Tuesday, August 30, 2016

🙏🍁 *विचारणीय* 🍁🙏

🍚 *लड्डू* - भारतीय संस्कृति !
जो दाने को दाने से जोड़ कर
उत्सव मनाने का सन्देश देता है |
:
🎂 *केक* - पश्चिमी संस्कृति !
जो काट कर, बांट कर
उत्सव मनाने को दर्शाता है |

posted from Bloggeroid

Monday, August 29, 2016

🍃🍁🌿🌻🙏🙏🌻🌿🍁🍃

💐👌🏻अच्छा दिखने के लिये..
मत जिओ, बल्कि ..
अच्छा बनने के लिए.. जिओ💐

💐👌🏻जो खुद झुक सकता है,
वह सारी दुनिया को... झुका सकता है💐

💐👌🏻गंगा में डुबकी लगाकर..
तीर्थ किये हजार...,
इनसे क्या होगा ..,
अगर.. बदले नहीं ..विचार💐

💐👌🏻क्रोध हवा का वह झोंका है ,
जो ..
बुद्धि के... दीपक को बुझा देता है💐

💐👌🏻अगर बुरी आदत...
समय पर.. न बदली जाये,
तो..
बुरी आदत.. समय बदल देती है💐

💐
हमेशा प्रेम की भाषा.. बोलिए,
क्योंकि..
इसे बहरे.. भी सुन सकते हैं
और गुंगे.. भी समझ सकते हैं💐

💐👌🏻चलते रहने से ही..
सफलता मिलती है,
वरना..
रुका हुआ तो... पानी भी..
बेकार.. हो जाता है💐

💐👌🏻झूठे दिलासे देने से...
स्पष्ट इंकार..करना बेहतर है💐

💐👌🏻खुद की भूल स्वीकारने में..
कभी संकोच.. मत करो💐

💐👌🏻अच्छी सोच.., अच्छी भावना..,
अच्छा विचार..,
मन को.. हल्का करता है💐

💐👌🏻मुसीबत सब पर आती है,
कोई.. बिखर जाता है !
और कोई.. निखर जाता है 💐

💐👌🏻सबसे अधिक समझदार..
वह है - जो..
अपनी कमियो को जानकर..
उनका सुधार.. कर सकता हो💐

posted from Bloggeroid

Sunday, August 28, 2016

Success story

12 વર્ષની ઉંમરનો એક બાળક છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકદિવસ આ છોકરો રમતા રમતા એક અમીર માણસનાં ઘરમાં જઇ ચડ્યો. અમીર માણસે છોકરાને એના ઘરના આંગણામાં જોયો એટલે એના પર તાડૂક્યા. ગુસ્સે થઈને છોકરાને કહ્યું, "તું સાયકલ રિક્ષા ચલાવનારા એક સામાન્ય માણસનો દીકરો છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મુકવાની ?

છોકરો હેબતાઈ ગયો. 'આ અંકલ આટલા બધા ગુસ્સે કેમ થાય છે' એ એને સમજાતું નહોતું. બીજા દિવસે શાળામાં એક શિક્ષકને આ છોકરાએ વાત કરી. પેલા શિક્ષકે સમજાવ્યું કે બેટા, તારા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એ ભાઈએ તારું અપમાન કર્યું. નાના છોકરાએ પૂછ્યું, "સર, પણ કોઈ મારું અપમાન ના કરે એવું કરવું હોય તો મારે શું કરવું જોઈએ"? શિક્ષકે મજાક મજાક માં કહ્યું "એક કામ કર, તું કલેકટર બની જા પછી તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સામે કોઈ નહિ જુવે અને ક્યારેય કોઈ તારું અપમાન પણ નહિ કરે"

કલેકટર શું કહેવાય એની આ છોકરાને કંઈ જ ખબર નહોતી પણ એને એ જ ક્ષણે નક્કી કર્યું કે મારે કલેકટર થવું છે. પછી તો અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ ધ્યેય વધુ સ્પષ્ટ થતું ગયું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પરીક્ષાની તૈયારી માટે આ છોકરો દિલ્હી આવ્યો. સાયકલ રિક્ષા ચલાવીને માંડમાંડ પરિવારનો ગુજારો કરતા પિતાજીએ પણ છોકરાને ભણાવવા દેવું કર્યું. છોકરો પણ કોઈ ખોટો ખર્ચો નાં કરે બે મહિના તો માત્ર 2 વખત ચા પીવાના પૈસા નાં હોય એવી સ્થિતિમાં કાઢ્યા.

આ છોકરાએ કલેકટર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી. પરિક્ષના પહેલા 2 સ્ટેજ પાસ પણ કરી લીધા. હવે ઇન્ટરવ્યૂમાં જવાનું હતું પણ એની પાસે પહેરવાના સારા કપડાં કે બુટ કંઈ જ નહોતું. છોકરાની મોટી બહેન પરણીને સાસરે ગયેલી એણે પોતાની પ્રસુતિ માટે 2000 બચાવેલા. આ 2000 એમણે કપડાં અને બુટ લેવા માટે નાના ભાઈને આપી દીધા.

રિક્ષા ડ્રાઇવરના દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને કલેકટર પણ બન્યો. આ છોકરાનું નામ છે ગોવિંદ જયસ્વાલ. બાળપણમાં થયેલા અપમાને ગોવિંદને એવી લગની લગાડી કે એણે દુનિયાની સૌથી અધરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી દીધી. કલેકટર બનેલા ગોવિંદના ચહેરા પર તમને જે આનંદ દેખાશે એના કરતા સાયકલ રિક્ષા ચલાવતા એના પિતાના ચહેરા પર બમણો આનંદ દેખાશે.

મિત્રો, જો મનોબળ મજબૂત હોય અને ધ્યેય પ્રાપ્તિ માટે સમર્પણભાવથી પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવતા રોકી ના શકે.

posted from Bloggeroid

*કોઇએ મને પુછ્યું શુ બનવું* *જોઈએ....?*

*ક્યાં ક્ષેત્રમાં તકો છે .....?*

મેં કહ્યુ પહેલા એક સારો _*માણસ*_ બની જવાય....

*_એમા સ્કોપ પણ સારા છે* *_અને કોંમ્પીટીશન પણ નથી._*

posted from Bloggeroid

आए
👫 रिश्तेदार हो गये व्हाट्सऐप पे
💃🏃 मिलने कहाँ से आए
😂😂😪😥😰😂😂
: मंदिर के बाहर लिखा हुआ एक खुबसुरत सच......
"अगर उपवास करके भगवान खुश होते,
तो इस दुनिया में बहुत दिनो तक खाली पेट
रहनेवाला भिखारी सबसे सुखी इन्सान होता..
उपवास अन्न का नही विचारों का करे....
इंसान खुद की नजर में सही होना चाहिए, दुनिया तो भगवान से भी दुखी है!
🍌🍎🍏🍊🌞🌿😄
आज का विचार:
चिड़िया 🐥जब जीवित रहती है
तब वो किड़े-मकोड़े🐛 को खाती है।
और चिड़िया🐣 जब मर जाती है तब
किड़े-मकोड़े🐛 उसको खा जाती है।

इसलिए इस बात का ध्यान रखो की समय और स्थिति कभी भी बदल सकते है.
👍इसलिए कभी किसी का अपमान मत करो
👍कभी किसी को कम मत आंको।
👍तुम शक्तिशाली हो सकते हो पर समय तुमसे भी शक्तिशाली है।
👍एक पेड़ से लाखो माचिस की तिलियाँ बनाई जा सकती है।
👍 पर एक माचिस की तिली से लाखो पेड़ भी जल सकते है।
👍कोई चाहे कितना भी महान क्यों ना हो जाए, पर कुदरत कभी भी किसी को महान बनने का मौका नहीं देती।
👉कंठ दिया कोयल को, तो रूप छीन लिया ।
👉रूप दिया मोर को, तो ईच्छा छीन ली ।
👉दी ईच्छा इन्सान को, तो संतोष छीन लिया ।
👉दिया संतोष संत को, तो संसार छीन लिया।
😐😐😐😐😐😐😐😐😐
☝मत करना कभी भी ग़ुरूर अपने आप पर 'ऐ इंसान'
☝ भगवान ने तेरे और मेरे जैसे कितनो को मिट्टी से बना कर, मिट्टी में मिला दिए ।
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
👉 इंसान दुनिया में तीन चीज़ो के लिए मेहनत करता है
1-मेरा नाम ऊँचा हो .
२ -मेरा लिबास अच्छा हो .
3-मेरा मकान खूबसूरत हो ..
लेकिन इंसान के मरते ही भगवान उसकी तीनों चीज़े
सबसे पहले बदल देता है
१- नाम = (स्वर्गीय )
२- लिबास = (कफन )
३-मकान = ( श्मशान )
जीवन की कड़वी सच्चाई जिसे हम समझना नहीं चाहते 👈
👌👌👌👌👌
ये चन्द पंक्तियाँ
जिसने भी लिखी है
खूब लिखी है।
एक पत्थर सिर्फ एक बार मंदिर जाता है और भगवान बन जाता है ..
इंसान हर रोज़ मंदिर जाते है फिर भी पत्थर ही रहते है ..!!
👍 NICE LINE👌
एक औरत बेटे को जन्म देने के लिये अपनी सुन्दरता त्याग देती है.......
और
वही बेटा एक सुन्दर बीवी के लिए अपनी माँ को त्याग देता है
[]***
जीवन में हर जगह
हम "जीत" चाहते हैं...
सिर्फ फूलवाले की दूकान ऐसी है
जहाँ हम कहते हैं कि हमें
"हार" चाहिए।
➖♦➖♦➖♦➖
ये ज़िन्दगी जैसी भी है,
बस एक ही बार मिलती है।

posted from Bloggeroid

Saturday, August 27, 2016

ગઢવાળા મોડપર (મોડપરના કિલ્લાનો ઈતિહાસ)

મોડપરના કિલ્લાનો ઈતિહાસ
પોરબંદરના જાણીતા ઈતિહાસવિદ લેખક નરોત્તમભાઈ પલાણે કિલ્લાના ઈતિહાસ અંગે એવું જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૮૦૦ ના પ્રારંભે એટલે કે ૩૫૦ વર્ષ પહેલા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસીયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો. પોરબંદરના રાણાની સરહદ યાંથી શરૂ થાય છે તેની તદન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લો તૈયાર કર્યેા હતો. જેનું મહત્વ પણ અનેરૂં હતું. આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઓ આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લો વિવિધ જગ્યાઓ ધરાવે છે જેમાં શક્રાગાર, કોઠારરૂમ, દુશ્મનો ઉપર હત્પમલો કરવા માટે ફાયરીંગની જગ્યા, કાળકોટડી, જુદા–જુદા બેરેક, કેદીઓને પૂરવા માટેના અલગ–અલગ રૂમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક, પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળા કૂવા જેવી અનેકવિધ સુવિધાઓ અહીંયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી.

સીમાડાની રક્ષા માટે કિલ્લાનો ઉપયોગ થતો
ગઢવાળા મોડપર તરીકે ઓળખાતા મોડપર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. તેમ જણાવીને ઈતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું કે જામસાહેબ અને રાણાસાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્રારા થતો હતો.પોરબંદરના મહારાણાએ આશીયાપાટનો કિલ્લો બનાવ્યો હતો આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બન્ને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડપરનો કિલ્લો બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે.

શસ્ત્રાગાર અને દારૂગોળાનો ખજાનો
મોડપર ગામના આ કિલ્લાનો રહેવા માટે કયારેય ઉપયોગ કરવામાં આવ્ો નથી પરંતુ ૧૮ મી સદીના આરંભે બનાવાયેલા આ કિલ્લામાં સૈનિકો સિમાડાની રક્ષા માટે ફરજ બજાવવા હાજર રહેતા હતા જેથી ત્યાં શાગાર અને દારૂગોળાનો વિપુલ ખજાનો સંગ્રહવામાં આવતો હતો. કેદીઓને પુરવા માટેના બેરેક ઉપરાંત ફાયરીંગ કરવા માટેની અલગ–અલગ ત્રિકોણાકાર જગ્યાઓને જોતા આજે પણ રોમાંચિત બની જવાય છે. મોટી માત્રામાં હથિયારોનો સંગ્રહ કરવા સહિત દેશીદારૂ ગોળાને ભરવા માટેની કામગીરી અહીંયા સૈનિકો કરતા તેમ પણ જાણવા મળે છે.

”રાજવલ્લભ” ગ્રંથમાં પણ ઉલ્લેખ
શિલ્પ સ્થાપત્ય અંગેના મહાન ગ્રથં ‘રાજવલ્લભ’ માં પણ આ કિલ્લાનો ઉલ્લેખ છે, તેમ જણાવીને નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે આ કિલ્લામાં અનેક છુપા રસ્તાઓ પણ આવેલા છે. જેનો મુખ્ય દરવાજો રસ્તાની સામેની બાજુએ બનાવવાને બદલે પાછળની બાજુએ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં સુધી ઉપર ચડવા માટે અશ્ર્વસવાર સૈનિકો પહોંચી શકે તે માટે રસ્તો પણ હતો પરંતુ આજુબાજુમાં અનેક જગ્યાએ દબાણ થઇ જતાં હાલ એ રસ્તો નામશેષ થઇ ગયો છે અને કેડીએ કેડીએ ચાલીને ડુંગર ઉપર કીલ્લા સુધી પહોંચવું પડે છે.

કિલ્લાની અત્યારની હાલત જર્જરીત
મોડપરના આ કિલ્લાની હાલત ખુબ જ જર્જરીત જોવા મળે છે, તેના મોટાભાગના વિભાગો તુટી–ફત્પટી ગયા છે, દરવાજો અડધો ચોરાઇ ગયો અથવા કયાંક ગુમ કરી દેવાયો હોવાનું પણ અહીં આવતા પ્રવાસીઓ નિહાળીને અનુભવે છે એટલું જ નહીં પરંતુ આ કિલ્લામાં ચારેબાજુ ઉંચી રાંગવાળા ગઢ છે તેમાંથી માત્ર એક ગઢની ઉપર જ હવે ચડી શકાય છે બાકીના ત્રણે–ત્રણ ગઢ ભાંગી ગયા છે અને ઐતિહાસિક કોતરણીવાળા આ કિલ્લામાં મોટાભાગનું બાંધકામ જીર્ણશીર્ણ થઇને ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે અને અમુક વિભાગો તો એવા છે કે, તેમાં અંદર જવામાં પણ પ્રવાસીઓના જીવનું જોખમ જણાય છે.

૧૮પ૭ના વિપ્લવમાં આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવાયા હતા
ઇ.સ. ૧૮પ૭માં સર્જાયેલા વિપ્લવમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવામાં આવ્ા હતા તેની યાદને તાજી કરતા ઇતિહાસવિદ નરોતમ પલાણે જણાવ્યું હતું કે, એ બળવા સમયે એક અલગ જ આંદોલનનો માહોલ ઉભો થયો હતો જેથી વિરોધ કરનારા સ્વાતંયવિરોને સૌરાષ્ટ્ર્રના મધ્યકાલીન પરંપરા મુજબના છેલ્લા ગણાતા આ કિલ્લામાં પુરી દેવાયા હતા. દ્રારકાના વાઘેરોએ બડં પોકારતા ‘બેટમાં બડવો’ નામનું એક પુસ્તક પણ લખાયું છે ત્યારે તેમાંના અનેક આંદોલનકારીઓને પણ આ કિલ્લામાં પુરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું

posted from Bloggeroid

Thursday, August 25, 2016

जन्माष्टमी

हर त्यौहार हमें कुछ शिक्षा देता है...आज श्री कृष्ण जन्माष्टमी के दिन जगह जगह पर मटकी फोड़ कार्यक्रम देखने को मिलेंगे।ये हमें 2 सीख देते हैं-
*(1)लक्ष्य हमेशा बड़े और ऊँचे होने चाहिए।*

एवं

*(2)लक्ष्य चाहे कितना भी बड़ा और ऊँचा हो आपसी समन्वय, सहयोग, तालमेल और टीम वर्क से उसे हासिल किया जा सकता है।*

ये टीम वर्क आपके और आपके परिवार के,दोस्तों के,समाज के या साथ काम करने वाले साथियों के साथ हो सकता है।
आप जीवन में बड़ी कामयाबी हासिल करें इस विश्वास के साथ ....
जन्माष्टमी की बहुत बहुत शुभकामनायें

posted from Bloggeroid

Tuesday, August 23, 2016

વેકેશન માણો રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળોએ..

વેકેશન માણો રાજકોટ નજીકના બેસ્ટ પિકનિક સ્થળોએ...આ જગ્યાઓએ કલાકમાં પહોંચી શકાય !
બૌદ્ધ ગુફાથી માંડી, વૈભવી મહેલ, પૌરાણિક મંદિરો, આબુની યાદ અપાવતા ડુંગરાની મુલાકાત લેવા જેવી છે...

જન્માષ્ટમીના તહેવારમાં બહાર ફરવાના જેમણે કોઈ પ્રોગ્રામ કર્યા નથી એમના માટે રાજકોટથી એક-બે કલાકના અંતરે પહોચી શકાય એવા જાણીતા અજાણ્યા ફરવાલાયક સ્થળોની જાણકારી આપવી છે. જ્યાં વન-ડે પિકનિક કરી રજામાં ભરપુર મજા લૂંટી શકો છો. 100 કિમીની અંદર જ આવી જતા ઐતિહાસિક ગુફાથી માંડી ગઢો, મહેલો સહિતના બેસ્ટ સ્થળો જીવનભરનું સંભારણું બાંધી લે તેવા છે. એડવન્ચર છે, નદી નાળામાં ન્હાવાની મજા પણ માણી શકો અને ટ્રાકિંગ પણ કરી અહી મીની વેકેશનની મજા માણી શકો છો. સાથે શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ પણ કરી શકો છો.
હનુમાનધારા: રાજકોટ શહેરથી એકદમ નજીક અને રજા માણવા જેવી જગ્યા છે. રાજકોટથી 6 કિમી દૂર આ સ્થળે ન્યારી ડેમના કાંઠે હનુમાનજીનું મંદિર છે. શનિવારે ભક્તોની ભીડ રહે છે. લોકો અહી જમવાનું લઇ સવારથી સાંજ સુધી સમય ગાળે છે. હનુમાનધારાથી આગળ ચોકીધાણી પાછળ સાઈબાબાનું મંદિર જોવા જેવું છે. અહી શ્રીજી ગૌશાળામાં પણ સાંજનો સમય પસાર કરી શકાય તેમ છે.
ઈશ્વરિયાપાર્ક: માધાપર ગામમાં ઈશ્વરીય પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલો છે. નદીમાં પાણી આવી જતા અત્યારે બાટિંગચાલું છે. લોકોના આકર્ષણ માટે અહી ડાયનાસોર મુકવામાં આવ્યાં છે. સંધ્યા સમયે અહી ફોટોગ્રાફીની કરવાની મજા આવે છે. પ્રિવાડિંગ ફોટોશૂટ પણ થાય છે. સીટી બસ પણ જાય છે. રાજકોટ નજીક પ્રદ્યુમનપાર્ક, લાલપરી તળાવ, ભીચરી, આજીડેમ, ન્યારી ડેમ, આજીડેમ પાછળ થોરાળાવીડી સહિતના સ્થળોએ પણ સવારથી સાંજ ફરવા જઈ વિકેન્ડ પસાર કરી શકો છો.
ચંદ્રમૌલેશ્વર મંદિર: રાજકોટથી 15 કિમીના અંતરે રતનપર પાસે સ્ફટીકના શિવાલિંગવાળું ચન્દ્રમૌલેશ્વર મંદિર આવ્યું છે. સફ્ટીકનું ભારતનું બીજું મંદિર છે. અહી શ્રાવણમાસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મેળો પણ ભરાઈ છે. મોરબી રોડ પરનું પૌરાણિક રફાળેસ્વર મહાદેવ મંદિર પણ જોવા જેવું છે.
બાલાચડી બીચ: રાજકોટથી 80 કિમી દૂર છે. અહી દિવસમાં બે વખત દરિયામાં ભરતી આવે છે. ત્યારે લોકો નાહવાની મજા લૂંટે છે. ભરતી ના હોય ત્યારે દરિયાનું પાણી બહુ દૂર જતું રહે છે. અહીનો દરિયો એકદમ શાંત છે. બલાચડીની બાજુમાં ખિજડિયાપક્ષી અભ્યારણ છે. અહી પ્રકૃતિ પ્રેમી અને ફોટોગ્રાફીના સોખીનોને ફોટો શૂટ કરવાની મજા પડે છે.

હિંગોળગઢ: રાજકોટથી માત્ર 78 કિમી દુર હિંગોળગઢ જસદણ નજીક છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સાથે હિંગોળગઢ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. ઉંચા ડુંગરાની ઉપર બનાવેલો ગઢ આજે પણ બેનમૂન છે. ગઢની સ્થાપના 1801ની સાલમાં જસદણના રાજવી વાજસૂર ખાચરે કરી હતી. વાજસૂર ખાચર માતા હિગળાજના ભક્ત હતા. એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું છે. હિંગોળઢનું જંગલ 654 સ્ક્વેરફીટ કિમીમાં પથરાયેલુ છે. પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખાય છે. અહી 230 જાતના વિવિધ પક્ષી જંગલમાં વસવાટ કરે છે. 19 પ્રજાતિના સાપ રાખ્યા છે. અત્યારે વરસાદના કારણે હરિયાળી ખીલી ઉઠી છે. પહાડી વિસ્તારના કારણે રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. હિલસ્ટેશનના લીધે ભરપૂર ફોટોગ્રાફી કરી શકો છો. આ પ્રાકૃતિક સ્થળ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે. અહી જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોય એવો અહેસાસ થાય છે. હિંગોળગઢ નજીક જસદણના રાજાનું ટોચ ઉપર એક મ્યુજીયમ છે. એ પણ જોવા જેવું છે. આ બંને સ્થળોએ પહોચવા માટે રાજકોટથી જસદણની દર કલાકે એસટી બસ ઉપાડે છે. જસદણથી ખાનગી વાહનો અને છકડો રિક્ષા કરી પણ પહોચી શકાય છે. અહી વન ભોજન પણ કરી શકો છો.
ઘેલાસોમનાથ: રાજકોટથી 78 કિમીના અંતરે છે. ઘેલાસોમનાથ એ સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ ગણવામાં આવે છે. ફરતી બાજુ ડુંગરા અને વચ્ચે મંદિર હોવાથી જગ્યામાં સુંદર નજારો સ્વર્ગ સમાન ભાસે છે. ઉંચું શિખરબદ્ધ મંદિર વિશાળ પટાંગણમાં પથરાયેલું છે. આ શિવલીંગને બચાવવા હજારો બ્રાહ્મણોએ પોતાના જીવ આપ્યા હતા. 1457ની સાલમાં ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી. તેમને ભૂગર્ભમાં શિવલીંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ હતું. પરંતુ મહમદ જાફરની કુંવરી હુરલ મીનળદેવી સાથે ગઈ હતી અને પોતાના પિતાના મનસૂબાની જાણ કરી. આજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું તે મુજબ શિવલીંગને પાલખીમાં લઈ ઘેલા વાણિયા સાથે નીકળી ગઈ. મીનળદેવી અને ઘેલો વાણિયો પાલખી લઈને દૂર દૂર સુધી નીકળી ગયા ત્યારે સુલતાનને ખબર પડી કે લીંગ તો સોમનાથમાં રહી નથી. આથી તેમણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યું. ઘેલો વાણિયો અને મીનળદેવી વેરાવળથી 250 કિમી દૂર જસદણ પાસેના કાળાસર અને મોઢકા વચ્ચે નદીના કાંઠે શિવલીંગની સ્થાપના કરી. આ લડતમાં ઘેલો વાણિયો હણાતા મંદિરનું નામ ઘેલા સોમનાથ પડયું. તેમજ બાજુમાંથી પસાર થતી નદીનું નામ પણ ઘેલો નદી પડી ગયું. મીનળદેવી મંદિરની સામે ડુંગર પર સમાધી લીધી હતી. શ્રાવણ માસના દર સોમવારે અહી મેળો ભરાઈ છે. મેળો માણવા જસદણ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જસદણ પાસે બિલેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં પણ દર્શન કરવા જવા જેવુ છે. અહીં પહોંચવા માટે જસદણથી પ્રાઈવેટ વાહન કરવું પડે છે.
જડેશ્વર મહાદેવ: રાજકોટથી 56 કિમીના અંતરે આવેલ છે. વાંકાનેરથી ૧૦ કી.મી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓની હારમાળા પૈકી રતન ટેકરી ઉપર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સદીયો પુરાણા આ મંદિરનો ઈતીહાસ જામનગરના રાજા જામ સાહેલ સાહેલ જોડાયેલો છે. સાથો સાથ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગોવાળનો ગૌ માતાનો દુધાભિષેક સહીતના અનેક પ્રસંગો આ મંદિરના ઈતીહાસમાં સમાયેલા છે. ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે પ્રગટયા એટલે જડયા એટલે મહાદેવનું નામ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ રખાયું હોવાનું તેમજ શ્રાવણમાસના બીજા સોમવારે પ્રાગટય થયેલ હોય શ્રાવણ માસના બીજા સોમવારે દાદાનો પ્રાગટયદિન ઉજવાય છે. ધાર્મિક કાર્યક્રમો સાથે લોકમેળો યોજાય છે.
શ્રાવણ માસના દરેક રવિ-સોમવારે અહી મેળો ભરાઈ છે. ત્યારે ભક્તો દર્શનની સાથે મેળાની મજા માણે છે. રાજકોટથી જડેશ્વર જવા માટે વાંકાનેર સુધી બસ મળે છે ત્યાંથી ખાનગી વાહનમાં જવું પડે છે. મોરબીથી પણ નજીક થાય છે. અહી રહેવાની પણ વ્યવસ્થા છે. જડેશ્વરની સાથે વાંકાનેરમાં ગાયત્રી મંદિર પણ જોવા જેવું છે. શ્રાવણ માસના બીજા રવી સોમના યોજાતા લોકમેળામાં ભાવીકોને જવા તથા આવવા માટે વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા જુદા જુદા રૃટ પરથી બસો પણ શરૃ કરવામાં આવે છે.
રણજીત વિલાસ પેલેસ: વાંકાનેરના રાજાનો ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવો છે. જ્યાં હમણાં આવેલી ગ્રેટ ગ્રાન્ડ મસ્તી સહિતની હિન્દી ફિલ્મના શાટિંગ થયા છે. આ પેલેસ ઈ.સ.1907માં વાંકાનેરના રાજા અમરસિંહે બંધાવેલો છે. મહેલ રરપ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે. આ મહેલ વાંકાનેરમાં એક ટેકરી ઉપર છે. મહેલ ઉપર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિકટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઈટાલિયન સ્ટાઈલનો છે. દિવાનખંડ ભવ્ય છે. વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીંના પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો દર્શાવાઈ છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ, બખ્તરો છે. મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓના શરીરો તથા રાજાના તૈલચિત્રો છે.
રામપરા વાઈલ્ડ લાઈફ અભ્યારણ: રાજકોટથી માત્ર 50 કિમીના અંતરે આવેલું આ સ્થળ સૌથી મજેદાર છે. જાણે કે તમે ગીરના જંગલમાં ફરતા હોય તેવો અહેસાસ થાય. એટલું જ નહિ અહી તમને ગીરના સાવજો પણ આરામથી જોવા મળે. સિંહની સાથે દીપડા, હરણ, ચિતલ સહિતના જંગલી પ્રાણીઓ પણ જંગલમાં વિહરતા હોય છે. 130 જાતના પક્ષી પણ અહી છે. રામપરા અભ્યારણમાં અત્યારે 11 સિંહ છે. આમ તો આ સિંહનું બ્રીડીંગ સેન્ટર છે. રામપરા વાંકાનેર શહેરથી એકદમ નજીક છે. જોકે જંગલમાં જવા માટે વાંકાનેરના આરએફઓની મંજૂરી લેવી પડે છે. અત્યારે હરિયાળી સોળે કળાએ ખીલી છે એટલે ફોટોગ્રાફી કરવાની મજા આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે. અભ્યારણ સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
જરિયા મહાદેવ; ચોટીલા આપને વારંવાર જતા હોય પરંતુ બહુ ઓછું જાણીતું સ્થળ એટલે જરિયા મહાદેવ રાજકોટ થી 60 કિમી દૂર આવેલી આ જગ્યા ચોટીલા નજીક છે. અહી એક મોટા પથ્થરની નીચે શિવાલિંગ છે જેના ઉપર કુદરતી રીતે પાણીનો અભિષેક 365 દિવસ 24 કલાક થતો રહે છે. જંગલમાં પાણીનું ટીપું પણ જોવાના ન મળે છતાં અહી પાણીનો અભિષેક થાય છે. અહી જવા માટે ચોટીલા પહેંચી ખાનગી વાહન કરી પહોચી શકાય છે. અહી શ્રાવણ મહિનામાં લોકોની ભીડ રહે છે. જરિયા મહાદેવની સાથે ચોટીલામાં જલારામબાપાના મંદિરની મુલાકાત લેવા જેવી છે. સુરજ દેવળ પણ સારી જગ્યા છે. ચોટીલા નજીક ત્રીમંદિર પણ છે.
ભીમોરા: ચોટીલા થી થાનની વચ્ચે ભીમોરા આવે છે. અહી ભીમની ગુફા છે. અહી ભીમ આવ્યાં હોવાની દંતકથા છે. તેનો પંજો અહી છે. ઐતિહાસિક જગ્યાના લીધે ફોટોગ્રાફી કરવાની મજા આવે છે. અહી પહોચવા માટે પ્રાઇવેટ વાહન જરૂરી છે. ભીમોરાથી થોડે દૂર બાન્ડયાબેલી જંગલ આવેલું છે.
અનળગઢ: રાજકોટથી 30 કિમીના અંતરે આવેલ આ જગ્યા હિલ સ્ટેશન તરીકે ઓળખાય છે. ડુંગર ઉપર મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર છે. ઉપર પ્રાચીન કિલ્લો છે. અહી વન ડે પિકનિક માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહી કાર કે બાઇક ઉપર જ જઇ શકાય છે. જમવાનું કે નાસ્તો લઈને જવું અહી કઈ મળતું નથી. વરસાદી મોસમના લીધે ડુંગર હરિયાળીથી ખીલી ઉઠયો છે. રીબડા પાસે દાળેશ્વર મહાદેવ મદિર પણ છે.
ઓસમ ડુંગર: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં માઉન્ટ આબુ તરીકે ઓળખાતા ઓસમ ડુંગરની રમણિયતા મન મોહી લે છે. પ્રાકૃતિક સૌદર્ય માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રાજકોટથી 110 કિમી દૂર આ ડુંગર ઉપર બ્રિટીશ રાજ વખતનો કિલ્લો છે. એવી લોકવાયકા છે કે, પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. હાલ આ ડુંગર ઉપર બનાવેલા મંદિરમાં હિડીમ્બાનો હીંચકો, ભીમની થાળી મૌજુદ છે. તેમજ ડુંગર ઉપર પૌરાણિક શિવમંદિર છે. શિવમંદિરમાં રહેલા શિવલીંગ પર પાણીનો આપોઆપ અભિષેક થાય છે. આથી તેને ટપકેશ્વરના નામથી ઓળખાય છે. તેમજ માત્રી માતાજીનું મંદિર પણ છે. બાજુમાં હનુમાનજી મંદિર છે. આ ડુંગર તેના નામ મુજબ જ ઓસમ જ છે. અત્યારે સોળેકળાએ સૌદર્યતા ખીલી ઉઠી છે. અહીં જવા માટે રાજકોટથી ધોરાજી અને ત્યાંથી પાટણવાવ જવા માટે ખાનગી વાહનોની સગવડ મળી છે. પાટણવાવની રાણકીવાવ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન છે. વાવનું બાંધકામ 10રરના વર્ષમાં કરવામાં આવ્યું હતું. લગભગ 40 વર્ષ સુધી બાંધકામનું કાર્ય ચાલ્યું હતું.
ગોંડલ રોડ ઉપર જલારામ બાપનું વિરપુર અને ખંભાલીડાની ગુફા પણ છે. ખંભાલીડા ગામમાં 1800 વર્ષ પહેલાની બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાની મુલાકાત લો તો તમે અજંતા-ઈલોરાની ગુફા ભૂલી જાવ તેટલી પ્રાચીન ઈતિહાસ સાથે સંકળાયેલી છે. અહીં જવા ગોંડલથી રીક્ષા મળે છે. જેતપુરમાં ભીડભંજન મદિરે પણ પ્રવાસીઓ દર્શન માટે આવે છે. ગોંડલમાં આશાપુરા મંદિર અને અંબાજી મંદિર પણ જોવા લાયક છે.
ભૂતનાથ મહાદેવ: રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર હલેન્ડા પાસે ભૂતનાથ મંદિર આવ્યું છે. શ્રાવણ માસમાં અહી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે. આસપાસ બીલ્લી વચ્ચે શિવાલિંગ છે. વીડીમાં મદિર છે એટલે પ્રકૃતિની પણ મજા માણી શકાય છે. મોટી સંખ્યામાં મોર રહે છે. જ્યારે આરતી થાય ત્યારે મંદિરના પટાંગણમાં મોર આવી જાય છે. એ નજારો માનવા જેવો છે. એકદમ શાંત જગ્યા છે. સૌદર્યથી ભરપૂર જગ્યા છે. ત્રંબા નજીક ત્રિવેણી આવે છે. બાજુમાં નદી હોવાથી લોકો ન્હાવાની મજા લૂંટે છે. અહીં મંદિર પણ છે.
ઁઁઁ......

posted from Bloggeroid

*"System" અને "Discipline"*

આ બે એવા અનાથ દિકરા છે

કે જેમને જન્મ આપવા વાળા ઘણા છે

પણ પાલન કરવા વાળું કોઈ નથી

posted from Bloggeroid

Monday, August 22, 2016

ક્યાંક હશે જ જનમોજનમ નો નાતો,
નહીતર ક્યાં સોનાની નગરીનો રાજા ભઞવાન વાસુદેવ...
ને ક્યા પોરબંદરનો ગરીબસુદામો...
આથી જ કહેવાયુ છે કે "અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી,
કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે,
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે...

posted from Bloggeroid

Wednesday, August 17, 2016

What is Rest in Peace ( RIP )

કાલે સાંજે બહ્મલીન પામેલા પ્રમુખસ્વામી મહારાજનાં સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ થયો... મિત્રો મારે તમને ઍક વાત કરવી છે...

🙏 *માફી સાથે જરા એક વાત કરું છું* 🙏

*What is Rest in Peace ( RIP ) ?*

આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે,

વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને,

*RIP* શબ્દનો અર્થ છે *"Rest in Peace"* *(શાંતિથી આરામ કરો)*,

આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય,

ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ *‘Judgement Day’* કે *"क़यामत का दिन"* આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે,

એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે,

પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે,

શરીર નશ્વર છે એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે,

માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,

કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે,

એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે,

મિત્રો, હિંદુ જીવાત્મા માટે *‘શ્રદ્ધાંજલિ’* or *‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,

જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય,

*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’* *“Aatmane Sadgati Prapt Thay”* *(ASPT) લખો તો ચાલે.

(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)

... *જય શ્રી કૃષ્ણ*

posted from Bloggeroid

Saturday, August 6, 2016

ગજબ નું મેણું માર્યું ભગવાને આજે મંદિર માં

કહ્યું કે હમેશા માંગવા માટે જ આવે છે
પણ ક્યારેક મળવા તો આવ મને.

posted from Bloggeroid

Open અને Close
બન્ને વિરોધાભાસી શબ્દ છે
પંરતુ એની મજા જુવો
આપણું મન open એની પાસે થાય છે જે આપણી ખુબ close હોય છે....

posted from Bloggeroid

Friday, August 5, 2016

ડરો નહિ નિષ્ફળતા થી.એનો પણ કિનારો હોય છે.
થાકો નહિ મહેનત થી અા જુસ્સો ફળનારો હોય છે.
હારો નહિ સમાજ થી તે ફક્ત બોલનારો હોય છે.

posted from Bloggeroid

વ્યકિતની મહાનતા માત્ર
એમાં જ નથી કે તે
જીવનમાં કેટલો આગળ નીકળી ગયો....
પણ એમાં છે કે,
તે આગળ નિકળતી વખતે

કેટલા લોકોને ઉપયોગી થઇ ગયો....!!!

posted from Bloggeroid

दो चीजों को कभी *व्यर्थ*

नहीं जाने देना चाहिए.....!

*अन्न के कण को*
"और"
*आनंद के क्षण को*

posted from Bloggeroid

_चलो जिंदगी को जिंदादिली से_
_जीने के लिये एक छोटा सा उसूल बनाते है_

रोज कुछ अच्छा याद रखते है
और कुछ बुरा भूल जाते है ...

posted from Bloggeroid

" स्वाद " और " विवाद " दोनो छोड दो....

स्वाद छोडो तो शरीर को फायदा,

विवाद छोडो तो समाज को फायदा....

posted from Bloggeroid

दिल के टूटने पर भी हँसना,
शायद *_जिन्दादिली_* इसी को कहते हैं।
ठोकर लगने पर भी मंजिल के लिए भटकना,
शायद *_तलाश_* इसी को कहते हैं।
सूने खंडहर में भी बिना तेल के दिये जलाना,
शायद *_उम्मीद_* इसी को कहते हैं।
टूट कर चाहने पर भी उसे न पा सकना,
शायद *_चाहत_* इसी को कहते हैं।
गिरकर भी फिर से खड़े हो जाना,
शायद *_हिम्मत_* इसी को कहते हैं।

-उम्मीद...तलाश..चाहत...
हिम्मत...
शायद *_जिन्दगी_* इसी को कहते हैं

posted from Bloggeroid

શબ્દોનું ખરુ વજન તો બોલનારા પરથી જ નક્કી થાય છે,

નહીંતર 'સુ-સ્વાગતમ્' તો

પગલૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.

posted from Bloggeroid

जब "दर्द" और "कड़वी बोली",

दोनों आपको मीठी लगने लगे...

तब समझ लीजये ,

आपको "जीना" आ गया...

posted from Bloggeroid

જીવન મા જીત જરૂરી નથી,

પણ તમારા બોલે લા શબ્દો
"ન હારે" ... એ જરૂરી છે..!

posted from Bloggeroid

"રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી...
સાહેબ,
જો એક મુખ વાળો મળી જાય તો બેડો પાર."

posted from Bloggeroid

Thursday, August 4, 2016

GST ભારતના આર્થિક ઈતિહાસમાં લેવાયેલું એક ઐતિહાસિક કદમ: જીએસટી

ભારતના આર્થિક ઈતિહાસમાં લેવાયેલું એક ઐતિહાસિક કદમ: જીએસટી
GST

ભારત દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેક્ષ રિફોર્મ અંગેનું કદમ. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ)ને કારણે સમગ્ર દેશ એક જ બજાર બની જશે. તેનાથી રાજ્યોની સત્તા પર કોઈ અસર નહીં પડે. જીએસટી નું માળખું એવી રીતે ઊભું કરવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી શકશે. દેશની કર-વ્યવસ્થામાં ક્રાંતિ લાવશે, તેનાથી દેશના અર્થતંત્રને વેગ મળશે અને જીડીપીમાં લગભગ બે ટકાનો વધારો આવતા બે વર્ષમાં જોવામાં આવશે. જીએસટીમાં રાજ્યોની પાસે બે-તૃત્તિયાંશ મતાધિકાર રહેશે, જ્યારે એક-તૃત્તિયાંશ મતાધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. જીએસટીની ટકાવારી પર નિર્ણય ત્રણ-ચુતુર્થાંશ બહુમતિથી નિર્ણય લેવામાં આવશે.

16 વર્ષ અગાઉ વાજપેયી સરકારે જીએસટી બિલ માટે પાયો નાખ્યો હતો પરંતુ લઘુમતી સરકાર હોવાનાં કારણે, તે પસાર થતો ન હતો. વર્ષ 2009માં યુપીએ સરકારે તેના માટે પ્રયાસ કર્યો. પરંતુ, ત્યારે મોટાભાગના રાજ્યોમાં બિન-કોંગ્રેસી સરકારો હતી. રાજ્ય સરકારોની માંગ હતી કે, નુકસાનની ભરપાઈ કરી દેવામાં આવે. હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે તથા મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર છે. અત્યારસુધી જે ચીજો પર 30-35 ટકા ટેક્સ છે તે ઘટીને 17-18 ટકા થઈ જશે.

એક રસપ્રદ બાબત એ પણ છે કે, જીએસટી લાગુ થયાં બાદ થયેલી ચૂંટણીઓમાં કોઈ સરકાર ફરી ચૂંટાઈ નથી આવી. કારણ કે, પ્રારંભિક વર્ષોમાં ચીજો મોંઘી થાય છે. જેનું પરિણામ સરકારોએ ભોગવવું પડે છે. હાલ વિશ્વના 150 જેટલા રાષ્ટ્રોમાં જીએસટી લાગુ છે, પરંતુ તેના દર અલગ-અલગ છે. જાપાનમાં પાંચ ટકા, સિંગાપુરમાં સાત ટકા, કેનેડામાં દસ ટકાનો દર છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં દસ ટકા, જર્મનીમાં 19 ટકા, ન્યુઝિલેન્ડમાં 15 ટકા તથા સ્વીડનમાં 25 ટકાનો દર લાગુ થયેલો છે.

જીએસટીના અમલ બાદ ત્રણ પ્રકારના ટેક્સ રહેશે.
(01) CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી. જેને કેન્દ્ર સરકાર વસૂલશે.
(02) SGST એટલે કે સ્ટેટ જીએસટી. જેને રાજ્ય સરકાર વસૂલશે.
(03) IGST એટલે કે ઈન્ટિગ્રેટેડ સર્વિસ ટેક્સ. બે રાજ્યો વચ્ચે વેપાર પર લાગુ પડશે.

કેન્દ્ર સરકાર આ કર વસૂલશે અને બે રાજ્યો વચ્ચે સમાનભાગે વહેંચી દેશે.

કેન્દ્રના પાંચ આડકતરા વેરાઓ (Indirect Taxes) (૦૧) સેન્ટ્રલ એક્ષાઇઝ (૦૨) એક્ષાઇઝ અને કસ્ટમ ઉપર લાગતી વધારાની ડ્યુટી (૦૩) કસ્ટમ ઉપર લગતી ખાસ વધારાની ડ્યુટી - એસએડી (૦૪) સર્વિસ ટેક્ષ અને (૦૫) ગૂડ્સ અને સર્વિસ ઉપર લાગતા સેસ અને સરચાર્જ -------તથા --------- રાજ્યના આઠ આડકતરા વેરાઓ (Indirect Taxes) (૦૧) વેટ (૦૨) સેન્ટ્રલ સેલ્સ ટેક્ષ (૦૩) પરચેસ ટેક્ષ (૦૪) લક્ષ્રરી ટેક્ષ (૦૫) એન્ટ્રી ટેક્ષ (૦૬) મનોરંજન કર (૦૭) જાહેરાતો, લોટરી, જુગાર તથા બેટિંગ ઉપર લાગતા ટેક્ષ અને (૦૮) રાજ્યના સેસ અને સરચાર્જ.

આ તેર આડકતરા વેરાઓ (Indirect Taxes)ને બદલે જીએસટી લાગુ પડશે. આના કારણે ટેક્ષ ચોરી અટકાવી શકાશે, ટેક્ષના દર ઘટાડી શકાશે, ધંધા-રોજગારને સરળતા રહેશે તથા આખરે દેશની જીડીપીમાં વધારો થશે. કેટલાક વેપારીઓ ઓછું વેચાણ દેખાડે છે. જીએસટીના આગમન બાદ દરેક એન્ટ્રી ઓનલાઈન થશે, એટલે ચોરી મુશ્કેલ બની જશે.

ગ્રાહકોને બે રીતે ફાયદો થશે (૦૧) બધા જ ટેક્ષ જ્યારે ખરેખર વેચાણ થશે ત્યારે જ લેવામાં આવશે. ધારો કે શર્ટ ખરીદીએ તો ૧૮% જીએસટી લેવામાં આવશે તેમાં કેન્દ્ર અને રાજ્યના બધા જ ટેક્ષ સમાવી લેવામાં આવશે. ગ્રાહકને ખબર પડશે કે કિંમતમાં કેટલો ટેક્ષ છે. ટેક્ષમાં પારદર્શકતા આવશે. (૦૨) અગાઉ આડકતરા વેરાઓ (Indirect Taxes) "ટેક્ષ ઉપર ટેક્ષ" લેવામાં આવતો હતો તે બંધ થઇ જશે.

હાલમાં અલગ-અલગ સામાન પર આપણે 30-35 ટકા જેટલો કર ચૂકવીએ છીએ. જીએસટી વ્યવસ્થા હેઠળ આ દર 17-18 ટકા જેટલો રહેશે. હાલમાં ચોક્કસ વસ્તુ પર અલગ-અલગ રાજ્યો દ્વારા અલગ-અલગ દરથી કર વસૂલવામાં આવે છે. જેના કારણે એક જ વસ્તુ બે અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ ભાવથી મળે છે. 'એક દેશ, એક ટેક્સ'ની વ્યવસ્થા લાગુ થતાં, રાજ્યોમાં સામાન એક જ ભાવે મળશે.

www.rkdangar.blogspot.com

posted from Bloggeroid

Wednesday, August 3, 2016

કેટલુંય ભટકવું પડે છે સાહેબ મંઝિલ મેળવવા માટે અહીં,

જીંદગીના રસ્તાઓ માટે વળી GPS ક્યાં હોય છે.?
_

posted from Bloggeroid

*जीवन से जो भी मिले*
*उसे पचाना सीखो..*

*क्योंकि भोजन ना पचने पर चर्बी बढ़ती है.*
*पैसा ना पचने पर दिखावा बढ़ता है..*
*बात ना पचने पर चुगली बढ़ती है..*
*प्रशंसा ना पचने से अहंकार बढ़ता है..*
*निंदा ना पचने पर दुश्मनी बढ़ती है..*
*राज़ ना पचने पर खतरा बढ़ता है..*
*दुख ना पचने पर निराशा बढ़ती है..*
*और सुख ना पचने पर पाप बढ़ता है..*

*कड़वा है,*
*किन्तु सत्य है यह.!*

posted from Bloggeroid