Saturday, September 17, 2022

જિંદગી ... The Truth of Life

આમ ને આમ દિવસો ગયા ને

રોજ સાંજ પણ પડતી ગઈ, 

શોખ મરતા ગયા એક એક કરીને

જવાબદારી વધતી ગઈ,

સપનાઓ રુંધાયા અને 

મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ, 

પૈસા ને પરિસ્થિતિના ખેલમાં

સાલી જિંદગી ઢળતી ગઈ. 

સારા કે સાચા હોવાની સજાઓ

હર ઘડી ઘડી મળતી ગઈ, 

આ ન કરતા પેલું ન કરતાં તેવી

બરાબર સુચના મળતી ગઈ, 

રહેવું હતું નાનું અમારે પણ 

ઉંમર હતી કે વધતી ગઈ, 

આમ ને આમ દિવસો ગયા ને

જિંદગીની સાંજ પણ પડતી ગઈ.

🙏🙏🙏

સાભાર :- અજ્ઞાત લેખકની ડાયરીમાંથી..




Sunday, June 12, 2022

સંબધો સાચવવા....ચૂપ રહીને...

સબંધ બોલીને બગાડવા કરતાં ચૂપ રહીને તેને થોડો સમય આપવો વધારે સારો છે....



        આપણે દરેકને  સંબંધોમાં જીવવું ગમતું હોય છે. કારણકે દુનિયામાં ખુશી પણ તેમના દ્વારા જ મળતી હોય છે.પણ દરેક સંબંધને એક સરખું મહત્વ આપવું જરૂરી નથી. દરેક સંબંધને પોતાનું એક અલગ સ્થાન હોય છે. માટે જ જે સંબંધને જેટલું મહત્વ આપવું જરૂરી છે એટલું જ આપીએ તો આપણે ખુશ રહી શકીએ છીએ.પણ ઘણા એવા વિચારો  ધરાવતા હોય છે કે જે પોતે દરેક સંબંધને દરેક લોકોને એક સરખું જ પોતાના દિલમાં સ્થાન આપતા હોય છે.

      અને જ્યારે સંબંધોમાં થોડી ઘણી પણ તિરાડ પડતી હોય છે ત્યારે લાગણીશીલ સ્વભાવવાળા વધારે દુઃખી થાય છે. અને તેમના આ જ સ્વભાવને કારણે તે પોતાની સાથે જે ખરાબ થયું તેને સ્વીકારી નથી શકતા. જે પોતાની વાતને સરળતાથી સમજાવી નથી શકતાને તેમના સંબંધો વધારે સમય સુધી નથી રહી શકતા. માટે જ પોતાની વાત સામેવાળાને કેવી રીતે સમજાવવી તે શીખવું બહુ જરૂરી છે‌. સાથે સાથે દુનિયામાં પ્રેક્ટિકલ બનવું પણ બહુ જરૂરી છે.

     સંબંધો જીવન કરતાં વધારે મહત્વનાં નથી. એકબીજા વચ્ચે વધારે પડતાં મન-ભેદ થઈ જાય અને તેના કારણે જ્યારે મતભેદ ઊભા થાય છે ત્યારે વાતને વધારવા  ચૂપ રહીને થોડા સમય માટે દૂરી લાવવી વધારે સારી છે. મનમાં જે ભરાયું હોય તે બોલીને સંબંધોનો અંત ના લાવવો જોઈએ. જો થોડો સમય મનને શાંત રાખીને સમય ઉપર થોડું છોડી દઈશું તો બગડેલો સબંધ આપોઆપ સારો થઈ જાય છે.

    બસ આવી થોડી નાની- નાની વાતોને સમજી લઈશું તો પોતાની અંદર થોડું પરિવર્તન કરી શકીશું. જેનાં કારણે આપણું ભવિષ્ય પણ વધારે સારું બનશે.


સાભાર :- 

પિંકી પરીખ (અક્ષયવાણી)

Saturday, June 4, 2022

જીવન...બે રીતનું.....


મંદિરમાં જતો યુવાન અને જીમમાં જતો યુવાન મને સરખાં આદરણીય લાગે છે. ગાર્ડનમાં વોકિંગ કરતી યુવતી અને ભાદરવી પૂનમે ચાલતાં અંબાજી જતી યુવતી સરખી લાગે છે. ક્યારેક સંસારની અસારતાની વાતો કરતાં બાળકો કરતાં ફૂટબોલ રમતાં બાળકો વધારે પ્રિય લાગે છે. આ દેશને મેદાનની જરૂર છે એ વાત ક્યારે સમજાશે ? 


હું જેલમાં ગયેલા એ બાવાનો અત્યંત આભાર માનું છું કે, એણે સમાજમાં દાખલો બેસાડ્યો કે બધાં સફેદ રંગના પ્રવાહી દૂધ હોતાં નથી. ગંદા ધંધા ખૂબ ચાલે છે ને પ્રામાણિકતા ભૂખે મરે છે. “બદલાપુર”માં એક ડાયલોગ બહુ ગમ્યો. એક પ્રાઈવેટ ડીટેક્ટીવ મહિલા કહે છે,” એક કોલગર્લને એક કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે અને મને ૨૪ કલાકના ૨૦૦૦ રૂપિયા મળે છે !!!” 


પુરૂષના પગના તળીયાનો ભાગ ઘર્ષણબળ વગરનો હોય છે. તેથી તે ગમે ત્યારે લપસી જાય છે. ગમે ત્યારે લપસી જાય એનો કોઈ વાંધો નથી, ગમે ત્યાં લપસી જાય છે એનો ખેદ છે. જે ગુના બદલ પત્ની પતિને માફ કરી શકે છે તે જ ગુના બદલ પતિ પત્નીને માફ કરી શકે છે ખરો ? જવાબ- ના. 


તમારી પોસ્ટ વાંચવાથી બે-ચાર જણાં સુધરી ન શકતાં હોય.....પણ બે-ચાર જણાં બગડી શકતાં હોય તોય તમારી પોસ્ટ સફળ થઈ ગણાય. આ વાત મને ઓશોના જીવનમાંથી સમજાઈ છે. સમાજની એક ફરીયાદ રહી છે કે, ઓશોએ લોકોને બગાડ્યાં છે. યસ, તમારા શબ્દોથી માણસ સુધરતો હોય કે બગડતો હોય તો ડેફિનેટલી તમારા શબ્દોમાં તાકાત છે એ વાત સાબિત થાય છે. 


સાભાર :- જે.કે.સાંઈ