Tuesday, October 24, 2017

*जिंदगी वक्त के बहाव में है*
*यहां हर आदमी तनाव में है,*

*हमने लगा दी पानी पर तोहमत*
*यह नहीं देखा कि छेद नाँव में है..!*

*🌹🌿आज का सुविचार🌿🌹*

*मुश्किल वक़्त का सबसे बड़ा*
*सहारा है " उम्मीद "*
*जो एक प्यारी सी मुस्कान देकर*
*कानों में धीरे से कहती है,*
*"सब अच्छा होगा।"*

🤔 यूरोप की विवशता.... हमारी मूर्खता... 🤔

1. *आठ महीने ठण्ड पड़ने के कारण
कोट पैंट पहनना उनकी विवशता और
शादी वाले दिन भरी गर्मीं में कोट - पैंट डाल कर
बरात ले कर जाना हमारी मुर्खता !*

2. *ताजा भोजन उपलब्ध ना होने के कारण
सड़े आटे से पिज्जा,, बर्गर,, नूडल्स आदि खाना
यूरोप की विवशता और 56 भोग छोड़
₹ 400/- की सड़ी रोटी (पिज्जा ) खाना हमारी मुर्खता !*

3. *ताज़ा भोजन की कमी के कारण
फ्रीज़ का इस्तेमाल करना यूरोप की विवशता और
रोज दो समय ताजी सब्जी बाजार में मिलनें पर भी
हफ्ते भर की सब्जी मण्डी से लेकर
फ्रीज में ठूँस कर सड़ा - सड़ा कर उसे खाना
हमारी मुर्खता !*

4. *जड़ी - बूटियों का ज्ञान ना होने के कारण...
जीव जन्तुओं के हाड़ - माँस से दवायें बनाना
उनकी विवशता और आयुर्वेद जैसा महान चिकित्सा ग्रन्थ होने के बावजूद उन हाड़ - माँस की दवाईयाँ
उपयोग करना हमारी महांमुर्खता !*

5. *पर्याप्त अनाज ना होने के कारण
जानवरों को खाना उनकी विवशता और
1600 किस्मों की फसलें होनें के बावजूद
जीभ के स्वाद के लिए
किसी निरीह प्राणी को मार कर
उसे खाना हमारी मुर्खता !*

6. *लस्सी, दूध, जूस आदि ना होने के कारण
कोल्ड ड्रिंक को पीना उनकी विवशता और
36 तरह के पेय पदार्थ होते हुऐ भी
इस कोल्ड ड्रिंक नामक जहर को पी कर
खुद को आधुनिक समझ कर इतराना
हमारी महा महा महा मुर्खता !*
🙏
*विशेष अनुरोध :-
"एक बार विशुद्ध भारतीय सँस्कृति पर
अवश्य विचार करें"।।*

Monday, October 16, 2017

गहरी बात लिख दी है

👉बेजुबान पत्थर पे लदे है करोडो के गहने मंदिरो में।

उसी दहलीज पे एक रूपये को तरसते नन्हे हाथो को देखा है।।
😘😘😘
👉सजे थे छप्पन भोग और मेवे मूरत के आगे।

बाहर एक फ़कीर को भूख से तड़प के मरते देखा है।।😘😘😘
👉लदी हुई है रेशमी चादरों से वो हरी मजार।

पर बाहर एक बूढ़ी अम्मा को ठंड से ठिठुरते देखा है।।😘😘😘
👉वो दे आया एक लाख गुरद्वारे में हॉल के लिए।

घर में उसको 500 रूपये के लिए काम वाली बाई को बदलते देखा है।।😘😘😘

👉सुना है चढ़ा था सलीब पे कोई दुनिया का दर्द मिटाने को।
आज चर्च में बेटे की मार से बिलखते माँ बाप को देखा है।।😩😩😩😩

👉जलाती रही जो अखन्ड ज्योति देसी घी की दिन रात पुजारन।
आज उसे प्रसव में कुपोषण के कारण मौत से लड़ते देखा है।।😘😘😩

👉जिसने न दी माँ बाप को भर पेट रोटी कभी जीते जी।
आज लगाते उसको भंडारे मरने के बाद देखा है।।😳😳😳

👉दे के समाज की दुहाई ब्याह दिया था जिस बेटी को जबरन बाप ने।
आज पीटते उसी शौहर के हाथो सरे राह देखा है।।

👉मारा गया वो पंडित बे मौत सड़क दुर्घटना में यारो।
जिसे खुद को काल, सर्प, तारे और हाथ की लकीरो का माहिर लिखते देखा है।।

👉जिसे घर की एकता की देता था जमाना कभी मिसाल दोस्तों।
आज उसी आँगन में खिंचती दीवार को देखा है।।

👉कुत्ते कोमा में चले गए, ये देखकर।
क्या मस्त तलवे चाटते हुए इंसान देखा है।
~~~~~~~~~~~~

Friday, October 13, 2017

*બેસણું*

સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો.
કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા.

તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી.

‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું.

‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું.

‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય....!’ પેલાએ ફરી પોતાની વાત કરી.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઇ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યાં અને તેને સૌની સામે હાથ જોડી ક્ષમાયાચના કરતાં હોય તે મુદ્રામાં ઉભા રહીને ધીરેથી બોલ્યા, ‘તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો.... અમારે તૈયારી કરવામાં મોડું થયું છે...’ તેમના શબ્દોમાં સરળતા હતી.

‘અરે, વડીલ.. કોઇ વાંધો નહી... કોઇ કામમાં અમારી જરુર હોય તો પણ કહેજો…!’ જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શીત કરી.

‘અરે... ના.. ના.. આ તો જ્વલંતની દિકરી જીદે ચડી છે... મારે પપ્પા જોઇએ જોઇએ ને જોઇએ જ...! તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઇ ગયા હતા.. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઇ આવો....! જો કે તે છ વર્ષની.. તેને શું ખબર કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઇ પાછું આવે છે...! તેને કેવી રીતે સમજાવવી.. અમારે તેને અહીંથી દુર લઇ જવી છે.. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે.. હું અહીં જ બેસીસ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઇ આવો....! આજે મારા પપ્પાનો જન્મ દિવસ છે…. મારે કેક કાપવી છે.. તેમને ખવડાવવી છે...!’ અને પેલા વડીલ પોક મુકીને રડી પડ્યાં.

એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો.

‘જ્વલંત તો લાખોમાં એક હતો... પણ આ તો અણધારી આફત.. કુદરતની પણ કેવી ક્રુરતા કે ભરજુવાનીમાં બોલાવી લીધો... અરે.. દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મુકીને ચાલ્યો ગયો.. દુ:ખ તો અમને સૌને છે... તમે પણ હિંમત રાખો સૌ સારા વાનાં થશે...!’ પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણાં મળી.

પેલા વડિલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યાં.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું... સૌ કોઇ દરવાજો ખુલે તેની રાહ જોઇને મીટ માંડી રહ્યા હતા... અને ઘણાંને બેસણાંનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી.

જ્વલંત, જેનો બે દિવસ પહેલા જ સ્વર્ગવાસ થયો... એક સરળ વ્યક્તિત્વ.. સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા.. સમાજ, સોસાયટી અને સૌ કોઇમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચુક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું.... જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો.. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી.. ઘરની કોઇ આર્થિક સધ્ધરતા પણ નહોતી આવી....! હવે બધુ એકાએક છોડીને ચાલ્યા જવું... ઘર- પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય...! જ્વલંત પાસે કોઇ સરકારી નોકરી નહોતી કે કોઇ બેઠી આવક પણ નહી.. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો.. અને અચાનક જ વિદાય લઇ લીધી... ઘરનો મોભી કે કમાઉ દિકરો બધુ એક જ હતો જ્વલંત...!

જ્વલંતના બેસણાં માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી.

પેલા દિલાસો આપનાર માણસને કંઇક સુઝ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું, ‘ આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું.. આપણે સૌ એ આમ જ અનેક બેસણાંમાં હાજરી આપી છે, સફેદ કપડાં.. સહેજ દયામણું મહોરું.. હાર ચઢાવેલા ફોટાના દર્શન... શોકના શબ્દો... બે ઘડીનો દિલાસો.... થોડીવારની હાજરી.... અને પછી પોત પોતાના ઘરે...! જો કે હું તમને કોઇને સલાહ કે સુફિયાણી વાતો કરવા નથી આવ્યો.. પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું ? તે આપણે વિચારવું પડશે.. જ્વલંત તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું ?.. બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઇએ.. આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી... અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઇ ફર્ક નહી પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જુની પ્રથા શરુ થશે.. સામે જ્વલંતની દિકરી તેના પપ્પાની રાહ જોઇને બેઠી છે.... તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે.. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે.. જ્યારે આજે નથી, તો આ બેસણાંમાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ... મારો મતલબ કોઇ પાર્ટી કરવાનો નથી.. પણ જ્વલંતની તસ્વીર પર ફુલ ચઢાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ..’ પેલા ભાઇ થોડીવાર ચુપ થઇ ગયા..

‘તો શું કરવું જોઇએ..?’ એક વ્યક્તિએ પુછ્યું.

‘મદદ.. મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો.. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડીઘણી મદદ કરતા જઇશું તો તેના પરિવારને આવનારા કપરાં સમયનો ટેકો મળી જશે.. પોતાનાથી બનતી મદદ... સમાજ એટલે એકમેકનો સહયોગ.. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દિકરીને કોઇક ગિફ્ટ લાવીને આપી હોત.. પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઉભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે.’ અને પેલા ભાઇએ પોતાની વાત પુરી કરી.

થોડીવાર સૌ એકમેકની સાથે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઇ ગઇ..

અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો.

પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસ્વીર સામે મુકી અને તેની દિકરીને બોલાવી અને કહ્યું, ‘ બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે, તેમને આવતાં વર્ષો લાગશે, તેમને આ કેક મોકલાવી છે. લે તુ આજે કાપીને બધાને ખવડાવી દે.’
તે અણસમજુ દિકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા.. બધાએ વ્હાલથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા..

છેલ્લે તે દિકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, ‘ અંકલ, બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે, હવે તે પાછા નહી આવે. પણ મને ખબર છે કે તે મને મુકીને ક્યાંય જાય નહી. તે એકવાર જરુર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ.. પણ કોઇને સફેદ કપડાં પહેરીને નહી બોલાવું, મારી મમ્મી બહુ રડે છે.. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે.’ અને તે પેલા વ્યક્તિને વળગી પડી.

પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘ હા દિકરી..! પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે.’ અને એકઠી કરેલી રકમ દિકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે.

પેલા વડીલે આ દ્રશ્ય જોઇને તેમની નજીક આવ્યાં અને પૈસા ભરેલું કવર જોઇને પરિસ્થિતિને પામી ગયા અને પુછ્યું, ‘તમારો પરિચય..?’

પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું જ્વલંતની સાથે કામ કરું છું.. મારી દિકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા… ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઉભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ મારી દિકરીનો પ્રસંગ સચવાઇ ગયો હતો.. જ્વલંતે મારી દિકરીને ખુશ કરી હતી તો તેની દિકરીન દુ:ખી થતા હું કેમ જોઇ શકું ?’
અને જ્વલંતની વ્હાલસોયી દીકરીને વળગી પડ્યાં.

*સ્ટેટસ*
*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*

કરેલું ફોગટ જતું નથી

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો. લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો ની બંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હે કે કોઈ પચાસ સાલ સે બંદગી કર રહા હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં...
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે, એટલે ફળ તો જરૂર આપશે જ...!!!
"કરેલું ફોગટ જતું નથી" - આ ગીતાજીનો સિદ્ધાંત યાદ છે ને !
---------
મિત્રો વાત ગમે તો શેર જરૂર કરજો...

cocktailzindagi (આમિર ખાનને ગુજરાતી નાટકમાંથી તગડી મુકાયો હતો!)

LIGHTS, CAMERA, ACTION




એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! યસ, આપણે સુપરસ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ. ઉપરના શબ્દોથી અનેક સવાલો તમારા દિમાગમાં ધૂમરાઇ ગયા હશે, પણ એ શબ્દો અક્ષરશ: સાચા છે.

વેલ, આવી થોડીક વધુ આશ્ચર્યજનક વાતો તમને સડસડાટ કહી દઈએ.

આમિર ખાને તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બેકસ્ટેજથી કરી હતી અને એ દરમિયાન તેણે સ્ટેજ પર ઝાડુ મારવાની ‘ડ્યુટી’ પણ બજાવી હતી.

આમિર તેની મોટી બહેન નિખત ખાનને કારણે ગુજરાતી રંગભૂમિમાં આવી ચડ્યો હતો. આમિરની એરહોસ્ટેસ બહેન નિખત મુંબઈના ધુરંધર ગુજરાતી નાટ્યદિગ્દર્શક (1993માં જેમનું મૃત્યુ થયું હતુ એ) મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડી હતી અને પછી તેમને પરણી હતી.

આમિરને બે ગુજરાતી નાટકમાં અભિનય કરવાની તક મળી હતી અને એમાંથી એક નાટકમાં તેનો લીડ રોલ નહીં બલકે સાઇડ રોલ હતો અને બીજા નાટકમાં તો તેનો સાઇડ રોલ પણ નહોતો, માત્ર એકસ્ટ્રા આર્ટિસ્ટ જેવો રોલ તેને મળ્યો હતો; પણ પછી એ નાટકમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી!

હવે આમિર ખાનના ગુજરાતી સ્ટેજ એટલે કે ગુજરાતી રંગભૂમિ સાથેના કનેક્શનની વાત વિગતે માંડીએ.
આમિર ખાન મુંબઈના જુહુ વિસ્તારમાં ગુજરાતી મેનેજમેન્ટવાળી વિલે પાર્લે કેળવણી મંડળની એન. એમ. કાલેજમાં ભણતો હતો. એ વખતે તેની બહેન નિખતને કારણે તે ગુજરાતી રંગભૂમિના મહારથી મહેન્દ્ર જોશીના સંપર્કમાં આવ્યો હતો. આમિરનો પિતરાઈ મનસૂર ખાન (આમિરની પહેલી અને સુપરહિટ ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’નો દિગ્દર્શક) અને મહેન્દ્ર જોશી પણ બહુ સારા દોસ્ત હતા. એ દોસ્તીને કારણે અને પછી સાથે નાટકો કરવાને કારણે આમિરની બહેન નિખતની દિગ્દર્શક મહેન્દ્ર જોશી સાથે દોસ્તી જામી. એ દોસ્તી પ્રણયમાં અને પછી પરિણયમાં પરિણમી હતી. એટલે કે આમિર ખાન મહેન્દ્ર જોશીનો સાળો બન્યો હતો.

એ વખતે આમિર એન. એમ. કોલેજમાં નિખતના ભાઈ તરીકે ઓળખાતો હતો અને નિખતને સૌ મહેન્દ્ર જોશીની પ્રેમિકા તરીકે ઓળખતા હતા. આમિરને નાટકોમાં કામ કરવાનો શોખ જાગ્યો અને તેણે મહેન્દ્ર જોશી પાસે કામ માગ્યું, મહેન્દ્ર જોશીએ તેને બેકસ્ટેજની જવાબદારી સોંપી દીધી. બેકસ્ટેજ એટલે ઝાડુ મારવાથી માંડીને નાનીમોટી વસ્તુઓ લાવી આપવાનું અને કલાકારોનાં કપડાંની કન્ટિન્યુટી ધ્યાન રાખવા સુધીનું કામ. સ્ટેજ પાછળની આ પ્રવૃત્તિ માટે ચણામમરા જેવી રકમ વળતરરૂપે મળે અને એ રકમમાંથી ચણામમરા ન ખરીદવા હોય તો ચાનો અથવા પાણીનો ખર્ચ નીકળે શકે!

મહેન્દ્ર જોશીના ‘ખેલૈયા’ નાટકમાં આમિરે બેકસ્ટેજ કર્યું હતું. એ નાટકમાં આમિરે કૃત્રિમ વરસાદ વરસાવવાનો હતો. આમિરને રંગબેરંગી કાગળો અપાયા હતા. એ કાગળોના નાના-નાના ટુકડા કરીને હીરો-હિરોઇન ગીત ગાતાં હોય ત્યારે તેમનાં પર વરસાવવાના હતા. આમિર એ કામ ઉદય શેટ્ટી નામના વિદ્યાર્થી સાથે કરતો. ‘ખેલૈયા’ ના શોઝ દરમિયાન આમિરે બાકાયદા સ્ટેજ પર ઝાડુ મારવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી હતી!
આમિર ખાન તેની આત્મકથા લખે તો ‘મારા ગુજરાતી રંગભૂમિના પ્રયોગો’ નામનું ખાસ ચૅપ્ટર લખી શકે એમ છે. મહેન્દ્ર જોશીએ ‘કેસરભીના’ નાટક કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આમિરને સાઇડ રોલ આપ્યો હતો. ‘કેસરભીના’ નાટક વિશે અને એ નાટકમાં આમિરના રોલ વિશે વધુ વાતો સાંભળવી હોય તો વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસર ભરત નાયકને મળવું પડે.

ભરત નાયક કહે છે, ‘સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધરાયું હતું એના પરથી મહેન્દ્ર જોશીને ‘કેસરભીના’ નાટક કરવાનો વિચાર આવ્યો હતો. જોકે ટોમ સ્ટોપાર્ડના નાટક ‘સોલ્જર્સ સ્ટોરી’ પરથી પ્રેરણા લઈને એ નાટકની સ્ક્રિપ્ટ લખાઈ હતી. એ નાટકનો પહેલો શો પૃથ્વી ફેસ્ટીવલમાં થયો હતો અને એના કુલ દસ શો થયા હતા. ‘કેસરભીના’ની કથા એવી હતી કે આર્મીની પંજાબ રેજિમેન્ટમાં ગરબડ થાય છે અને એક સૈનિકનું ખૂન થઈ જાય છે. એની તપાસ માટે સીબીઆઈનો એક ઑફિસર આવે છે. ઑફિસર સૈનિકના ખૂનનું રહસ્ય શોધી કાઢે છે. એ નાટકમાં મહેન્દ્ર જોશી, મકરંદ દેશપાંડે, આતિશ કાપડિયા અને અમિત ઠાકુરની સાથે આમિર ખાને સરદારજીનો સ્વાંગ સજીને નાનકડો રોલ નિભાવ્યો હતો અને સીબીઆઇના ઓફિસરનો રોલ હોમી વાડિયાએ કર્યો હતો.’

ભરત નાયક પાસેથી આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશનની વાતો સાંભળવા મળે એ જ રીતે જાણીતા-નાટ્ય- ટીવીસિરિયલ અને ફિલ્મલેખક મિહિર ભુતા અને તેમનાં પત્ની (બીજેપી લીડર) માધવી ભુતાને મળો તો પણ આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશન વિશે રસપ્રદ અને રોમાંચક વાતો જાણવા મળે.

1982માં ઇન્ટર-કૉલેજ ડ્રામા કોમ્પિટિશનમાં મહેન્દ્ર જોશીનું એક નાટક હતું, ‘પસિયો રંગારો’. એન. એમ. કોલેજ વતી એ નાટક બનાવાયું હતું. એના લેખક હતા ચંદ્ર શાહ. વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાના જમાઈ અને ‘જીન્સ’ કાવ્યોના સર્જક. એ નાટકમાં પસિયા રંગારાનો લીડ રોલ અમોલ ગુપ્તેએ કર્યો હતો (આ અમોલ ગુપ્તે એટલે જેમણે આમિરની ‘તારે ઝમીં પર’ ફિલ્મ લખી હતી અને તેમની તથા આમિરની વચ્ચે ક્રિએટિવ મતભેદ થયા એ પછી આમિરે ડિરેકશન જાતે સંભાળ્યું હતુ). ‘પસિયો રંગારો’માં અમોલ ગુપ્તેની હિરોઇન પ્રીતિ નામની ગુજરાતી સ્ટુડન્ટ હતી. જોકે મુંબઈના પુથ્વી થિયેટરમાં ‘પસિયો રંગારો’ના કમર્શિયલ શો થયા ત્યારે અમોલ ગુપ્તેની સાથે શંકર નાગની સાળી અને અરુંધતી નાગની બહેન પદ્માવતી રાવ હિરોઇન બની હતી. એ નાટકમાં માધવી ભુતાએ પસિયા રંગારાની માનો રોલ કર્યો હતો અને જનક જાનીએ પસિયા રંગારાના પિતાનો રોલ કર્યો હતો.

રંગારો એટલે કે કલર કરવાવાળો દર વર્ષે નગરના પુલને રંગ કરે છે. સમય જતાં રંગારાને નગરના પુલ સાથે પ્રેમ થઈ જાય છે. વર્ષો પછી નગરના શાસકો બદલાઈ જાય છે અને નવા શાસકો પસિયા રંગારાનો ‘પ્રેમ’ છીનવી લે છે એવી કથા એ નાટકની હતી.

એ નાટકમાં આમિર ખાનને શું રોલ અપાયો હતો? એ નાટકમાં પંદર-સત્તર રંગારાનું ટોળું બતાવવાનું હતું. એમાંથી એક આમિર ખાન હતો! (જોકે એ વખતે તેણે પોતાનું નામ આમિર હુસેન રાખ્યુ હતું. કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં પણ તેણે ક્રેડિટમાં આમિર હુસેન નામ રાખ્યું હતું. આમિર ઉપરાંત જમનાદાસ મજીઠિયા (જે હવે જે.ડી. તરીકે જાણીતા પ્રોડ્યુસર-એક્ટર બની ગયા છે) અને હવે જાણીતા અભિનેતા પરેશ ગણાત્રા પણ એ ટોળામાં રંગારો બનીને પીંછી ફેરવવાનો અભિનય કરતા હતા.

‘પસિયો રંગારો’નાં રિહર્સલ્સ દરમિયાન આમિર સહકલાકારોના ટિફિનમાંથી લંચ શેર કરતો હતો. માઘવી ભુતાને આટલાં વર્ષો પછી પણ યાદ રહી ગયું છે કે આમિરને ટીંડોળા અને ભીંડા સહિતનાં કેટલાંક ગુજરાતી શાક બહુ ભાવતા હતા. માધવી કે બીજા કોઈ સ્ટુડન્ટના લંચ બોક્સમાં તે ગુજરાતી જુએ તો સફાચટ કરી દેતો હતો. આમિર સહકલાકારો સાથે કયારેક ફિલ્મો જોવા પણ ઉપડી જતો હતો. પોતે હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર તાહિર હુસેનનો દીકરો છે એવો ફાંકો તેને નહોતો. તે મોટે ભાગે શાર્ટ્‌સ પહેરીને ફરતો રહેતો હતો. માધવીને કે બીજી કોઈ સહકલાકારોને રિહર્સલ વખતે મોડું થઈ જાય તો તે તેમને મૂકવા માટે તેમના ઘર સુધી રિક્ષામાં જતો હતો. એક વાર ગૌરી વિસર્જનના દિવસે આમિર અને બીજા સહકલાકારો માધવી ભુતાના ઘરે ગયાં હતાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ગપ્પાં મારતા હતા ત્યારે માધવી ભુતાના ઘરમાં પહેલા માળેથી ત્રણ મહેમાન હિન્દી નાટક જોવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. બાળાસાહેબ દેવરસ (આર. એસ.એસ.ના નેતા), અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી! (માધવીના પિતા રમેશ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા છે.) તેમના વિશે અછડતો ઉલ્લેખ પણ આમિર અને માધવી તથા અન્ય મિત્રો વચ્ચે થયો અને ઓ.કે. ‘રાજકારણીઓ કયારેક નાટકો જોતા પણ હોય છે!’ એવી કંઈક ટિપ્પણી કરીને આમિર-માધવી મંડળી પાછી અલકમલકની વાતે ચડી ગઈ.

મુંબઈના જુહુ વિસ્તારમાં એન. એમ. કોલેજની અડોઅડ જશોદા રંગમંદિરમાં દોઢ મહિના સુધી ‘પસિયો રંગારો’ નાટકના રિહર્સલ્સ દરમિયાન આમિર ખાને નિયમિત રીતે હાજરી આપી હતી. આવી બધી મજાકમસ્તી અને ધમાલ સાથે પણ રિહર્સલના થેલ્લા દિવસે કોઈ કારણે આમિરે જુહુ સુધી લાંબા થવાનું માંડી વાળ્યું એટલે મહેન્દ્ર જોશી ભડકી ગયા અને તેમણે આમિરને ‘પસિયો રંગારો’ નાટકમાંથી કાઢી મૂક્યો! મહેન્દ્ર જોશીએ સાળા આમિરને શાબ્દિક રીતે ઠમઠોરીને નાટકમાંથી રવાના કરી દીધો ત્યારે આમિર નાના બાળકની જેમ રડી પડ્યો હતો!

વર્ષો પછી આમિર જ્યારે મોટા ગજાનો ફિલ્મસ્ટાર બની ગયો ત્યારે પણ મહેન્દ્ર જોશીએ તેને ડઝનબંધ ફિલ્મસ્ટાર્સ અને રંગભૂમિના અનેક ખેરખાંઓ સહિત સેંકડો માણસોની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યો હતો અને એ પણ જશોદા રંગમંદિરની બાજુમાં બનેલા સંતોકબા હોલમાં. ઓક્ટોબર 1993માં મહેન્દ્ર જોશી મૃત્યુ પામ્યા પછી તેમની શોકસભા જુહુના સંતોકબા હોલમાં યોજાઈ હતી. ઓ શોકસભામાં ઘણા કલાકારોએ મહેન્દ્ર જોશીને શબ્દાંજલિ આપી. એ પછી આમિર ખાન બનેવી મહેન્દ્ર જોશી વિશે બોલવા ઊભો થયો. તે થોડાક શબ્દો બોલ્યો અને તેનું ગળું ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. એ વખતે ત્યાં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટીઝની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મારી નવી કોલમ cocktailzindagi.com પર દર શુક્રવારે.

by AASHU PATEL



શ્રીમાન આશુતોષની દીવાલ પરથી સાભાર

Thursday, October 12, 2017

જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જોઈએ..

સુર બદલી ને બોલવા થી પણ

ઘણુ બધૂ તુટી જાય છે..
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને........

સાહેબ....

એ વ્યક્તિ કોઇ દિવસ
બીજા નું ખરાબ નહીં કરે...
*रिश्ते और रास्ते*
तब ख़त्म हो जाते हैँ
जब *पाँव* नहीं
*दिल* थक जाते है.

લેણ-દેણના સંબંધ

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે જોઈ
હસવાનું કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

*દિલની વાત કરું છું...*
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
*"તેરે બીના ભી ક્યાં જીના"*

સાહેબ મને કહો કે-
*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*
*આ યુવાન વર્ગ લાગણી ને સમજે છે શુ ?*

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

*કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.*

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
*"તેરે બીના ભી ક્યાં જીના".*

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) *આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.*

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.*

*પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે.*
અને
*એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય.*

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
👇
*"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.*
*તો જ જિંદગી આનંદથી જશે."*
🙏🙏
👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો.* 🙏🌹🌸🍀

B.K.Chudasama ની પોસ્ટ પરથી સાભાર

Sunday, October 8, 2017

આરોગ્ય

5 mint nikaalo aur padho

*1. सुबह उठ कर कैसा पानी पीना चाहिए*

उत्तर - हल्का गर्म

*2. पानी पीने का क्या तरीका होता है*

उत्तर - सिप सिप करके व नीचे बैठ कर

*3. खाना कितनी बार चबाना चाहिए*

उत्तर. - 32 बार

*4. पेट भर कर खाना कब खाना चाहिए*

उत्तर. - सुबह

*5. सुबह का नाश्ता कब तक खा लेना चाहिए*

उत्तर. - सूरज निकलने के ढाई घण्टे तक

*6. सुबह खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - जूस

*7. दोपहर को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - लस्सी / छाछ

*8. रात को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - दूध

*9. खट्टे फल किस समय नही खाने चाहिए*

उत्तर. - रात को

*10. आईसक्रीम कब खानी चाहिए*

उत्तर. - कभी नही

*11. फ्रिज़ से निकाली हुई चीज कितनी देर बाद*
*खानी चाहिए*

उत्तर. - 1 घण्टे बाद

*12. क्या कोल्ड ड्रिंक पीना चाहिए*

उत्तर. - नहीं

*13. बना हुआ खाना कितनी देर बाद तक खा*
*लेना चाहिए*

उत्तर. - 40 मिनट

*14. रात को कितना खाना खाना चाहिए*

उत्तर. - न के बराबर

*15. रात का खाना किस समय कर लेना चाहिए*

उत्तर. - सूरज छिपने से पहले

*16. पानी खाना खाने से कितने समय पहले*
*पी सकते हैं*

उत्तर. - 48 मिनट

*17. क्या रात को लस्सी पी सकते हैं*

उत्तर. - नही

*18. सुबह खाने के बाद क्या करना चाहिए*

उत्तर. - काम

*19. दोपहर को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - आराम

*20. रात को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - 500 कदम चलना चाहिए

*21. खाना खाने के बाद हमेशा क्या करना*
चाहिए

उत्तर. - वज्रासन

*22. खाना खाने के बाद वज्रासन कितनी देर*
*करना चाहिए.*

उत्तर. - 5 -10 मिनट

*23. सुबह उठ कर आखों मे क्या डालना चाहिए*

उत्तर. - मुंह की लार

*24. रात को किस समय तक सो जाना चाहिए*

उत्तर. - 9 - 10 बजे तक

*25. तीन जहर के नाम बताओ*

उत्तर.- चीनी , मैदा , सफेद नमक

*26. दोपहर को सब्जी मे क्या डाल कर खाना*
*चाहिए*

उत्तर. - अजवायन

*27. क्या रात को सलाद खानी चाहिए*

उत्तर. - नहीं

*28. खाना हमेशा कैसे खाना चाहिए*

उत्तर. - नीचे बैठकर व खूब चबाकर

*29. चाय कब पीनी चाहिए*

उत्तर. - कभी नहीं

*30. दूध मे क्या डाल कर पीना चाहिए*

उत्तर. - हल्दी

*31. दूध में हल्दी डालकर क्यों पीनी चाहिए*

उत्तर. - कैंसर ना हो इसलिए

*32. कौन सी चिकित्सा पद्धति ठीक है*

उत्तर. - आयुर्वेद

*33. सोने के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - अक्टूबर से मार्च (सर्दियों मे)

*34. ताम्बे के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - जून से सितम्बर(वर्षा ऋतु)

*35. मिट्टी के घड़े का पानी कब पीना चाहिए*

उत्तर. - मार्च से जून (गर्मियों में)

*36. सुबह का पानी कितना पीना चाहिए*

उत्तर. - कम से कम 2 - 3 गिलास

*37. सुबह कब उठना चाहिए*

उत्तर. - सूरज निकलने से डेढ़ घण्टा पहल

*38.इस मैसेज को कितने ग्रुप में भेजना चाहिए ।
उत्तर . सभी ग्रुप में,वह भी जरूर से जरूर।
👏👏👏👏👏👏

Saturday, October 7, 2017

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैस

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैसे ....
बादल टूटने पर पानी की फुहार आती है ......
मिट्टी टूटने पर खेत का रुप लेती है....
फल के टूटने पर बीज अंकुरित हो जाता है .....
और बीज टूटने पर एक नये पौधे की संरचना होती है ....
इसीलिये जब आप ख़ुद को टूटा हुआ महसूस करे तो समझ लिजिये ईश्वर आपका इस्तेमाल किसी बड़ी उपयोगिता के लिये करना चाहता है ।

Wednesday, October 4, 2017

તમારા અભિપ્રાય ની નોંધ ત્યારેજ લેવાશે
જ્યારે તમે તમારી પ્રતિષ્ઠા ઉભી કરી હશે!!!