Thursday, November 30, 2017

🍀🌺🌼🌸🍀🌺🌼🌸🍀🌺
*मधुर वाणी बोलना*
*एक मंहगा शौक है*

*जो हर किसी के बस की बात नहीं*
🌿
*अपने खराब मूड के समय*
*बुरे शब्द ना बोलें,*

*क्योंकि..*

*खराब मूड को*
*बदलने के बहुत मौके मिलेंगें*
*पर शब्दों को बदलने के मोके*
*नहीं...मिलेंगे*.!!!!
🌿
*माना दुनियाँ बुरी है*
*सब जगह धोखा है,*

*लेकिन हम तो अच्छे बने*
*हमें किसने रोका है..*
*🙏

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન. 👇
.
જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ, બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’. આમ ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ તેનાથી સુખ શાંતિ સ્થપાય….

1. ભોજન કરતાં પહેલાં:
– 5 અંગો (2 હાથ, 2 પગ, મોં)ને સારી રીતે ધોઇને જ ભોજન કરવું જોઇએ
– ભોજન પહેલાં અન્નદેવતા, અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેમનો આભાર માનીને તથા ‘તમામ ભૂખોનું ભોજન પ્રાપ્ત થાય’, ઇશ્વર પાસે આવી પ્રાર્થના કરીને ભોજન કરવું જોઇએ.
– ભોજન બનાવનાર સ્નાન કરીને શુદ્ધ મનથી, મંત્ર જાપ કરતાં સમયે જ રસોઇમાં ભોજન બનાવવું અને સૌથી પહેલાં રોટલી (ગાય, કૂતરા, અને કાગડા હેતુ) અલગ રાખીને પછી અગ્નિદેવને ભોગ ધરાવીને જ ઘરના સભ્યોને જમાડો.
.
2. ભોજન સમય:
– સવારે અને સાંજે જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયના બે કલાક બાદ અને સૂર્યોસ્તના 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહે છે.

3. ભોજનની દિશા:
– ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોં રાખીને કરવું જોઇએ. દક્ષિણ દિશાની તરફ કરવામાં આવતું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની તરફ ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે.

4. આ સમયે ના કરો ભોજન:
– બેડ પર, હાથમાં રાખીને, તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં
– મળ-મૂત્રના વેગ થવા પર, કંકાશની સ્થિતિમાં, વધુ અવાજમાં, પીપળા, વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઇએ નહીં
– પીરસવામાં આવેલા ભોજનની કયારેય નિંદા ના કરવી જોઇએ
– ઇર્ષા, ભય, ક્રોઝ, લોભ, રોગ, દીનભાવ, દ્વેષભાવની સાથે કરાયેલ ભોજન કયારેય પચતું નથી
– ઉભા-ઉભા, જૂતા પહેરીને, માથું ઢાંકીને ભોજન કયારેય કરવું જોઇએ નહીં

5.- આ ભોજન ના કરો:
– વધુ ભોજન કયારેય ના કરો
– બહું તીખું કે મીઠું ભોજન ના કરો
– કોઇનું એઠું ભોજન ના કરો
– અડધા ખાધેલા ફળ, મીઠાઇઓ વગેરે ફરીથી ખાવા જોઇએ નહીં
– જમવાનું છોડીને ઉઠી જવા પર ફરીથી ભોજન કરવું જોઇએ નહીં
– જે ઢંઢોરે પીટીને જમાડી રહ્યા છે ત્યાં કયારેય ના જમો
– પશુ કે કૂતરાનું એંઠુ, રજસ્વલા સ્ત્રી દ્વારા પીરસેલ, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોંથી ફૂંક મારીને ઠંડું કરેલું, વાળ પડી ગયો હોય તેવું ભોજન ના કરો
– કંજૂસનું, રાજાનું, વેશ્યાના હાથનું, દારૂ વેચનારે આપેલ ભોજન અને વ્યાજનો ધંધો કરનારનું ભોજન કયારેય ના કરવું જોઇએ

6. ભોજન કરતાં સમયે શું કરવું જોઇએ
– ભોજનના સમયે મૌન રહો
– રાત્રે ભરપેટ ના જમો
– બોલવું જરૂરી જ હોય તો માત્ર સકારાત્મક વાતો જ કરો
– ભોજન કરતાં સમયે કોઇપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ના કરો
– ભોજનને ખૂબ જ ચાવીને ખાઓ
– ગૃહસ્થે ભૂખ કરતાં વધુ ના જમવું જોઇએ
– સૌથી પહેલાં મીઠા, પછી નમકીન, અંતમાં કડવું ખાવું જોઇએ
– સૌથી પહેલાં રસદાર, વચ્ચે કઠોર, અંતમાં દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરો
– થોડું ખાનારાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે

7. ભોજન પછી શું ના કરવું જોઇએ
– ભોજન કર્યા બાદ તરત જ પાણી કે ચા પીવી જોઇએ નહીં. ભોજન કર્યા બાદ ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ વગેરે કરવું જોઇએ નહીં.

– ભોજન બાદ શું કરવું:
ભોજન કર્યા બાદ દિવસમાં ફરવા જવું અને રાત્રે સો ડગલાં ચાલીને ડાબા પડખે સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન વ્યવસ્થિત થાય છે. ભોજનના એક કલાક બાદ ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

શું-શું ના ખાવું જોઇએ:
– રાત્રે દહીં, સત્તુ, તલ અને ભારે ભોજન કરવું જોઇએ નહીં
– દૂધની સાથે મીઠું, દહીં, ખાટા પદાર્થ, માછલી, જેકફ્રૂટનું સેવન કરવું જોઇએ નહીં
– મધ અને ઘીની વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં
– દૂધ-ખીરની સાથે ખીચડી ખાવી જોઇએ નહીં

Sunday, November 26, 2017

ઘર ઘર ની કહાણી. ..

‘બે જણને જોઈએ કેટલું?’

એક છાપું, એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી, બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય તોય ભયોભયો!
ખીચડી એટલે બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,
ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી,
આમ આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘાસાય.
વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં
તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાયાં.
પણ
પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય.
તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછી ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
👌👌👌
આજનુ સનાતન સત્ય. ...
ઘર ઘર ની કહાણી. ..

Saturday, November 25, 2017

ગુણ મહત્વનાં છે, રૂપરંગ નહીં

☕☕

આજ સવાર ના રોજ,
*કપે રકાબીને ચીઢવતા*
*કહ્યું: "જો તુ કેવી નીચી છે,*
*અને હું ઉંચો રુઆબદાર છું."*
*રકાબીએ હસતાં કહ્યુઃ રહેવા*
*દે, તુ બધાને ગરમ રાખે છે*
*અને હું બધાને ઠંડા પાડુ છુ.*
*તને કાન પકડી ઉંચો કરે છે*
*અનેે મને પાંચે આંગળીએ*
*થી સાચવીને ઉંચકે છે."*

ગુણ મહત્વનાં છે,
*રૂપરંગ નહીં..*

Wednesday, November 8, 2017

ભૂંસવાની કળા

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું - 

 2/3yx + 3x (66y + 12x).b = 0

પછી,
વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું - 

"આ સમીકરણનું સોલ્યુશન નથી...
પણ,
આ સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ૩ (ત્રણ) માર્કસ મળશે !" 

તેઓ એક નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં...
અને કહ્યું - 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ -
એક પળનો પણ વિલંબ કર્યા વગર...
ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ 'ભૂંસી' નાંખ્યું !


અને કહ્યું - 

"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર !  "

જેનો કોઈ 'તાળો' જ નથી મળવાનો...
તેની પાછળ સમય કેમ 'બરબાદ' કરવો ?


૩ માર્કસની પાછળ...
97 માર્કસ કેમ ગુમાવવા ??



મોરલ ઓફ મેસેજ :-

જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે...

જેનો કોઈ સાચો 'ઉત્તર' નથી હોતો... 
તેનો ઉકેલ (સોલ્યુશન) પણ આ રીતે જ હોઈ શકે છે !

'દુર્લભ'  અને 'અપ્રાપ્ય'  ત્રણ માર્કસ રૂપી ઘણી બાબતોની પાછળ...

આપણે આપણી 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે !

એ નજીવી (૩%) બાબતોની લ્હાયમાં - 

બાકીની  97% ખૂબસૂરત પળો,
જે આપણાં જ આધિપત્યમાં હોય છે...
તેને માણવાનું ભૂલી જઈએ છીએ !!

માટે -

મિત્રો,

જિંદગીની દરેક પળ માણવા માટે -

ક્યારેક 'ભૂંસવા'ની કળા...
આપણે સૌએ આત્મસાત કરવી જરૂરી છે...

|| અથ: શુભમસ્તુ  ||

Tuesday, November 7, 2017

જીવન છે સુખ દુઃખની મેચ,
કોઈનો ફટકો તો કોઈનો કેચ.

રમનારા બે હોય છે ને
પાડી દેનારા અગિયાર હોય છે.
તેમાંય સૌથી નજીક ગણાતો
વિકેટ કીપર તો મોકાની રાહ
જોઈને જ ઉભો હોય છે...

Saturday, November 4, 2017

☝वो न कागज रखता है
न किताब रखता है
फिर भी वह सारी दुनिया का हिसाब रखता है..
हमारे घर के हाॅल में दो पंखे लगे हैं , जिनमें एक ही अक्सर चलता है और वही धूल लगकर गंदा हो जाता है।
जबकि जो नही चलता वह साफ रहता है |

बाहर से आने वाले उसी साफ दिखने वाले पंखे की तारीफ करते हैं जो नही चलता और कहते हैं कि उसी की तरह इस पंखे को साफ रखा करो !

क्या जवाब दूं ? उन्हें कैसे समझाऊं कि जो *जिम्मेदारी* लेता है वही गंदा होता हैं |

मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे और तो और....
कमबख़्त मंजिल भी उन्हें मिली जो दौड़ में कभी शामिल ना थे।

Friday, November 3, 2017

**જીંદગી પણ આવી જ છે**

એક ને ખુશ રાખવા જતાં બીજા નિરાશ
થઈ જાય છે.
અને બધાનું ધ્યાન રાખવા જતાં ખુદનુ
મન હતાશ થઈ જાય છે.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો??....
પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું
કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો કોઇક ને જવાબદારીઓથી...

*જય શ્રી કૃષ્ણ* 😊🙏
🌺🌺 good morning🌺🌺