Monday, December 30, 2019

ક્ષણિક આનંદ માટે લક્ષ્યથી વિચલીત

એક રાજ્યમાં રાજાનું મૃત્યું થયુ કોઇ વારસદાર ન હોવાથી નગરજનોમાંથી જે રાજ્યનું સંચાલન કરવા માંગતા હોય એવા તમામ યુવાન ભાઇ-બહેનોને આમંત્રણ આપવામાં આવ્યુ. લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓ રાજ્યનું શાશન કરવાની અપેક્ષા સાથે એકઠા થયા.

આ તમામ 100 વ્યક્તિઓને નગરના દરવાજાની બહાર બેસાડીને કહેવામાં આવ્યુ કે રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને 2 કીલોમીટર દુર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલા બહાર આવી શકે અને આ 2 કીલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે.

સુચના મળતા જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડુ આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલુ હતું , " જરા બાજુંમાં તો જુવો ...." બાજુમાં ડાન્સ ચાલુ હતો એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ નાચતા હતા અને એની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છુટ હતી. મોટા ભાગના યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયા...બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઇ જગ્યાએ આઇસ્ક્રિમ , કોઇ જગ્યાએ ડ્રાય ફ્રુટસ , કોઇ જગ્યા એ જ્યુસ અને કોઇ જગ્યાએ ચોકલેટસ અનેક પ્રકારના ખાવા પીવાના આકર્ષણ હતા. જેને જે ફાવ્યુ તે ત્યાં રોકાઇ ગયા.

એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલા નીકળ્યો એના ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે તમે આ રાજ્યના સંચાલક. તમને ત્રણ પ્રશ્ન પુછવા છે પેલા એ કહ્યુ કે પુછો...પુછો શું પુછવું છે તમારે ?

1. તમારી સાથે બીજા 99 વ્યક્તિ દોડતી હતી એમણે રસ્તામાં ઘણું જોયુ તમે કંઇ જોયુ ?
પેલા એ જવાબ આપ્યો હા મે પણ બધું જ જોયુ.

2. તમને કોઇ ઇચ્છા ના થઇ ? પેલાએ કહ્યુ કે ઇચ્છા તો મને પણ થઇ નાચવાની , ખાવાની , પીવાની કારણ કે હું પણ માણસ જ છુ.

3. તમે બધુ જોયુ ....તમને ઇચ્છા પણ થઇ તો તમે એમ કર્યુ કેમ નહી ?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો ....," મને જ્યારે નાચવાની , ખાવાની કે પીવાની ઇચ્છા થઇ ત્યારે મારી જાતને થોડી સેકન્ડ રોકીને વિચાર્યુ કે આ બધુ તો આજનો દિવસ જ છે કાલનું શું ? પણ જો આજે આ બધું જતું કરીને એક વાર આ રાજ્યનો સંચાલક બની જાવ તો આ મજા તો જીંદગી ભર કરી શકું. બસ મે જીંદગી ભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો"

આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું જ થતું હોય છે ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલીત થઇ જઇએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલીત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દુર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કઇ તાકાત રોકી શકે નથી.

Saturday, December 28, 2019

જિંદગીના જુદા જુદા રંગ

ફેસબુક ની નિંદા ખુબ થતી જોઈ છે જે સાવ અકારણ પણ નથી જ પણ હળાહળ કાલકૂટ ને કારણે સમુદ્ર મંથનને દોષ દઈશું તો અમૃતની પ્રાપ્તિ પણ એ સમુદ્ર મંથન થકી જ તો થઇ હતી.
પ્રસ્તાવના પુરી હવે સીધો જ મુખ્ય મુદ્દા પર આવી જાઉં .

અમે ફેસબુક મિત્ર બન્યાં ત્યારે એમનું નામ હતું નાથી મોઢવાડીયા.
ઇઝરાયલ રહેતી પણ રગરગ થી ટિપિકલ મેરાણી .
મે એક વાર ગગી કહ્યું તો કયે
અરે આ નામે તો મને કરસન બાપા બોલાવતા .
એ કોણ ?
મારા મોટા બાપા .
જયારે કરસન બાપા જામનગર ખીજડા મંદિરમા દરવાણી તરીકે સેવા આપતા ત્યારે હુ ત્યાં વિદ્યાર્થી હતો એ ઓળખાણ નીકળી.
પછી તો માત્ર સંબોધનો માં જ નહીં હૃદય થી બહેન ભાઈ જેવો ભાવ થયો.
એમનું મૂળ ગામ કોટડા .
મોટી મારડ ગામની માટીમાં બાળપણ વીત્યું ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું.

સ્વ જ્ઞાતિમાં થયેલ લગ્ન કમનસીબે નિષ્ફ્ળ ગયું પણ એ દુઃખી જીવનના રૂઝાયેલ ભીંગળા નથી ઉખેળવાં .
નાથીને બે દીકરીઓ ય ખરી એમને માવતર પાસે મુકીને પ્રણામી ધર્મ ના સંસ્કાર લઇને આઈ લીર બાઈના કુળમાં જન્મેલ નાથી ૨૦૦૭ માં ઇઝરાયેલ ગઈ
ત્યાં એક મૂળ ભારતીય એવા આયુર્વેદીક ડો. સ્વરૂપ વર્માને ત્યાં અભ્યાસમાં જોડાઇ જેમણે એમને બહેન માની ત્યાં એક ઇઝરાયેલી મહિલા તગીત નિયમીત આવતાં એ નાથી થી અતિ પ્રભાવિત થયાં એમનો વાત્સલ્ય ભાવ એવું ઝંખતો કે
કાશ તું મારી દીકરી હોત તો ?
એમની વ્યથા હતી કે એકનો એક દિકરો ઇદો સંગીત અને વૈરાગ્યના રંગમાં રંગાયો એટલે સંસાર માંડવા તૈયાર નહોતો થતો.
નાથીને માતા તગીતની વ્યથા હૈયા સોંસરવી ઉતરી ગઇ.
માતા માતા જ હોય છે પછી એ ઇઝરાયેલની હોય કે ભારતની .
ભારતીય નારીની નિષ્ઠા તો કચ્છજી ધરતીના કાળા નાગ સમાન જેસલને ય સીધી લાઇન પર લ્યાવી દે જયારે ઇદો તો સંગીતના સુર અને વૈરાગ્યની વાટનો સાત્વિક પ્રવાસી હતો પણ માતા તગીત ની ભાવનાઓ અને વાત્સલ્ય ભર્યા સ્વપનોનુ શુ ?

કુદરત કમાલ કરવા ધારે ત્યારે અવનવાં પરીણામો મળે.
સ્વપન કથા જેવો એક સુંદર સંયોગ રચાયો.
માતા તગીતની ઝંખના મુજબ એમની કુખે નાથી દિકરી રૂપે અવતરી હોત તો એક દિવસ સાસરે વળાવવી પડેત પણ માતા તગીત ને નાથી પુત્રવધુ સ્વરૂપે પરમેન્ટ મળી.
માતા તગીત ના આશીર્વાદ લઇને ૨૦૧૦માં નાથી અને ઇદો ભારત આવે છે
૨૦૧૧ મા બે ય દિકરીઓને ઇઝરાયલ સાથે લઇ જાય છે.
માતા તગીત ને પુત્ર વધુના રૂપમાં નાથી મળે છે (જેનુ નામ હવે શાંતિ છે) અને બે પૌત્રીઓ પણ.
એક સમયે દેશ માં દુઃખના દહાડા દાંતે વછોડતી મારી વહાલસોયી બેન અત્યારે ઇઝરાયલમાં એ....ય ને સુખ ના સાગરમાં હેલ્લારા લ્યે છે.

ઇઝરાયલ માં સાસરીયા માં ભારતીય સંસ્ક્રુતિની સુવાસ પ્રસરાવનાર નાથીના નારાયણીપણાને લાખ લાખ વંદન અને નાથીના પુર્વ સંસારની બે બે દિકરીઓને અંતઃકરણ પુર્વક આંખ્યુના રતનની જેમ રાખનાર માતા તગીત અને ભગત ઇદો દ્રોરીના હ્રદયની વિશાળતાને વંદન વારંવાર
(અહિ જે લખેલ છે એની ઝલક માટે સામેલ ફોટાઓ જુઓ)

Monday, December 9, 2019

સમાજનો પેચીંદો પ્રશ્ન :- સેક્સ, વાસના અને આદર

(લેખ જૂનો છે. એના કેન્દ્રમાં બળાત્કારના પાવર પોલિટિક્સનો મુદ્દો છે. હૈદરાબાદ કે ઉન્નાવના સ્તરની અતિ ક્રૂર હિંસાની ચર્ચા આમાં નથી કરાઈ)

સેક્સ પવિત્ર ચીજ છે. એના બે પાયા છે : વાસના અને આદર. વાસના બૂરી નથી. જેમ દરિયાના પાણી પર તરંગો જન્મે એમ માણસના મનમાં વાસનાઓ (ઇચ્છાઓ) પ્રગટે જ. કુદરતી ગોઠવણ એવી છે કે યુવાન નર ગમે ત્યારે બીજારોપણ માટે તૈયાર થઈ શકે. બીજી તરફ, કુદરતની એવી પણ ગોઠવણ છે કે નારી પોતાની સ્ફૂરણા અને સમજને આધારે અમુક જ નરને નિકટ આવવા દે છે. પાત્રપસંદગી એ સ્ત્રીમાત્રનો માદાસહજ મૂળભૂત અધિકાર છે.

કુદરતની રચના તો એવી જ છે કે પુરુષ ગમે તેટલો કદાવર હોય તોપણ સ્ત્રીની અનુમતિ વિના એ સમાગમ કરી શકતો નથી. પણ કુદરતને આપણે ઘોળીને પી ગયા છીએ. શસ્ત્ર કે સામાજિક દરજ્જા જેવી કૃત્રિમ સત્તાના જોરે પુરુષો દુષ્કર્મ ગુજારી શકે છે. આવું ફક્ત પછાત માનવજાતિમાં જ શક્ય છે, સુધરેલા પ્રાણીઓમાં નહીં.

મૂળ સમસ્યા છે પાવર પોલિટિક્સની.

સેક્સ જેવી સુંદર ચીજમાં પુરુષની કૃત્રિમ સત્તાનું, ખાસ તો સંપત્તિનું રાજકારણ ઘૂસી ગયું છે. સ્ત્રીને પુરુષ પોતાની સંપત્તિ ગણતો આવ્યો છે. સ્ત્રીના મગજમાં એવું ઘુસાડવામાં આવ્યું છે કે તારું કૌમાર્ય, તારું ચારિત્ર્ય એ જ તારી 'અંતિમ મૂડી’ છે, દુષ્કર્મથી તું 'સર્વસ્વ’ ગુમાવે છે, આબરૂ ગુમાવે છે...

બકવાસ, નિર્ભેળ બકવાસ. પીડિતા આબરૂ નથી ગુમાવતી. આબરૂ તો દુષ્કર્મીએ જ ગુમાવી ગણાય. પીડિતા જે ગુમાવે છે એ છે પાત્રપસંદગીનો પોતાનો મૂળભૂત અધિકાર. આ અધિકાર પરની તરાપનું બીજું નામ છે દુષ્કર્મ.

અહીં આવે છે સેક્સના પાયામાં રહેલું બીજું તત્ત્વ. એ છે આદર. જંગલના સિંહે ગમે તેટલી વાસના છતાં સિંહણની અનિચ્છાને આદર આપવો જ પડે છે. પણ આપણામાં ઊંધું છે. આપણામાં 'સ્ત્રી તો ના પાડયા કરે’ એવી વૃત્તિને જાણીબૂઝીને વકરાવવામાં આવે છે.

'શોલે’માં પેલો વીરુ 'કોઈ હસીના જબ રુઠ જાતી હૈ તો ઔર ભી હસીન હો જાતી હૈ’ એવું ગાતાં ગાતાં બસંતીના વિરોધ છતાં નફ્ફટ થઈને બસંતીના માથે પડે છે, એને જકડે છે, એને ચૂમે છે. પછી શું થાય છે? બસંતી પોલીસ ફરિયાદ કરે છે? ના, બસંતી માની જાય છે. એ જોઈને આપણે રાજી થઈએ છીએ.

મીઠાં રિસામણાં-મનામણાંની પ્રણયલીલા જેટલી સુંદર ચીજ છે એટલી જ ગંદી ચીજ છે સ્ત્રીના ગંભીર ઇન્કારને અવગણવાની વૃત્તિ. પુરુષોની આ વૃત્તિ માત્ર કાયદા-કાનૂનથી કે નૈતિકતાના ઉપદેશથી દૂર નથી થવાની. એ માટે નર-માદાએ મળીને બચ્ચાને નાનપણથી કેળવવું પડે.

દીકરો ભવિષ્યમાં બળાત્કારી ન બને એ માટે પપ્પાઓએ સમજવું રહ્યું કે પત્નીઓ એ કંઈ કાર કે મકાન જેવી પ્રોપર્ટી નથી. પત્નીને વાતે વાતે હૈડ હૈડ કરનારા અને એના વિરોધનો વીટો-પાવર દ્વારા વીંટો વાળનારા પપ્પાઓ એમના દીકરાને અજાણતાં એવું શીખવે છે કે નારી તો ના પાડે, પણ પછી એ ઝૂકે જ.

બીજી તરફ, ખુદ પોતે જે નારી છે એવી મમ્મીઓ પણ બહેન પર દાદાગીરી કરનાર ભાઈને (વહાલા પુત્રરત્નને) સીધો કરવામાં ચૂકી જાય છે. બાળક બાળક છે. ટિપિકલ ભાષામાં કહીએ તો, કૂમળો છોડ. એ સીધો ઊગે એ જોવાની ઠીક ઠીક જવાબદારી માળીની (મા-બાપ)ની છે.

આ ઉપરાંત સમગ્ર સમાજની પણ ઘણી જવાબદારી છે. માધ્યમોમાં ચારે તરફ સ્ત્રી-દેહની ઉત્તેજક નુમાઈશ જોઈને પુરુષો વકરી રહ્યા છે અને સ્ત્રીઓ વધુ બોલ્ડ થઈ રહી છે. સ્ત્રીના અધખુલ્લા શરીરથી, રમતિયાળ દિલ્લગીથી કે ઢીલા ઇન્કારથી પુરુષો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આ બધી બાબતોને એ 'ગળાના સમ’ જેવું આમંત્રણ સમજી બેસે છે. આવામાં અબળા નારીએ પણ પુરુષની લાચારી (વાતે વાતે પાણી-પાણી થઈ જવાની ર્હોમોનલ પ્રકૃતિ) સમજવી રહી.

સ્ત્રી અને સેક્સના મામલે સૌથી સફળ પુરુષો સૌથી વધુ કન્ફ્યુઝ થતા હોય છે. એમની ગાડી બહુ જોરમાં દોડતી હોય છે. સાઇકલમાં સાદી બ્રેક ચાલે, પણ વિમાનમાં હાઇડ્રોલિક-ન્યુમેટિક બ્રેક જોઈએ. થાય છે ઊંધું. સફળતાના માર્ગે પુરુષ જેમ જેમ ઝડપ પકડે છે એમ એમ એની બ્રેક નબળી પડતી જાય છે.

એમાં વળી કેટલીક સ્ત્રીઓ પુરુષની કામુકતાનો લાભ લઈને આગળ વધવા તત્પર હોય છે એ જોઈને પુરુષો વધુ ભુરાંટા થાય છે. એક સ્ત્રી જ્યારે સત્તાધારી પુરુષની વાસનાનો લાભ લે છે ત્યારે બીજી ભળતી જ નિર્દોષ સ્ત્રી પર ખતરો વધે છે. પેલો પુરુષ એવું માનવા લાગે છે કે અગાઉની સ્ત્રીની જેમ પછીની સ્ત્રી પણ લાભ ખાટવા તત્પર હશે. પછી લોચા પડે છે. ટૂંકમાં, સેક્સના રાજકારણમાં સ્ત્રી પણ કુશળ ખેલાડી હોઈ શકે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

એટલું વળી સારું છે કે જઘન્ય દુષ્કર્મ નિયમ નથી, અપવાદ છે. મોટા ભાગના પુરુષો પિતા-પુત્ર-ભાઈ-પતિ-મિત્ર-પ્રેમી તરીકે ઠીક ઠીક ભરોસાપાત્ર હોય છે. પણ સ્થિતિ સુધારાને બદલે બગાડા તરફ આગળ વધી રહી છે.

એશ-ટેસ-સફળતા-ઐયાશી તેજીમાં છે. નૈતિકતા, ચારિત્ર્ય, સંયમ, વિવેકના લેવાલ ઘટી રહ્યા છે. જાતીયતાને 'અલ્ટિમેટ જલસાની ચીજ’ તરીકે બહુ વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. કામના સ્થળે સહમતી-બળજબરી-લાચારીથી બંધાતા કામ-સંબંધો વધી રહ્યા છે.

સ્ત્રીની બોલ્ડનેસ જેટલી વધી છે એટલી એને પચાવવાની પુરુષોની પાચનશક્તિ વધી નથી.

'સુધરેલા સમાજ’માં પુરુષોની સરખામણીમાં સ્ત્રીની વસતિ જોખમી હદે ઘટી છે.

શ્રમનું પ્રમાણ ઘટવાથી અને સુખ-સગવડ વધવાથી પુરુષોની વાસનામાં અકુદરતી વધારો થઈ રહ્યો છે.

આવી અનેક વધઘટોના સરવાળે સેક્સ-ક્રાઈમ્સ વધી રહ્યા છે. આ સ્થિતિનો મુકાબલો એકલો પુરુષ કે એકલી સ્ત્રી કરી શકે તેમ નથી. સેક્સની પવિત્રતા જાળવી રાખવા માટે નર-નારીએ આમને-સામને નહીં, અડખે-પડખે ઊભાં રહેવું પડશે. સંસારના બે મૂળભૂત પક્ષ નર અને નારી સામસામે આવી જાય એ સ્થિતિ કોઈ રીતે ઇચ્છનીય નથી.

આમ પણ જગતમાં અમીર-ગરીબ, દલિત-સવર્ણ, હિ‌ન્દુ-મુસ્લિમ, પૂરબ-પ‌શ્ચિ‌મ... આવાં અનેક સંઘર્ષોથી આપણે હાંફી જ રહ્યા છીએ. આ બધી બબાલો ઓછી છે કે એમાં સ્ત્રી-પુરુષ સંઘર્ષ ઉમેરીએ? ના, આ ભૂલ કરવા જેવી નથી.

સાભાર :-
આ લેખ fb મિત્ર દીપકભાઈ સોલિયા દ્વારા આપવામાં આવેલ છે.

Saturday, December 7, 2019

જિંદગીના અનેક રંગો :- લક્ષ્મીના પગલાં

નાનકડી એવી વાર્તા છે. સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ.
૨૨-૨૩ વર્ષ નો હશે.
દુકાણદારનું પેહલા તો ધ્યાન પગ આગળજ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા...

દુકાનદાર - શુ મદદ કરું આપણી...?

છોકરો - મારી માં માટે ચપ્પલ જોઈએ છે સારી અને ટકાઉ આપજો..

દુકાનદાર - એ આવ્યા છે ? એમના પગનું માપ..?

છોકરાએ વોલેટ બહેર કાઢી એમાં થી ચાર ઘડી કરેલ એક કાગળ્યો કાઢ્યો. એ કાગળ્યાપર પેન થી બે પગલાં દોરયા હતા.

દુકાનદાર- અરે મને પગનો માપ નો નંબર આપત તોય ચાલત...!

એમજ એ છોકરો એકદમ બાંધ ફૂટે એમ બોલવા લાગ્યો

'શેનું માપ આપું સાહેબ ..?
મારી માં એ આખી જિંદગી મા ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી.
કાંટા મા ક્યાયપણ જાતી. વગર ચપ્પલની ઢોર હમાલી અને મહેનત કરી અમને શિખાવ્યું. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો. આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામળે જાઉં છું. મા માટે શુ લઈ જાઉં..? આ પ્રશ્નજ નથી આવતો.મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.

દુકાનદારે સારી અને ટકવાવાળી ચપ્પલ દેખાડી અને કીધું આઠશો રૂ ની છે. છોકરાએ કીધું ચાલશે. એવી તૈયારી એ કારીનેજ આવ્યો હતો.

દુકાનદાર - એમજ પૂછું છું કેટલો પગાર છે તને.

છોકરો - હમણાં તો બાર હજાર છે રહેવાનું, ખાવાનું પકડીને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ

દુકાનદાર - અરે તો આ આઠશો રૂ થોડાક વધારે થાશે

છોકરાએ દુકાનદારને અધવચ્ચેજ રોકયું અને બોલ્યો રહેવા દ્યો ચાલશે. દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બાર નીકળ્યો.
મોંઘું શુ એ ચપ્પલ ની કોઈ કિંમત થાય એમજ નોહતી...

પણ દુકાનદારના મનમાં શુ આવ્યું કોને ખબર. છોકરાને અવાજ આપ્યો અને થંબવાનું કીધું. દુકાનદારે અજી એક બોક્સ છોકરાના હાથમાં આપ્યો.

અને દુકાનદાર બોલ્યો 'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પેહલી ચપ્પલ ખરાબ થઈ જાય તો બીજી વાપરવાની. તારી મા ને કહેજે કે હવે વગર ચપ્પલનું નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાનું.

દુકાનદાર અને એ છોકરાના એમ બેવની આંખોમાં પાણી ભરાય ગયા. શુ નામ છે તારા માં નું.? દુકાનદારે પૂછ્યું. લક્ષ્મી એટલુંજ બોલ્યો.

દુકાનદાર તરતજ બોલ્યો મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને અને એક વસ્તુ આપીશ મને..? પગલાં દોરેલો પહેલો કાગળ જોહીયે છે મને...!

એ છોકરો પહેલો કાગળ દુકાનદાર ના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. પહેલો ઘડીદાર કાગળ દુકાનદારે દુકાનના મંદિરમાં રાખી દીધો. દુકાનના મંદિરમાં રાખેલ એ કાગળ દુકાણદારના દીકરીએ જોયો અને પૂછ્યું, બાપુજી આ શું છે...?

દુકાનદારે એક લાંબો સ્વાસ લિધો અને દીકરી ને બોલ્યો લક્ષ્મી ના પગલાં છે બેટા. એક સચ્ચા ભક્તે દોરેલા છે. આનાથી બરકત મળે ધંધામાં.

દીકરીએ દુકાનદારે અને બધાયેજ એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

સાભાર :: વિપુલભાઈ તરફથી મળેલ વાર્તા

ટપાલ પેટી

આ ટપાલ પેટી સાથે અજબ પ્રેમ હતો,વર્ષો સુધી કોઈ એવું હતું નહીં જેને પત્ર લખી શકાય,સીએજી સ્કૂલ જતાં અમે રસ્તામાં ટપાલ પેટી જોતાં તો પત્ર લખી પોસ્ટ કરવાનું મન થઇ જતું,પણ દ્વિધા એ હતી કે પત્ર લખવો કોને ?
પહેલી વાર પત્ર એક મિત્ર માટે લખ્યો,વજુભાઈ સાહેબને લખ્યું કે, "આજે ચી.ગીરીશની તબિયત સારી નથી,પેટ દુઃખે છે તો રિસેસમાં રજા આપશો" રજા મળી ગઈ,અમે રીસેસ પછી બપોરના શોમાં નાઝમાં દારસિંગ,મુમતાઝ,રંધવાની મારધાડવાળી સ્ટંટ ફિલ્મ ઉસ્તાદ જોવા ગયા,મજા પડી ગઈ,બીજે દિવસે ક્લાસમાં બધાંને અડધી-પડધી સ્ટોરી સંભળાવી,જોકે તેમાં દારસિંગના પંજાબી ઢબે બોલાયેલાં ડાયલોગ સમજાયા જ નહીં,ખાલી ફાઈટ જોઈ હતી.
પત્ર લખવા માટે કોઈ જોઈએ એ જરૂરી નથી તે પહેલીવાર સમજાયું પછી છાપ પડી ગઈ,એટલાં પ્રેમપત્રો લખ્યાં કે ગણતરીમાં નથી,દોસ્તો ખુશ થઈ જતાં,કોને આપતાં તે પણ ખબર પડતી નહીં,પ્રેમ બધાં કરી શકે પણ કેટલાં નિભાવી જાણે તે જવાબ આજ સુધી મળ્યો નથી!
કેટલાંક મિત્રો ખાસ યુક્તિથી પત્ર વ્યવહાર કરતાં,જેમાં ટપાલ પેટીની જરૂર પડતી નહીં,કદાચ કુરિયર સર્વિસનો આઈડિયા ત્યાંથી મળ્યો હશે!
જ્યાં ટપાલ પેટી દેખાતી અચૂક બાજુવાળાને પૂછતાં ટપાલી કોઈવાર પેટીમાંથી ટપાલ લેવાં આવે છે ? ત્યારે ટપાલ મોડી મળતી એવી ફરિયાદ સાંભળી હતી.મોટાં મકાનોના ગ્રાઉન્ડ ફ્લોરમાં ટપાલી ટપાલોનાં થોકડા ફેંકીને રવાના થઈ જતાં!
રાજેશ ખન્નાનો યુગ આવ્યો ત્યારે ફિલ્મી દુનિયા નામના સામયિકમાં તેનાં આશીર્વાદ બંગલાનું સરનામું છપાયું,પછી તેને પત્ર લખ્યો,ત્યારે ફિલ્મ તારકો પોતાનાં પિક્ચર-કાર્ડ સાથે એક જેવો બધાંને જવાબ લખતાં!
ખરેખર પત્ર લખતાં આવડ્યું તો એવાં પત્રો લખ્યાં જેનાં કોઈ દિવસ જવાબ જ ન મળ્યાં!
મિત્રો બહુ ઉસ્તાદ નીકળ્યાં અમારૂ હૃદય ફંફોળી લીધું,પોતાનું દિલ પેક કવરની જેમ સાંચવી રાખ્યું!
હજી પોલોક સ્ટ્રીટમાંથી પસાર થતા તે પત્રો યાદ આવે,કેટલાંક તો ટપાલ પેટીમાં મૂક્યા જ નહીં,જવાબ નહીં મળે તે કાલ્પનિક ભયને કારણે શબ્દો સાંચવી જ રાખ્યાં...
આ ટપાલ પેટી જેવું જ જીવન વિત્યું,લોકો આવે લાગણી દર્શાવે અને પત્ર પધરાવી પોતાનાં રસ્તે આગળ વધી જાય!

Sunday, December 1, 2019

#દુષ્કર્મ

મિત્ર જે.કે.સાંઈ દ્વારા સમાજને સમજણ પૂરો પાડતો લેખ

ભર્તુહરીએ કહ્યું છે કે,"કૂતરો ત્રણ દિવસથી ભૂખ્યો હોય, શરીરમાં ઘા વાગવાથી તેમાં કીડા પડ્યા હોય, દેહમાં દુર્બળતા આવી ગઈ હોય, ગળામાં કો'કે કાંઠલો ભરાવી દીધો હોય, સર્વત્ર હડેહડે થતો હોય તોય વાસનાથી દોરવાઈને કૂતરીની પાછળ પાછળ ફરે છે.વાસના એટલી પ્રબળ છે."

વરુ એક જંગલી પ્રાણી છે. તે આજીવન એક માદા સાથે સંબંધ રાખે છે. તે પોતાનાં સાવકોને સારી રીતે ઉછેરે છે. ક્યારેક તો તે અન્ય વરૂના અનાથ બચ્ચાઓને ઉછેરે છે. બળાત્કારી પુરૂષોને "ભેડીયા" કહી આ જંગલી પણ સામાજિક પ્રાણીનું અપમાન ન કરશો. કેટલાક નફ્ફટ નરાધામો સ્ત્રીને બે સ્તન અને એક યોનિનું "એન્ટરટેઈંમેન્ટ પેકેજ" સમજે છે. એ પિશાચોને આંખમાં કીકી નથી, એ કીકી રૂપે વાસનાનો કીડો છે. જે સતત સળવળતો રહે છે.

જે સ્ત્રીઓ પર દુષ્કર્મ થયાં છે તેમના રૂંવાડા ખડા કરી દે એવા વર્ણનો સાંભળ્યા છે કે વાંચ્યા છે ? થોડાક સમય પહેલાં બે કિસ્સા એવા આવ્યાં હતા કે, છ-સાત વર્ષની એક છોકરી પર દુષ્કર્મ થયું. તેને ત્યારબાદ મારી નાંખવામાં આવી. જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી મીણબત્તી નીકળી, એક બાળાના એ ભાગમાંથી મિનરલ વોટરની નાની બોટલ નીકળી હતી. વાસનાભૂખ્યા પુરૂષોની માફ ન કરી શકાય એવી કરતૂતો જોઈને ક્યારેક તો "દુર્યોધન" માયાળું લાગે છે. જે સ્ત્રી પર બળાત્કાર થયો હોય છે તે સ્ત્રી આજીવન તે જગ્યાની ગંધ, તે જગ્યાની ચીજ-વસ્તુઓ, તે ઓરડાની દિવાલોનો રંગ, તે દિવસે ખાધેલી વસ્તુઓનો સ્વાદ ક્યારેય ભૂલી શકતી નથી. આજીવન તે બાબતો તેને પીડા આપતી રહે છે.

વાસના એક આગ છે ને મોબાઈલ તેનું ફ્યૂલ છે. આગના સાધનો વધતાં અને વિકસતા જાય છે જ્યારે ઓલવવાના અને મંદ કરવાના સાધનો ઘટતાં જાય છે. હવે તો એમ થાય છે કે, વૈજ્ઞાનિકોને કહી કે, તેઓ વિયાગ્રાની જેમ એન્ટી-વિયાગ્રા શોધે કે જે લેવાથી પુરૂષોની વાસના બે-ત્રણ દિવસ સુધી સદંતર ઠંડી પડી જાય. દરેક ફેમિલીએ આવી ટેબલેટ ફર્સ્ટ એઈડ સારવારની જેમ ઘરમાં રાખવી. પોતાના ઘરના કોઈપણ જેન્ટ્સ પર શંકા જાય તો ચા-કોફીમાં બિન્દાસ્ત પીવડાવી દેવી. પૂણ્ય પ્રાપ્ત થશે.

વેબસાઈટો પર હાલ 70 % કન્ટેન્ટ પોર્ન વિષયનું છે. આજુબાજુવાળાની બ્રાઉઝર હિસ્ટ્રી તપાસો. બે-પાંચ શેતાનો તો આજુબાજુમાંથી જ મળી રહેશે. આ વિષય દરેક દેશ અને સમાજ માટે આફતરૂપ છે. આ દેશનો ભૂતકાળ તો જુઓ.... હિન્દુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ સામે એક મુસ્લિમ સ્ત્રીને ગીફ્ટ તરીકે પેશ કરવામાં આવી. ત્યારે આ શક્તિશાળી છત્રપતિએ શું કહ્યું,"જો મારી માતા આ સ્ત્રી જેટલી જ સુંદર હોત તો હું આવો કદરૂપો ન હોત !!!" તે સ્ત્રીને માનભેર પોતાના ઘરે મૂકી આવવા હુકમ કર્યો. સ્વામી વિવેકાનંદને અમેરીકામાં એક સ્ત્રીએ પોતાની સાથે માત્ર એક વખત "પથારી સંબંધ" બાંધવા કહ્યું જેથી તે સ્વામીજી જેવા પ્રતિભાશાળી બાળકની માં બની શકે. વિવેકાનંદજી એ જ ક્ષણે તે સ્ત્રીનાં પગમાં પડી ગયાં અને બોલ્યા," માતા ! મારા જેવાં બાળકની માતા બનવા આમ કરવાની કોઈ જ જરૂર નથી. આજથી હું જ તમારો પુત્ર છુ. મારો સ્વીકાર કરો." સ્થાનિક રીતે જોઈએ તો કો'ક જાણકારને જોગીદાસ ખુમાણનું કેરેક્ટર પૂછી જોજો.

કુરાનમાં કહ્યું છે,"જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ એક (નિર્દોષ) વ્યક્તિ ની હત્યા કરશે તો તેને સમગ્ર માનવજાતિની હત્યા કરી ગણાશે, અને જો કોઈ વ્યક્તિ અન્યનું જીવન બચાવશે તો તેને સમગ્ર માનવજાતિને બચાવી ગણાશે. આ (કુરાન)તો તમામ દુનિયાવાળા લોકો માટે એક જાહેર શિખામણ છે, જે પોતાના કુટુંબ કબીલાનું કલ્યાણ ઇચ્છતો હોય તેઓએ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઇએ.” કેટલાક સલાહ આપે છે, "દીકરીઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમણે ફલાણું-ઢીકણું ન કરવું જોઈએ." અલ્યા ભઈ, આ તો એવું કહેવાય કે ગામમાં બે કૂતરા હડકાયા થયાં હોય તો ગામવાળાઓએ ઘરની બહાર ન નીકળવું !!! એ હાડકાયા કૂતરાનું શું કરવું ? એ કહેવાની જરૂર છે ખરી ?

દુષ્કર્મ મામલે પોલીસે, રાજનેતાઓએ, સરકારે, ન્યાયપાલિકાએ શું કરવું જોઈએ એની સલાહો લોકો આપશે. સ્ત્રીનાં સન્માન અને આદર આપવાની શરૂઆત ઘરથી કરો. સમાજના અંગ તરીકે સ્ત્રીને વિશ્વાસ અપાવો કે તે અમારી વચ્ચે સુરક્ષિત છે. જાહેરમાં સ્ત્રી પ્રત્યે આદર દર્શાવો એ દંભ છે. એકાંતમાં પણ સ્ત્રીને પ્રત્યે શિવાજી મહારાજ કે સ્વામી વિવેકાનંદજી જેવી ઊંચી ખાનદાની બતાવો. એક દિવસ તમારોય ઈતિહાસ લખાશે. દુષ્કર્મની આગ જલ્દીથી બુઝાવો, બાકી આ આગ તમારાં ઘર સુધી આવતાં વાર નથી લાગવાની .....આજે પ્રિયંકા છે, આવતીકાલે કદાચ મેરી હશે, પરમદિવસે કદાચ રુકસાર હશે !!! શેતાનને કોઈ ધર્મ નથી હોતો. તે તો અધર્મનો અનુયાયી છે.

#જેકેસાંઈ

Saturday, November 30, 2019

વહાલસોયા પુત્રને પત્ર (પ્રખ્યાત લેખક મિત્રશ્રી અંકિત દેસાઈનો પત્ર)

Photo credit :- સંજય વૈદ્ય (દ્રશ્ય અંકિત દેસાઈ અને સ્વર...)


દીકરા સ્વર,

આમ તો આ પત્રમાં લખેલી વાતો મારે તને અંગતમાં કહેવાની થાય છે. અને સમયે સમયે હું તને એ કહેતો પણ રહીશ જ, પરંતુ એ વાતોની ગંભીરતા એવી છે કે મેં તારા નામે આ ઓપન લેટર લખવાનું નકકી કર્યું.

દીકરા તું જન્મ્યો ત્યારથી એક બાબતે મેં હંમેશાં સજાગતા રાખી છે કે હું તારો બેસ્ટ ફ્રેન્ડ બનું. તું મને પાપા કે ડેડા નહીં કહે અને માત્ર અંકિત જ કહેશે એ મને વધુ ગમશે, કારણ કે પિતા શબ્દ થોડી મર્યાદાઓ લઈને લાવે છે અને મારે એ પોકળ મર્યાદાઓને બહાને તને અમુક તથ્યો- સત્યો કે કેળવણીથી દૂર નથી રાખવો.

દીકરા, મારે જે વાત ખાસ શીખવવાની થાય છે તે એ કે તારી આસપાસની, તારી સાથેની સ્ત્રીઓની હંમેશાં રિસ્પેક્ટ કરજે. હંમેશાં એ બાબતનું ધ્યાન રાખજે કે તારી સામે જે છોકરી કે સ્ત્રી ઊભી હશે એ તારાથી નબળી કે તારાથી ઉતરતી નથી. સર્જનહારે શરીરના જે બાંધાને કોમળતા આપી છે એ કોમળતાને માનવ ઇતિહાસની શરૂઆતથી નિર્બળતા માની લેવાઈ છે. આ તો ઠીક એ કોમળતાને જાગીર અથવા સંપત્તિ પણ માની લેવાઈ છે. પરંતુ તું એ ભૂલ નહીં કરતો.

તું ભલે એક જવાબદાર દીકરો નહીં બને. પિતા તરીકે હું તારી પાસે આદર્શ દીકરા બનવાની અપેક્ષા રાખીશ પણ નહીં. આમેય મારે તારા પિતા થઈને તારા જેવો દોસ્ત ખોવો નથી. એટલે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે હું તારા વ્યક્તિત્વની કે તારી આગવી લાઈફસ્ટાઈલ અથવા માન્યતાઓની રિસ્પેક્ટ કરીશ. પણ દીકરા, તારા દોસ્ત તરીકે તારી પાસે એક નાનકડી અપેક્ષા હંમેશાં જરૂર રાખીશ કે તું એક આદર્શ પુરૂષ બને. દીકરા, ખરું પૌરૂષત્વ પોતાની તાકાતો દુરુપયોગ કરવામાં નથી, પણ પોતાની તાકાત કોઈનું રક્ષાકવચ બને એમાં સાચું પૌરુષત્વ છે.

મારા દીકરા, તું ટીનએજ થશે ત્યારે મારે તને એ બાબતથી સજાગ કરવો છે કે સેક્સ અને હવસ વચ્ચે ફરક છે. દરેક બાબતની એક ઉંમર હોય છે એટલે તારી યોગ્ય ઉંમરે તું ય એ બધું પામશે જ, એટલે અફેક્શન કે લવની ઉંમરમાં તું તારી શારીરિક જરૂરિયાતને તારા પર સવાર ન થવા દેતો. અને જ્યારે તું એડલ્ટ બનશે ત્યારે તને એક જ વાત કહેવી છે કે, રિલેશનશિપની બહાર કે રિલેશનશિપની અંદર બંને પાત્રોની સહમતિથી સર્વોપરી કશું જ નથી. જો સામેનું પાત્ર જરા પણ ખચકાટ અનુભવે કે જો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો તારે એ ખચકાટ અને ઇન્કારનો કોઈપણ ભોગે આદર કરવો પડશે..યાદ રાખજે કે જો તું જે ક્ષણે સામેનાની ઈચ્છાનો આદર નહીં કરી શકીશ એ ક્ષણે તું તારી અંદર રહેલા દુર્જનને તારા પર સવાર થઈ જવાની તક આપી દઈશ. અને તારે ક્યારેય થવા દેવાનું નથી.

મારા મખ્ખનચોર, ઈશ્વરે મને દીકરાનો બાપ બનાવ્યો છે એટલે મારે માથેની જવાબદારી વધી જાય છે. કારણ કે તું પણ કાલ ઊઠીને પુરુષ થઈશ અને આવતીકાલના પુરૂષના વર્તનના મૂળ તારી આજમાં રહેલા છે. એટલે એ મારી નૈતિક જવાબદારી બને છે કે હું તારી સાથે અમુક વાતો ખૂલ્લા દિલે શેર કરું અને તને એ દિશામાં સાચી કેળવણી આપું.

બાકી, તારે મોટા થઈને કરીઅર શું બનાવવી છે કે તારે પ્રેમ કોને કરવો છે કે તારે લગ્ન કરવા છે કે નથી કરવા કે તારે માત્ર અલગારી રખડપટ્ટી જ કરવી છે કે એડલ્ટ તરીકે તારે આલ્કોહોલ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, જેવી કોઈ બાબતમાં મને ઈન્ટ્રેસ્ટ નથી. રાધર એક ઈન્ડિવિજ્યુઅલ એડલ્ટની પર્સનલ લાઈક્સ - ડિસ્લાઈક્સમાં માથું મારવાનો મને અધિકાર પણ નથી. પરંતુ એક આ જ એક બાબત તારી પાસે હંમેશાં ઈચ્છીશ કે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં તું રહે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ તું જીવે, બસ મર્દ થઈને રહેજે અને મર્દાનગીનો સાચો અર્થ રિસ્પેક્ટ અને રિસ્પોન્સિબિલિટી જ થાય છે.

બી રિસ્પોન્સિબલ ફોર યોર મેનહૂડ માય ડિઅર સન.

લવ યુ❤❤


(પ્રખ્યાત લેખક અંકિત દેસાઈ દ્વારા પોતાના પુત્ર પર લખેલો પત્ર) સમજણને વંદન..... દરેક બાપ પોતાની મરજીથી આ વાતને અનુસરી શકે છે..

Sunday, October 6, 2019

દેડકો કેમ મર્યો ....??? જીવન અવલોકન

પહેલા સાયન્સમાં પ્રયોગ કરાવવામાં આવતા જે હાલ પ્રતિબંધિત છે... આ પ્રયોગ પરથી જીવનની અમુક બાબતો શીખવા જેવી છે...

ત્યારે 11, 12 સાયન્સમાં પ્રયોગ માટે માનવ શરીર વિશે સમજાવવવા માટે દેડકાનો ઉપયોગ થતો.. એ સમયમાં એક પ્રયોગ થતો.....

કોઈ દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને ધીરે ધીરે વસાણના પાણીને ગરમ કરવાનું શરૂ કરો...જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને પણ બહારના તાપમાન સાથેનું સાનુકૂલન બનાવતો જશે, વાસ્તવમાં જે એની નૈસર્ગીક લાક્ષણિકતા છે ....

જ્યારે પાણી તેના ઉત્કલનબિંદુએ એટલેકે boiling point ઉપર પહોંચશે ત્યારે હવે દેડકા માટે વધુ સાનુકૂલન શક્ય નથી અને પરિણામે દેડકો પાત્ર માંથી બહાર કુદવાનો પ્રયત્ન કરશે પરંતુ તે તાકાતને અભાવે કુદી નહીં કરી શકે કારણકે શરૂઆતમાં તેણે પરિસ્થિતિ સાથે સાનુકૂલન (adjust ) સાધવામાં જ બધી તાકાત ખર્ચી નાખી હતી ...

ઉપરોક્ત પ્રયોગમાં અંતે દેડકો માર્યો જાય છે ....
આ દેડકાનું મોત કયા કારણે થયું ...???
વિચારો ....
ઉકળતા પાણીને કારણે ...???

ના સત્ય એ છે કે દેડકો પોતાની adjust કરી લેવાની પ્રકૃતિને કારણે જ મર્યો અને adjust થવા થવા માં જ જ્યારે જરૂર હતી ત્યારે વાસણમાંથી કૂદકો મારવાનો સમય તેણે ગુમાવી દીધો ....!!

આપણે પણ પરિસ્થિતિ અને આસપાસની વ્યક્તિઓ સાથે સતત adjust થતા રહેવાનો પ્રયત્ન કરતા રહીએ એ છીએ પરંતુ એની સાથે ક્યાં સુધી adjust થવું અને ક્યારે આ adjustment છોડી દેવુ તેની સીમારેખા નથી આંકતા હોતા ... સમયની એક ચોક્કસ ક્ષણે જ આપણે નિર્ણય લેવાનો હોય છે કે હવે આ adjustmwn માં જ રહેવું છે કે બહાર નીકળી જવું છે ....
ઘણી વખત આપણે આપણી આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓ કે જે ક્યાં તો આપણુ શારીરિક ,નાણાકીય , આધ્યાત્મિક, માનસિક કે કુત્રિમ લાગણીઓથી શોષણ કરી રહ્યું હોય તેવું સતત અનુભવાય છે અને આપણે પણ સતત એની સાથે જ adjustment કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખતા હોઈ એ છીએ અને દેડકાની જેમ બહાર નીકળવાની યોગ્ય તક ગુમાવી દેતા હોઈ એ છીએ ...
નક્કી કરો કે ક્યારે કૂદકો મારવો છે ....!!

જ્યારે પણ આપણામાં ભરપૂર તાકાત હોય ત્યારે જ અવશ્ય કૂદકો મારી લેવો..
નોંધ :-
આ લખાણ લખતી વખતે કોઈ પણ પ્રાણીને ઇજા કે શારીરિક ત્રાસ અપાયો નથી ..

Thursday, October 3, 2019

પોઝિટિવ પર્સન ચિત્રકાર શ્રી સામત બેલા

ચિત્રકાર શ્રી સામત બેલા ,
જામકલ્યાણપુર ,
દેવભૂમિ દ્વારકા

ચાલો તો જાણીએ ચિત્રકાર સામત બેલાના જીવન દર્પણને........

ચિત્રકલા જગતની દુનિયામાં જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી એવા શ્રી સામતભાઇ લક્ષ્મણભાઈ બેલા નો જન્મ 26 ફેબ્રુઆરી 1981ના રોજ દ્વારિકા વિસ્તારના એક અંતરિયાળ ગામ કલ્યાણપુરમાં થયો હતો. ખેતી પર આધારિત પરિવારમાં જન્મેલ સામતભાઈ પિતા લખમણભાઇ અને માતા રામીબેન ના સંસ્કારની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હતો પિતા લખમણભાઇ ના મુખે સદા કૃષ્ણ પ્રેમની વાતો સાંભળતાં તે છાપ તેમના હૃદયમાં બાળપણથી જ ગહન બની હતી.
સામતભાઈએ પ્રાથમિક શિક્ષણ જામકલ્યાણપુર માં જ પૂર્ણ કર્યું. તેમનું બાળપણ એક અસાધારણ બાળક જેવું રહ્યું. પાંચ વર્ષની ઉંમરે ભૂલથી ભાંગનાં બીજ ખાઈ જવાથી તે ત્રણ દિવસ પાગલપનની સ્થિતિમાં રહ્યા હતા. મને લાગે છે એ બાળપણનું પાગલ પણ આજે પણ એની ચિત્રકલામાં જોવા મળે છે. બાળપણમાં તે અભ્યાસમાં ખૂબ જ નબળા હતા ધોરણ ૧ થી ૭ માં તે નાપાસ રહ્યા અભ્યાસના સમયમાં પણ તે ચિત્ર બનાવ્યા કરતા બીજા વિદ્યાર્થીઓ જ્યારે ફટાફટ વાંચન કરતાં ત્યારે તેમને અચરજ જેવું લાગતું, જ્યારે સામતભાઈ એક અક્ષર વાંચવામાં કલાકો લગાડતા. આવી નબળી પરિસ્થિતિમાં પણ તેણે અભ્યાસ છોડ્યો નહીં. સામતભાઈ પોતાના કાર્યમાં ખુબ જ એકાગ્રતા ધરાવે છે. કક્ષા સાતમા ઓચિંતો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. જે બાળક કક્ષા સાતમા વાંચન શીખ્યો હોય અને કક્ષા 8 માં પ્રથમ ક્રમાંકે આવ્યો એ વાત એમના શિક્ષકોની સમજની બહાર હતી. બાળપણમાં શિક્ષકની ભાષા સમજવામાં ખૂબ તકલીફ પડતી હતી, તે આજે પોતે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવે છે. તેમણે માધ્યમિક શિક્ષણ જામકલ્યાણપુર ખાતે શ્રી કે કે દાવડા હાઇસ્કુલમાં પૂર્ણ કર્યું. આગળ જતાં તેણે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ રાવલ જેવા નાના ગામમાં પૂર્ણ કરી સી.પી.ઍડ નો અભ્યાસ વલસાડ ખાતે પૂર્ણ કર્યો. ત્યારબાદ જામકલ્યાણપુર નજીકના એક નાના ગામ હરીપર ખાતે એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આજે પણ એ સ્વભાવે એક નાના બાળક જેવા સહજ અને રમૂજી છે.
સામત ભાઈ ને ચિત્રની કલા એમને વારસામાં નહોતી મળી અને જે વિસ્તારમાં એમનો જન્મ થયો એ વિસ્તાર માં કોઈ એવા મોટા ચિત્રકાર નો સંપર્ક પણ ન હતો. એમ છતાં પણ એમની ચિત્ર શીખવાની તૃષ્ણા એક સિદ્ધહસ્ત કલાકાર તરફ લઇ ગઈ. સહજ ભાવથી બનાવતા ચિત્રો આજે દેશના સીમાડાઓ વટાવી ગયા છે.
સામતભાઈ પોતાના ચિત્ર ઓઇલ માધ્યમથી કેનવાસ પર બનાવે છે. પહેલી જ નજરે ગમી જતાં ચિત્રો એવા લાગે જાણે હમણાં જ બોલી ઊઠશે જેને એક જીવંત ચિત્ર શૈલી પણ કહે છે. હાલ તે બે ચિત્ર સિરીઝ પર કામ કરી રહ્યા છે. જેમાં એક "સૌરાષ્ટ્રની રંગધારા" અને બીજી "કૃષ્ણમય". તેમની બંને સિરીઝ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે.
સૌરાષ્ટ્રની રંગધારા એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના ગ્રામીણ જીવન પર આધારિત સિરીઝ છે .જેમાં સામતભાઈ ગ્રામીણ જીવનનો વારસો, સંસ્કૃતિ, સંઘર્ષ, પ્રેમ વગેરે ભાવોને લોકો સમક્ષ મૂકી વિશ્વના ફલક સુધી ભારતીય ગ્રામીણ જીવન નું મહત્વ વધારવા એક ઉમદા કાર્ય કર્યું છે. એક ચિત્રકલા ના માધ્યમથી ગુજરાતના ગામડાના લોકજીવનને વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના ચિત્રોમાં જોવા મળતા વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ, તેમજ પશુઓના ચિત્ર ભાવથી તરબોળ હોય છે.
સૌરાષ્ટ્રની રંગધારા સિરીઝની રચના માટે સામતભાઇ સૌરાષ્ટ્રના અનેક અંતરિયાળ ગામડાઓમાં ફરે છે. તે ગીરના જંગલો, બરડા ડુંગર, ઓખા ના સૂકા વિસ્તારો જેવા અનેક વિવિધતાસભર વિસ્તારોમાં વસતા લોકોની જીવનશૈલી વિષે અભ્યાસ કરી તેમના ચિત્ર કંડારવાનું એક ઉમદા કાર્ય કર્યું છે. ગુજરાતનું એક લોકજીવન જે ભૌગોલિક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું હોય ત્યારે તેમના વિશિષ્ટતા સભર લોકજીવનને વિશ્વના ફલક સુધી મૂકવું તે સામતભાઈ પોતાની કલા ફરજ માને છે.
કૃષ્ણમય સિરીઝમાં સામતભાઈ એ લોકો કૃષ્ણમય કેવી રીતે રહે છે તેના ભાવો પ્રગટ કરતાં ચિત્રો બનાવ્યા છે. સામતભાઈ ના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે કે તે એક ગહન કૃષ્ણપ્રેમી છે. કૃષ્ણ પ્રત્યેનો ભાવ એમના ચિત્રોમાં જણાઈ આવે છે. અને દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આજે કૃષ્ણમય ના ચિત્રો વિદેશ માં વસતા ભારતીય લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આજે પણ સામતભાઈ ગામડામાં રહી એક શિક્ષક તરીકે સામાન્ય જીવન જીવે છે. પરંતુ તેમની કળાથી પ્રભાવિત થઈ દેશ-વિદેશથી લોકો તેમને મળવા માટે આવતા હોય છે. સ્વીઝરલેન્ડ, નોર્વે, અમેરિકા જેવા દેશોના વિદેશી લોકો એક નાના ગામમાં આવી તેમની મુલાકાત લઇ ચૂક્યા છે.
કલાનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે હોય છે નહીકે પેટિયું રડવા. જે કલા નો ઉપયોગ માત્ર ગુજરાન ચલાવવા જ કરે છે તે "કારીગર" ને સમાજના હીતમાં કરે તે "કલાકાર" .સામતભાઈ પોતાની કલાની મદદથી કેટલાય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક મદદરૂપ બન્યા છે. તેમજ આર્થિક સમસ્યાથી ભાંગી ગયેલા લોકોને નિઃસ્વાર્થ આર્થિક મદદ કરી ચિત્રકલા ને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. સમાજના હિતમાં તે એક શિક્ષક તરીકેની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ મળીને ૨૦ જેટલા ચિત્ર પ્રદર્શનો કરી ચૂક્યા છે. ભારતના મોટા ભાગના શહેરોમાં તેમનું ચિત્ર પ્રદર્શન નું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, સુરત, ઇન્દોર (મધ્ય પ્રદેશ ) કલકત્તા, વડોદરા, જોધપુર (રાજસ્થાન) રાજકોટ, જામનગર, જેવા ભારતના શહેરોનો સમાવેશ થાય છે. તેમજ સિંગાપુર ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય શહેરોનો પણ સમાવેશ થાય છે. સામતભાઈ ના ચિત્રો નું કલેક્શન અમેરિકા અને લન્ડન જેવા શહેરોમાં પણ છે.
કલાના કસબી એવા સામતભાઈ ને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ દ્વારા પણ તેમની ચિત્રકલાને સન્માનિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સામતભાઇ ચિત્રકલાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થઈ ચૂક્યા છે .2017માં જોધપુર રાજસ્થાન અને ઇન્દોર મધ્ય પ્રદેશ ખાતે તેમને નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ 2019માં વડોદરા ખાતે ઈન્ટરનેશનલ આર્ટ ફેરમાં પણ બેસ્ટ આર્ટિસ્ટના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા . આહીર સમાજ દ્વારા "આહીર રતન "જેવું વિશિષ્ટ સન્માનના પણ તે હકદાર બની ચૂક્યા છે. વિધાનસભા 2019 ના ઇલેક્શન માં તેમને ઇલેક્શન કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના "આઇકોન" તરીકે ની તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી.
માનવમેદનીથી દૂર રહેનારા અને એકાંતપ્રિય સામતભાઈ પોતાની નવરાશની પળોમાં કુદરતના ખોળે રમતા ગ્રામીણ લોકજીવનને માણતા અને એ જ લોક જીવનને ઉજાગર કરવા તેમની ચિત્ર કલા દ્વારા સમાજની સમક્ષ મુકવાનો પ્રયત્ન કરે છે. સામતભાઈએ પોતાની ચિત્રકલા દ્વારા ગ્રામીણ સંસ્કૃતિ નું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. પોતાની ચિત્રકળા દેશ અને વિદેશમાં વસતા દરેક વ્યક્તિ ભારતીય ગ્રામીણ જીવનના વારસાને ભારોભાર સન્માન આપે એવો તેમનો ઉદ્દેશ છે .કારણ કે તેમનું માનવું છે, કે એક દિવસ પારંપરિક પહેરવેશ વાળું ગામડું માત્ર એમના ચિત્રોમાં જ રહી જશે.

ગાંધીનગર મેટ્રો દૈનિક નું તોરણ સાપ્તાહિક "રંગો ના તરંગો " ૧૦૩ આર્ટિકલ .

- ગાંધીનગર મેટ્રો દૈનિક "તોરણ"

Wednesday, October 2, 2019

બહુરૂપી ગાંધી...રાજકારણ થી રંગમંચ સુધી...

ગાંધી,એક એવું નામ જે ચેક કે ડ્રાફ્ટ ની જેમ વટાવી શકો, એક એવું પગલુંછણીયું કે જેના પર તમે તમારી ભડાશ કે ગંદકી કાઢી શકો, વોટ થી લઇ નોટ સુધી ગાંધી...ગાંધી...ને ગાંધી જ...
હરી તારા નામ છે હજાર એમ ગાંધી ને દરેકે પોતાના દરેક સ્વાર્થ માટે વાપર્યો...ખુબ જ... નેતા થી લઇ અભિનેતા સુધી દરેક ની સીડી ના એકાદ પગથીયે ગાંધી મળશે જ.પોતાની નેગેટીવ પબ્લીસીટી માટે પણ અખબારો-પત્તરકારોએ ગાંધી ને ઘોંચપરોણા કરવામાં કાઈ બાકી ના રાખ્યું...
પણ ઘેલકાંકરીનાવ તમારો જયારે પ્રેગ્નાન્યુઝ જેવી સ્ટ્રીપ માં પણ નતો જન્મ થયો એ પેલ્લા નો ગાંધી આંધી ની જેમ ફરી વળેલો છે ને તારા આખા ખાનદાન ના લોટા ચાણોદ માં ઠલવાઈ જશે ત્યાં સુધી ગાંધીયન વિચારધારા ચમકતી જ રેવા ની છે.સરદાર જેવો ચરોતરી પટેલ “ઘઉં માં કાંકરા વીણવાનું ગાંધી શીખવાડશે” એવી ગાંધી ની ઠેકડી ઉડાડતો માણસ જ્યારે એના પગે બેસે ત્યારે એ હડ્ડીપસલી માં કઈક તો હોવું જોઈએ ને? ગાંધી બન્યો જ પરદેશ ની ધરતી પર...અહી તો સમજ્યા, બીજી ગલીએ જેને કોઈના ઓળખતું હોય એવા ભાદરવા ના કુતરાવ આજે ગાંધી ને ગાળો આપે છે.પેશાબ પગ પર ના પડે એટલા હાટુ વિયાગ્રા ખાતી ખારેકો ,સુનલો ...એ ડોસો છોત્તેર વરસે જાજરૂ જાતે ધોઈ હડી કાઢતો ને તું તારી ફૂટપટ્ટીએ ગાંધી માપવા નીકળ્યો??? હે ગળફેશ, ગાંધી ની સ્મશાન યાત્રા જેટલા લોકો ને કદીયે તું જીવન માં મળ્યો પણ હોઈશ?
આખીય દુનિયા માં ગાંધી ના નામ પર મરી ફીટનાર કેટલાં... ને બા પોતેય દરેક કાર્ય માં મૂક સાથ આપતા. ને તું કોડા નાગિન જોતી બૈરી ને “તું આવી જ સીરીયલો જોજે” એવી કોમેન્ટ પણ કરી શકતો નથી...હે માનવ ગાંધી પેદા થતા નથી, ગાંધીને સમય-સંજોગો ઘડે છે એના માટે બહુરૂપી બનવું પડે.રંગ બદલી ખો આપતો બહુરૂપી નહિ પણ આ સમાજ નો કર્મમાનવ સાચો કર્મયોગી એવો બહુરૂપી..
ગાંધી વકાલત,દરજીકામ,ધોબીકામ,વાળ કાપવાનું-વગર અરીસે,હરીજન નું કામ, મોચીકામ, રસોઈ, વૈદ્યક, નર્સિંગ, શિક્ષક, કાપડ વણાટકામ, રંગકામ, ખેતી, હરાજી, નામું લખવું, ભીખ માંગવી, લુંટ કરવી-કરાવવી,કેદી સાથે જ સેનાપતિ,લેખન,પત્રકાર,પ્રકાશક,છાપકામ,બાઈડિંગ,મદારી,ફેશન ડીઝાઈનર વગેરે અનેક કામ બખૂબી થી નિભાવતા અને દરેક માં નિપુણ હતા.ગાંધી નો આ એક વિચાર જો સમાજ અપનાવી લે તો અમેરિકા થી ભારત પાછળ ન હોય.વર્ષો થી વિકસિત દેશો માં મૃત્યુ સુધી પોતાનું કામ પોતે કરવાની સીસ્ટમ છે અને એટલે જ એ આગળ છે અહી સાહેબો ખાલી પેન્ટ ની ચેઈન એકલી નોકરો પાસે ખોલાવવાની બાકી રાખે છે.ગાંધી આ ડીપેંડન્ટ રહેવાથી થતા નુકસાન ને પહેલા જાણી ગયો..
ધોબી ના પૈસા પોસાતા નથી એમ નથી પણ ધોબી ની ગુલામી ના કરવી પડે એટલે હું આ કરું છું.આપણે ત્યાં કામદાર વર્ગ ને ભાઈબાપા કરીએ ત્યારે તોછડાઈ પૂર્વક ઉપકાર કરતા હોય એમ કામદાર આવતા હોય છે કમસે કમ નાની નાની બાબત માં ઈન્ડીપેન્ડન્ટ બનીએ...આ એક વિચાર અપનાવી લઈએ - બહુરૂપી ગાંધી...
રહી વાત બ્રહ્મચર્ય ની...તો ગાંધી જેવો ખુલ્લાદિલ સાફ ઇન્સાન કોઈ નથી.ક્યારે સેક્સ ના વિચારો આવતા ને ક્યારે વેશ્યા ની ગલીએ ગયો એ ચોખ્ખું લખ્યું.હાળા જલોટાવ તમે સોશિયલસાઈટો પર કૈક ના રેપ કરી નાંખ્યા , દાણા નાંખવા ભરતી નવરી બજારો ગાંધી માટે તમારા જેવા કૈક તારાઓ રોજ ખરીજાય છે.બ્રહ્મચર્ય માં હજી હું દરેક પ્રયોગો જાહેર કરી શકું એ સ્ટેજ પર પહોચ્યો નથી પહોંચીસ ત્યારે ચોક્કસ સમાજ ને જાહેર કરીશ.આજે આશ્રમ ની કોઈ મહિલા જિંદા નથી અને કોઈનું કોઈ નિવેદન આવેલ નથી ને કદાચ કોઈ પ્રયોગ માં કસોટી ખાતર ખાંડા ની ધાર પર વિચલિત થયા વગર ચાલે તો જલોટા તને ના મળ્યું એની ખંજવાળ છે કે શું? કોઈ પુખ્ત વય થી નીચેનું તો નતું ને...આગ ની જ્વાળાઓ આગળ પીગળ્યા વગર ઘી પડી રહે અને ઘી એ વાત નો દમ મારતું હોય તો આપણે મિયાં ખલીફા ના આશીકો એ કમ સે કમ આવી બાબતો માં ચંચુપાત ન કરવો જોઈએ...
ગાંધી વિચાર રૂપે જીવવાનો, વાણીયો હતો લાંબુ વિચારનારો એના સિદ્ધાંતો,વિચારો એક એક પકડીએ તો દુનિયા પાણી ભરશે.અનાદિકાળ સુધી એના વિચારો જીવવાના જ...સત્ય ના પ્રયોગો મારી ફેવરીટ ચોપડી છે એવી શેખી મારવા કરતા મંગળ પ્રભાત,હિંદ સ્વરાજ,રચનાત્મક કાર્યક્રમ જેવી બુક્સ વાંચો.ગાંધીયન બનો જાતે પાણી પીવા જાવ ને કચ્છા બનિયાન એક વાર જાતે ધોઈ જોવો...
છેલ્લે બાપુ પાછલા વર્ષો માં આપ જડ બનતા ગયા, ઉપવાસે ઉતરેલા આપ પર લોકો છાતીએ રોટલીઓ ફેંકી જાય એટલા લોકો આપના ઉપવાસો થી બેબસ બન્યા, છેલ્લે આપનું વાણીયાત્વ થોડું કમ લાગ્યું, આપમાંનો વાણીયો ૫૫ કરોડ માં થાપ ખાઈ ગયો... ને આખી જિંદગી આ પાકલાવ ની સુવાવડ હિંદે કરવાની આવી...વડાપ્રધાન થી લઇ ભાગલા સુધી થોડુ મોટું મન રાખી ક્યાંક જડતા મુકવી હતી
પણ ખેર ટેઢા હૈ પર મેરા હૈ જૈસા હૈ અપના બાપુ હૈ... કાયદે આઝમ કોની જોડે સુતો હતો એ પણ ખોંચરવું જોઈએ... બાકી બાપ બાપ હોતા હૈ....
હેપ્પી વાલા બ’ડે બાપુ...

Gaurang Darji
ગૌરાંગ દ ૨જી ઓક્ટોબર 2019

Thursday, September 19, 2019

પોઝિટિવ પર્સન મોચી દાદા

રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.

મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.....એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ.


  • રાજકોટ:નિર્મલા કો.સ્કુલના kids વાલીઓ, અહીં બ્રેક કરી બે પ્રોત્સાહિત શબ્દો બોલજો, કેમકે આપણી જ છોકરીઓના રોજ 10₹ ઓછા લે છે અને મીઠું મોઢુ ય કરાવે છે.  રાજકોટના અમીર વર્ગના ગણાતા એરિયામાં દરિયાદીલ દાદા.. કોટેચા ચોક બાજુ, આ સ્કુલ આવેલી છે.



સાભાર... ફેસબુક

Saturday, September 7, 2019

કર્મ

એક માણસ પક્ષીને ચણ નાખી રહ્યો હતો અને બીજો પક્ષીઓ તરફ પથ્થર ફેંકી રહ્યો હતો.

પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો, તે પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો.

અને બીજાની દાનત સાચી હતી એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો જેથી પક્ષીઓ જાળમાં ફસાય નહીં...

એટલે ક્યારેક કંઇક દેખાય તે સત્ય માની લેવું નહીં ... પણ ક્યાં સંજોગ હતા તે જાણ્યા વગર વાતને આગળ વધારવી નહિ.
ઈશ્વર પણ માત્ર કર્મ જોતો નથી, કર્મ પાછળનો હેતુ ખાસ જુવે છે.

Monday, September 2, 2019

ઇન્ટરવ્યુ

ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો.

આજ તેનો ઇન્ટરવ્યુ હતો.મનોમન નકકી કર્યું હતું કે
જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.
મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:

– સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે ,
– નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,
– નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,
– રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,
વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.

પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.

બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું
તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી.બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.

સીડીની લાઈટ પણ બંધ કરી.

એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.

મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી.

ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું :
ક્યારથી જોઈન્ટ કરશો.
મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ
એપ્રિલફૂલ તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું :
હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથીબસ CCTV મા તમારો Attitude જોયો છે.બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો.

ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ.

ગીતા અને સંસ્કાર

પોતાનાં બાળકોને આજે 'ગીતા' વંચાવશો તો આવતીકાલે એને કોર્ટમાં 'ગીતા'ઉપર હાથ નહીં મુકવો પડે.સંસ્કાર જ અપરાધ રોકી શકે છે પ્રશાસન નહીં.

Friday, August 16, 2019

આજનું મંથન

માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને....

ત્યારે સમજી લેવું કે એના કાંડા ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..

BUSY પણ અને BE-EASY પણ રહો

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.🦁

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર....!🐿


એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો. 👍🏽


આમ જ સમય વિતતો રહ્યો....

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.👌🏽


પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?😇


આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !🍎


આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે. 👴🏻


ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.👩🏻👦🏻👩🏻👦🏻


શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?😍😍😘😍😘


શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !


આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !



😊એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો,
પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો...🦋☘

👍ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો

👍દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો..

💐દરેક સબંધ ને ઉજવી લો*....

🎂તમારા હોવા ને ઉત્સવ બનાવી લો


BUSY પણ અને BE-EASY પણ રહો

Sunday, August 11, 2019

શિક્ષણ અને શિક્ષક

જુદી જુદી પદ્ધતિઓ, ટેક્નિકલ જાણકારી, ઉચ્ચ ડીગ્રી હોય...પણ એ બધાથીયે વિશેષ જરૂરી છે કે શિક્ષકને વિદ્યાથીૅઓ પ્રત્યે સ્નેહ હોય. એવો ભાવ હોય કે આ બધા બાળકોનું ભવિષ્ય મારે સજાવવાનું છે...તેની આંખોમાં સપના અને હૈયામાં હામ ભરવાની છે. આવો ભાવ ઉદ્ભવવાથી શિક્ષક તેમજ વિદ્યાથીૅઓ બન્નેનું જીવન ઉન્નત બને છે.
કેળવણી એક પવિત્ર હવન સમાન છે તેમાં બન્ને પક્ષે સમાન 'આહુતિ' એટલે કે તત્પરતા હશે તો વાતાવરણ- શિક્ષણ પ્રજ્જવલિત અને ઉજ્જવળ બનશે.

Monday, July 15, 2019

વળતો ઘા

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા.. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા.

લેખ આખો વાંચજો
🙏🙏🙏🙏🙏

જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ.. થોડીવારમા દુર્ગા બહેન તેમને બોલાવવા આવ્યા.. – ”ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે..”

હસીને વસતંભાઈએ કહ્યુ: ‘’અરે દુર્ગા બહેન, તમે ભુલી ગયા.." આજથી તો હું રિટાયર થઈ ગયો છું, હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી.. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ.’’ વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.

વાલકેશ્વરના ‘ચંદ્રદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.. વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા.. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી..

ગઈ કાલ સુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનો જ એક ભાગ હતા..
આજે બસ પરમ શાંતિ છે..
માથા પર કોઇ ભાર નહીં..

વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા..પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એક જ વ્યાખ્યા હતી. કામ.. કામ .. અને કામ.. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી..

દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો.
તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો..

આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે..

હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે, બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે..!!

દીપકને કહ્યું: ‘’બેટા, હવે હું રિટાયર થવા માંગુ છું..! અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..

આજે તેમનો પહેલો દિવસ હતો.

‘’સાહેબ, ચા ઠંડી થઈ ગઈ.. બીજી બનાવીને લાવું ?’’ પાછળથી દુર્ગા બહેનનો અવાજ આવ્યો..

– ‘’ના ના ચાલશે’’ કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો.. ‘’ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો..’’

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી.. તે પણ હવે પૂરી થતી હતી.. સહ ઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દીવસો પસાર થતા હતા.. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા.. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે,
સિંગાપુર ફરવા જઈએ..

વસંતભાઈએ તરત હા ભણી..

બીજે દિવસે દીપકને કહ્યુ: –‘’બેટા... આજે જરા એંસી હજારનો ચેક આપજે.. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે..’’

– ‘’પણ પપ્પા... દીપક જરા અચકાયો, હમણા હાથમા એટલી રોકડ રકમ નથી..’’

‘’રોકડ રકમ નથી?’’

વસંતભાઈને જરા નવાઈ લાગી..
પહેલા થયું દીપકને પૂંછું..
પછી માંડી વાળ્યુ..
હશે, ધંધો છે...
હમણા મેળ નહી હોય..

એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી..

મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાય એ નક્કી કર્યું કે,
આવતા વરસે સાથે જશું..

હમણા વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા..
ઘરે આવતા મોડું થઈ જતું હતું..
પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે..

દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી..

એક રવીવારે તે ઘરે હતા ત્યારે
તેમને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દિકરો, પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠાતો લાગ્યું કે, વહુ મંજરી દુર્ગા બહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે..

દુર્ગા બહેન રોટલી આપવા આવ્યા
એટલે તેમને પૂછ્યુ: ‘’શું વાત છે?’’

– કંઇ નહીં.. ભાઈ-ભાભી બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’

‘’બહારગામ જવાના છે? ક્યારે? ક્યાં?

ત્યાં તો મંજરી રસોડામાથી બહાર આવી.. – ‘’કેમ વહુ બેટા, ક્યાં જવાના છો?

– ‘’પપ્પા અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે.."

"હેં.. ક્યારે?’’

‘’પરમ દિવસે.."

વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો.. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી..

– ‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો..’’ કહી તે ઉભા થઇ ગયા..

દુર્ગા બહેન તેમને જતા જોઈ રહ્યા..

રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો..

– ’’તમે મને બોલાવ્યો પપ્પા?’’

– ‘’હા.. મેં સાંભળ્યુ છે કે, તમે યુરોપ જવાના છો?

– હા પપ્પા.. સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામા વ્યસ્ત થઈ જશે. અને અમારા મિત્રો પણ જાયછે.. એટલે અમે પણ જઈએ છીયે..’’

– ‘’અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી??

– ‘’એમાં પૂછવાનુ શું..??

– ‘’કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે??

– ‘’હા.. થોડી ઘણી થઈ છે..

– "તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’

– ‘’તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવુ?' બાકીનું વાક્ય દીપક ગળી ગયો..

આ ઊમરે એટલે? વસંતભાઇને ઝાળ લાગી ગઈ...

દીપક રૂમની બહાર જતો રહ્યો..

વસંતભાઈ ઘા ખાઇ ગયા..
એમનો દીકરો આવુ કરી શકે તે એમના માન્યમા નહોંતુ આવતું.. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો.. ભરોસો હતો કે, દીપક એમને સાચવશે.. એટલે પોતાની માટે તેમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ..

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા..

હવે શું? આખી જિંદગી આમજ કાઢવી પડશે?ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?

આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા.. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..?

ના..ના..

બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા..

દુર્ગા બહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી ગયા..

વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ..

–‘’સાહેબ, તબીયત બરાબર નથી?’’

–‘’બરાબર છે.."

વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગા બહેનને અણસાર આવી ગયો કે, કઇક ગરબડ છે..

ત્રીજે દિવસે વહેલી સવારે દીપક, મંજરી અને સૌમિત્ર જ્યારે નિક્ળ્યા ત્યારે વસંતભાઈ સુતા હતા..

મંજરીએ હળવા સાદે બૂમ પાડી:
’’પપ્પા - પપ્પા.. અમે નીકળીયે છિયે..’

વસંતભાઈ ઝબકીને જાગી ગયા..

– ‘’હા બેટા.. ખુશી થી જાવ..’’

–‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો.. દુર્ગા બહેનને મેં બધુ સમજાવી દીધુ છે.."

–‘ભલે..'

મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગી ને નિકળ્યા.. દીપક રૂમની બહાર જ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા..

ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો..

દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી..

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા..

–સાહેબ, ચા મૂકું??

– ‘હા બે કપ મુકજો.. મહેમાન આવવાના છે..' કહી વસંતભાઈએ ફોન લગાડ્યો.. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો..

થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધું જ પુછ્યુ: બેટા, મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?

– ‘’આવે લગભગ સાડા પાંચ .છ કરોડ..‘’

– અને મને આજ સાંજ સુધીમા રોકડા રૂપિયા હાથમા જોતા હોય તો??

પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો..

– ‘’અરે જુવે છે શુ?
–હું મશ્કરી નથી કરતો.. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે.. મારે કાલ સવાર સુધીમા બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો છે.. થોડું આમ-તેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમા જોઈએ..‘’

પંકજે ત્યા બેઠાબેઠા બે ત્રણ પાર્ટી ને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો..

– "હવે બેટા.. એક કામ બીજું કર.. "
અત્યારે જ બરોડામાં સારા એરિયામા ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે.."

ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરી નાખ્યો.. ફ્લેટ લીધા પછી પણ ધણી મોટી રકમ હાથમા બચતી હતી... તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઇ શકે તેમ હતો..

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા..
બસ.. દરિયાને જોતા રહ્યા.. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે?? આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કળી શકાય છે??

સાંજના તેમણે દુર્ગા બહેનને બોલાવ્યા. – જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે, તમે કાલથી છુટ્ટા.. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે.. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચ લાખ રૂપિયાનો ચેક છે..
તમે ગામ માં તમારા પરિવાર સાથે જ ને આનંદથી રહો..

દુર્ગા બહેન રડી પડ્યા..
– ‘’સાહેબ, તમે એકલા ક્યાં જશો?"

—‘એક્લો ક્યાં..?? મારો પ્રભુ તો મારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને..'

બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો.. સાથે પોતાની થોડીક વસ્તુઓ
અને પત્ની શાંતિ બહેનનો ફોટો લિધો..
બસ, ફ્લાઇટમાં બરોડા પહોચ્યા.
ફ્લેટ સરસ હતો. Vધીમે ધીમે બધું ગોઠવાતું ગયુ.. જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિયો ચાલુ કરી.. બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો..

મંજરીએ ઘરની બેલ વગાડી..

એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો..
–‘કોનુ કામ છે?'
મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી..
ત્યાં તો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો.. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા..

– ‘અરે ભાઇ, ક્યાં જાવ છો?‘

– અરે મારા ઘરમાં..
–પપ્પા પપ્પા... દુર્ગા બહેન..’
-તેણે બુમપાડી..

બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા..

– ’અરે તમે બધા કોણ છો?

–'આ મારું ઘર છે’

–‘તમારુ ઘર?'

ભાઇ, તમને કઇંક ભૂલ થતી લાગે છે..
હજુ પંદર દિવસ પહેલા જ અમે અહી રહેવા આવ્યા છીયે.. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદીયો છે..’

–દીપકનું માંથુ ચક્કર ખાઇ ગયુ..
તે નીચે ઉતર્યો.
તેણે વોચમેનને પુછ્યુ:
વોચમેનને કઈં ખબર નહોતી..
આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી..
દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો..
ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા..

બિલ્ડીંગના સેક્રેટરીથી ખબર પડી કે,
આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે..!!

દીપક ઘા ખાઈ ગયો..
પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો...

બહુ જ સરસ નિર્ણય..👌🏼👌🏼👌🏼
વસંત ભાઇ...🙏🏼

ફેસબુકમિત્ર રિતેશ દાવડાની દીવાલ પરથી... સાભાર ઉઠાંતરી

Saturday, July 6, 2019

अश्लीलता

बुरा लगे तो #sorry!!
लड़कियो के अधनग्न घूमने पर जो लोग या स्त्रिया ये कहते है की कपडे नहीं सोच बदलो
उन लोगो से मेरे कुछ प्रश्न है !!
1)हम सोच क्यों बदले?? सोच बदलने की नौबत आखिर आ ही क्यों रही है??? आपके अनुचित आचरण के कारण ??? और
आपने लोगो की सोच का ठेका लिया है क्या?? पहली बात
2) दूसरी बात आप उन लड़कियो की सोच का आकलन क्यों नहीं करते?? कि उन्होंने क्या सोचकर ऐसे कपडे पहने कि उसके पीठ जांघे इत्यादि सब दिखाई दे रहा है....इन कपड़ो के पीछे उसकी सोच क्या थी?? एक निर्लज्ज लड़की चाहती है की पूरा पुरुष समाज उसे देखे,वही दूसरी तरफ एक सभ्य लड़की बिलकुल पसंद नहीं करेगी की कोई उसे इस तरह से देखे
3) कुछ लड़किया कहती है कि हम क्या पहनेगे ये हम तय करेंगे....पुरुष नहीं.....
जी बहुत अच्छी बात है.....आप ही तय करे....लेकिन हम पुरुष भी किन लड़कियो का सम्मान/मदद करेंगे ये भी हम तय करेंगे, स्त्रीया नहीं.... और हम किसी का सम्मान नहीं करेंगे इसका अर्थ ये नहीं कि हम उसका अपमान करेंगे
सत्य यह है कीअश्लीलता को किसी भी दृष्टिकोण से सही नहीं ठहराया जा सकता। ये कम उम्र के बच्चों को यौन अपराधो की तरफ ले जाने वाली एक नशे की दुकान है।।और इसका उत्पादन स्त्री समुदाय करता है।
मष्तिष्क विज्ञान के अनुसार 4 तरह के नशो में एक नशा अश्लीलता भी है।
यदि यह नग्नता आधुनिकता का प्रतीक है तो फिर पूरा नग्न होकर स्त्रीया अत्याधुनिकता का परिचय क्यों नहीं देती????
गली गली और हर मोहल्ले में जिस तरह शराब की दुकान खोल देने पर बच्चों पर इसका बुरा प्रभाव पड़ता है उसी तरह अश्लीलता समाज में यौन अपराधो को जन्म देती है।।
इसलिए पूरे समाज का संस्कारित होना अति आवश्यक है !!
Yes or No?

अगर किसी को बुरा लगे तो उसके लिए क्षमा चाहता हूं
और अगर अच्छा लगे तो एक शेयर जरूर करना

🙏🙏🙏🙏 कविता शर्मा

Wednesday, July 3, 2019

બુફે જમણવાર (આજની ખરી વાસ્તવિકતા)

નવી પેઢીને કદાચ ખબર હોય કે ના હોય. અમે નાના હતાં ત્યારે કોઈ જમણવારમાં જઈએ તો પતરાળાં અને પડીયા પહેલાં આવે પછી એમાં પીરસણીયા વારાફરતી બધું પીરસે આપણે જમવાનું. બધાને ખાવું હોય એટલું સરખું જ પીરસાય. ઘણા વધુ લઈ લે અથવા વધારે પીરસાઈ પણ જાય. બગાડ પણ થાય, પણ કોઈ ભૂખ્યું ના રહી જાય. ઘણી જગ્યાએ પોતાની થાળીઓ લઈને જવાનો પણ રીવાજ હતો. સુખી ઘરના ત્યાં જમણવાર હોય કે જાનમાં મોંઘેરા મહેમાન તરીકે જઈએ તો પાટલા મંડાય ને ચકચકીત થાળીઓમાં જમવાનું પીરસાય. પતરાળાં પછી સ્ટીલની થાળી વાટકા આવ્યાં, ત્યાર પછી મેલામાઈનની ડીસો આવી, જમીન પર બેસવાનું બંધ થયું ટેબલ ખુરશી આવી ગયા પણ પીરસવાનું ચાલું હતું.

હવે બુફે સિસ્ટમ આવી ગઈ છે. ટેબલ પર બધું મૂકેલું હોય એમાંથી જાતે લઈ લેવાનું. જો કે આપણને મદદ કરવા ટેબલ પર મૂકેલું હોવા છતાં, જાતે લેવાનું હોવા છતાં જૂની આદતો જલ્દી જાય નહિ એટલે પાછા ત્યાં પણ પીરસણીયા ઊભા રાખતા હોઈએ છીએ તે અલગ વાત છે.

આ ૧૫૩ શબ્દોની પ્રસ્તાવના ઉપર મુજબ એટલે ઠોકી કે આપણે એવું માની બેઠાં છીએ કે કુદરતના જમણવારમાં બધાને જોઈએ તેટલું મળી રહે છે. કુદરત જાણે જૂના જમાનાના જમણવાર જેવી હોય, આપણે આરામથી બેસવાનું અને કુદરત નવરી હોવાથી દરેકને એના પેટ પ્રમાણે આપણ બાદશાહોને પીરસવા આવે. એટલે આપણા તત્વજ્ઞાનીઓ પણ તત્વજ્ઞાન ઠોકતાં હોય છે કીડીને કણ હાથીને મણ, તને પણ, મને પણ. બધાને જરૂર પૂરતું મળી જ રહે છે. દાંત આપ્યા હોય તો ચાવણું આપે જ છે. ભૂખ્યાં ઊઠાડે પણ ભૂખ્યાં સુવાડે નહિ. વગેરે વગેરે અવાસ્તવિક વારતાઓ માંડતા હોય છે. વાસ્તવમાં એવું હોતું નથી કારણ ભૂખ્યાં સૂનારા કદી તત્વજ્ઞાન પીરસવા આવતા નથી. ભર્યાપેટ વાળા બધાં જ્ઞાન પીરસતાં હોય છે.

ખરેખર કુદરતનું રાજ બુફે ડીનર જેવું છે. એ તમને પીરસવા નવરી નથી, એ ના તમારી થાળીમાં પીરસવા આવે ના થાળીમાંથી છીનવી લેવાં. એના ટેબલ પર બધાને બધુ જ મળી રહે તેટલું બીછાવેલું જ છે. હવે તમારે તમારી રીતે જાતે લેવાનું છે. જરૂર કરતાં વધારે ના લઈને બીજાના ભાગમાં આવવા દેવાની સમજ તમારે જ કેળવવાની છે. પણ આપણે એવું કરતા નથી. કુદરતના ટેબલ પર લૂંટાલૂંટ ચાલી રહી છે. એટલે જે જબરા છે એ જરૂર કરતાં વધારે મેળવી જાય છે ને નબળા ભૂખે મરે છે, ટાઢે મરે છે, તડકે તપે છે. એમાંથી પછી નક્સલ જેવા હિંસક વાદ પેદા થાય છે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં ૧૪૦ કરોડમાંથી ૮૩ કરોડ લોકો રોજના ૨૦ થી ૩૫ રૂપિયામાં જીવન ચલાવે છે ને લગભગ ૨૦ કરોડ લોકો રાતે ભૂખ્યાં સૂઈ જાય છે. ભૂખમરા સૂચકાંકની યાદીના ૧૧૯ દેશોમાં ૧૦૩ નંબર ઉપર આવી ગયાં છીએ, જ્યાં ભૂખ્યા ઊઠાડે પણ ભૂખ્યા સૂવાડે નહિ તેવી ફિલોસફી સૌથી વધુ ચાલે છે. આવી બકવાસ ફિલોસોફી માથે મારનારા કદાચ પેલા જબરા આડેધડ લૂંટણીયાઓના પ્રતિનિધી પણ હોઈ શકે અથવા એમાંના જ એક હોવાની સંભાવનાઓ વધુ હોઈ શકે.
અધિક કામ નહિ પણ
અનિયમિત કામ ને લીધે જ
આપણ ને નિષ્ફળતા અને
તનાવ અનુભવાય છે !!!

Monday, July 1, 2019

ક્લબ ૯૯ (એક પ્રેરણા)

!!! ક્લબ ૯૯ !!!

એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ ફરતાં હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, "હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"
મંત્રી એ હસીને જવાબ આપ્યો, "એ લોકો ક્લબ ૯૯ નાં સભ્યો નથી અને તમે છો ને એટલે!!"
"ક્લબ ૯૯? એ શું છે??" રાજા ને આશ્ચર્ય થયું.
મંત્રી એ કહ્યું, "મને ૯૯ સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ." રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને ૯૯ સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ ૯૯ સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર.....નવ્વાણું.
કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો ૯૯ નો જ આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, "તું આ સોનામહોર ગણ. એને ય આંકડો ૯૯ નો જ આવ્યો."

સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી ૧૦૦ સોનામહોર થઈ જશે." એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણી......તો આંકડો ૯૭ નો જ આવ્યો.
"આમાંથી બે સોનામહોર ઓછી કેવી રીતે થઈ ગઇ?" એણે અતિશય ગુસ્સામાં કહ્યું.
એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, "બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ સાડી ......કેવી લાગે છે ?"
પતિનો પિત્તો ગયો, "તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?"
"તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો", પત્નીએ છણકો કર્યો.
એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

"સોનામહોર ઘટતી ગઈ"......અને......."કંકાસ વધતો ગયો."

બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું.
ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, "શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?"
મંત્રીએ હસીને જવાબ આપ્યો, "રાજન! હવે આ લોકો પણ ક્લબ ૯૯ ના સભ્યો છે." "તમે આપેલી ૯૯ સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ ૯૯ સોનામહોર ને ૧૦૦ કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું."

આપણામાંથી એવા ઘણા છે જેની પાસે ૯૯ સોનામહોર પડેલી જ છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં ને માથાકૂટમાં એ ૯૯ સોનામહોર ખોટી જગ્યા એ વેડફાઈ જાય છે અથવા તો સોનામહોરો એમને એમ મૂકીને પોતે જ ગુજરી જાય છે.

જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો ૯૯ ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને ૯૯ સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!

મારી નમ્ર વિનંતી છે કે.......
જો તમે પણ ક્લબ ૯૯ની સભ્ય ફી ભરી હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેશો.

આભાર. પ્રણામ...

Sunday, June 30, 2019

મદદ

મદદ...

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?" તેણે પૂછ્યું. મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?"

સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "

રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં.

મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.

તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."

"કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."

મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."

પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.

વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."

"ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.

જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."

મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."

મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!

મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે...
કરે છે કામ નકશા પણ, દિવાલો બાંધવા માટે,
તને નાહકનો વાંધો છે , બિચારા એક કડિયા થી.

ફાલતુ અર્થહીન સવાલ (શબ્દોમાં બહુ તાકાત છે)

એક સહેલી એ બીજી પૂછ્યું : - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી?
સાહેલીએ કહ્યું - કંઈ નહીં
તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે?
શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેનાય પૈસા નથી ? શું તેની નઝર માં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ..

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા , અંતે મનમુટાવ ની શરુવાત.....
આજ મુદ્દા પર વારંવાર ની લડાઈ ઝગડા આખર માં વાત છૂટાછેડા સુધી પહુંચી
જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલ થી

બીજો કિસ્સો...
રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું : - ક્યાં કામ કરો છો?
પવન ફલાણી ફલાણી દુકાનમાં ..
રવિ :- બોસ કેટલી પગાર આપે છે?
પવન :- 18 હજાર ..
રવિ :-18000 બસ !!!, તમે આટલા અમથા પગાર માંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો ...
પવન :- (એક ઊંડો શ્વાસ લઇ ને ) યાર મુશ્કેલી તો છે જ !
પવન ને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી .. શેઠએ પગાર વધારવાની ના પડી , પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો ..

ત્રીજો કિસ્સો :-
એક સાહેબે એક માણસને કહ્યું . તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે.. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?
પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે .. તેને એક નાનું બાળક પણ છે, બિચારા ને સમય જ નથી મળતો .

પ્રથમ માણસ કહ્યું :- વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ?. આતો બધા બહાના છે
વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી .. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે, ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે ..
આખિર મન નો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી,

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે. આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે
ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ , પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમ ના બીજ મુકતા આવીએ છીએ
વિચાર જો ..............

તિરંગાનો પાંચમો રંગ

"બોલો તિરંગામાં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો.

બધા હસવા લાગ્યા, "તિરંગામાં ત્રણ જ રંગ હોય ને ?"
ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું " તારો જવાબ અલગ છે ?"
એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી " પાંચ."

અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફથી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકોને સ્પર્ધક તરીકે મોકલાવીને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા "બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ " જીતવાની હોડમાં રહેતાં. આ સ્પર્ધાનું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને "ગ્રાન્ડ ફિનાલે" કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો. સૌ જાણતા જ હશો કે આવી સ્પર્ધાઓનું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબરરૂપે પહેલાથી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિકથી એડિટ કરીને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલેનો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાકના સમયની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાકનો સમય ફાળવ્યો હતો.
માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શકને, જુના સ્પર્ધકને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકોને એક સવાલ પૂછ્યો . "બોલો તિરંગામાં કેટલા રંગ છે ?"
આપણી ચાર્મીએ જવાબ આપ્યો "પાંચ."

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરત જ ચાર્મીને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવામાં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલમાં એની અને એની સ્કૂલની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુમાં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલનું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સ્પર્ધા કેટલાં લેવલ સુધી હતી ?
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરીથી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્યની છોળો ફરી વળી આખા ઑડિટોરિમમાં. કેટલાક ચતુર લોકોએ એની મુર્ખામીને તાળીઓથી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભામાં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલમાં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારીમાં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાથી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગામાં સૌથી ઉપરના ભાગમાં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.

ચાર્મી : બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગાના વચલાં ભાગમાં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.

ચાર્મી : ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગાના સૌથી નીચલા ભાગમાં હોય છે.
હવે હોલમાં આનંદની ચરમસીમા હતી, સૌએ ઉભા થઈને તાળીઓ ચાલુ જ રાખી. સૌને હવે આગળનો ફિયાસ્કો માણવાની આતુરતા પરાકાષ્ઠાએ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.

ચાર્મી : ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગાના વચલા ભાગમાં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?

ચાર્મી : પાંચમો રંગ છે "લાલ" જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓનો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરીને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગામાં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ? (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાવીને ના પાડી). ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ?

ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.

આખા હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુમાંથી. એક એક આંખમાં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મીને તેડી એને પપ્પીઓથી નવડાવી દીધી અને બોલ્યો *"જે દિવસે આખા દેશને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદનો છેલ્લો દિવસ હશે."*

-ગિરિશ મેઘાણી

કથા બીજ : નિરંજનભાઈ કોરડીયા

मेरा बेटा मेरा अभिमान

મારો દીકરો મારું ગૃહસ્થંભ

આજકાલ "મારી દીકરી મારુ અભિમાન"
ખાસ્સુ ચાલ્યુ છે, એના સંદર્ભે થોડી વાત ..

આપણા સમાજમા અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે કે કરવામા આવ્યુ છે કે,
જે પૂણ્યશાળી હોય એના ઘર મા જ દિકરી હોય તો શું દિકરો હોય એ પાપી???

હા બેટી બચાવો અભિયાન ચાલતું જ રહેવું જોઈએ પણ તેમાં દીકરાના અવગુણના પ્રચાર કરવા જેવા કે માં બાપને વૃદ્ધાશ્રમમાં મુકવા, માં બાપ ને તરછોડનાર, માં બાપ પ્રત્યે કઠોર, વગેરે જેવી ઘણી બાબતો કહીને આપણે દિકરાને અન્યાય કરીએ છીએ, ઉતારી પાડીએ છીએ..
ઈશ્વર ની એ કૃપા પ્રસાદ ને ગાળ દઈએ છીએ..

જ્યારે હકિકત એ છે કે અમુક અપવાદ ને બાદ કરતા સામાજિક બધીજ જવાબદારી એક દિકરો જ ઉઠાવે છે...

સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી લાગણી દિકરી ને હોય તેટલી દિકરાને ન હોય,
પણ...એ તો પ્રકૃતિ એ પુરુષ નુ ઘડતર જ એવુ કર્યુ છે...

વાત રહી માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલવા ની..
શું પરણ્યા પહેલાં કોઈ દીકરા એ પોતાના માં બાપ ને તરછોડી ને વૃદ્ધાશ્રમ માં મૂક્યા હોય એવુું સાંભળ્યું છે?
... ના..

કેમકે એની પાછળ પણ દીકરાની પત્નીનું જ હાથ હોય છે.. કોઈપણ કેશ તપાસી લેવાની છૂટ ... ( દીકરી કે જે કોઈક પિતાની લાડલી, સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને!)

બીજી માં બાપ માટે એક મહત્ત્વની વાત કે, જેટલુ આપણે દિકરી જમાઈ સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ દિકરા વહુ માટે કરીએ છીએ???
એક વાર કરી તો જુઓ...

દિકરી લગ્ન પછી સાસરે જતી રહેશે,
પણ...
દીકરો આખુ જીવન સંઘર્ષ કરી મા બાપ ની સેવા કરે છે...
તથા તેના પરીવાર માટે રાત દિવસ મહેનત કરી પોતાનું આખુ જીવન મા બાપ તથા પરીવાર માટે સમર્પણ કરે છે...

😄 દીકરો એટલે શું???

દીકરો એટલે પાંગરેલી કૂંપળ...

દીકરો એટલે વજ્ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ...

દીકરો એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ...

દીકરો એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ...

દીકરો એટલે રફટફ બાઇકમાં ઝૂલતું કીચેઇન...

દીકરો એટલે માં બાપ સહિત પૂરા પરિવાર ને પોતાના ખભે લઈ જતો ભીમ સેન

દીકરો એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું...

દીકરી નું રુદન Whatsapp, FaceBook, ની દિવાલને ભિંજવતું હોય છે,
પણ દીકરા નું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!

કહેવાય છે કે દીકરી ને ચાહતા રહો સમજવાની જરુર નથી...
હું કહુ છું દીકરા ને બસ સમજી લો...આપોઆપ ચાહવા લાગશો...

Saturday, June 29, 2019

માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

એક શેઠે મોટી શોરૂમ ખોલ્યો....
અને શોરૂમના ઉદ્દઘાટન માં એક "બુઝુર્ગ" ને બોલાવ્યા.

બધી વિધિ પતી ગયા પછી શેઠે તેમને કહ્યું કે આ દુકાનમાં "એકવીસ હજાર" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"બુઝુર્ગ " હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..

મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

એરફ્રેશનર વગર કેટલા જણાનો
શ્વાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની
લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઈને
મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો
કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ
મુલાયમ અને કાળા થયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને
શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા દાદા ને કરમીયા થયાં હતા ?

ડિઓ છાંટીને નીકળ્યા પછી આપણને
કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે
આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયાં શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયું વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કે દિ' મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈ દિ' બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી દવા લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુ:ખી કરવો બહુ સહેલો છે.

માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુ:ખી,

લાઈટ જાય તો દુ:ખી,

મોબાઈલનું ચાર્જર બગડે દુ:ખી,

ટીવીનો કેબલ કપાઈ તો દુ:ખી,

મચ્છર મારવાની દવા ન મળે તો દુ:ખી,

બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,

કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુ:ખી કરી શકાય.

જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુ:ખી કરવો હોય તો ખુદ ચૌદ-ભુવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુ:ખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચારજો".

મેસેજ મારો બનાવેલો નથી મને પણ બીજા એ મોકલેલ છે મને સાચો અને સારો લાગ્યો એટલે મેં તમને મોકલ્યો........

આભાર....

Friday, June 28, 2019

સુવિચાર તો છે... પણ વિચારવા જેવો છે... ફક્ત વાંચી વોટ્સએપ કે ફેસબુક સ્ટેટ્સ માં મુકવા માટે નથી... હાલો વાંચી લ્યો....

શરીરમાં કોઈ દર્દ ન હોય છતાય ઉંઘ ન આવતી હોય તો બે કારણ હોય..

1. કરવાનું કામ બાકી રહી ગયું હોય,
2. ન કરવાનું કામ થઈ ગયું હોય.

🎊🎊

Tuesday, June 18, 2019

સૅમ્યુઅલ મોર્સ.

સહાધ્યાયીઓની ટીખળનું નિશાન બનનારા વિદ્યાર્થીએ પોતાનું નામ અમર કરી દીધું!
લોકો હાંસી ઉડાવે તો પણ પોતાની માન્યતા ન છોડવી જોઈએ

એક નાના છોકરાને વિજ્ઞાન પ્રત્યે બહુ લગાવ હતો. નાની ઉંમરથી જ તેણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું હતું.

તે વિદ્યાર્થીની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ તેની ટીખળ કરતા અને ઘણી વાર હાંસી પણ ઉડાવતા. જોકે તે છોકરો બધાને ગણકાર્યા વિના પોતાને ગમતા વિષયનાં પુસ્તકો વાંચતો રહેતો.

એક વાર તેના શિક્ષકે પણ તેને પૂછી લીધું કે તું માત્ર વૈજ્ઞાનિકો વિશેનાં અને વિજ્ઞાનના જ પુસ્તકો કેમ વાંચ્યા રાખે છે? બીજા વિષયનાં પુસ્તકો પણ વાંચવા જોઈએ ને ક્યારેક?

તે છોકરાએ જવાબ આપ્યો: ‘મારે વિજ્ઞાની બનવું છે એટલે મને વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવામાં જ રસ પડે છે.’

તે છોકરાનો એ જવાબ સાંભળ્યા પછી તેના સહાધ્યાયીઓએ તેની બહુ મજાક ઉડાવી. તે છોકરો હોશિયાર નહોતો એટલે બધાએ તેને કહ્યું કે વિજ્ઞાની બનવા માટે તો બુદ્ધિ જોઈએ!

તે છોકરો શિક્ષક અને સહાધ્યાયીઓની ટીકાટિપ્પણીઓથી સહેજ પણ ઢીલો ના પડ્યો. તેણે પોતાની એ માન્યતા ન છોડી કે મોટો થઈને પોતે વિજ્ઞાની બનશે.

તે છોકરો મોટો થઈને માત્ર વિજ્ઞાની નહીં, મહાન વૈજ્ઞાનિક બન્યો. ટેલીગ્રાફના સંશોધન દ્વારા તેણે દુનિયાને નાનકડી બનાવી દીધી. તે મહાન વૈજ્ઞાનિક એટલે સૅમ્યુઅલ મોર્સ.

સૅમ્યુઅલ મોર્સની ટીખળ કરનારા ઘેટાં જેવા સહાધ્યાયીઓ કોઈને યાદ નથી, પણ સૅમ્યુઅલ મોર્સે પોતાના પ્રદાન દ્વારા પોતાનું નામ અમર કરી દીધું.

સાભાર...
સુખનો પાસવર્ડ
આશુ પટેલ

Sunday, June 16, 2019

વિશ્વની સાત અજાયબીઓ

7 માં ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની 7 અજાયબીઓની નોંધ કરવાનુ વિદ્યાર્થીઓને કહ્યું. દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ 7 અજાયબીઓ લખી,

૧) ઈજિપ્તના પિરામિડ

૨) તાજમહાલ

૩) પિઝાનો ઢળતો મિનારો

૪) પનામા નહેર

૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડીંગ

૬) બેબીલોનના બગીચા

૭) ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. શિક્ષકે પુછ્યું, “કેમ બેટા, કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?…”

છોકરી એ જવાબ આપ્યો, “નહીં …એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી હોય એવું મને લાગે છે.”

શિક્ષકને નવાઇથી પૂછ્યું, “ચાલ બોલ જોઉં તો…, તેં કઈ સાત અજાયબીઓ લખી છે?”

પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી…
મારા માનવા મુજબ વિશ્વ ની સાત અજાયબીઓ છે,

૧) સ્પર્શવું

૨) સ્વાદ પારખવો

૩) જોય શકવું

૪) સાંભળી શકવું

૫) દોડી શકવું , કુદી શકવું

૬) હસવું અને

૭) ચાહવું , પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંતિ છવાઈ ગઈ....

મિત્રો ! ખરેખર વિચારવા જેવી વાત છે ને !

આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલી અદભૂત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ ! ! !

સાવજની ભાઇબંધી (ગીરના માલધારી)

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથીએક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો, માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં. આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. આ મિત્રતા હતી.

એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો.

પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.

જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા દ્યે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.

જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.

અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.

સાભાર :- આપણું ગીર fb ગ્રુપ
આલેખન .. અપૂર્વ બુચ
કોઈ ચાદર કામ નથી આવતી
જ્યારે સમય જ ખેંચતાણ કરે છે.

Saturday, June 15, 2019

આજનું શિક્ષણ વાલીઓ અને બાળકો

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે.

આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર ગર્વ લઇ રહી છે! પ્રાઈવેટ શાળાઓ અને કલાસીસનો રાફડો ફાટ્યો છે, અને વાંક એમાં શાળા કે કલાસીસ વાળા નો નથી. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક ફૂલ ને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે, અને કહે છે કે, અમારૂ બાળક કેટલું ટેલેન્ટેડ છે! અરે આ તો પોપટીયું જ્ઞાન છે.



માતા-પિતા જે પોતે મહેનત કરી પણ પોતાના લક્ષ્ય સુધી ન પહોચી શક્યા અને પોતાના જન્મ આપેલા જીવને મોંઘીદાટ સ્કૂલમાં ભણવા પર ભાર દેશે. વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટયુશનમાં: આતે કેવી જિંદગી આપો છો તમારા જીવથી વ્હાલા સંતાનને. ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક “સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં મા-બાપે પસંદ કરેલા મિત્રો સાથે જ રમવાનું, રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું! આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે!



જો તમે તમારી પ્રતિકૃતિને સફળ અને એક અલગ વ્યક્તિત્વ આપવા માંગો છો તો તેને ધીરજ, સંયમ, સહનશીલતા અને પડકાર સામે ઝઝૂમવાનું કૌશલ્ય આપો એ જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ નહિ છોડે.

આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહીં પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટયુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફો મારીને આવે એવી અંદરની તાકાત તે એકલા કેળવવા દો.

આજે એ શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં કયારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી બહાર રખડ્યો હશે તો કાલે ઉઠીને મૂછે વડ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે.

આ એકવીસમી પેઢીના મા-બાપ કઈ ગમાર કે અભણ તો નથી જ ! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની મહેનતુ જિંદગી માં સવારથી સાંજ સુધી કશું મેળવી શક્યા નથી એટલે સંતાનોના બાળપણ જીવન છીનવી લેવા ઉભાં થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજ કાલ આવી રીતે જ ભણે છે. અરે ભાઈ બધા ની વાત છોડો તમે તમારા ફૂલ ને કઈક નવા રંગો આપોને… બેટા તારી ભૂલ થોડી થાય એમ કહીને સમજાવવા ની શરૂઆત કરો તો જિંદગીઓ બદલાઈ જાશે.



દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક દીકરો હોય, અને રસ્તે રખડતાં કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવો ડર લાગતો હોય તો સંતાન જ ન કરાય. આ દુનિયામાં લાવ્યા છો તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવીસાઈકલ-સ્પોર્ટ્સ-બુકસ-ક્રિકેટ-ગલ્લીદંડા, કેરમ, ચેસ રમવા કે ધમાલ મસ્તી કરવા દો. એમને ભવિષ્યની તાલીમ દેવાની જરૂર નથી. એનામાં ખૂમારીહિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને તમે ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો.

ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને કયાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો. બાળકનું કરિયર તમે પ્લાન ન કરો. એને સમય પર છોડી દો. પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે.

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે “એને ગમે ત્યારે જ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ બનાવેલ છે.) એની ચર્ચા ના હોય કેહજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ હેરાન કરશે. એ કયાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ ફાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગપ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે.

એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો તો પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેશે. એ બેડ ટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો.

સાભાર
– રાકેશ નાકરાણી
Patelsamaj.co.m

Friday, June 14, 2019

प्राक्रतिक चीजों को अपनाओ

भारत के बड़े कलाकार और खिलाड़ी जो किसी गंभीर बीमारी से जूझ रहे है या भूतकाल में उन्हें ये बीमारी हो चुकी है।

पहले ध्यान से ये लिस्ट देख लीजिए👇🏼
सोनाली बेंद्रे - कैंसर
अजय देवगन - लिट्राल अपिकोंडिलितिस (कंधे की गंभीर बीमारी)
इरफान खान - कैंसर
मनीषा कोइराला - कैंसर
युवराज सिंह - कैंसर
सैफ अली खान - हृदय घात
रितिक रोशन - ब्रेन क्लोट
अनुराग बासु - खून का कैंसर
मुमताज - ब्रेस्ट कैंसर
शाहरुख खान - 8 सर्जरी (घुटना, कोहनी, कंधा आदि)
ताहिरा कश्यप (आयुष्मान खुराना की पत्नी) - कैंसर
राकेश रोशन - गले का कैंसर
लीसा राय - कैंसर
राजेश खन्ना - कैंसर

ये वो लोग है या थे। जिनके पास पैसे की कोई कमी नहीं है।खाना हमेशा डाइटीशियन की सलाह से खाते है। दूध भी ऐसी गाय या भैंस का पीते है जो AC में रहती है और बिसलेरी का पानी पीती है। जिम भी जाते है। रेगुलर शरीर के सारे टेस्ट करवाते है। सबके पास अपने हाई क्वालिफाइड डॉक्टर है।

अब सवाल उठता है। कि आखिर अपने शरीर की इतनी देखभाल के बावजूद भी इन्हें इतनी गंभीर बीमारी अचानक कैसे हो गई।

क्योंकि ये प्राक्रतिक चीजों का इस्तेमाल बहुत कम करते है। या मान लो बिल्कुल भी नहीं करते। जैसा हमें प्रकृति ने दिया है उसे उसी रूप में ग्रहण करो वो कभी नुकसान नहीं देगा। कितनी भी फ्रूटी पी लो वो शरीर को आम के गुण नहीं दे सकती। अगर हम इस धरती को प्रदूषित ना करते तो धरती से निकला पानी बोतल बन्द पानी से लाख गुण अच्छा था।

आप एक बच्चे को जन्म से ऐसे स्थान पर रखो जहां एक भी कीटाणु ना हो ।
बड़ा होने से बाद उसे सामान्य जगह पर रहने के लिए छोड़ दो वो बच्चा एक सामान्य सा बुखार भी नहीं झेल पाएगा

क्योंकि उसके शरीर का तंत्रिका तंत्र कीटाणुओ से लड़ने के लिए विकसित ही नही हो पाया। कंपनियों ने लोगो को इतना डरा रखा है। मानो एक दिन साबुन से नहीं नहाओगे तो तुम्हे कीटाणु घेर लेंगे और शाम तक पक्का मर जाओगे। समझ नहीं आता हम कहां जी रहे है।

एक दूसरे से हाथ मिलाने के बाद लोग सेनिटाइजर लगाते हुए देखे है मैंने। इंसान सोच रहा है। पैसों के दम पर हम जिंदगी जियेंगे।

कभी गौर किया है 🤔 👇🏼पिज़्ज़ा बर्गर वाले.....

शहर के लोगों की एक बुखार में धरती घूमने लगती है। और वहीं दूध दही छाछ के शौकीन गांव के बुजुर्ग लोगों का वही बुखार बिना दवाई के ठीक हो जाता है। क्योंकि उनकी डॉक्टर प्रकृति है। क्योंकि वे पहले से ही सादा खाना खाते आए है।

प्राक्रतिक चीजों को अपनाओ विज्ञान के द्वारा लैब में तैयार हर एक वस्तु शरीर के लिए नुकसानदायक है

पैसे से कभी भी स्वस्थ और खुशियां नहीं मिलती।



Wednesday, June 12, 2019

बलात्कार अचानक इस देश मे क्यो बढ़ गए ?

आओ देखे समस्या कहां है
कुछ समझने की कोशिश करें

#बलात्कार अचानक इस देश मे क्यो बढ़ गए ?

कुछ उद्धरण से समझते हैं

1) लोग कहते हैं कि #रेप क्यों होता है ?

एक 8 साल का लडका सिनेमाघर मे राजा हरिशचन्द्र फिल्म देखने गया और फिल्म से प्रेरित होकर उसने सत्य का मार्ग चुना और वो बडा होकर महान व्यक्तित्व से जाना गया ।

#परन्तु
आज 8 साल का लडका #टीवी पर क्या देखता है ?
सिर्फ #नंगापन और #अश्लील वीडियो और #फोटो ,मैग्जीन मेंअर्धनग्न फोटो ,पडोस मे रहने वाली भाभी के छोटे कपडे !!

लोग कहते हैं कि रेप का कारण बच्चों की #मानसिकता है ।
पर वो मानसिकता आई कहा से ?
उसके जिम्मेदार कहीं न कहीं हम खुद जिम्मेदार है । कयोकि हम #joint family नही रहते ।
हम अकेले रहना पसंद करते हैं । और अपना परिवार चलाने के लिये माता पिता को बच्चों को अकेला छोड़कर काम पर जाना है । और बच्चे अपना अकेलापन दूर करने के लिये #टीवी और #इन्टरनेट का सहारा लेते हैं ।
और उनको देखने के लिए क्या मिलता है सिर्फ वही #अश्लील# #वीडियो और #फोटो तो वो क्या सीखेंगे यही सब कुछ ना ?
अगर वही बच्चा अकेला न रहकर अपने दादा दादी के साथ रहे तो कुछ अच्छे संस्कार सीखेगा ।
कुछ हद तक ये भी जिम्मेदार है ।

2) पूरा देश रेप पर उबल रहा है,
छोटी छोटी बच्चियो से जो दरिंदगी हो रही उस पर सबके मन मे गुस्सा है, कोई सरकार को कोस रहा, कोई समाज को तो कई feminist सारे लड़को को बलात्कारी घोषित कर चुकी है !

लेकिन आप सुबह से रात तक
कई बार sunny leon के कंडोम के add देखते है ..!!
फिर दूसरे add में रणवीर सिंह शैम्पू के ऐड में लड़की पटाने के तरीके बताता है ..!!
ऐसे ही Close up, लिम्का, Thumsup भी दिखाता है #लेकिन_तब_आपको_गुस्सा_नही_आता है, है ना ?

आप अपने छोटे बच्चों के साथ music चैनल पर सुनते हैं
दारू बदनाम कर दी ,
कुंडी मत खड़काओ राजा,
मुन्नी बदनाम , चिकनी चमेली, झण्डू बाम , तेरे साथ करूँगा गन्दी बात, और न जाने ऐसी कितनी मूवीज गाने देखते सुनते है
#तब _आपको_गुस्सा_नही_आता ??

मम्मी बच्चों के साथ Star Plus, जी TV, सोनी TV देखती है जिसमें एक्टर और एक्ट्रेस सुहाग रात मनाते है । किस करते है । आँखो में आँखे डालते है
और तो और भाभीजी घर पर है, जीजाजी छत पर है, टप्पू के पापा और बबिता जिसमे एक व्यक्ति दूसरे की पत्नी के पीछे घूमता लार टपकता नज़र आएगा
पूरे परिवार के साथ देखते है ।-
#इन_सब_serial_को_देखकर_आपको_गुस्सा_नही_आता ??

फिल्म्स आती है जिसमे किस (चुम्बन, आलिंगन), रोमांस से लेकर गंदी कॉमेडी आदि सब कुछ दिखाया जाता है ।
पर आप बड़े मजे लेकर देखते है
इन_सब_को_देखकर_आपको_गुस्सा_नही_आता ??

खुलेआम TV- फिल्म वाले आपके बच्चों को बलात्कारी बनाते है, उनके कोमल मन मे जहर घोलते है ।
#तब_आपको_गुस्सा_नही_आता ?
क्योकि
आपको लगता है कि
रेप रोकना सरकार की जिम्मेदारी है । पुलिस, प्रशासन, न्यायव्यवस्था की जिम्मेदारी है ....
लेकिन क्या समाज, मीडिया की कोई जिम्मेदारी नही । अभिव्यक्ति की स्वतंत्रता की आड़ में कुछ भी परोस दोगे क्या ?

आप तो अखबार पढ़कर, News देखकर बस गुस्सा निकालेंगे, कोसेंगे सिस्टम को, सरकार को, पुलिस को, प्रशासन को , DP बदल लेंगे, सोशल मीडिया पे खूब हल्ला मचाएंगे, बहुत ज्यादा हुआ तो कैंडल मार्च या धरना कर लेंगे लेकिन....

TV, चैनल्स, वालीवुड, मीडिया को कुछ नही कहेंगे । क्योकि वो आपके मनोरंजन के लिए है ।
सच पुछिऐ तो TV Channels अशलीलता परोस रहे है ...
पाखंड परोस रहे है ,
झूंठे विषज्ञापन परोस रहे है ,
झूंठेऔर सत्य से परे ज्योतिषी पाखंड से भरी कहानियां एवं मंत्र , ताबीज आदि परोस रहै है ।
उनकी भी गलती नही है, कयोंकि आप खरीददार हो .....??
बाबा बंगाली, तांत्रिक बाबा, स्त्री वशीकरण के जाल में खुद फंसते हो ।

3) अभी टीवी का खबरिया चैनल मंदसौर के गैंगरेप की घटना पर समाचार चला रहा है |

जैसे ही ब्रेक आये :
पहला विज्ञापन बोडी स्प्रे का जिसमे लड़की आसमान से गिरती है ,
दूसरा कंडोम का ,
तीसरा नेहा स्वाहा-स्नेहा स्वाहा वाला ,
और चौथा प्रेगनेंसी चेक करने वाले मशीन का......
जब हर विज्ञापन, हर फिल्म में नारी को केवल भोग की वस्तु समझा जाएगा तो बलात्कार के ऐसे मामलों को बढ़ावा मिलना निश्चित है ......

क्योंकि
"हादसा एक दम नहीं होता,
वक़्त करता है परवरिश बरसों....!"
ऐसी निंदनीय घटनाओं के पीछे निश्चित तौर पर भी बाजारवाद ही ज़िम्मेदार है ..

4) आज सोशल मीडिया इंटरनेट और फिल्मों में @पोर्न परोसा जा रहा है ।
तो बच्चे तो बलात्कारी ही बनेंगे ना
😢😢😢

ध्यान रहे समाज और मीडिया को बदले बिना ये आपके कठोर सख्त कानून कितने ही बना लीजिए ।
ये घटनाएं नही रुकने वाली है ।

इंतज़ार कीजिये बहुत जल्द आपको फिर केंडल मार्च निकालने का अवसर
हमारा स्वछंद समाज, बाजारू मीडिया और गंदगी से भरा सोशल मिडीया देने वाला है ।

अगर अब भी आप बदलने की शुरुआत नही करते हैं तो समझिए कि ......

फिर कोई भारत की बेटी
निर्भया
गीता
ट्विं‍कल
असिफ़ा
संस्कृति
की तरह बर्बाद होने वाली है
🙏भारतीय संस्कृति भारतीय सभ्यता का विनाश ना होने पाए बचाए इसे🙏

कृपया जो सहमत ना हो ग्यान ना देवे.......

અભણ માઁ

દીકરા નું 12 મા નું પરિણામ આવ્યું....

પપ્પા બોલ્યા વાહ બેટા સરસ....

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ મા લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% સાથે પાસ થયો છે..."

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ English માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

માઁ ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..

ત્યારે તેના પપ્પા બોલ્યા;

" બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે,

તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે."

તારી માઁ ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે...

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે...

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે...

આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે...

તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે...

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે....

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁ એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે...

દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો:

" માઁ " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...

માઁ આજે 90% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે...

કારણ કે આજે મેં અભણ માઁ ના સ્વરૂપ માં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે.....