બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી,
પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Thursday, January 26, 2012
જરુર છે જીવનમાં નિષ્ફળતાની
માનવી ને જલ્દીથી અને તાત્કાલિક સફળતાનો સ્વાદ ચાખવો છે...પણ તમે સફળ વ્યક્તિઓના જીવનને નજીક થી જોશો તો ખયાલ આવશે કે તેઓની સઘર્ષમય દિવસો પસાર કરી સફળતાના શિખરો સુધી પહોચ્યા છે... જેમ કરોળિયો જાળ ગુથવાની મહેનત કરેછે..… તે અનુસાર એક પ્રયત્ને કાર્ય સિદ્ધ થતું નથી. અવિરતપણે અનેક પ્રયત્ન કરવામાં આવે ત્યારે માણસ કાર્ય સિદ્ધ કરી શકે છે. પચ્ચીસમાં ફટકાએ વૃક્ષનું થડ જમીન પર કપાઇને પડે ત્યારે અગાઉના ચોવીસ ફટકા વ્યર્થ હતા એમ માની ન લેવું અને આ પચ્ચીસમો ફટકો પહેલા માર્યો હોત તો વૃક્ષ એક જ ફટકે જમીન પર પડ્યું હોત એમ પણ માનવું મુર્ખાઇભર્યુ છે ! આથી જ જીવનમાં સફળતાની જેટલી અગત્ય છે તેટલી જ નિષ્ફળતાની જરુર છે.
No comments:
Post a Comment