી છે. માતર પાસે "માનવ પરિવાર" નામે દર્દીઓનું પિયર આવેલું છે. વિનામૂલ્યે અત્યાધુનિક દવા અને સારવાર મફત મળે છે, વળી દર્દીઓ માટે જમવાનું પણ હોય છે.

આજે કોરોનાના કહેરથી બચાવવા આ દેવદૂત મેદાને પડ્યો છે. તેનો ઉત્સાહ વધારો. તેને માન-સન્માન આપો. તેનો પડ્યો બોલ ઝીલો. આપણાં દેશમાં ડાકટરોની અછત છે. તેઓએ દવાખાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. આજે ડોક્ટરો, પરિચારિકાઓ, વોર્ડ બોય, પેથોલોજીસ્ટો, સ્વીપરો સૌનો આભાર માનો. પ્રભુને પ્રાર્થના કરો કે, તેઓ પોતાના કાર્યમાં સફળ થાય. મારી જાણ મુજબ સૌથી વધુ શાંતિના નોબલ પ્રાઈઝ રેડક્રોસ સોસાયટીને મળ્યાં છે. એકવાર કહ્યું હતું કે, એક હજાર ફરીસ્તા બરાબર એક ડોક્ટર. આજે એ વાત સાચી પડી છે.

ડોક્ટર છેવટે માણસ છે અને વિજ્ઞાનની એક મર્યાદા છે.આ વાતનું સ્મરણ રાખજો.

જે.કે.સાઁઈ

Monday, March 9, 2020

માય ડીયર લાગણી

હા, હું કોઈ વાર દંભી
તો કોઈ વાર show-off કરતો જણાવું છું,
કોઈ વાર મારો ego પણ વચ્ચે આવે છે,
અને કોઈ વાર હું એ પણ જાણું છું કે
એને લીધે તું મારાથી દુર દુર જઈ રહી છે,
પણ કોઈ વાર સંજોગો તો કોઈ વાર professional pressure,
મને ખબર હોવા છતાં પણ મારી આવડતનો દંભ કરવો પડે છે,
survival of the fittest ના જમાનામાં હું જો મારી આવડતનો દંભ
ન કરુ, તો કદાચ ક્યાંનો ક્યાં ફેંકાઇ જાઉં.
લગ્ન જેવા પ્રસંગે ઘરની વૃદ્ધ વ્યક્તિઓની સગવડ ખાતર
કદાચ મોંઘી હોટલોમાં રહેવું પડે, અને એ કદાચ દંભ હોઈ શકે,
પણ ખરેખર તો એમના પ્રત્યેની લાગણી જ એ વસ્તુ કરાવી ગઈ.
મને તો તારી ખુબ જ જરૂર છે. માનવ જીવન તારા વગર યાંત્રિક બની જાય છે.
દુધમાં જેમ સાગર ભળી જાય એમાં હું માનું છું કે
કોઈ પણ માનવ મારા ને તારા સમન્વયથી
દરેક કાર્ય સંવેદનશીલ બુદ્ધિથી ઉત્તમ રીતે પાર પાડી શકશે.
સંબંધોની મીઠાશ પરમ સ્થાન પર પહોચી જશે.
પણ એ શક્ય બને એ માટે મને તારા સાથની જરૂર છે…અને હા, મારો દંભ
સદંતર કાઢી નાખવાનો દિલથી પ્રયત્ન કરીશ, અને મને ખાતરી છે
કે એમાં હું સફળ બનીશ…મને ખબર છે કે પ્રેમાળ લાગણી
ગમે તેવા અહંકાર ને ઓગાળી નાખે છે….મારા વિચારો
વાચવા બદલ ખુબ ખુબ આભાર…

હું બુદ્ધિ

હોળી_હુતાસણી_હોળાષ્ટક

થોડાંક વરસો પહેલાં એક ફેસબુક મિત્રના ફોટામાં પાછળની દિવાલ પર લખેલ વંચાતુ હતું.
#હોલી_માતકી_જય .
મે પુછ્યું
"હોલી માતા ?
કઇ રીતે ?
ક્યારથી ?

જવાબ હતો "મને કંઇ જ જાણ નથી."

કેટલાક મિત્રોના મેસેજ હોય છે અંગ્રેજીમાં
Happy Holi

નાનપણ થી જોતો આવ્યો છું કે હોળી ઉન્માદનો તહેવાર છે.
આમ તો માનવ મન અને ચંદ્રની કળાને એવો અનુબંધ છે કે પ્રયેક પૂનમ પર આવતા લગભગ તહેવારો પર વિવીધ પ્રકારના ઉન્માદો છવાયેલ હોય છે.

નાના હતા ત્યારે ગામડે હોળીમાં અત્યંત અભદ્ર વાણી વિલાસ અને વર્તન કરતા.
હોળીનું પર્વ ઝગડાઓ વિના ભાગ્યે જતું.
બે દિવસ સુધી એસ. ટી. ની બસો બંધ રહેતી.
ઘણા ય ગામડાઓમાં હોળી જાણે કે વેર પિપાસાનુ પર્વ બની રહેતું.
શહેર માં જેને ધૂળેટી કહે એને ગ્રામ્ય બોલી માં પડવો કહે.
અમુક ગામોમાં બે બે પડવા થતા.
રા' નીકળતા.
જે રા' બને એમણે ગામને હવાડે નહાવાનું, હોળીની ભસ્મમાં આળોટવાનુ પછી ગધેડા પર ઉંધા મોઢે બેસાડવાનું. એમને ખાસડાં ના હાર પહેરાવાતા અને ગામમાં શેરીએ ગલીએ ઘુમવાનુ. પાછળ તોફાની ટોળી હોય જેને ઘેરૈયાની ટોળી કહેવાતી.
જેટલી તોડ ફોડ અને નુકસાની વધુ કરે એટલી ટોળીની પ્રસંશા વધુ થતી.
ઘણી ય વાર ધૂળેટી પર રંગના બદલે લોહીયાળ હોળી ખેલાતી.

હું હોળીનો આનંદ અન્ય મિત્રોની જેમ નથી ઉઠાવી શકતો જેનુ કારણ કદાચ
મે હોળી આસપાસ બે ત્રણ સ્વજનો ગુમાવેલ છે એનું સ્મરણ થઇ આવે.

ફાગણ સુદ પૂનમ એટલે વસંત ઋતુનો અંતિમ દિવસ.
તામસી સુખની છોળોની ચરમ સીમા.
એ પછી શરૂ થતી હોય છે ગ્રીષ્મ, એટલે કે પાનખર ઋતુ.

ચૈત્ર વૈશાખ માં ગ્રીષ્મના તડકા થી ઘણા અકળાય જતા હોય છે.
પણ ખેતી કરનાર માટે ગ્રીષ્મ એટલે ભૂમિનું ખેડવુ, તપાવવું. ખેડાયેલ ભુમિ ગ્રીષ્મના તડકા માં તપે એટલે વર્ષા ઋતુમાં વધુ ફળદ્રુપ બને.
ગ્રીષ્મના તડકાઓ જે તરબુચ સાકર ટેટી ને પકાવે છે. પાકવા માટે બફારો અનિવાર્ય છે. જાણે કોઇ જોગીની ગુફા સમી ગ્રીષ્મની ધુણી થકી જ ખાટી ખાખડી પાકી કેરીમાં પરીવર્તીત થાય છે.
દઝાડતી દાહકતા દ્વારા જ શીતળતાનું સાચું મુલ્ય સમજાય છે.

અમારા જમાનાની હોળીનો અનુભવ

નાનપણ માં હોળી પર હું ય ઘેરૈયાની ટોળી માં જતો.
કોઇ માતા કયે કે છોકરાઓ આ છાણાની મોટલી લેતા જાવ તો મજા ન આવતી પણ કોઇકના મોઢવા માં થી બે ચાર છાણાં ચોરવા જઇએ અને કોઇ પાછળ દોડે કે ગાળો કાઢે ત્યારે કંઇક વિચિત્ર મજા આવતી.
એક વાર વાલા બાપા દરજીને ત્યાં પડેલી એક્કા ગાડી ઉપાડીને હોળી માં હોમી દીધેલ.
જેરામ કુંભારની કેબીન આગળ કરેલી વાંસ અને નાળીયેરીના તાલાંઓની છાજલી ઉખેડીને હોળીમાં હોમી દીધેલ.
નરસિંહ કુંભારના ગધેડા પર માટલાં રાખવા માટે વાંસ અને કાથીની બનેલ ખોલકી એ હોળી માં હોમી દીધેલ.
મારા પિતાજી ત્યારે સરપંચ હતા.
સવારે બે ય મારા બાપા પાસે આવીને છુટા મોઢે પોક મુકી રડવા લાગ્યા.
કોક અમને પજવે તો તમારી પાંહે આવીએ પણ તમારો જ દિકરો ઉઠીને અમ ગરીબની રોજી રોટી બાળી નાખે 😢

બાપા એ મને બવ જ લમધારેલ અને મને કીધેલ કે તારી હારે જે હતા એ બધાને બોલાવીને વાંસ અને નાળીયેરીનાં તાલાં થી તમારે હાથે જ પાછી હતી એવી બનાવી દયો તાં સુધી ઘર માં પગ નો મુકતો નકર તારા ટાંટીયા ભાંગી નાખીહ રાખ્ખહ (રાક્ષસ)
અમે એ કર્યું.
ત્યારે બાપાની આંખ માં માત્ર ક્રોધ જ નહોતો પુત્રના કુકર્મ બદલ અપરાધ ભાવ અને ભોંઠપ સ્પષ્ટ દેખાતી હતી. એ પછી મે ઘેરૈયામાં જવાનું છોડી દીધેલ
ખીમભાઈ રામ

Saturday, March 7, 2020

સ્ત્રી .... ન માથે ચડાવો, ન ઠેબે ચડાવો!

આજે મહિલાદિન નિમિત્તે મહિલાઓ વિશે થનારી મીઠી મીઠી અને રૂડીરૂડી વાતો સાથે થોડી ચોખ્ખી વાતો પણ કરી લઈએ.

પહેલી વાત. સ્ત્રીને દેવી ન ગણવી, કારણ કે સ્ત્રી પણ છેવટે માણસ છે અને જેમ માણસમાં એક છેડે ઉત્કૃષ્ટ અને સામેના છેડે નિકૃષ્ટ માનવીઓની જે બહોળી રેન્જ જોવા મળે છે એવી જ રેન્જ સ્ત્રીઓમાં પણ જોવા મળવાની. વળી એક જ સ્ત્રી અલગઅલગ સમયે આ આખી રેન્જમાં અલગઅલગ સ્પોટ્સ પર જોવા મળી શકે. કોઈ પણ સ્ત્રીને ફ્ક્ત સ્ત્રી હોવાને કારણે નિર્દોષ, ભલી, પ્રેમાળ, ક્ષમાવાન અને પવિત્ર એવી દેવી ગણી લેવી નહીં. સ્ત્રીને એક વ્યક્તિ તરીકે, કેસ-ટુ-કેસ મૂલવવી. કામના સ્થળે માર્કેટિંગ વિભાગમાં કોઈ લેડીના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે તેના ફિગરના ફિગર્સ (શરીર માપતા આંકડા)ને બદલે તેનાં સેલ્સ અને કલેક્શનના જ ફિગર્સ જોવા. ટૂંકમાં, સ્ત્રીનું મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે નકારાત્મક તો ઠીક, હકારાત્મક પૂર્વગ્રહથી પણ બચવું. સ્ત્રીની જાતિ અને રૂપ જોવાને બદલે તેના અસલી વ્યક્તિત્વ પર જ ધ્યાન આપવું. તો જ તેના વિશે સાચું જજમેન્ટ શક્ય બનશે.

બીજો મુદ્દો. એ નકારાત્મક પૂર્વગ્રહ વિશેનો છે. સ્ત્રીને નરકની ખાણ ગણવાનું, તેને સત્તાકેન્દ્રોથી દૂર રાખવાનું અને તેની પ્રગતિના માર્ગમાં રોડાં-અવરોધો નાખવાનું તાત્કાલિક ધોરણે, ઇમ્મિજિએટ ઇફ્ક્ટથી બંધ કરવા જેવું છે.

અહીં પ્લીઝ એવું તો કોઈ કહેશો જ નહીં કે જમાનો બહુ સુધરી ગયો છે અને હવે મહિલાઓના માર્ગમાં કોઈ અવરોધો છે જ નહીં. અવરોધો છે, ઘણાં છે.

સૌથી પહેલો અવરોધ તો જન્મ લેવામાં જ નડી શકે. ખબર પડી જાય કે પેટમાં બાળકી છે તો ઘણાંને વિચાર આવી જાયઃ 'ગર્ભપાત કરાવી નાખીએ?' જૂના જમાનામાં બાળકીને જન્મવા દેવામાં આવતી અને પછી મારીને દાટી દેવાતી અને હવે નવા જમાનામાં તો તેને જન્મ પહેલાં જ પેટમાંથી કાઢીને નષ્ટ કરી દેવામાં આવે છે.

કમ ઓન. એને જન્મવા તો દો.

અને એ જન્મી જાય અને મોટી થઈ જાય પછી સત્તા-ધન-નેતૃત્વના કોઈ મોટા હોદ્દાની વાત આવે ત્યારે પુરુષોની સામાન્ય (અને મોટે ભાગે ખાનગી) પ્રતિક્રિયા એવી હોય કે બૈરાંનું એ કામ નહીં, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ વગેરે વગેરે. આ માન્યતા વાહિયાત છે.

સવાલ સ્ત્રીના સશક્તીકરણનો નથી, કારણ કે મહિલા પોતે જ સશક્ત છે. સશક્ત તો એટલી બધી છે કે તેનાં સંતાનોને ભૂખ્યા ન રહેવું પડે એ માટે તે ગમે તે હદે જઈ શકે, કોઈને મારી પણ શકે અને પોતે મરી પણ શકે. નારી જ્યારે વિફરે ત્યારે તે કોઈની રહેતી નથી. માત્ર નારી જ નહીં, તમામ જાતિઓની માદા કેટલીક વાતે નોન-નેગોશિયેબલ (વાટાઘાટ ન કરવાના) મોડમાં આવીને પ્યોર શક્તિ-સ્વરૂપા બનીને ભલભલાને ભારે પડી શકે.

ટૂંકમાં, સ્ત્રીમાં શક્તિ છે જ. તેને સશક્ત બનાવવાની જરૂર નથી. પુરુષો વળી કોણ છે સ્ત્રીને સશક્ત બનાવનારા? સવાલ સ્ત્રીની વાજબી શક્તિની અભિવ્યક્તિમાં નડતા ગેરવાજબી અવરોધો દૂર કરવાનો છે. સવાલ એ છે કે મહિલાની શક્તિઓ બહાર આવી શકે તે માટેનો માર્ગ કઈ રીતે મોકળો કરવો? આ સવાલનો એક જ જવાબ છેઃ ભેદભાવ મિટાવો.

અહીં એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ તો છે જ. સ્ત્રીઓમાં લાગણી-ચીવટ-હૂંફ-ચતુરાઈ-પોષણનું પ્રાધાન્ય જોવા મળવાનું. બોસ તરીકે મહિલા હોય તો એ કર્મચારીઓનું પર્ફેર્મન્સ સુધારવા ઉપરાંત તેનું આરોગ્ય સુધારવા વિશે પણ વિચારશે. અંતઃસ્ફૂરણાના જોરે પરિસ્થિતિનો તાગ પામવામાં સ્ત્રી પુરુષ કરતાં ઊંચેરી હોય છે. સ્ત્રી-પુરુષનાં શરીરો જુદાં છે, અંગો જુદાં છે, માનસિક બંધારણ જુદું છે, પરંતુ સ્ત્રી-પુરુષ વચ્ચે આ બધા જે ફરક છે એ વર્ટિકલ (ઊભા, ઊંચનીચના) નથી, હોરિઝોન્ટલ (આડા, અલગ હોવાને લગતા) છે. બંને સપાટ ભૂમિ પર અલગઅલગ જગ્યા પર છે. બેમાંથી એક જૂથ ઊંચે અને બીજું જૂથ નીચે નથી. તો પછી બંનેને સમાન તક કેમ નથી મળતી?

સંસદમાં સ્ત્રીઓનું પ્રમાણ ૫૦ ટકા કેમ નથી? અને ૫૦ને બદલે ૩૩ ટકા સાંસદીય પ્રતિનિધિત્વની લોલીપોપ વરસોથી દેખાડ્યા પછી પણ વાસ્તવમાં એટલું પ્રતિનિધિત્વ અપાતું નથી. શું કામ? કારણ કે પુરુષો અંદરખાને એવું માનતા હોય છે કે બૈરાંઓનું એ કામ નહીં. આ અભિગમ ખોટો છે, અન્યાયકારી છે, મુર્ખામીપૂર્ણ છે.

'મોટાં કામો'ની વાત આવે ત્યારે સ્ત્રીઓનું એ કામ નહીં એવું વિચારવું એ જે રીતે ભેદભાવ-અન્યાય-જુલમ છે એ જ રીતે 'સામાન્ય સ્ત્રીઓ' જે 'સામાન્ય કામો' કરે છે, જેમ કે, બાળઉછેર, રસોઈ, વૃદ્ધોની સંભાળ, વાસણ-કપડાં-સફઈ વગેરે, તેનું સાચું મૂલ્ય ન આંકવું તે પણ ભેદભાવ-અન્યાય-જુલમ જ છે. આ કામોનું મૂલ્ય શા માટે ઓછું છે? બાળઉછેર શું નાનું કામ છે? જે ભોજન આપણને જીવતાં રાખે છે, દોડતાં રાખે છે એ ભોજન તૈયાર કરવું તે શું નાનું કામ છે? કહેવાનો મતલબ એ નથી કે સ્ત્રીઓએ ફ્ક્ત બાળઉછેરમાં અને રસોડામાં જ ખૂંપેલા રહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી જે કામ કરે તેને ‘સસ્તું ‘શા માટે ગણવામાં આવે છે?

આ વાત સૂક્ષ્મ છે, છતાં ખાસ સમજવા જેવી છે. ભેદભાવ માત્ર સ્ત્રીના વ્યક્તિત્વ સાથે નથી થતો, તેનાં કાર્યો સાથે પણ થાય છે. સ્ત્રી જે કંઈ કરે તે નાનું, તે ક્ષુલ્લક, તે ગૌણ…

સ્ત્રીનાં કામનું ઝાઝું મૂલ્ય નથી અંકાતું. માટે સ્ત્રીના પ્રદાનનું મૂલ્ય ઓછું અંકાય છે. માટે તે મૂલ્યવાન નથી ગણાતી. અને માટે મોંઘેરા પુત્ર કરતાં સાપના ભારા જેવી પુત્રી જન્મે તે પહેલાં જ તેને મારી નાખવાના નબળા વિચારો ઘણાં નબળા મનુષ્યોને આવી જાય છે.

મૂળ વાત આ છે. સ્ત્રીની ‘માર્કેટ વેલ્યૂ’ ઓછી છે. અસલમાં સ્ત્રીનું મૂલ્ય એટલું જ છે જેટલું પુરુષોનું છે. છતાં સ્ત્રીઓને, તેમના દ્વારા થતાં કાર્યોને ઝાઝો ભાવ ન આપીને સરવાળે તેનું ઓછું મૂલ્ય આંકવાની જે અંચઈ હજારો વર્ષથી ચાલતી આવી તે હજુ અટકી નથી.

પેલા યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેવાળા શ્લોકનું હાર્દ પણ આ જ છે કે સ્ત્રીને આદર આપો, તેના કામને આદર આપો. બાજોઠ પર બેસાડીને કંકુ-ચોખા વડે તેની પૂજા નહીં કરો તો ચાલશે, પણ તેના પ્રદાનને ઓછું આંકો તે નહીં ચાલે. એવો અન્યાય કરશો તો તમારે ત્યાંથી દેવતાઓ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ ભાગી છૂટશે.

ઉપરની બધી વાતો વધતે-ઓછે અંશે અને જુદી જુદી રીતે બાળકો, પછાતો, ગ્રામીણો, ગરીબો, વૃદ્ધો, આદિવાસીઓને પણ લાગુ પડે છે. એમને પણ ન માથે ચડાવવાની જરૂર છે, ન ઠેબે ચડાવવાની.

ખેર, એ અલગ લેખનો વિષય છે.

આ લેખ પૂરતું એટલું જ કહેવાનું કે સ્ત્રીની સાચી વેલ્યૂ સમજીએ, તેની પ્રગતિમાં અવરોધરૂપ બનતી અડચણો દૂર કરીએ અને તેમને હૃદયપૂર્વક કહેતાં રહીએ કે હે મહિલાઓ, તમારી કોઠાસૂઝ બદલ, પીડા વેઠીને જન્મ આપવાની ક્ષમતા બદલ, સંવેદનશીલ મન-શરીર-હૃદય ધરાવવા બદલ, શક્તિ-સ્વરૂપા હોવા બદલ, સંસારરથના સમાન મહત્ત્વ ધરાવતા પૈડા તરીકેની તમારી મજબૂત ભૂમિકા બદલ, આભાર.

ખૂબ ખૂબ આભાર.

- દીપક સોલિયા, સંસ્કાર પૂર્તિ, સંદેશ

Tuesday, March 3, 2020

પ્રેરણાનું ઝરણું... તુષાર સુમેરા

ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરીક્ષાનો તણાવ ઓછો કરવામાં જરૂરથી મદદ કરશે.


રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના ત્રણે વિષયમાં એને માત્ર 35 માર્ક્સ આવ્યા.

પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.

કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.

પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.

એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.

વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.

2012ના વર્ષમાં આ છોકરાએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ છોકરાનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે સેવાઓ આપે છે.

મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર બોર્ડની પરીક્ષા આપજો. સુમેરા સાહેબ સાથે બોર્ડની પરીક્ષા આપનાર અને તે સમયે સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર લાવનાર અત્યારે સુમેરા સાહેબ જેવી સત્તા કદાચ નહીં ભોગવતા હોય. મારે પણ બોર્ડની પરીક્ષામાં માત્ર 56% માર્ક્સ આવેલા અને છતાં હું અત્યારે સિનિયર ક્લાસ -1 અધિકારી છું. તમારી આજુબાજુ એવા ઢગલાબંધ માણસો હશે જેની માર્કશીટ ભલે નબળી હોય પણ સફળતા કાબિલેદાદ હશે.

સાભાર :- શૈલેષભાઇ સગપરિયાસાહેબ

વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Thursday, February 13, 2020

દરેક માણસમાં કૈંક વિશેષતા કૈંક મર્યાદા હોય



મોદીજીના વિરોધીઓને એમનામાં માત્ર મર્યાદાઓ જ દેખાય છે એ ય વળી અઢળક .
મને એમની વિશેષતામાં જે સૌથી વધુ પ્રભાવિત કરે છે એ વિષે હું કહું .

મોદીજીની રાજકીય વિશેષતા વિષે અત્યારે મારે કઈ કહેવું નથી .
મારે એમના વિષે બે ત્રણ એવી વાત કહેવી છે જેના વિષે એમના કટ્ટર માં કટ્ટર વિરોધીએ પણ સંમત થવું જ પડે.

1. પહેલું સુખ તે જાતે નર્યા
ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સ્વસ્થતાને પ્રથમ પ્રાધાન્ય અપાયેલ છે .
૧૯૫૦ માં જન્મ
એકાવન વર્ષની ઉંમરે ૨૦૦૧ માં સીધા મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા ત્યાર થી અત્યાર સુધી આ માણસને છ કલાક થી વધુ આરામ નો સમય ન જ મળતો હોય
એક જ સ્થળે ભોજન કે આરામ નહીં એમ છતાં ય ચૂંટણી સભાઓમાં ભાષણને કારણે અવાજ બેસી જવાને બાદ કરતાં આ માણસ કોઈ બીમારીને કારણે અઠવાડિયું તો શું ત્રણ ચાર દિવસે ય હોસ્પિટલાઇઝ થયાનું ક્યારેય સાંભળ્યું નથી
#ગઝબની_સ્વસ્થતા

2. એ જે પ્રમાણે દેશ વિદેશમાં પ્રવાસો કરતા રહે છે પ્રવાસ પછી ય આરામને બદલે તરત જ કાર્યક્રમો હોય એમાં ય ક્યારેય આળસ મરડતા કે બગાસા લેતા નજરે ન ચડે
#ગઝબની_સક્ષમતા

3. જેટ લેગ વિષે જે જાણતા હશે એ સમજી શકશે કે પ્લેનમાં દિવસના ટેક ઓફ થયા પછી બાર કલાકે દૂર વિદેશમાં પ્લેન લેન્ડ થાય ત્યારે ત્યાં ય દિવસ જ હોય ત્યારે સમય પત્રક પાલન કરવું કેટલું મુશ્કેલ હોય શકે પણ મેં ટીવીમાં એક ઇન્ટરવ્યૂમાં એમને એવું બોલતા સાંભળેલા કે
સવારે જાગવા માટે મારે એલાર્મની જરૂર નથી પડતી અને રાત્રે પથારીમાં લંબાવ્યા પછી છઠ્ઠી મિનિટે હું ઘસઘસાટ ઊંઘી જાવ છું .
૭૦ માં વરસે ય
#ગઝબની_સમર્થતા

હવે પછી તમે જે વાંચશો એ બધા જ શબ્દો મિત્ર મહેશ પુરોહીતના છે.
👇👇
એક વ્યક્તિ મુખ્યમંત્રી બને ને ત્રણ મહિના બાદ જ આખા રાજ્ય મા દંગા ફાટી નીકળે તેના પહેલાં રાજ્ય વ્યવસ્થા નો બહોળો અનુભવ ના હોય આજૂ બાજુ ના ત્રણેય રાજ્યો મા વિપરીત વિચારધારા ની સરકાર હોવા ના કારણે કોઈ પોલીસ મદદ ન મળે અને છતાં ત્રણ દિવસ ના દંગા કંટ્રોલ કરાય છતાં પણ તે દંગા ને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચારિત કરી કરી ને બદનામ કરવામા આવે હા હુ મોદીજી ની વાત કરુ છુ...

મોદીજી ફક્ત નેતા પુરતા જ નહી પરંતુ તેમના અંગત જીવન મા પણ પ્રેરણા રુપ છે. ૨૦૦૨ ના દંગા બાદ તેમના વિશે ખબર નહિ કેવા કેવા ગંદા આરોપો અને શબ્દો વાપરવા મા આવ્યા, નીચ, નપુંસક, રાક્ષશ, મોત નો સોદાગર, આ ઉપરાંત દેશ નુ કહેવાતુ સેકુલર મિડીયા કોઈ એક દિવસ આવો નહિ હોય કે ડિબેટ મા મોદીજી વિશે મનફાવે તેમ ના બોલવા મા આવ્યું હોય, આંતરરાષ્ટ્રીય કક્ષા ની સંસ્થાઓ એક્ટિવ રહી ને તેમને કેટલાક દેશ મા પ્રતિબંધ પણ કરાવ્યો, કેન્દ્ર મા કોન્ગ્રેસ ની સરકાર હોવા થી તમામ કાનુની દબાવ આ માણસે સહન કર્યો, તે એક માત્ર એક મુખ્ય મંત્રી જેમણે આઠ આઠ કલાક SIT નો સામનો કર્યો, આવા માહોલ હોવા ના કારણે ભાજપ ના જ કેટલાક નેતા પણ તેમનો વિરોધ કરવા લાગ્યા હતા, વિચાર કરો આવી સ્થિતિ કેટલી વિકટ હશે, છતા આ માણસ ને મે અકળતા નથી જોયો અકળાઈ ને ગમે તેમ બોલતા નથી જોયો, તેમને કામ પર કામ ચાલુ રાખ્યા આજે પ્રધાન મંત્રી છે. અમેરિકા થી લઈ બ્રિટન લાલ ઝાજમ પાથરે છે.

બસ તમે માનો નહિ કોઈ પણ આવા આરોપ ની કપરી સ્થિતિ મા હુ આખો બંધ કરી આ માણસ ( મોદીજી ) ને યાદ કરી લઉ ને સ્વસથ્ય થઈ જાઉં છુ.

નોટ:- પુરાવા વગર ના આરોપો થી કોઈ ફેર પડતો હોતો નથી. અને ગૂનો કર્યો હોય તો પુરાવા વગર પણ ભગવાન શિક્ષા આપી જ દેતો હોય જ છે.

સાભાર
- મહેશ પુરોહિત, નવસારી

Sunday, February 9, 2020

...અને પંખી શિક્ષીત થઈ ગયું



એક પંખી, સાવ ગમાર.
આખો દિવસ ઉડાઉડ,
નવા નવા ફળની શોધ,
ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું..
આવો એનો ધંધો!

રાજ્યના રાજાને લાગ્યું,
“અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે.
એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ,
“આ પંખીનું શું કરીએ?”
એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ, ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું.

પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો (!) વિચાર કર્યો અને
શિક્ષણનીતિ ઘડી કાઢી.

શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.”
અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે
તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી !

સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો.
એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા!
સોનીના વખાણનો તો કોઈ પાર નહિ.
કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !”
પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !

એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતાવેત તેમને કહ્યું કે
“આ એક-બે ચોપડીથી કઈ ના આવડે,
વધુ દળદાર પુસ્તકો જોઈએ”
રાતોરાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા.
થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણl પુસ્તકોનો ઢગલો થઇ ગયો!
લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા.
“વાહ! વાહ! શું શિક્ષણ છે !”

ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી.
તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય!

તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.

હવે તો સૌ બોલી ઉઠ્યા કે
“હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”

એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે
પંખીનું શિક્ષણ બરાબર નથી થતું !
રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને
“આ હું શું સાંભળું છું?, કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!”

ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો
“અરે!,
એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.”
રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું.
રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે
વાત ના પૂછો !
કોઈ ગોખાવતું હોય,
તો કોઈ ગવડાવતું હોય,
તો કોઈ શીખવતું હોય નાચ !, તામ જામ,
– નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો !
વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી.
રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો
“મહારાજ ! પંખીને મળ્યા?”

રાજા પંડિતજીને કહે
“અરે હા! એ તો યાદ જ ન આવ્યું. *પંખીને જોવાનું તો રહી ગયું. *ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.”

રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું.
પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે.
રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.

હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે.
ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !

બિચારૂ પંખી,
જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે પાંજરામાં પાંખો ફફડાવે તો કહે,
“આ ગેરશિસ્ત !”
કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે
“આને એના ભવિષ્યની પડી જ નથી !”

બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!

અંતે સૂકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને....
બિચારા પંખી નું “પંખીપણું" મરી ગયું

...ને ભાણેજે જાહેર કર્યું કે
“પંખી શિક્ષીત થઈ ગયું"

*મૂળ વાર્તા*
🙏 *રવીન્દ્રનાથ ટાગોર* 🙏,

Friday, February 7, 2020

શરત બસ એટલી છે સૌપ્રથમ માણસ બની જઇએ..........



(સત્ય ઘટના)

એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો. આ બે વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?

............. આ તો ટ્રેઇલર હતું... વાત હવે શરૂ થાય છે....

‘ઇ ડિયટ્સ! યુ ડર્ટી પિગ્ઝ! ગેટ આઉટ ફ્રોમ હિઅર! રાઇટ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ...’ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર. રાતના દસ વાગ્યાનો સમય. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં ભજવાઇ રહેલું એક શરમજનક ર્દશ્ય.પોતાના ઘરે આશરો લઇને પડેલાં એક આધેડ પતિ-પત્નીને ઘરની સ્ત્રીએ ગાળો ભાંડીને, અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ ફરમાવી દીધો. બાવન વર્ષના બચુભાઇ અને પચાસ વર્ષનાં બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલાં જ અમેરિકા આવ્યાં હતાં.

ખેડા જિલ્લાના નાનકડા શહેરમાં આવેલું મકાન વેચી સાટીને આવ્યાં હતાં. ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યાં હતાં. કોઇ પારકાના ઘરે નહોતાં આવ્યાં, બચુભાઇની મા જણી બહેનના ઘરે આવ્યા હતા. ઉમ્મીદ એટલી જ હતી કે શરૂઆતના છએક મહિના જો બહેન-બનેવી એમના ઘરમાં આશ્રય આપશે તો વિદેશની ધરતી ઉપર સ્થાયી થઇ જવાશે. દેશમાં ધંધો ચોપટ થઇ ગયો હતો અને ત્રણેય દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવી ઊભવાની તૈયારીમાં હતી.

જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઇ શક્યું હોત, પણ બચુભાઇની બહેનને બબીભાભી સાથે ફાવ્યું નહીં. નણંદ-ભાભીના યુગો જૂનાં વેર-ઝેર અહીં પણ નડી ગયાં. નણંદબા પંદર વર્ષથી અમેરિકાવાસી બનેલાં હોવાથી પૂરેપૂરાં પાશ્વાત્ય રંગમાં રંગાઇ ચૂક્યાં હતાં. ભાઇની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જુનવાણી રીતભાત એને હજમ ન થઇ શક્યાં. ન સ્થિતિ જોઇ, ન સમય અને કહી દીધું, ‘ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ!’બચુભાઇ અને બબીબહેન ચાર ચોપડી જેટલું ભણ્યાં હતાં.

બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય! પણ જે શૈલીમાં એ અંગ્રેજી વાક્યો ફેંકાયાં હતાં એ પ્રેમભર્યા કે નિર્દોષ તો નહોતાં જ એટલું એમને સમજાઇ ગયું અને બારણા તરફ ચિંધાયેલી આંગળી! બહેનને સમજાવવાનો કે કરગરવાનો કોઇ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી એનું વર્તન બગડતું જતું હતું. બચુભાઇ અને બબીબહેન પોતાનાં કપડાંની બેગો ઊંચકીને તે જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયાં.

હાડ ઠારી દેતી ઠંડી, ગરમ વસ્ત્રોનો અભાવ, અંગ્રેજી બોલવા-સમજવાની અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત. બંને જણાં રસ્તાની ફૂટપાથ પર બેસી પડ્યાં. જાણે અધરાતે-મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઇને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી ન કરી ચૂક્યાં હોય! એકાદ કલાક આમ જ પસાર થઇ ગયો. ત્યાં એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું ઊઘડ્યું. એક યુવાન બહાર નીકળ્યો.આ બે થરથરતાં વૃદ્ધોનાં ચહેરા-મહોરા અને કપડાં જોઇને એણે શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ‘ગુજરાતથી આવ્યાં છો? કંઇ મુશ્કેલી? હું મદદ કરી શકું?’સાવ સીધા-સાદા ત્રણ જ નાના સવાલો! પણ જે સંજોગોમાં એ સાંભળવા મળ્યા, એનો જ પ્રતાપ હશે કે જવાબમાં બે આધેડોની ચાર આંખોમાંથી મહી નદીનાં પાણી વહેવા લાગ્યાં. બચુભાઇએ જવાબ આપતાં પહેલાં આસમાન તરફ જોઇ લીધું, ‘વાહ રે, મારા રણછોડરાય! ડાકોરના ઠાકોર! તેં ખાતરી કરાવી દીધી કે તું ખરેખર છે!

નહીંતર મારી સગી બહેન અંગ્રેજીમાં ગાળો ભાંડતી હોય ત્યારે આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાત કરે...?’ બબીબહેને રડતાં-રડતાં પૂરી આપવીતી વર્ણવી દીધી. જુવાને કહ્યું, ‘યુ ડોન્ટ વરી! માફ કરજો, હું ગુજરાતીમાં બોલું છું. તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું શું કરી શકું? પણ તમે બેસી જાવ મારી કારમાં. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો. પછી શાંતિથી વિચારીએ કે શું થઇ શકે તેમ છે.’

ગાડીમાં બેસીને બંને જણાં રૂમ પર ગયાં. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો. અહીં ભણવા માટે આવ્યો હતો. સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ એનાં બે જીવનમંત્રો હતાં. એમાં આ બે જણાંનો બોજ આવી પડ્યો.ફ્રજિમાં ઠંડી પડી ગયેલી સેન્ડવિચ કાઢીને માઇક્રોવેવમાં ગરમ કરીને યુવાને મહેમાનોને ખવડાવી, પોતે પણ ખાધી. દૂધ પીવડાવ્યું. પછી જમીન ઉપર ત્રણ પથારી પાથરી દીધી.

બબીબહેન બોલી ગયાં, ‘બેટા, તારું નામ તો કહે!’‘ઋગ્વેદ! પણ અહીંના લોકો તો સાત પેઢી સુધી શીખે તો પણ આ નામ બોલી ન શકે. માટે મેં જ ટૂંકું કરી નાખ્યું. અહીં બધા મને રોકી કહીને બોલાવે છે, પણ તમે મને ઋગ્વેદ જ કહેજો.’બચુભાઇ હસી પડ્યા, ‘બેટા, મને તો કદાચેય ફાવશે, પણ આ તારી માસીને એવું અઘરું નામ નહીં ફાવે. એના માટે રોકી જ રહેવા દે!’ પછી ગંભીર થઇને ઉમેર્યું, ‘આજ રાત પૂરતી તો વાત છે. કાલે સવારે તો અહીંથી...’‘એવી ઉતાવળ કરવાની જરૂર નથી, અંકલ! હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ ‘જોબ’માં પસાર થઇ જાય છે.

સવારે વહેલો નીકળી જાઉં છું, રાત્રે અગિયાર વાગે આવું છું. તમે જો અહીં હશો, તો મને બે વાતની નિરાંત રહેશે.’ મહેમાનોને પહાડ જેવા પાડનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું, ‘સવારે જતી વખતે મારે બારણું ‘લોક’ નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે નહીં જવું પડે.’‘આ શું બોલ્યો, રોકી બેટા? તારી આ માસી તારા માટે એકલી ચા જ નહીં, તાજો ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઇઓના હાથમાં ભગવાને આ એક તો જાદુ મૂક્યો છે.’

બીજા દિવસની સવારે બબીબહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યાં. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો સ્થપાઇ ગયો. ઇડલી, ખીચું, મુઠિયાં, બટાકાપૌંવા, ઢોકળા, ઉપમા...! રોકીની મુશ્કેલી દૂર થઇ ગઇ. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઊઘાડવા જતો, ત્યારે બબીબહેન રડી પડતાં, ‘અમે શું કરીએ છીએ, બેટા? ખરો ઉપકાર તો તું કરે છે. પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને! બેટા, મને એ તો કહે કે પૂર્વજન્મના ક્યા સંબંધે તું આ બધું કરી રહ્યો છે?’આ જગતમાં બધા સવાલોના કંઇ જવાબો નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા.

બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર સૂÍયો, ‘અંકલ, એવું ન થઇ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે ‘જોબ’ કરવા જાય છે અને ઠંડી સેન્ડવિચ ખાઇને ઊંઘી જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ એમને સગવડ પૂરી પાડી શકીએ?’થોડાક દિવસમાં એ પણ ગોઠવાઇ ગયું. રોકીએ પોતાની બચતમાંથી સરંજામ ખરીધ્યો.

એક ભાડૂતી વેન અને માણસ રાખી લીધો. બબીબે’ન રોજ પાંચ વાગ્યે ઊઠીને નાસ્તાઓ બનાવે અને બચુભાઇ ગ્રાહકોના ઘરે પહોંચાડી આપે. મહેનતનો પરસેવો મહેંકી ઊઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. ત્રીજા મહિને રોકીએ સાવ બાજુમાં એક બંધ પડેલી રેસ્ટોરન્ટ ભાડેથી લઇ લીધી. હિન્દીમાં બોર્ડ મારી દીધું: ભારતીય ઉપહાર કેન્દ્ર. સફિe ઇન્ડિયન્સ કે લિયે. દિવસભર નવરાં ન પડાય એટલા ઘરાકોની કતાર જામવા લાગી. ડોલર્સનો વરસાદ વરસવા માંડ્યો.દસ જ મહિનામાં ત્રણેય જણાં તરી ગયાં. એક સાંજે બચુભાઇએ વાત કાઢી, ‘રોકી! બેટા, અમારા માટે હવે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના, બેટા, તારી કશી ભૂલચૂક નથી થઇ, પણ અમારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઇએ અને તારી સાથે કયો સંબંધ છે જેના કારણે અમે તારા માથે બોજ...?’‘બસ, અંકલ, હવે વધુ ન બોલશો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. ત્રણેય દીકરીઓને પણ તમે તેડાવી લો. પણ આપણે રહીશું તો સાથે જ.

એક બીજી વાત! તમે બંને વારંવાર પૂછ્યાં કરો છો ને આપણી વચ્ચે કોઇ સગાઇ કે સંબંધ નથી! હું તમને પૂછું છું-તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં રહે. અરે, પણ તમે બંને જવાબ આપવાને બદલે રડી શા માટે પડ્યાં? બોલો! કંઇક તો બોલો! બોલી ન શકો તો માથાં હલાવીને તો હા પાડો...’આવા સુખની તો બંનેએ સપનામાંયે કલ્પના નહોતી કરી. બચુભાઇએ અને બબીબહેને માથાં હલાવીને નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી.

Wednesday, January 22, 2020

ખુશહાલ જીવન જીવતું કુટુંબ

ડોશો ડોશીને દવાખાને બતાવીને લાકડીને ટેકે ટેકે રીક્ષામાંથી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા.
ત્યાં તો દરવાજો બંધ.તાળું મારેલ.😢 ડોશો ધ્રુજતા હાથે ખિસ્સામાથી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યુ તમારી વહુ ચાવી આપી ગઇ છે.💐એણે તાળું ખોલી આપ્યું. 👍
દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ. 👍
ઝડપથી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી.
😢 લાલાની પેરેન્ટ્સ મીટીંગમાથી આવત્તા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી. 👍
બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા.....બાપુજીની દાળ ગરણીથી ગાળી નાખી.👌
થાકેલ બા ને ડાયનીન્ગ ટેબલને બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો અને ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી ત્યાં ..... તો બાએ વહુનો હાથ પકડી લીધો.
વહુ કહે બા કેમ ..??? સારુ તો છે ને? કહી બા નાં પગ પાસે બેસી ગઇ.
બા એ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુના મોઢામાં મુકી દીધાં.

વહુએ પુછ્યું બા તમે દવાખાને ખાધા નહીં ..???

બા કહે તને મુકીને હુ ઘરડી આખી ખાઇ લઉ ..??😊
ઘડીક શ્વાસ લે #જમકુ.#.. એમ પેટ નેમ થી બોલાવી........☺
વહુ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગ્યો. 😊
અચાનક વહુ કહે બા મારે એકાદશી હતી ..........!!!! બા કહે તુ અમને જે રીતે સાચવશ તને રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે. કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢામાં મુકી દીધાં....
ત્યાં તો સામેની ખુરશીમા બેઠેલા બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા .......
☺☺☺☺☺☺☺☺
આ બધાં પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં.
💐💐
ધ્યાન ગયુ ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગાર વાળા બેન્ક મેનેજર આ બધુ દૃશ્ય જોઇ રડી રડી રહ્યાં હતાં.
😢😢😢😢😢😢
ખબર નહીં કેમ ...??????????
💐💐💐💐એક પ્રયત્ન 💐💐💐💐

સાભાર
અજ્ઞાત....

Monday, December 30, 2019

ક્ષણિક આનંદ માટે લક્ષ્યથી વિચલીત

એક રાજ્યમાં રાજાનું મૃત્યું થયુ કોઇ વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવા તમામ યુવાન ભાઇ-બહેનોને આમંત્રણ આપવામાં આવ્યુ. લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું શાશન કરવાની અપેક્ષા સાથે એકઠા થયા.

આ તમામ 100 વ્યક્તિઓને નગરના દરવાજાની બહાર બેસાડીને કહેવામાં આવ્યુ કે રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને 2 કીલોમીટર દુર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર આવી શકે અને આ 2 કીલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે.

સુચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડુ આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલુ હતું , " જરા બાજુંમાં તો જુવો ...." બાજુમાં ડાન્સ ચાલુ હતો એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ નાચતા હતા અને એની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છુટ હતી. મોટા ભાગના યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયા...બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઇ જગ્યાએ આઇસ્ક્રિમ , કોઇ જગ્યાએ ડ્રાય ફ્રુટસ , કોઇ જગ્યા એ જ્યુસ અને કોઇ જગ્યાએ ચોકલેટસ અનેક પ્રકારના ખાવા પીવાના આકર્ષણ હતા. જેને જે ફાવ્યુ તે ત્યાં રોકાઇ ગયા.

એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલા નીકળ્યો એના ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે તમે આ રાજ્યના સંચાલક. તમને ત્રણ પ્રશ્ન પુછવા છે પેલા એ કહ્યુ કે પુછો...પુછો શું પુછવું છે તમારે ?

1. તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતી હતી એમણે રસ્તામાં ઘણું જોયુ તમે કંઇ જોયુ ?
પેલા એ જવાબ આપ્યો હા મે પણ બધું જ જોયુ.

2. તમને કોઇ ઇચ્છા ના થઇ ? પેલાએ કહ્યુ કે ઇચ્છા તો મને પણ થઇ નાચવાની , ખાવાની , પીવાની કારણ કે હું પણ માણસ જ છુ.

3. તમે બધુ જોયુ ....તમને ઇચ્છા પણ થઇ તો તમે એમ કર્યુ કેમ નહી ?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો ....," મને જ્યારે નાચવાની , ખાવાની કે પીવાની ઇચ્છા થઇ ત્યારે મારી જાતને થોડી સેકન્ડ રોકીને વિચાર્યુ કે આ બધુ તો આજનો દિવસ જ છે કાલનું શું ? પણ જો આજે આ બધું જતું કરીને એક વાર આ રાજ્યનો સંચાલક બની જાવ તો આ મજા તો જીંદગી ભર કરી શકું. બસ મે જીંદગી ભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો"

આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું જ થતું હોય છે ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલીત થઇ જઇએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલીત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દુર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કઇ તાકાત રોકી શકે નથી.

Saturday, December 28, 2019

જિંદગીના જુદા જુદા રંગ

ફેસબુક ની નિંદા ખુબ થતી જોઈ છે જે સાવ અકારણ પણ નથી જ પણ હળાહળ કાલકૂટ ને કારણે સમુદ્ર મંથનને દોષ દઈશું તો અમૃતની પ્રાપ્તિ પણ એ સમુદ્ર મંથન થકી જ તો થઇ હતી.
પ્રસ્તાવના પુરી હવે સીધો જ મુખ્ય મુદ્દા પર આવી જાઉં .

અમે ફેસબુક મિત્ર બન્યાં ત્યારે એમનું નામ હતું નાથી મોઢવાડીયા.
ઇઝરાયલ રહેતી પણ રગરગ થી ટિપિકલ મેરાણી .
મે એક વાર ગગી કહ્યું તો કયે
અરે આ નામે તો મને કરસન બાપા બોલાવતા .
એ કોણ ?
મારા મોટા બાપા .
જયારે કરસન બાપા જામનગર ખીજડા મંદિરમા દરવાણી તરીકે સેવા આપતા ત્યારે હુ ત્યાં વિદ્યાર્થી હતો એ ઓળખાણ નીકળી.
પછી તો માત્ર સંબોધનો માં જ નહીં હૃદય થી બહેન ભાઈ જેવો ભાવ થયો.
એમનું મૂળ ગામ કોટડા .
મોટી મારડ ગામની માટીમાં બાળપણ વીત્યું ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું.

સ્વ જ્ઞાતિમાં થયેલ લગ્ન કમનસીબે નિષ્ફ્ળ ગયું પણ એ દુઃખી જીવનના રૂઝાયેલ ભીંગળા નથી ઉખેળવાં .
નાથીને બે દીકરીઓ ય ખરી એમને માવતર પાસે મુકીને પ્રણામી ધર્મ ના સંસ્કાર લઇને આઈ લીર બાઈના કુળમાં જન્મેલ નાથી ૨૦૦૭ માં ઇઝરાયેલ ગઈ
ત્યાં એક મૂળ ભારતીય એવા આયુર્વેદીક ડો. સ્વરૂપ વર્માને ત્યાં અભ્યાસમાં જોડાઇ જેમણે એમને બહેન માની ત્યાં એક ઇઝરાયેલી મહિલા તગીત નિયમીત આવતાં એ નાથી થી અતિ પ્રભાવિત થયાં એમનો વાત્સલ્ય ભાવ એવું ઝંખતો કે
કાશ તું મારી દીકરી હોત તો ?
એમની વ્યથા હતી કે એકનો એક દિકરો ઇદો સંગીત અને વૈરાગ્યના રંગમાં રંગાયો એટલે સંસાર માંડવા તૈયાર નહોતો થતો.
નાથીને માતા તગીતની વ્યથા હૈયા સોંસરવી ઉતરી ગઇ.
માતા માતા જ હોય છે પછી એ ઇઝરાયેલની હોય કે ભારતની .
ભારતીય નારીની નિષ્ઠા તો કચ્છજી ધરતીના કાળા નાગ સમાન જેસલને ય સીધી લાઇન પર લ્યાવી દે જયારે ઇદો તો સંગીતના સુર અને વૈરાગ્યની વાટનો સાત્વિક પ્રવાસી હતો પણ માતા તગીત ની ભાવનાઓ અને વાત્સલ્ય ભર્યા સ્વપનોનુ શુ ?

કુદરત કમાલ કરવા ધારે ત્યારે અવનવાં પરીણામો મળે.
સ્વપન કથા જેવો એક સુંદર સંયોગ રચાયો.
માતા તગીતની ઝંખના મુજબ એમની કુખે નાથી દિકરી રૂપે અવતરી હોત તો એક દિવસ સાસરે વળાવવી પડેત પણ માતા તગીત ને નાથી પુત્રવધુ સ્વરૂપે પરમેન્ટ મળી.
માતા તગીત ના આશીર્વાદ લઇને ૨૦૧૦માં નાથી અને ઇદો ભારત આવે છે
૨૦૧૧ મા બે ય દિકરીઓને ઇઝરાયલ સાથે લઇ જાય છે.
માતા તગીત ને પુત્ર વધુના રૂપમાં નાથી મળે છે (જેનુ નામ હવે શાંતિ છે) અને બે પૌત્રીઓ પણ.
એક સમયે દેશ માં દુઃખના દહાડા દાંતે વછોડતી મારી વહાલસોયી બેન અત્યારે ઇઝરાયલમાં એ....ય ને સુખ ના સાગરમાં હેલ્લારા લ્યે છે.

ઇઝરાયલ માં સાસરીયા માં ભારતીય સંસ્ક્રુતિની સુવાસ પ્રસરાવનાર નાથીના નારાયણીપણાને લાખ લાખ વંદન અને નાથીના પુર્વ સંસારની બે બે દિકરીઓને અંતઃકરણ પુર્વક આંખ્યુના રતનની જેમ રાખનાર માતા તગીત અને ભગત ઇદો દ્રોરીના હ્રદયની વિશાળતાને વંદન વારંવાર
(અહિ જે લખેલ છે એની ઝલક માટે સામેલ ફોટાઓ જુઓ)

Monday, December 9, 2019

સમાજનો પેચીંદો પ્રશ્ન :- સેક્સ, વાસના અને આદર

(લેખ જૂનો છે. એના કેન્દ્રમાં બળાત્કારના પાવર પોલિટિક્સનો મુદ્દો છે. હૈદરાબાદ કે ઉન્નાવના સ્તરની અતિ ક્રૂર હિંસાની ચર્ચા આમાં નથી કરાઈ)

સેક્સ પવિત્ર ચીજ છે. એના બે પાયા છે : વાસના અને આદર. વાસના બૂરી નથી. જેમ દરિયાના પાણી પર તરંગો જન્મે એમ માણસના મનમાં વાસનાઓ (ઇચ્છાઓ) પ્રગટે જ. કુદરતી ગોઠવણ એવી છે કે યુવાન નર ગમે ત્યારે બીજારોપણ માટે તૈયાર થઈ શકે. બીજી તરફ, કુદરતની એવી પણ ગોઠવણ છે કે નારી પોતાની સ્ફૂરણા અને સમજને આધારે અમુક જ નરને નિકટ આવવા દે છે. પાત્રપસંદગી એ સ્ત્રીમાત્રનો માદાસહજ મૂળભૂત અધિકાર છે.

કુદરતની રચના તો એવી જ છે કે પુરુષ ગમે તેટલો કદાવર હોય તોપણ સ્ત્રીની અનુમતિ વિના એ સમાગમ કરી શકતો નથી. પણ કુદરતને આપણે ઘોળીને પી ગયા છીએ. શસ્ત્ર કે સામાજિક દરજ્જા જેવી કૃત્રિમ સત્તાના જોરે પુરુષો દુષ્કર્મ ગુજારી શકે છે. આવું ફક્ત પછાત માનવજાતિમાં જ શક્ય છે, સુધરેલા પ્રાણીઓમાં નહીં.

મૂળ સમસ્યા છે પાવર પોલિટિક્સની.

સેક્સ જેવી સુંદર ચીજમાં પુરુષની કૃત્રિમ સત્તાનું, ખાસ તો સંપત્તિનું રાજકારણ ઘૂસી ગયું છે. સ્ત્રીને પુરુષ પોતાની સંપત્તિ ગણતો આવ્યો છે. સ્ત્રીના મગજમાં એવું ઘુસાડવામાં આવ્યું છે કે તારું કૌમાર્ય, તારું ચારિત્ર્ય એ જ તારી 'અંતિમ મૂડી’ છે, દુષ્કર્મથી તું 'સર્વસ્વ’ ગુમાવે છે, આબરૂ ગુમાવે છે...

બકવાસ, નિર્ભેળ બકવાસ. પીડિતા આબરૂ નથી ગુમાવતી. આબરૂ તો દુષ્કર્મીએ જ ગુમાવી ગણાય. પીડિતા જે ગુમાવે છે એ છે પાત્રપસંદગીનો પોતાનો મૂળભૂત અધિકાર. આ અધિકાર પરની તરાપનું બીજું નામ છે દુષ્કર્મ.

અહીં આવે છે સેક્સના પાયામાં રહેલું બીજું તત્ત્વ. એ છે આદર. જંગલના સિંહે ગમે તેટલી વાસના છતાં સિંહણની અનિચ્છાને આદર આપવો જ પડે છે. પણ આપણામાં ઊંધું છે. આપણામાં 'સ્ત્રી તો ના પાડયા કરે’ એવી વૃત્તિને જાણીબૂઝીને વકરાવવામાં આવે છે.

'શોલે’માં પેલો વીરુ 'કોઈ હસીના જબ રુઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ’ એવું ગાતાં ગાતાં બસંતીના વિરોધ છતાં નફ્ફટ થઈને બસંતીના માથે પડે છે, એને જકડે છે, એને ચૂમે છે. પછી શું થાય છે? બસંતી પોલીસ ફરિયાદ કરે છે? ના, બસંતી માની જાય છે. એ જોઈને આપણે રાજી થઈએ છીએ.

મીઠાં રિસામણાં-મનામણાંની પ્રણયલીલા જેટલી સુંદર ચીજ છે એટલી જ ગંદી ચીજ છે સ્ત્રીના ગંભીર ઇન્કારને અવગણવાની વૃત્તિ. પુરુષોની આ વૃત્તિ માત્ર કાયદા-કાનૂનથી કે નૈતિકતાના ઉપદેશથી દૂર નથી થવાની. એ માટે નર-માદાએ મળીને બચ્ચાને નાનપણથી કેળવવું પડે.

દીકરો ભવિષ્યમાં બળાત્કારી ન બને એ માટે પપ્પાઓએ સમજવું રહ્યું કે પત્નીઓ એ કંઈ કાર કે મકાન જેવી પ્રોપર્ટી નથી. પત્નીને વાતે વાતે હૈડ હૈડ કરનારા અને એના વિરોધનો વીટો-પાવર દ્વારા વીંટો વાળનારા પપ્પાઓ એમના દીકરાને અજાણતાં એવું શીખવે છે કે નારી તો ના પાડે, પણ પછી એ ઝૂકે જ.

બીજી તરફ, ખુદ પોતે જે નારી છે એવી મમ્મીઓ પણ બહેન પર દાદાગીરી કરનાર ભાઈને (વહાલા પુત્રરત્નને) સીધો કરવામાં ચૂકી જાય છે. બાળક બાળક છે. ટિપિકલ ભાષામાં કહીએ તો, કૂમળો છોડ. એ સીધો ઊગે એ જોવાની ઠીક ઠીક જવાબદારી માળીની (મા-બાપ)ની છે.

આ ઉપરાંત સમગ્ર સમાજની પણ ઘણી જવાબદારી છે. માધ્યમોમાં ચારે તરફ સ્ત્રી-દેહની ઉત્તેજક નુમાઈશ જોઈને પુરુષો વકરી રહ્યા છે અને સ્ત્રીઓ વધુ બોલ્ડ થઈ રહી છે. સ્ત્રીના અધખુલ્લા શરીરથી, રમતિયાળ દિલ્લગીથી કે ઢીલા ઇન્કારથી પુરુષો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આ બધી બાબતોને એ 'ગળાના સમ’ જેવું આમંત્રણ સમજી બેસે છે. આવામાં અબળા નારીએ પણ પુરુષની લાચારી (વાતે વાતે પાણી-પાણી થઈ જવાની ર્હોમોનલ પ્રકૃતિ) સમજવી રહી.

સ્ત્રી અને સેક્સના મામલે સૌથી સફળ પુરુષો સૌથી વધુ કન્ફ્યુઝ થતા હોય છે. એમની ગાડી બહુ જોરમાં દોડતી હોય છે. સાઇકલમાં સાદી બ્રેક ચાલે, પણ વિમાનમાં હાઇડ્રોલિક-ન્યુમેટિક બ્રેક જોઈએ. થાય છે ઊંધું. સફળતાના માર્ગે પુરુષ જેમ જેમ ઝડપ પકડે છે એમ એમ એની બ્રેક નબળી પડતી જાય છે.

એમાં વળી કેટલીક સ્ત્રીઓ પુરુષની કામુકતાનો લાભ લઈને આગળ વધવા તત્પર હોય છે એ જોઈને પુરુષો વધુ ભુરાંટા થાય છે. એક સ્ત્રી જ્યારે સત્તાધારી પુરુષની વાસનાનો લાભ લે છે ત્યારે બીજી ભળતી જ નિર્દોષ સ્ત્રી પર ખતરો વધે છે. પેલો પુરુષ એવું માનવા લાગે છે કે અગાઉની સ્ત્રીની જેમ પછીની સ્ત્રી પણ લાભ ખાટવા તત્પર હશે. પછી લોચા પડે છે. ટૂંકમાં, સેક્સના રાજકારણમાં સ્ત્રી પણ કુશળ ખેલાડી હોઈ શકે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

એટલું વળી સારું છે કે જઘન્ય દુષ્કર્મ નિયમ નથી, અપવાદ છે. મોટા ભાગના પુરુષો પિતા-પુત્ર-ભાઈ-પતિ-મિત્ર-પ્રેમી તરીકે ઠીક ઠીક ભરોસાપાત્ર હોય છે. પણ સ્થિતિ સુધારાને બદલે બગાડા તરફ આગળ વધી રહી છે.

એશ-ટેસ-સફળતા-ઐયાશી તેજીમાં છે. નૈતિકતા, ચારિત્ર્ય, સંયમ, વિવેકના લેવાલ ઘટી રહ્યા છે. જાતીયતાને 'અલ્ટિમેટ જલસાની ચીજ’ તરીકે બહુ વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. કામના સ્થળે સહમતી-બળજબરી-લાચારીથી બંધાતા કામ-સંબંધો વધી રહ્યા છે.

સ્ત્રીની બોલ્ડનેસ જેટલી વધી છે એટલી એને પચાવવાની પુરુષોની પાચનશક્તિ વધી નથી.

'સુધરેલા સમાજ’માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની વસતિ જોખમી હદે ઘટી છે.

શ્રમનું પ્રમાણ ઘટવાથી અને સુખ-સગવડ વધવાથી પુરુષોની વાસનામાં અકુદરતી વધારો થઈ રહ્યો છે.

આવી અનેક વધઘટોના સરવાળે સેક્સ-ક્રાઈમ્સ વધી રહ્યા છે. આ સ્થિતિનો મુકાબલો એકલો પુરુષ કે એકલી સ્ત્રી કરી શકે તેમ નથી. સેક્સની પવિત્રતા જાળવી રાખવા માટે નર-નારીએ આમને-સામને નહીં, અડખે-પડખે ઊભાં રહેવું પડશે. સંસારના બે મૂળભૂત પક્ષ નર અને નારી સામસામે આવી જાય એ સ્થિતિ કોઈ રીતે ઇચ્છનીય નથી.

આમ પણ જગતમાં અમીર-ગરીબ, દલિત-સવર્ણ, હિ‌ન્દુ-મુસ્લિમ, પૂરબ-પ‌શ્ચિ‌મ... આવાં અનેક સંઘર્ષોથી આપણે હાંફી જ રહ્યા છીએ. આ બધી બબાલો ઓછી છે કે એમાં સ્ત્રી-પુરુષ સંઘર્ષ ઉમેરીએ? ના, આ ભૂલ કરવા જેવી નથી.

સાભાર :-
આ લેખ fb મિત્ર દીપકભાઈ સોલિયા દ્વારા આપવામાં આવેલ છે.

Saturday, December 7, 2019

જિંદગીના અનેક રંગો :- લક્ષ્મીના પગલાં

નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાણદારનું પેહલા તો ધ્યાન પગ આગળજ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા...

દુકાનદાર - શુ મદદ કરું આપણી...?

છોકરો - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

દુકાનદાર - એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો. એ કાગળ્યાપર પેન થી બે પગલાં દોરયા હતા.

દુકાનદાર- અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો એકદમ બાંધ ફૂટે એમ બોલવા લાગ્યો

'શેનું માપ આપું સાહેબ ..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટા મા ક્યાયપણ જાતી. વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામળે જાઉં છું. મા માટે શુ લઈ જાઉં..? આ પ્રશ્નજ નથી આવતો.મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકવાવાળી ચપ્પલ દેખાડી અને કીધું આઠશો રૂ ની છે. છોકરાએ કીધું ચાલશે. એવી તૈયારી એ કારીનેજ આવ્યો હતો.

દુકાનદાર - એમજ પૂછું છું કેટલો પગાર છે તને.

છોકરો - હમણાં તો બાર હજાર છે રહેવાનું, ખાવાનું પકડીને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

દુકાનદાર - અરે તો આ આઠશો રૂ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચેજ રોકયું અને બોલ્યો રહેવા દ્યો ચાલશે. દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નોહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને થંબવાનું કીધું. દુકાનદારે અજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યો.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પેહલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાનું.

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા. શુ નામ છે તારા માં નું.? દુકાનદારે પૂછ્યું. લક્ષ્મી એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોહીયે છે મને...!

એ છોકરો પહેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. પહેલો ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાણદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો સ્વાસ લિધો અને દીકરી ને બોલ્યો લક્ષ્મી ના પગલાં છે બેટા. એક સચ્ચા ભક્તે દોરેલા છે. આનાથી બરકત મળે ધંધામાં.

દીકરીએ દુકાનદારે અને બધાયેજ એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

સાભાર :: વિપુલભાઈ તરફથી મળેલ વાર્તા

ટપાલ પેટી

આ ટપાલ પેટી સાથે અજબ પ્રેમ હતો,વર્ષો સુધી કોઈ એવું હતું નહીં જેને પત્ર લખી શકાય,સીએજી સ્કૂલ જતાં અમે રસ્તામાં ટપાલ પેટી જોતાં તો પત્ર લખી પોસ્ટ કરવાનું મન થઇ જતું,પણ દ્વિધા એ હતી કે પત્ર લખવો કોને ?
પહેલી વાર પત્ર એક મિત્ર માટે લખ્યો,વજુભાઈ સાહેબને લખ્યું કે, "આજે ચી.ગીરીશની તબિયત સારી નથી,પેટ દુઃખે છે તો રિસેસમાં રજા આપશો" રજા મળી ગઈ,અમે રીસેસ પછી બપોરના શોમાં નાઝમાં દારસિંગ,મુમતાઝ,રંધવાની મારધાડવાળી સ્ટંટ ફિલ્મ ઉસ્તાદ જોવા ગયા,મજા પડી ગઈ,બીજે દિવસે ક્લાસમાં બધાંને અડધી-પડધી સ્ટોરી સંભળાવી,જોકે તેમાં દારસિંગના પંજાબી ઢબે બોલાયેલાં ડાયલોગ સમજાયા જ નહીં,ખાલી ફાઈટ જોઈ હતી.
પત્ર લખવા માટે કોઈ જોઈએ એ જરૂરી નથી તે પહેલીવાર સમજાયું પછી છાપ પડી ગઈ,એટલાં પ્રેમપત્રો લખ્યાં કે ગણતરીમાં નથી,દોસ્તો ખુશ થઈ જતાં,કોને આપતાં તે પણ ખબર પડતી નહીં,પ્રેમ બધાં કરી શકે પણ કેટલાં નિભાવી જાણે તે જવાબ આજ સુધી મળ્યો નથી!
કેટલાંક મિત્રો ખાસ યુક્તિથી પત્ર વ્યવહાર કરતાં,જેમાં ટપાલ પેટીની જરૂર પડતી નહીં,કદાચ કુરિયર સર્વિસનો આઈડિયા ત્યાંથી મળ્યો હશે!
જ્યાં ટપાલ પેટી દેખાતી અચૂક બાજુવાળાને પૂછતાં ટપાલી કોઈવાર પેટીમાંથી ટપાલ લેવાં આવે છે ? ત્યારે ટપાલ મોડી મળતી એવી ફરિયાદ સાંભળી હતી.મોટાં મકાનોના ગ્રાઉન્ડ ફ્લોરમાં ટપાલી ટપાલોનાં થોકડા ફેંકીને રવાના થઈ જતાં!
રાજેશ ખન્નાનો યુગ આવ્યો ત્યારે ફિલ્મી દુનિયા નામના સામયિકમાં તેનાં આશીર્વાદ બંગલાનું સરનામું છપાયું,પછી તેને પત્ર લખ્યો,ત્યારે ફિલ્મ તારકો પોતાનાં પિક્ચર-કાર્ડ સાથે એક જેવો બધાંને જવાબ લખતાં!
ખરેખર પત્ર લખતાં આવડ્યું તો એવાં પત્રો લખ્યાં જેનાં કોઈ દિવસ જવાબ જ ન મળ્યાં!
મિત્રો બહુ ઉસ્તાદ નીકળ્યાં અમારૂ હૃદય ફંફોળી લીધું,પોતાનું દિલ પેક કવરની જેમ સાંચવી રાખ્યું!
હજી પોલોક સ્ટ્રીટમાંથી પસાર થતા તે પત્રો યાદ આવે,કેટલાંક તો ટપાલ પેટીમાં મૂક્યા જ નહીં,જવાબ નહીં મળે તે કાલ્પનિક ભયને કારણે શબ્દો સાંચવી જ રાખ્યાં...
આ ટપાલ પેટી જેવું જ જીવન વિત્યું,લોકો આવે લાગણી દર્શાવે અને પત્ર પધરાવી પોતાનાં રસ્તે આગળ વધી જાય!

Sunday, December 1, 2019

#દુષ્કર્મ

મિત્ર જે.કે.સાંઈ દ્વારા સમાજને સમજણ પૂરો પાડતો લેખ

ભર્તુહરીએ કહ્યું છે કે,"કૂતરો ત્રણ દિવસથી ભૂખ્યો હોય, શરીરમાં ઘા વાગવાથી તેમાં કીડા પડ્યા હોય, દેહમાં દુર્બળતા આવી ગઈ હોય, ગળામાં કો'કે કાંઠલો ભરાવી દીધો હોય, સર્વત્ર હડેહડે થતો હોય તોય વાસનાથી દોરવાઈને કૂતરીની પાછળ પાછળ ફરે છે.વાસના એટલી પ્રબળ છે."

વરુ એક જંગલી પ્રાણી છે. તે આજીવન એક માદા સાથે સંબંધ રાખે છે. તે પોતાનાં સાવકોને સારી રીતે ઉછેરે છે. ક્યારેક તો તે અન્ય વરૂના અનાથ બચ્ચાઓને ઉછેરે છે. બળાત્કારી પુરૂષોને "ભેડીયા" કહી આ જંગલી પણ સામાજિક પ્રાણીનું અપમાન ન કરશો. કેટલાક નફ્ફટ નરાધામો સ્ત્રીને બે સ્તન અને એક યોનિનું "એન્ટરટેઈંમેન્ટ પેકેજ" સમજે છે. એ પિશાચોને આંખમાં કીકી નથી, એ કીકી રૂપે વાસનાનો કીડો છે. જે સતત સળવળતો રહે છે.

જે સ્ત્રીઓ પર દુષ્કર્મ થયાં છે તેમના રૂંવાડા ખડા કરી દે એવા વર્ણનો સાંભળ્યા છે કે વાંચ્યા છે ? થોડાક સમય પહેલાં બે કિસ્સા એવા આવ્યાં હતા કે, છ-સાત વર્ષની એક છોકરી પર દુષ્કર્મ થયું. તેને ત્યારબાદ મારી નાંખવામાં આવી. જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી મીણબત્તી નીકળી, એક બાળાના એ ભાગમાંથી મિનરલ વોટરની નાની બોટલ નીકળી હતી. વાસનાભૂખ્યા પુરૂષોની માફ ન કરી શકાય એવી કરતૂતો જોઈને ક્યારેક તો "દુર્યોધન" માયાળું લાગે છે. જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય છે તે સ્ત્રી આજીવન તે જગ્યાની ગંધ, તે જગ્યાની ચીજ-વસ્તુઓ, તે ઓરડાની દિવાલોનો રંગ, તે દિવસે ખાધેલી વસ્તુઓનો સ્વાદ ક્યારેય ભૂલી શકતી નથી. આજીવન તે બાબતો તેને પીડા આપતી રહે છે.

વાસના એક આગ છે ને મોબાઈલ તેનું ફ્યૂલ છે. આગના સાધનો વધતાં અને વિકસતા જાય છે જ્યારે ઓલવવાના અને મંદ કરવાના સાધનો ઘટતાં જાય છે. હવે તો એમ થાય છે કે, વૈજ્ઞાનિકોને કહી કે, તેઓ વિયાગ્રાની જેમ એન્ટી-વિયાગ્રા શોધે કે જે લેવાથી પુરૂષોની વાસના બે-ત્રણ દિવસ સુધી સદંતર ઠંડી પડી જાય. દરેક ફેમિલીએ આવી ટેબલેટ ફર્સ્ટ એઈડ સારવારની જેમ ઘરમાં રાખવી. પોતાના ઘરના કોઈપણ જેન્ટ્સ પર શંકા જાય તો ચા-કોફીમાં બિન્દાસ્ત પીવડાવી દેવી. પૂણ્ય પ્રાપ્ત થશે.

વેબસાઈટો પર હાલ 70 % કન્ટેન્ટ પોર્ન વિષયનું છે. આજુબાજુવાળાની બ્રાઉઝર હિસ્ટ્રી તપાસો. બે-પાંચ શેતાનો તો આજુબાજુમાંથી જ મળી રહેશે. આ વિષય દરેક દેશ અને સમાજ માટે આફતરૂપ છે. આ દેશનો ભૂતકાળ તો જુઓ.... હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સામે એક મુસ્લિમ સ્ત્રીને ગીફ્ટ તરીકે પેશ કરવામાં આવી. ત્યારે આ શક્તિશાળી છત્રપતિએ શું કહ્યું,"જો મારી માતા આ સ્ત્રી જેટલી જ સુંદર હોત તો હું આવો કદરૂપો ન હોત !!!" તે સ્ત્રીને માનભેર પોતાના ઘરે મૂકી આવવા હુકમ કર્યો. સ્વામી વિવેકાનંદને અમેરીકામાં એક સ્ત્રીએ પોતાની સાથે માત્ર એક વખત "પથારી સંબંધ" બાંધવા કહ્યું જેથી તે સ્વામીજી જેવા પ્રતિભાશાળી બાળકની માં બની શકે. વિવેકાનંદજી એ જ ક્ષણે તે સ્ત્રીનાં પગમાં પડી ગયાં અને બોલ્યા," માતા ! મારા જેવાં બાળકની માતા બનવા આમ કરવાની કોઈ જ જરૂર નથી. આજથી હું જ તમારો પુત્ર છુ. મારો સ્વીકાર કરો." સ્થાનિક રીતે જોઈએ તો કો'ક જાણકારને જોગીદાસ ખુમાણનું કેરેક્ટર પૂછી જોજો.

કુરાનમાં કહ્યું છે,"જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ એક (નિર્દોષ) વ્યક્તિ ની હત્યા કરશે તો તેને સમગ્ર માનવજાતિની હત્યા કરી ગણાશે, અને જો કોઈ વ્યક્તિ અન્યનું જીવન બચાવશે તો તેને સમગ્ર માનવજાતિને બચાવી ગણાશે. આ (કુરાન)તો તમામ દુનિયાવાળા લોકો માટે એક જાહેર શિખામણ છે, જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.” કેટલાક સલાહ આપે છે, "દીકરીઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમણે ફલાણું-ઢીકણું ન કરવું જોઈએ." અલ્યા ભઈ, આ તો એવું કહેવાય કે ગામમાં બે કૂતરા હડકાયા થયાં હોય તો ગામવાળાઓએ ઘરની બહાર ન નીકળવું !!! એ હાડકાયા કૂતરાનું શું કરવું ? એ કહેવાની જરૂર છે ખરી ?

દુષ્કર્મ મામલે પોલીસે, રાજનેતાઓએ, સરકારે, ન્યાયપાલિકાએ શું કરવું જોઈએ એની સલાહો લોકો આપશે. સ્ત્રીનાં સન્માન અને આદર આપવાની શરૂઆત ઘરથી કરો. સમાજના અંગ તરીકે સ્ત્રીને વિશ્વાસ અપાવો કે તે અમારી વચ્ચે સુરક્ષિત છે. જાહેરમાં સ્ત્રી પ્રત્યે આદર દર્શાવો એ દંભ છે. એકાંતમાં પણ સ્ત્રીને પ્રત્યે શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદજી જેવી ઊંચી ખાનદાની બતાવો. એક દિવસ તમારોય ઈતિહાસ લખાશે. દુષ્કર્મની આગ જલ્દીથી બુઝાવો, બાકી આ આગ તમારાં ઘર સુધી આવતાં વાર નથી લાગવાની .....આજે પ્રિયંકા છે, આવતીકાલે કદાચ મેરી હશે, પરમદિવસે કદાચ રુકસાર હશે !!! શેતાનને કોઈ ધર્મ નથી હોતો. તે તો અધર્મનો અનુયાયી છે.

#જેકેસાંઈ

Saturday, November 30, 2019

વહાલસોયા પુત્રને પત્ર (પ્રખ્યાત લેખક મિત્રશ્રી અંકિત દેસાઈનો પત્ર)

Photo credit :- સંજય વૈદ્ય (દ્રશ્ય અંકિત દેસાઈ અને સ્વર...)


દીકરા સ્વર,

આમ તો આ પત્રમાં લખેલી વાતો મારે તને અંગતમાં કહેવાની થાય છે. અને સમયે સમયે હું તને એ કહેતો પણ રહીશ જ, પરંતુ એ વાતોની ગંભીરતા એવી છે કે મેં તારા નામે આ ઓપન લેટર લખવાનું નકકી કર્યું.

દીકરા તું જન્મ્યો ત્યારથી એક બાબતે મેં હંમેશાં સજાગતા રાખી છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ બનું. તું મને પાપા કે ડેડા નહીં કહે અને માત્ર અંકિત જ કહેશે એ મને વધુ ગમશે, કારણ કે પિતા શબ્દ થોડી મર્યાદાઓ લઈને લાવે છે અને મારે એ પોકળ મર્યાદાઓને બહાને તને અમુક તથ્યો- સત્યો કે કેળવણીથી દૂર નથી રાખવો.

દીકરા, મારે જે વાત ખાસ શીખવવાની થાય છે તે એ કે તારી આસપાસની, તારી સાથેની સ્ત્રીઓની હંમેશાં રિસ્પેક્ટ કરજે. હંમેશાં એ બાબતનું ધ્યાન રાખજે કે તારી સામે જે છોકરી કે સ્ત્રી ઊભી હશે એ તારાથી નબળી કે તારાથી ઉતરતી નથી. સર્જનહારે શરીરના જે બાંધાને કોમળતા આપી છે એ કોમળતાને માનવ ઇતિહાસની શરૂઆતથી નિર્બળતા માની લેવાઈ છે. આ તો ઠીક એ કોમળતાને જાગીર અથવા સંપત્તિ પણ માની લેવાઈ છે. પરંતુ તું એ ભૂલ નહીં કરતો.

તું ભલે એક જવાબદાર દીકરો નહીં બને. પિતા તરીકે હું તારી પાસે આદર્શ દીકરા બનવાની અપેક્ષા રાખીશ પણ નહીં. આમેય મારે તારા પિતા થઈને તારા જેવો દોસ્ત ખોવો નથી. એટલે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે હું તારા વ્યક્તિત્વની કે તારી આગવી લાઈફસ્ટાઈલ અથવા માન્યતાઓની રિસ્પેક્ટ કરીશ. પણ દીકરા, તારા દોસ્ત તરીકે તારી પાસે એક નાનકડી અપેક્ષા હંમેશાં જરૂર રાખીશ કે તું એક આદર્શ પુરૂષ બને. દીકરા, ખરું પૌરૂષત્વ પોતાની તાકાતો દુરુપયોગ કરવામાં નથી, પણ પોતાની તાકાત કોઈનું રક્ષાકવચ બને એમાં સાચું પૌરુષત્વ છે.

મારા દીકરા, તું ટીનએજ થશે ત્યારે મારે તને એ બાબતથી સજાગ કરવો છે કે સેક્સ અને હવસ વચ્ચે ફરક છે. દરેક બાબતની એક ઉંમર હોય છે એટલે તારી યોગ્ય ઉંમરે તું ય એ બધું પામશે જ, એટલે અફેક્શન કે લવની ઉંમરમાં તું તારી શારીરિક જરૂરિયાતને તારા પર સવાર ન થવા દેતો. અને જ્યારે તું એડલ્ટ બનશે ત્યારે તને એક જ વાત કહેવી છે કે, રિલેશનશિપની બહાર કે રિલેશનશિપની અંદર બંને પાત્રોની સહમતિથી સર્વોપરી કશું જ નથી. જો સામેનું પાત્ર જરા પણ ખચકાટ અનુભવે કે જો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તારે એ ખચકાટ અને ઇન્કારનો કોઈપણ ભોગે આદર કરવો પડશે..યાદ રાખજે કે જો તું જે ક્ષણે સામેનાની ઈચ્છાનો આદર નહીં કરી શકીશ એ ક્ષણે તું તારી અંદર રહેલા દુર્જનને તારા પર સવાર થઈ જવાની તક આપી દઈશ. અને તારે ક્યારેય થવા દેવાનું નથી.

મારા મખ્ખનચોર, ઈશ્વરે મને દીકરાનો બાપ બનાવ્યો છે એટલે મારે માથેની જવાબદારી વધી જાય છે. કારણ કે તું પણ કાલ ઊઠીને પુરુષ થઈશ અને આવતીકાલના પુરૂષના વર્તનના મૂળ તારી આજમાં રહેલા છે. એટલે એ મારી નૈતિક જવાબદારી બને છે કે હું તારી સાથે અમુક વાતો ખૂલ્લા દિલે શેર કરું અને તને એ દિશામાં સાચી કેળવણી આપું.

બાકી, તારે મોટા થઈને કરીઅર શું બનાવવી છે કે તારે પ્રેમ કોને કરવો છે કે તારે લગ્ન કરવા છે કે નથી કરવા કે તારે માત્ર અલગારી રખડપટ્ટી જ કરવી છે કે એડલ્ટ તરીકે તારે આલ્કોહોલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, જેવી કોઈ બાબતમાં મને ઈન્ટ્રેસ્ટ નથી. રાધર એક ઈન્ડિવિજ્યુઅલ એડલ્ટની પર્સનલ લાઈક્સ - ડિસ્લાઈક્સમાં માથું મારવાનો મને અધિકાર પણ નથી. પરંતુ એક આ જ એક બાબત તારી પાસે હંમેશાં ઈચ્છીશ કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં તું રહે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ તું જીવે, બસ મર્દ થઈને રહેજે અને મર્દાનગીનો સાચો અર્થ રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જ થાય છે.

બી રિસ્પોન્સિબલ ફોર યોર મેનહૂડ માય ડિઅર સન.

લવ યુ❤❤


(પ્રખ્યાત લેખક અંકિત દેસાઈ દ્વારા પોતાના પુત્ર પર લખેલો પત્ર) સમજણને વંદન..... દરેક બાપ પોતાની મરજીથી આ વાતને અનુસરી શકે છે..

Sunday, October 6, 2019

દેડકો કેમ મર્યો ....??? જીવન અવલોકન

પહેલા સાયન્સમાં પ્રયોગ કરાવવામાં આવતા જે હાલ પ્રતિબંધિત છે... આ પ્રયોગ પરથી જીવનની અમુક બાબતો શીખવા જેવી છે...

ત્યારે 11, 12 સાયન્સમાં પ્રયોગ માટે માનવ શરીર વિશે સમજાવવવા માટે દેડકાનો ઉપયોગ થતો.. એ સમયમાં એક પ્રયોગ થતો.....

કોઈ દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને ધીરે ધીરે વસાણના પાણીને ગરમ કરવાનું શરૂ કરો...જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને પણ બહારના તાપમાન સાથેનું સાનુકૂલન બનાવતો જશે, વાસ્તવમાં જે એની નૈસર્ગીક લાક્ષણિકતા છે ....

જ્યારે પાણી તેના ઉત્કલનબિંદુએ એટલેકે boiling point ઉપર પહોંચશે ત્યારે હવે દેડકા માટે વધુ સાનુકૂલન શક્ય નથી અને પરિણામે દેડકો પાત્ર માંથી બહાર કુદવાનો પ્રયત્ન કરશે પરંતુ તે તાકાતને અભાવે કુદી નહીં કરી શકે કારણકે શરૂઆતમાં તેણે પરિસ્થિતિ સાથે સાનુકૂલન (adjust ) સાધવામાં જ બધી તાકાત ખર્ચી નાખી હતી ...

ઉપરોક્ત પ્રયોગમાં અંતે દેડકો માર્યો જાય છે ....
આ દેડકાનું મોત કયા કારણે થયું ...???
વિચારો ....
ઉકળતા પાણીને કારણે ...???

ના સત્ય એ છે કે દેડકો પોતાની adjust કરી લેવાની પ્રકૃતિને કારણે જ મર્યો અને adjust થવા થવા માં જ જ્યારે જરૂર હતી ત્યારે વાસણમાંથી કૂદકો મારવાનો સમય તેણે ગુમાવી દીધો ....!!

આપણે પણ પરિસ્થિતિ અને આસપાસની વ્યક્તિઓ સાથે સતત adjust થતા રહેવાનો પ્રયત્ન કરતા રહીએ એ છીએ પરંતુ એની સાથે ક્યાં સુધી adjust થવું અને ક્યારે આ adjustment છોડી દેવુ તેની સીમારેખા નથી આંકતા હોતા ... સમયની એક ચોક્કસ ક્ષણે જ આપણે નિર્ણય લેવાનો હોય છે કે હવે આ adjustmwn માં જ રહેવું છે કે બહાર નીકળી જવું છે ....
ઘણી વખત આપણે આપણી આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓ કે જે ક્યાં તો આપણુ શારીરિક ,નાણાકીય , આધ્યાત્મિક, માનસિક કે કુત્રિમ લાગણીઓથી શોષણ કરી રહ્યું હોય તેવું સતત અનુભવાય છે અને આપણે પણ સતત એની સાથે જ adjustment કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખતા હોઈ એ છીએ અને દેડકાની જેમ બહાર નીકળવાની યોગ્ય તક ગુમાવી દેતા હોઈ એ છીએ ...
નક્કી કરો કે ક્યારે કૂદકો મારવો છે ....!!

જ્યારે પણ આપણામાં ભરપૂર તાકાત હોય ત્યારે જ અવશ્ય કૂદકો મારી લેવો..
નોંધ :-
આ લખાણ લખતી વખતે કોઈ પણ પ્રાણીને ઇજા કે શારીરિક ત્રાસ અપાયો નથી ..

Thursday, October 3, 2019

પોઝિટિવ પર્સન ચિત્રકાર શ્રી સામત બેલા

ચિત્રકાર શ્રી સામત બેલા ,
જામકલ્યાણપુર ,
દેવભૂમિ દ્વારકા

ચાલો તો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણને........

ચિત્રકલા જગતની દુનિયામાં જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી એવા શ્રી સામતભાઇ લક્ષ્મણભાઈ બેલા નો જન્મ 26 ફેબ્રુઆરી 1981ના રોજ દ્વારિકા વિસ્તારના એક અંતરિયાળ ગામ કલ્યાણપુરમાં થયો હતો. ખેતી પર આધારિત પરિવારમાં જન્મેલ સામતભાઈ પિતા લખમણભાઇ અને માતા રામીબેન ના સંસ્કારની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હતો પિતા લખમણભાઇ ના મુખે સદા કૃષ્ણ પ્રેમની વાતો સાંભળતાં તે છાપ તેમના હૃદયમાં બાળપણથી જ ગહન બની હતી.
સામતભાઈએ પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુર માં જ પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે ભૂલથી ભાંગનાં બીજ ખાઈ જવાથી તે ત્રણ દિવસ પાગલપનની સ્થિતિમાં રહ્યા હતા. મને લાગે છે એ બાળપણનું પાગલ પણ આજે પણ એની ચિત્રકલામાં જોવા મળે છે. બાળપણમાં તે અભ્યાસમાં ખૂબ જ નબળા હતા ધોરણ ૧ થી ૭ માં તે નાપાસ રહ્યા અભ્યાસના સમયમાં પણ તે ચિત્ર બનાવ્યા કરતા બીજા વિદ્યાર્થીઓ જ્યારે ફટાફટ વાંચન કરતાં ત્યારે તેમને અચરજ જેવું લાગતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો લગાડતા. આવી નબળી પરિસ્થિતિમાં પણ તેણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ પોતાના કાર્યમાં ખુબ જ એકાગ્રતા ધરાવે છે. કક્ષા સાતમા ઓચિંતો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. જે બાળક કક્ષા સાતમા વાંચન શીખ્યો હોય અને કક્ષા 8 માં પ્રથમ ક્રમાંકે આવ્યો એ વાત એમના શિક્ષકોની સમજની બહાર હતી. બાળપણમાં શિક્ષકની ભાષા સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી, તે આજે પોતે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવે છે. તેમણે માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુર ખાતે શ્રી કે કે દાવડા હાઇસ્કુલમાં પૂર્ણ કર્યું. આગળ જતાં તેણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રાવલ જેવા નાના ગામમાં પૂર્ણ કરી સી.પી.ઍડ નો અભ્યાસ વલસાડ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપર ખાતે એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આજે પણ એ સ્વભાવે એક નાના બાળક જેવા સહજ અને રમૂજી છે.
સામત ભાઈ ને ચિત્રની કલા એમને વારસામાં નહોતી મળી અને જે વિસ્તારમાં એમનો જન્મ થયો એ વિસ્તાર માં કોઈ એવા મોટા ચિત્રકાર નો સંપર્ક પણ ન હતો. એમ છતાં પણ એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.
સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. હાલ તે બે ચિત્ર સિરીઝ પર કામ કરી રહ્યા છે. જેમાં એક "સૌરાષ્ટ્રની રંગધારા" અને બીજી "કૃષ્ણમય". તેમની બંને સિરીઝ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે.
સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.
સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.
કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.
કલાનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે હોય છે નહીકે પેટિયું રડવા. જે કલા નો ઉપયોગ માત્ર ગુજરાન ચલાવવા જ કરે છે તે "કારીગર" ને સમાજના હીતમાં કરે તે "કલાકાર" .સામતભાઈ પોતાની કલાની મદદથી કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક મદદરૂપ બન્યા છે. તેમજ આર્થિક સમસ્યાથી ભાંગી ગયેલા લોકોને નિઃસ્વાર્થ આર્થિક મદદ કરી ચિત્રકલા ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. સમાજના હિતમાં તે એક શિક્ષક તરીકેની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શન નું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો નું કલેક્શન અમેરિકા અને લન્ડન જેવા શહેરોમાં પણ છે.
કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .2017માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 2019માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા "આહીર રતન "જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. વિધાનસભા 2019 ના ઇલેક્શન માં તેમને ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના "આઇકોન" તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે.

ગાંધીનગર મેટ્રો દૈનિક નું તોરણ સાપ્તાહિક "રંગો ના તરંગો " ૧૦૩ આર્ટિકલ .

- ગાંધીનગર મેટ્રો દૈનિક "તોરણ"

Wednesday, October 2, 2019

બહુરૂપી ગાંધી...રાજકારણ થી રંગમંચ સુધી...

ગાંધી,એક એવું નામ જે ચેક કે ડ્રાફ્ટ ની જેમ વટાવી શકો, એક એવું પગલુંછણીયું કે જેના પર તમે તમારી ભડાશ કે ગંદકી કાઢી શકો, વોટ થી લઇ નોટ સુધી ગાંધી...ગાંધી...ને ગાંધી જ...
હરી તારા નામ છે હજાર એમ ગાંધી ને દરેકે પોતાના દરેક સ્વાર્થ માટે વાપર્યો...ખુબ જ... નેતા થી લઇ અભિનેતા સુધી દરેક ની સીડી ના એકાદ પગથીયે ગાંધી મળશે જ.પોતાની નેગેટીવ પબ્લીસીટી માટે પણ અખબારો-પત્તરકારોએ ગાંધી ને ઘોંચપરોણા કરવામાં કાઈ બાકી ના રાખ્યું...
પણ ઘેલકાંકરીનાવ તમારો જયારે પ્રેગ્નાન્યુઝ જેવી સ્ટ્રીપ માં પણ નતો જન્મ થયો એ પેલ્લા નો ગાંધી આંધી ની જેમ ફરી વળેલો છે ને તારા આખા ખાનદાન ના લોટા ચાણોદ માં ઠલવાઈ જશે ત્યાં સુધી ગાંધીયન વિચારધારા ચમકતી જ રેવા ની છે.સરદાર જેવો ચરોતરી પટેલ “ઘઉં માં કાંકરા વીણવાનું ગાંધી શીખવાડશે” એવી ગાંધી ની ઠેકડી ઉડાડતો માણસ જ્યારે એના પગે બેસે ત્યારે એ હડ્ડીપસલી માં કઈક તો હોવું જોઈએ ને? ગાંધી બન્યો જ પરદેશ ની ધરતી પર...અહી તો સમજ્યા, બીજી ગલીએ જેને કોઈના ઓળખતું હોય એવા ભાદરવા ના કુતરાવ આજે ગાંધી ને ગાળો આપે છે.પેશાબ પગ પર ના પડે એટલા હાટુ વિયાગ્રા ખાતી ખારેકો ,સુનલો ...એ ડોસો છોત્તેર વરસે જાજરૂ જાતે ધોઈ હડી કાઢતો ને તું તારી ફૂટપટ્ટીએ ગાંધી માપવા નીકળ્યો??? હે ગળફેશ, ગાંધી ની સ્મશાન યાત્રા જેટલા લોકો ને કદીયે તું જીવન માં મળ્યો પણ હોઈશ?
આખીય દુનિયા માં ગાંધી ના નામ પર મરી ફીટનાર કેટલાં... ને બા પોતેય દરેક કાર્ય માં મૂક સાથ આપતા. ને તું કોડા નાગિન જોતી બૈરી ને “તું આવી જ સીરીયલો જોજે” એવી કોમેન્ટ પણ કરી શકતો નથી...હે માનવ ગાંધી પેદા થતા નથી, ગાંધીને સમય-સંજોગો ઘડે છે એના માટે બહુરૂપી બનવું પડે.રંગ બદલી ખો આપતો બહુરૂપી નહિ પણ આ સમાજ નો કર્મમાનવ સાચો કર્મયોગી એવો બહુરૂપી..
ગાંધી વકાલત,દરજીકામ,ધોબીકામ,વાળ કાપવાનું-વગર અરીસે,હરીજન નું કામ, મોચીકામ, રસોઈ, વૈદ્યક, નર્સિંગ, શિક્ષક, કાપડ વણાટકામ, રંગકામ, ખેતી, હરાજી, નામું લખવું, ભીખ માંગવી, લુંટ કરવી-કરાવવી,કેદી સાથે જ સેનાપતિ,લેખન,પત્રકાર,પ્રકાશક,છાપકામ,બાઈડિંગ,મદારી,ફેશન ડીઝાઈનર વગેરે અનેક કામ બખૂબી થી નિભાવતા અને દરેક માં નિપુણ હતા.ગાંધી નો આ એક વિચાર જો સમાજ અપનાવી લે તો અમેરિકા થી ભારત પાછળ ન હોય.વર્ષો થી વિકસિત દેશો માં મૃત્યુ સુધી પોતાનું કામ પોતે કરવાની સીસ્ટમ છે અને એટલે જ એ આગળ છે અહી સાહેબો ખાલી પેન્ટ ની ચેઈન એકલી નોકરો પાસે ખોલાવવાની બાકી રાખે છે.ગાંધી આ ડીપેંડન્ટ રહેવાથી થતા નુકસાન ને પહેલા જાણી ગયો..
ધોબી ના પૈસા પોસાતા નથી એમ નથી પણ ધોબી ની ગુલામી ના કરવી પડે એટલે હું આ કરું છું.આપણે ત્યાં કામદાર વર્ગ ને ભાઈબાપા કરીએ ત્યારે તોછડાઈ પૂર્વક ઉપકાર કરતા હોય એમ કામદાર આવતા હોય છે કમસે કમ નાની નાની બાબત માં ઈન્ડીપેન્ડન્ટ બનીએ...આ એક વિચાર અપનાવી લઈએ - બહુરૂપી ગાંધી...
રહી વાત બ્રહ્મચર્ય ની...તો ગાંધી જેવો ખુલ્લાદિલ સાફ ઇન્સાન કોઈ નથી.ક્યારે સેક્સ ના વિચારો આવતા ને ક્યારે વેશ્યા ની ગલીએ ગયો એ ચોખ્ખું લખ્યું.હાળા જલોટાવ તમે સોશિયલસાઈટો પર કૈક ના રેપ કરી નાંખ્યા , દાણા નાંખવા ભરતી નવરી બજારો ગાંધી માટે તમારા જેવા કૈક તારાઓ રોજ ખરીજાય છે.બ્રહ્મચર્ય માં હજી હું દરેક પ્રયોગો જાહેર કરી શકું એ સ્ટેજ પર પહોચ્યો નથી પહોંચીસ ત્યારે ચોક્કસ સમાજ ને જાહેર કરીશ.આજે આશ્રમ ની કોઈ મહિલા જિંદા નથી અને કોઈનું કોઈ નિવેદન આવેલ નથી ને કદાચ કોઈ પ્રયોગ માં કસોટી ખાતર ખાંડા ની ધાર પર વિચલિત થયા વગર ચાલે તો જલોટા તને ના મળ્યું એની ખંજવાળ છે કે શું? કોઈ પુખ્ત વય થી નીચેનું તો નતું ને...આગ ની જ્વાળાઓ આગળ પીગળ્યા વગર ઘી પડી રહે અને ઘી એ વાત નો દમ મારતું હોય તો આપણે મિયાં ખલીફા ના આશીકો એ કમ સે કમ આવી બાબતો માં ચંચુપાત ન કરવો જોઈએ...
ગાંધી વિચાર રૂપે જીવવાનો, વાણીયો હતો લાંબુ વિચારનારો એના સિદ્ધાંતો,વિચારો એક એક પકડીએ તો દુનિયા પાણી ભરશે.અનાદિકાળ સુધી એના વિચારો જીવવાના જ...સત્ય ના પ્રયોગો મારી ફેવરીટ ચોપડી છે એવી શેખી મારવા કરતા મંગળ પ્રભાત,હિંદ સ્વરાજ,રચનાત્મક કાર્યક્રમ જેવી બુક્સ વાંચો.ગાંધીયન બનો જાતે પાણી પીવા જાવ ને કચ્છા બનિયાન એક વાર જાતે ધોઈ જોવો...
છેલ્લે બાપુ પાછલા વર્ષો માં આપ જડ બનતા ગયા, ઉપવાસે ઉતરેલા આપ પર લોકો છાતીએ રોટલીઓ ફેંકી જાય એટલા લોકો આપના ઉપવાસો થી બેબસ બન્યા, છેલ્લે આપનું વાણીયાત્વ થોડું કમ લાગ્યું, આપમાંનો વાણીયો ૫૫ કરોડ માં થાપ ખાઈ ગયો... ને આખી જિંદગી આ પાકલાવ ની સુવાવડ હિંદે કરવાની આવી...વડાપ્રધાન થી લઇ ભાગલા સુધી થોડુ મોટું મન રાખી ક્યાંક જડતા મુકવી હતી
પણ ખેર ટેઢા હૈ પર મેરા હૈ જૈસા હૈ અપના બાપુ હૈ... કાયદે આઝમ કોની જોડે સુતો હતો એ પણ ખોંચરવું જોઈએ... બાકી બાપ બાપ હોતા હૈ....
હેપ્પી વાલા બ’ડે બાપુ...

Gaurang Darji
ગૌરાંગ દ ૨જી ઓક્ટોબર 2019

Thursday, September 19, 2019

પોઝિટિવ પર્સન મોચી દાદા

રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.

મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.....એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ.


  • રાજકોટ:નિર્મલા કો.સ્કુલના kids વાલીઓ, અહીં બ્રેક કરી બે પ્રોત્સાહિત શબ્દો બોલજો, કેમકે આપણી જ છોકરીઓના રોજ 10₹ ઓછા લે છે અને મીઠું મોઢુ ય કરાવે છે.  રાજકોટના અમીર વર્ગના ગણાતા એરિયામાં દરિયાદીલ દાદા.. કોટેચા ચોક બાજુ, આ સ્કુલ આવેલી છે.



સાભાર... ફેસબુક

Saturday, September 7, 2019

કર્મ

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો અને બીજો પક્ષીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો હતો.

પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો, તે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો.

અને બીજાની દાનત સાચી હતી એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં...

એટલે ક્યારેક કંઇક દેખાય તે સત્ય માની લેવું નહીં ... પણ ક્યાં સંજોગ હતા તે જાણ્યા વગર વાતને આગળ વધારવી નહિ.
ઈશ્વર પણ માત્ર કર્મ જોતો નથી, કર્મ પાછળનો હેતુ ખાસ જુવે છે.

Monday, September 2, 2019

ઇન્ટરવ્યુ

ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો.

આજ તેનો ઇન્ટરવ્યુ હતો.મનોમન નકકી કર્યું હતું કે
જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.
મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:

– સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે ,
– નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,
– નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,
– રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,
વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.

પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.

બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું
તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી.બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.

સીડીની લાઈટ પણ બંધ કરી.

એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.

મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી.

ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું :
ક્યારથી જોઈન્ટ કરશો.
મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ
એપ્રિલફૂલ તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું :
હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથીબસ CCTV મા તમારો Attitude જોયો છે.બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો.

ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ.

ગીતા અને સંસ્કાર

પોતાનાં બાળકોને આજે 'ગીતા' વંચાવશો તો આવતીકાલે એને કોર્ટમાં 'ગીતા'ઉપર હાથ નહીં મુકવો પડે.સંસ્કાર જ અપરાધ રોકી શકે છે પ્રશાસન નહીં.

Friday, August 16, 2019

આજનું મંથન

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને....

ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..

BUSY પણ અને BE-EASY પણ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.🦁

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર....!🐿


એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો. 👍🏽


આમ જ સમય વિતતો રહ્યો....

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.👌🏽


પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?😇


આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !🍎


આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. 👴🏻


ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.👩🏻👦🏻👩🏻👦🏻


શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?😍😍😘😍😘


શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !


આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !



😊એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો,
પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો...🦋☘

👍ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો

👍દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો..

💐દરેક સબંધ ને ઉજવી લો*....

🎂તમારા હોવા ને ઉત્સવ બનાવી લો


BUSY પણ અને BE-EASY પણ રહો

Sunday, August 11, 2019

શિક્ષણ અને શિક્ષક

જુદી જુદી પદ્ધતિઓ, ટેક્નિકલ જાણકારી, ઉચ્ચ ડીગ્રી હોય...પણ એ બધાથીયે વિશેષ જરૂરી છે કે શિક્ષકને વિદ્યાથીૅઓ પ્રત્યે સ્નેહ હોય. એવો ભાવ હોય કે આ બધા બાળકોનું ભવિષ્ય મારે સજાવવાનું છે...તેની આંખોમાં સપના અને હૈયામાં હામ ભરવાની છે. આવો ભાવ ઉદ્ભવવાથી શિક્ષક તેમજ વિદ્યાથીૅઓ બન્નેનું જીવન ઉન્નત બને છે.
કેળવણી એક પવિત્ર હવન સમાન છે તેમાં બન્ને પક્ષે સમાન 'આહુતિ' એટલે કે તત્પરતા હશે તો વાતાવરણ- શિક્ષણ પ્રજ્જવલિત અને ઉજ્જવળ બનશે.

Monday, July 15, 2019

વળતો ઘા

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા.. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.

લેખ આખો વાંચજો
🙏🙏🙏🙏🙏

જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા દુર્ગા બહેન તેમને બોલાવવા આવ્યા.. – ”ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે..”

હસીને વસતંભાઈએ કહ્યુ: ‘’અરે દુર્ગા બહેન, તમે ભુલી ગયા.." આજથી તો હું રિટાયર થઈ ગયો છું, હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી.. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ.’’ વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.

વાલકેશ્વરના ‘ચંદ્રદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.. વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા.. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી..

ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતા..
આજે બસ પરમ શાંતિ છે..
માથા પર કોઇ ભાર નહીં..

વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા..પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એક જ વ્યાખ્યા હતી. કામ.. કામ .. અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી..

દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો.
તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો..

આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે..

હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે, બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે..!!

દીપકને કહ્યું: ‘’બેટા, હવે હું રિટાયર થવા માંગુ છું..! અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..

આજે તેમનો પહેલો દિવસ હતો.

‘’સાહેબ, ચા ઠંડી થઈ ગઈ.. બીજી બનાવીને લાવું ?’’ પાછળથી દુર્ગા બહેનનો અવાજ આવ્યો..

– ‘’ના ના ચાલશે’’ કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો.. ‘’ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો..’’

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી.. તે પણ હવે પૂરી થતી હતી.. સહ ઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દીવસો પસાર થતા હતા.. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા.. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે,
સિંગાપુર ફરવા જઈએ..

વસંતભાઈએ તરત હા ભણી..

બીજે દિવસે દીપકને કહ્યુ: –‘’બેટા... આજે જરા એંસી હજારનો ચેક આપજે.. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે..’’

– ‘’પણ પપ્પા... દીપક જરા અચકાયો, હમણા હાથમા એટલી રોકડ રકમ નથી..’’

‘’રોકડ રકમ નથી?’’

વસંતભાઈને જરા નવાઈ લાગી..
પહેલા થયું દીપકને પૂંછું..
પછી માંડી વાળ્યુ..
હશે, ધંધો છે...
હમણા મેળ નહી હોય..

એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી..

મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાય એ નક્કી કર્યું કે,
આવતા વરસે સાથે જશું..

હમણા વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા..
ઘરે આવતા મોડું થઈ જતું હતું..
પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે..

દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી..

એક રવીવારે તે ઘરે હતા ત્યારે
તેમને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દિકરો, પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠાતો લાગ્યું કે, વહુ મંજરી દુર્ગા બહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે..

દુર્ગા બહેન રોટલી આપવા આવ્યા
એટલે તેમને પૂછ્યુ: ‘’શું વાત છે?’’

– કંઇ નહીં.. ભાઈ-ભાભી બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’

‘’બહારગામ જવાના છે? ક્યારે? ક્યાં?

ત્યાં તો મંજરી રસોડામાથી બહાર આવી.. – ‘’કેમ વહુ બેટા, ક્યાં જવાના છો?

– ‘’પપ્પા અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે.."

"હેં.. ક્યારે?’’

‘’પરમ દિવસે.."

વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો.. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી..

– ‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો..’’ કહી તે ઉભા થઇ ગયા..

દુર્ગા બહેન તેમને જતા જોઈ રહ્યા..

રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો..

– ’’તમે મને બોલાવ્યો પપ્પા?’’

– ‘’હા.. મેં સાંભળ્યુ છે કે, તમે યુરોપ જવાના છો?

– હા પપ્પા.. સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામા વ્યસ્ત થઈ જશે. અને અમારા મિત્રો પણ જાયછે.. એટલે અમે પણ જઈએ છીયે..’’

– ‘’અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી??

– ‘’એમાં પૂછવાનુ શું..??

– ‘’કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે??

– ‘’હા.. થોડી ઘણી થઈ છે..

– "તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’

– ‘’તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવુ?' બાકીનું વાક્ય દીપક ગળી ગયો..

આ ઊમરે એટલે? વસંતભાઇને ઝાળ લાગી ગઈ...

દીપક રૂમની બહાર જતો રહ્યો..

વસંતભાઈ ઘા ખાઇ ગયા..
એમનો દીકરો આવુ કરી શકે તે એમના માન્યમા નહોંતુ આવતું.. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો.. ભરોસો હતો કે, દીપક એમને સાચવશે.. એટલે પોતાની માટે તેમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ..

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા..

હવે શું? આખી જિંદગી આમજ કાઢવી પડશે?ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?

આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા.. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..?

ના..ના..

બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા..

દુર્ગા બહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી ગયા..

વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ..

–‘’સાહેબ, તબીયત બરાબર નથી?’’

–‘’બરાબર છે.."

વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગા બહેનને અણસાર આવી ગયો કે, કઇક ગરબડ છે..

ત્રીજે દિવસે વહેલી સવારે દીપક, મંજરી અને સૌમિત્ર જ્યારે નિક્ળ્યા ત્યારે વસંતભાઈ સુતા હતા..

મંજરીએ હળવા સાદે બૂમ પાડી:
’’પપ્પા - પપ્પા.. અમે નીકળીયે છિયે..’

વસંતભાઈ ઝબકીને જાગી ગયા..

– ‘’હા બેટા.. ખુશી થી જાવ..’’

–‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો.. દુર્ગા બહેનને મેં બધુ સમજાવી દીધુ છે.."

–‘ભલે..'

મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગી ને નિકળ્યા.. દીપક રૂમની બહાર જ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા..

ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો..

દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી..

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા..

–સાહેબ, ચા મૂકું??

– ‘હા બે કપ મુકજો.. મહેમાન આવવાના છે..' કહી વસંતભાઈએ ફોન લગાડ્યો.. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો..

થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધું જ પુછ્યુ: બેટા, મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?

– ‘’આવે લગભગ સાડા પાંચ .છ કરોડ..‘’

– અને મને આજ સાંજ સુધીમા રોકડા રૂપિયા હાથમા જોતા હોય તો??

પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો..

– ‘’અરે જુવે છે શુ?
–હું મશ્કરી નથી કરતો.. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે.. મારે કાલ સવાર સુધીમા બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો છે.. થોડું આમ-તેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમા જોઈએ..‘’

પંકજે ત્યા બેઠાબેઠા બે ત્રણ પાર્ટી ને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો..

– "હવે બેટા.. એક કામ બીજું કર.. "
અત્યારે જ બરોડામાં સારા એરિયામા ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે.."

ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરી નાખ્યો.. ફ્લેટ લીધા પછી પણ ધણી મોટી રકમ હાથમા બચતી હતી... તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઇ શકે તેમ હતો..

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા..
બસ.. દરિયાને જોતા રહ્યા.. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે?? આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કળી શકાય છે??

સાંજના તેમણે દુર્ગા બહેનને બોલાવ્યા. – જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે, તમે કાલથી છુટ્ટા.. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે.. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચ લાખ રૂપિયાનો ચેક છે..
તમે ગામ માં તમારા પરિવાર સાથે જ ને આનંદથી રહો..

દુર્ગા બહેન રડી પડ્યા..
– ‘’સાહેબ, તમે એકલા ક્યાં જશો?"

—‘એક્લો ક્યાં..?? મારો પ્રભુ તો મારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને..'

બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો.. સાથે પોતાની થોડીક વસ્તુઓ
અને પત્ની શાંતિ બહેનનો ફોટો લિધો..
બસ, ફ્લાઇટમાં બરોડા પહોચ્યા.
ફ્લેટ સરસ હતો. Vધીમે ધીમે બધું ગોઠવાતું ગયુ.. જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિયો ચાલુ કરી.. બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો..

મંજરીએ ઘરની બેલ વગાડી..

એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો..
–‘કોનુ કામ છે?'
મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી..
ત્યાં તો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો.. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા..

– ‘અરે ભાઇ, ક્યાં જાવ છો?‘

– અરે મારા ઘરમાં..
–પપ્પા પપ્પા... દુર્ગા બહેન..’
-તેણે બુમપાડી..

બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા..

– ’અરે તમે બધા કોણ છો?

–'આ મારું ઘર છે’

–‘તમારુ ઘર?'

ભાઇ, તમને કઇંક ભૂલ થતી લાગે છે..
હજુ પંદર દિવસ પહેલા જ અમે અહી રહેવા આવ્યા છીયે.. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદીયો છે..’

–દીપકનું માંથુ ચક્કર ખાઇ ગયુ..
તે નીચે ઉતર્યો.
તેણે વોચમેનને પુછ્યુ:
વોચમેનને કઈં ખબર નહોતી..
આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી..
દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો..
ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા..

બિલ્ડીંગના સેક્રેટરીથી ખબર પડી કે,
આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે..!!

દીપક ઘા ખાઈ ગયો..
પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો...

બહુ જ સરસ નિર્ણય..👌🏼👌🏼👌🏼
વસંત ભાઇ...🙏🏼

ફેસબુકમિત્ર રિતેશ દાવડાની દીવાલ પરથી... સાભાર ઉઠાંતરી