Friday, August 16, 2019

આજનું મંથન

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને....

ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..

BUSY પણ અને BE-EASY પણ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.🦁

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર....!🐿


એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો. 👍🏽


આમ જ સમય વિતતો રહ્યો....

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.👌🏽


પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?😇


આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !🍎


આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. 👴🏻


ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.👩🏻👦🏻👩🏻👦🏻


શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?😍😍😘😍😘


શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !


આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !



😊એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો,
પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો...🦋☘

👍ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો

👍દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો..

💐દરેક સબંધ ને ઉજવી લો*....

🎂તમારા હોવા ને ઉત્સવ બનાવી લો


BUSY પણ અને BE-EASY પણ રહો

Sunday, August 11, 2019

શિક્ષણ અને શિક્ષક

જુદી જુદી પદ્ધતિઓ, ટેક્નિકલ જાણકારી, ઉચ્ચ ડીગ્રી હોય...પણ એ બધાથીયે વિશેષ જરૂરી છે કે શિક્ષકને વિદ્યાથીૅઓ પ્રત્યે સ્નેહ હોય. એવો ભાવ હોય કે આ બધા બાળકોનું ભવિષ્ય મારે સજાવવાનું છે...તેની આંખોમાં સપના અને હૈયામાં હામ ભરવાની છે. આવો ભાવ ઉદ્ભવવાથી શિક્ષક તેમજ વિદ્યાથીૅઓ બન્નેનું જીવન ઉન્નત બને છે.
કેળવણી એક પવિત્ર હવન સમાન છે તેમાં બન્ને પક્ષે સમાન 'આહુતિ' એટલે કે તત્પરતા હશે તો વાતાવરણ- શિક્ષણ પ્રજ્જવલિત અને ઉજ્જવળ બનશે.