Thursday, December 21, 2017

સ્માર્ટ ફોન

...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી
હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”
👏👏👏👏👏👏👏

સ્માર્ટ ફોન

...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી
હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...
હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?”

હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહકામ આપ્યું હતું.

વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં હીરલએ કહ્યું:

"તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'
એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.
કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.
તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.
..."ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

હીરલ નોટમાંથી આ વાંચતી હતી એને વિમલ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે હીરલને પૂછ્યું:“હીરલ,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે હીરલએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર કર્તવ્ય... !”
👏👏👏👏👏👏👏

Wednesday, December 20, 2017

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં તું લાઈવ ટેલિકાસ્ટ કર.

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,

ને કાં તો જીવતા હોઈએ ત્યારે
મૃત્યુનું એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં ? કોણ મને
અડશે ? કોણ કેટલું રડશે ?

એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે ?

ઈશ્વરની બાજુમાં બેસીને
FULL HDમાં મારે મારું મૃત્યુ
જોવું છે,

મારા જેવો માણસ મરી ગયો,
એ વાત પર મારે પણ થોડું રોવું
છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી
ધૂંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.

ચશ્માના કાચ, કારની વિન્ડસ્ક્રીન
અને ઘરના અરીસાઓ મારે સાફ
કરવા છે.

જેમને ક્યારેય ન કરી શક્યો,
એવા કેટલાક લોકોને જતા પહેલા
મારે માફ કરવા છે.

મને અને મારા અહંકાર બંનેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.

મારે ગણવા છે કે કેટલા કટકાઓ
થાય છે મારા વટના ?

મારે પણ જોવી છે,
મારી જિંદગીની સૌથી મોભાદાર
ઘટના.

આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.

પણ તે સમયે એક સેલ્ફી પાડી
લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એક વાર મારે
મારી જાતને જગાડી લેવી છે.

એક વાર મૃત્યુનું રિહર્સલ કરવું છે.

હે ઈશ્વર,
કાં તો તું મૃત્યુ ફોરકાસ્ટ કર.

ને કાં તો મારા મૃત્યુ નું સ્વર્ગમાં
તું લાઈવ ટેલિકાસ્ટ કર.

- *ડૉ. નિમિત્ત ઓઝા*

Sunday, December 17, 2017

આરોગ્યને લગતી કહેવતો

*કાકડી,*
તબિયત કરે ફાંકડી*

*બીટ,*
શરીરને રાખે ફિટ*

*ગાજર,*
તંદુરસ્તી હાજર*

*મગ,*
સારા ચાલે પગ*

*મેગી,*
ખરાબ કરે લેંગી*

*ઘઉં,*
વજન વધારે બહુ*

*ભાત,*
બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા,*
કરાવે વધારે ખર્ચા*

*દહીં,*
જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર,*
શક્તિ હાજરાહજૂર*

*દાડમ,*
કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*જાંબુ,*
જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ,*
એટલે મજાનું ફળ*

*નારીયેળ*
એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી,*
કરે લોહીની શુદ્ધિ*

*કારેલા,*
ના ઉતરવાદે
ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ,*
આરોગ્યને મળે બળ

*કાચું*
એટલું સાચુને રંધાયેલું
એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા*
જેવા થવું હોય તો લાલ.
ટમેટા ખાજો*

*આદુ*
નો જાદુ*

*ડબલફિલ્ટર તેલ,*
કરાવે બીમારીના ખેલ*

*મધ,*
દુઃખોનો કરે વધ*

*ગુટખા,*
બીમારીના ઝટકા*

*શરાબ,*
જીવન કરે ખરાબ*

*દારૂ,*
રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી,*
ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ,*
તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા,*
શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ,*
પછી થાય હાશ

*હરડે,*
બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી,*
રોગ જાય થાકી*

*સંચળ,*
શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા,*
શક્તિના પોટલા

*ભજીયા,*
કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી*
હાલત થાય કફોડી*

*પાઉને પીઝા,*
બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો,*
આરોગ્યનો હીરો

*સર્વે સન્તુ નિરામયા*

Saturday, December 16, 2017

કયારેય પોતાની જાતને મોટી ન માનવી

અમિતાભ બચ્ચન નો કહેલો સત્ય કિસ્સો. : ઘણા વષોઁ પહેલા એક વખત હુ પ્લેન મા જઇ રહયો હતો મારી બાજુ ની વિન્ડો સિટ મા એક વયસ્ક વ્યક્તિ બેઠેલા સામાન્ય દેખાવ એજ્યુકેટેડ લાગ્યા તે ઇંઞલીશ અખબાર વાંચી રહયા હતા કદાચ તેને ખબર નહોતી બાજુમાં હું બેઠો છું.ત્યા ચા આવી તેને હાથ લંબાવ્યો ત્યારે મે હેલ્લો કહયુ તેમણે સ્માઇલ આપ્યું મે કહયુ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરૂં છું તમે ફિલ્મો જુઓ છો ? તે કહે કયારેક..ત્યા ઉતરવા નો સમય થયૉ મે કહયુ તમારા સાથે મુસાફરી માટે આનંદ થયો પણ બાય ધ વે હું અમિતાભ બચ્ચન...! તેણે હાથ મિલાવતા કહયુ હું જે.આર.ડી.ટાટા !

*ત્યારે મને અનુભુતી થઇ કયારેય પોતાની જાતને મોટી ન માનવી કારણકે તમારાથીય મોટો હંમેશા હોય જ છે.*

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે.

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી
લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી
ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર
મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત
મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ
છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા
કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી
બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા
શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા
સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય.
તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના
સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક
શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ
માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન
બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ
કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ
રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.


(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર)

Thursday, November 30, 2017

🍀🌺🌼🌸🍀🌺🌼🌸🍀🌺
*मधुर वाणी बोलना*
*एक मंहगा शौक है*

*जो हर किसी के बस की बात नहीं*
🌿
*अपने खराब मूड के समय*
*बुरे शब्द ना बोलें,*

*क्योंकि..*

*खराब मूड को*
*बदलने के बहुत मौके मिलेंगें*
*पर शब्दों को बदलने के मोके*
*नहीं...मिलेंगे*.!!!!
🌿
*माना दुनियाँ बुरी है*
*सब जगह धोखा है,*

*लेकिन हम तो अच्छे बने*
*हमें किसने रोका है..*
*🙏

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન

ભોજન કરતી વખતે આ નિયમોનું કરો પાલન. 👇
.
જે વ્યક્તિ માત્ર એક જ સમય ભોજન કરે છે તે યોગી અને બે સમય કરે છે તે ભોગી કહેવાય છે. એક પ્રસિદ્ધ લોકોક્તિ છે કે ‘સવારનું જમવાનું જાતે ખાઓ, બપોરનું જમવાનું બીજાને આપો અને રાતનું ભોજન દુશ્મનને આપો’. આમ ભોજન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઇએ તેનાથી સુખ શાંતિ સ્થપાય….

1. ભોજન કરતાં પહેલાં:
– 5 અંગો (2 હાથ, 2 પગ, મોં)ને સારી રીતે ધોઇને જ ભોજન કરવું જોઇએ
– ભોજન પહેલાં અન્નદેવતા, અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને તેમનો આભાર માનીને તથા ‘તમામ ભૂખોનું ભોજન પ્રાપ્ત થાય’, ઇશ્વર પાસે આવી પ્રાર્થના કરીને ભોજન કરવું જોઇએ.
– ભોજન બનાવનાર સ્નાન કરીને શુદ્ધ મનથી, મંત્ર જાપ કરતાં સમયે જ રસોઇમાં ભોજન બનાવવું અને સૌથી પહેલાં રોટલી (ગાય, કૂતરા, અને કાગડા હેતુ) અલગ રાખીને પછી અગ્નિદેવને ભોગ ધરાવીને જ ઘરના સભ્યોને જમાડો.
.
2. ભોજન સમય:
– સવારે અને સાંજે જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયના બે કલાક બાદ અને સૂર્યોસ્તના 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહે છે.

3. ભોજનની દિશા:
– ભોજન પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોં રાખીને કરવું જોઇએ. દક્ષિણ દિશાની તરફ કરવામાં આવતું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશાની તરફ ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે.

4. આ સમયે ના કરો ભોજન:
– બેડ પર, હાથમાં રાખીને, તૂટેલા-ફૂટેલા વાસણમાં ભોજન કરવું જોઇએ નહીં
– મળ-મૂત્રના વેગ થવા પર, કંકાશની સ્થિતિમાં, વધુ અવાજમાં, પીપળા, વટવૃક્ષની નીચે ભોજન કરવું જોઇએ નહીં
– પીરસવામાં આવેલા ભોજનની કયારેય નિંદા ના કરવી જોઇએ
– ઇર્ષા, ભય, ક્રોઝ, લોભ, રોગ, દીનભાવ, દ્વેષભાવની સાથે કરાયેલ ભોજન કયારેય પચતું નથી
– ઉભા-ઉભા, જૂતા પહેરીને, માથું ઢાંકીને ભોજન કયારેય કરવું જોઇએ નહીં

5.- આ ભોજન ના કરો:
– વધુ ભોજન કયારેય ના કરો
– બહું તીખું કે મીઠું ભોજન ના કરો
– કોઇનું એઠું ભોજન ના કરો
– અડધા ખાધેલા ફળ, મીઠાઇઓ વગેરે ફરીથી ખાવા જોઇએ નહીં
– જમવાનું છોડીને ઉઠી જવા પર ફરીથી ભોજન કરવું જોઇએ નહીં
– જે ઢંઢોરે પીટીને જમાડી રહ્યા છે ત્યાં કયારેય ના જમો
– પશુ કે કૂતરાનું એંઠુ, રજસ્વલા સ્ત્રી દ્વારા પીરસેલ, શ્રાદ્ધનું કાઢેલું, વાસી, મોંથી ફૂંક મારીને ઠંડું કરેલું, વાળ પડી ગયો હોય તેવું ભોજન ના કરો
– કંજૂસનું, રાજાનું, વેશ્યાના હાથનું, દારૂ વેચનારે આપેલ ભોજન અને વ્યાજનો ધંધો કરનારનું ભોજન કયારેય ના કરવું જોઇએ

6. ભોજન કરતાં સમયે શું કરવું જોઇએ
– ભોજનના સમયે મૌન રહો
– રાત્રે ભરપેટ ના જમો
– બોલવું જરૂરી જ હોય તો માત્ર સકારાત્મક વાતો જ કરો
– ભોજન કરતાં સમયે કોઇપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ના કરો
– ભોજનને ખૂબ જ ચાવીને ખાઓ
– ગૃહસ્થે ભૂખ કરતાં વધુ ના જમવું જોઇએ
– સૌથી પહેલાં મીઠા, પછી નમકીન, અંતમાં કડવું ખાવું જોઇએ
– સૌથી પહેલાં રસદાર, વચ્ચે કઠોર, અંતમાં દ્રવ્ય પદાર્થ ગ્રહણ કરો
– થોડું ખાનારાને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે

7. ભોજન પછી શું ના કરવું જોઇએ
– ભોજન કર્યા બાદ તરત જ પાણી કે ચા પીવી જોઇએ નહીં. ભોજન કર્યા બાદ ઘોડેસવારી, દોડવું, બેસવું, શૌચ વગેરે કરવું જોઇએ નહીં.

– ભોજન બાદ શું કરવું:
ભોજન કર્યા બાદ દિવસમાં ફરવા જવું અને રાત્રે સો ડગલાં ચાલીને ડાબા પડખે સૂવું અથવા વજ્રાસનમાં બેસવાથી ભોજનનું પાચન વ્યવસ્થિત થાય છે. ભોજનના એક કલાક બાદ ગળ્યું દૂધ અને ફળ ખાવાથી ભોજનનું પાચન સારું થાય છે.

શું-શું ના ખાવું જોઇએ:
– રાત્રે દહીં, સત્તુ, તલ અને ભારે ભોજન કરવું જોઇએ નહીં
– દૂધની સાથે મીઠું, દહીં, ખાટા પદાર્થ, માછલી, જેકફ્રૂટનું સેવન કરવું જોઇએ નહીં
– મધ અને ઘીની વસ્તુનું સેવન કરવું જોઇએ નહીં
– દૂધ-ખીરની સાથે ખીચડી ખાવી જોઇએ નહીં

Sunday, November 26, 2017

ઘર ઘર ની કહાણી. ..

‘બે જણને જોઈએ કેટલું?’

એક છાપું, એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી, બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય તોય ભયોભયો!
ખીચડી એટલે બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,
ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી,
આમ આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘાસાય.
વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં
તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાયાં.
પણ
પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય.
તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછી ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
👌👌👌
આજનુ સનાતન સત્ય. ...
ઘર ઘર ની કહાણી. ..

Saturday, November 25, 2017

ગુણ મહત્વનાં છે, રૂપરંગ નહીં

☕☕

આજ સવાર ના રોજ,
*કપે રકાબીને ચીઢવતા*
*કહ્યું: "જો તુ કેવી નીચી છે,*
*અને હું ઉંચો રુઆબદાર છું."*
*રકાબીએ હસતાં કહ્યુઃ રહેવા*
*દે, તુ બધાને ગરમ રાખે છે*
*અને હું બધાને ઠંડા પાડુ છુ.*
*તને કાન પકડી ઉંચો કરે છે*
*અનેે મને પાંચે આંગળીએ*
*થી સાચવીને ઉંચકે છે."*

ગુણ મહત્વનાં છે,
*રૂપરંગ નહીં..*

Wednesday, November 8, 2017

ભૂંસવાની કળા

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું - 

 2/3yx + 3x (66y + 12x).b = 0

પછી,
વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું - 

"આ સમીકરણનું સોલ્યુશન નથી...
પણ,
આ સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ૩ (ત્રણ) માર્કસ મળશે !" 

તેઓ એક નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં...
અને કહ્યું - 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ -
એક પળનો પણ વિલંબ કર્યા વગર...
ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ 'ભૂંસી' નાંખ્યું !


અને કહ્યું - 

"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર !  "

જેનો કોઈ 'તાળો' જ નથી મળવાનો...
તેની પાછળ સમય કેમ 'બરબાદ' કરવો ?


૩ માર્કસની પાછળ...
97 માર્કસ કેમ ગુમાવવા ??



મોરલ ઓફ મેસેજ :-

જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે...

જેનો કોઈ સાચો 'ઉત્તર' નથી હોતો... 
તેનો ઉકેલ (સોલ્યુશન) પણ આ રીતે જ હોઈ શકે છે !

'દુર્લભ'  અને 'અપ્રાપ્ય'  ત્રણ માર્કસ રૂપી ઘણી બાબતોની પાછળ...

આપણે આપણી 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે !

એ નજીવી (૩%) બાબતોની લ્હાયમાં - 

બાકીની  97% ખૂબસૂરત પળો,
જે આપણાં જ આધિપત્યમાં હોય છે...
તેને માણવાનું ભૂલી જઈએ છીએ !!

માટે -

મિત્રો,

જિંદગીની દરેક પળ માણવા માટે -

ક્યારેક 'ભૂંસવા'ની કળા...
આપણે સૌએ આત્મસાત કરવી જરૂરી છે...

|| અથ: શુભમસ્તુ  ||

Tuesday, November 7, 2017

જીવન છે સુખ દુઃખની મેચ,
કોઈનો ફટકો તો કોઈનો કેચ.

રમનારા બે હોય છે ને
પાડી દેનારા અગિયાર હોય છે.
તેમાંય સૌથી નજીક ગણાતો
વિકેટ કીપર તો મોકાની રાહ
જોઈને જ ઉભો હોય છે...

Saturday, November 4, 2017

☝वो न कागज रखता है
न किताब रखता है
फिर भी वह सारी दुनिया का हिसाब रखता है..
हमारे घर के हाॅल में दो पंखे लगे हैं , जिनमें एक ही अक्सर चलता है और वही धूल लगकर गंदा हो जाता है।
जबकि जो नही चलता वह साफ रहता है |

बाहर से आने वाले उसी साफ दिखने वाले पंखे की तारीफ करते हैं जो नही चलता और कहते हैं कि उसी की तरह इस पंखे को साफ रखा करो !

क्या जवाब दूं ? उन्हें कैसे समझाऊं कि जो *जिम्मेदारी* लेता है वही गंदा होता हैं |

मशहूर हुए वो जो कभी क़ाबिल ना थे और तो और....
कमबख़्त मंजिल भी उन्हें मिली जो दौड़ में कभी शामिल ना थे।

Friday, November 3, 2017

**જીંદગી પણ આવી જ છે**

એક ને ખુશ રાખવા જતાં બીજા નિરાશ
થઈ જાય છે.
અને બધાનું ધ્યાન રાખવા જતાં ખુદનુ
મન હતાશ થઈ જાય છે.

તમે કયારેય જોયું કે લોકો એ બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો??....
પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે કારણ કે તે કાંઈક આપે છે,
જો આપણી સાથે આવુ થાય તો સમજવું
કે આપણે કાંઈક સારુ કરી રહ્યા છીએ.

થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો કોઇક ને જવાબદારીઓથી...

*જય શ્રી કૃષ્ણ* 😊🙏
🌺🌺 good morning🌺🌺

Tuesday, October 24, 2017

*जिंदगी वक्त के बहाव में है*
*यहां हर आदमी तनाव में है,*

*हमने लगा दी पानी पर तोहमत*
*यह नहीं देखा कि छेद नाँव में है..!*

*🌹🌿आज का सुविचार🌿🌹*

*मुश्किल वक़्त का सबसे बड़ा*
*सहारा है " उम्मीद "*
*जो एक प्यारी सी मुस्कान देकर*
*कानों में धीरे से कहती है,*
*"सब अच्छा होगा।"*

🤔 यूरोप की विवशता.... हमारी मूर्खता... 🤔

1. *आठ महीने ठण्ड पड़ने के कारण
कोट पैंट पहनना उनकी विवशता और
शादी वाले दिन भरी गर्मीं में कोट - पैंट डाल कर
बरात ले कर जाना हमारी मुर्खता !*

2. *ताजा भोजन उपलब्ध ना होने के कारण
सड़े आटे से पिज्जा,, बर्गर,, नूडल्स आदि खाना
यूरोप की विवशता और 56 भोग छोड़
₹ 400/- की सड़ी रोटी (पिज्जा ) खाना हमारी मुर्खता !*

3. *ताज़ा भोजन की कमी के कारण
फ्रीज़ का इस्तेमाल करना यूरोप की विवशता और
रोज दो समय ताजी सब्जी बाजार में मिलनें पर भी
हफ्ते भर की सब्जी मण्डी से लेकर
फ्रीज में ठूँस कर सड़ा - सड़ा कर उसे खाना
हमारी मुर्खता !*

4. *जड़ी - बूटियों का ज्ञान ना होने के कारण...
जीव जन्तुओं के हाड़ - माँस से दवायें बनाना
उनकी विवशता और आयुर्वेद जैसा महान चिकित्सा ग्रन्थ होने के बावजूद उन हाड़ - माँस की दवाईयाँ
उपयोग करना हमारी महांमुर्खता !*

5. *पर्याप्त अनाज ना होने के कारण
जानवरों को खाना उनकी विवशता और
1600 किस्मों की फसलें होनें के बावजूद
जीभ के स्वाद के लिए
किसी निरीह प्राणी को मार कर
उसे खाना हमारी मुर्खता !*

6. *लस्सी, दूध, जूस आदि ना होने के कारण
कोल्ड ड्रिंक को पीना उनकी विवशता और
36 तरह के पेय पदार्थ होते हुऐ भी
इस कोल्ड ड्रिंक नामक जहर को पी कर
खुद को आधुनिक समझ कर इतराना
हमारी महा महा महा मुर्खता !*
🙏
*विशेष अनुरोध :-
"एक बार विशुद्ध भारतीय सँस्कृति पर
अवश्य विचार करें"।।*

Monday, October 16, 2017

गहरी बात लिख दी है

👉बेजुबान पत्थर पे लदे है करोडो के गहने मंदिरो में।

उसी दहलीज पे एक रूपये को तरसते नन्हे हाथो को देखा है।।
😘😘😘
👉सजे थे छप्पन भोग और मेवे मूरत के आगे।

बाहर एक फ़कीर को भूख से तड़प के मरते देखा है।।😘😘😘
👉लदी हुई है रेशमी चादरों से वो हरी मजार।

पर बाहर एक बूढ़ी अम्मा को ठंड से ठिठुरते देखा है।।😘😘😘
👉वो दे आया एक लाख गुरद्वारे में हॉल के लिए।

घर में उसको 500 रूपये के लिए काम वाली बाई को बदलते देखा है।।😘😘😘

👉सुना है चढ़ा था सलीब पे कोई दुनिया का दर्द मिटाने को।
आज चर्च में बेटे की मार से बिलखते माँ बाप को देखा है।।😩😩😩😩

👉जलाती रही जो अखन्ड ज्योति देसी घी की दिन रात पुजारन।
आज उसे प्रसव में कुपोषण के कारण मौत से लड़ते देखा है।।😘😘😩

👉जिसने न दी माँ बाप को भर पेट रोटी कभी जीते जी।
आज लगाते उसको भंडारे मरने के बाद देखा है।।😳😳😳

👉दे के समाज की दुहाई ब्याह दिया था जिस बेटी को जबरन बाप ने।
आज पीटते उसी शौहर के हाथो सरे राह देखा है।।

👉मारा गया वो पंडित बे मौत सड़क दुर्घटना में यारो।
जिसे खुद को काल, सर्प, तारे और हाथ की लकीरो का माहिर लिखते देखा है।।

👉जिसे घर की एकता की देता था जमाना कभी मिसाल दोस्तों।
आज उसी आँगन में खिंचती दीवार को देखा है।।

👉कुत्ते कोमा में चले गए, ये देखकर।
क्या मस्त तलवे चाटते हुए इंसान देखा है।
~~~~~~~~~~~~

Friday, October 13, 2017

*બેસણું*

સવારના આઠ થયા પણ બેસણાંના હોલનો દરવાજો બંધ હતો.
કેટલાક લોકો સમયસર આવીને વારંવાર ઘડીયાળ જોઇ રહ્યાં હતા. જો કે તેમના ચહેરા પર બેસણાં પછીના બીજા શિડ્યુલ વિશે વધુ ચિંતાની રેખાઓ હતી. જલ્દી શરુ થાય તો થોડીવાર બેસીને નીકળી જઇશું તેવી ઉતાવળ લઇને ઘણાં આવ્યાં હતા.

તેમના કેટલાક લોકોના એક હાથમાં ‘શોક સંદેશા’નું કવર અને બીજા હાથની આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ફરી રહી હતી.

‘કેટલીવાર...?!’ બહાર ઉભેલા પચ્ચીસેકના ટોળાંમાંથી જેને ઉતાવળ હતી તેને બાજુવાળાને ધીરેથી કહ્યું.

‘લાગે છે અંદર હજુ તૈયારી ચાલે છે...!’ બાજુવાળાએ પણ હળવેથી તેના કાનમાં કહ્યું.

‘અમારા સમાજમાં તો જો કોઇનું બેસણું હોય તો અત્યાર સુધીમાં તો અડધા લોકો આવીને પાછા ઘરે પણ પહોંચી ગયા હોય....!’ પેલાએ ફરી પોતાની વાત કરી.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું જમા થઇ બેસણા માટે રાખેલા હોલનો દરવાજો ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા.

થોડીવારમાં દરવાજો ખુલ્યો અને તે ઘરના એક વડીલ બહાર આવ્યાં અને તેને સૌની સામે હાથ જોડી ક્ષમાયાચના કરતાં હોય તે મુદ્રામાં ઉભા રહીને ધીરેથી બોલ્યા, ‘તમને સૌને તકલીફ પડી રહી છે તે બદલ માફ કરશો.... અમારે તૈયારી કરવામાં મોડું થયું છે...’ તેમના શબ્દોમાં સરળતા હતી.

‘અરે, વડીલ.. કોઇ વાંધો નહી... કોઇ કામમાં અમારી જરુર હોય તો પણ કહેજો…!’ જેને ખૂબ ઉતાવળ હતી તેને જ અચાનક પોતાનો શબ્દ વ્યવહાર ફેરવીને લાગણી પ્રદર્શીત કરી.

‘અરે... ના.. ના.. આ તો જ્વલંતની દિકરી જીદે ચડી છે... મારે પપ્પા જોઇએ જોઇએ ને જોઇએ જ...! તમે બધા જ બે દિવસ પહેલા મારા પપ્પાને બાંધીને ઉપાડીને લઇ ગયા હતા.. બસ હવે તમે બધા જ મારા પપ્પાને પાછા લઇ આવો....! જો કે તે છ વર્ષની.. તેને શું ખબર કે મોતના દરવાજે ગયા પછી ક્યાં કોઇ પાછું આવે છે...! તેને કેવી રીતે સમજાવવી.. અમારે તેને અહીંથી દુર લઇ જવી છે.. પણ તે તેના પપ્પાના ફોટા પાસે જ જીદ કરીને બેઠી છે.. હું અહીં જ બેસીસ અને બધાને કહીશ કે મારા પપ્પાને પાછા લઇ આવો....! આજે મારા પપ્પાનો જન્મ દિવસ છે…. મારે કેક કાપવી છે.. તેમને ખવડાવવી છે...!’ અને પેલા વડીલ પોક મુકીને રડી પડ્યાં.

એક બીજા વડીલ તેમની પાસે પહોંચી ગયા અને તેમની પીઠ પર હાથ ફેરવીને દિલાસો આપ્યો.

‘જ્વલંત તો લાખોમાં એક હતો... પણ આ તો અણધારી આફત.. કુદરતની પણ કેવી ક્રુરતા કે ભરજુવાનીમાં બોલાવી લીધો... અરે.. દરેક લોકોના હૃદયમાં તે પોતાની છાપ મુકીને ચાલ્યો ગયો.. દુ:ખ તો અમને સૌને છે... તમે પણ હિંમત રાખો સૌ સારા વાનાં થશે...!’ પેલા વ્યક્તિના દિલાસાથી વડીલને હૈયાધારણાં મળી.

પેલા વડિલ અંદર ગયા અને બધા ફરી પોતપોતાના પરિચિત ચહેરા પાસે ટોળે વળ્યાં.

ધીરે ધીરે બહાર લોકોનું ટોળું વધવા લાગ્યું... સૌ કોઇ દરવાજો ખુલે તેની રાહ જોઇને મીટ માંડી રહ્યા હતા... અને ઘણાંને બેસણાંનો રિવાજ પતાવી નીકળવાની પણ ઉતાવળ હતી.

જ્વલંત, જેનો બે દિવસ પહેલા જ સ્વર્ગવાસ થયો... એક સરળ વ્યક્તિત્વ.. સદાય હસતો ચહેરો અને મદદ માટે તેના હાથ હંમેશા લંબાયેલા જ રહેતા.. સમાજ, સોસાયટી અને સૌ કોઇમાં તે આદર્શ વ્યક્તિ તરીકેની ઓળખ બનાવી ચુક્યો હતો. તેનું અકાળ મૃત્યુ સૌને આંચકો આપી દે તેવું હતું.... જ્વલંત જિંદગીના ઘણા કપરા સંજોગોમાંથી સંઘર્ષ કરીને આગળ વધ્યો હતો.. જો કે તેને પોતાની લીલી વાડી બનાવી પણ નહોતી.. ઘરની કોઇ આર્થિક સધ્ધરતા પણ નહોતી આવી....! હવે બધુ એકાએક છોડીને ચાલ્યા જવું... ઘર- પરિવાર જાણે હવે થોડા દિવસોમાં જ પડી ભાંગશે તેવી સ્થિતિએ પણ પહોંચી જાય...! જ્વલંત પાસે કોઇ સરકારી નોકરી નહોતી કે કોઇ બેઠી આવક પણ નહી.. એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો.. અને અચાનક જ વિદાય લઇ લીધી... ઘરનો મોભી કે કમાઉ દિકરો બધુ એક જ હતો જ્વલંત...!

જ્વલંતના બેસણાં માટે હોલની બહાર લોકોની ભીડ વધી રહી હતી.

પેલા દિલાસો આપનાર માણસને કંઇક સુઝ્યું હોય તેમ તેને સૌની સામે જોઈને કહ્યું, ‘ આમ તો હું પણ તમારી જેમ એક રિવાજ નિભાવવા જ આવેલો વ્યક્તિ છું.. આપણે સૌ એ આમ જ અનેક બેસણાંમાં હાજરી આપી છે, સફેદ કપડાં.. સહેજ દયામણું મહોરું.. હાર ચઢાવેલા ફોટાના દર્શન... શોકના શબ્દો... બે ઘડીનો દિલાસો.... થોડીવારની હાજરી.... અને પછી પોત પોતાના ઘરે...! જો કે હું તમને કોઇને સલાહ કે સુફિયાણી વાતો કરવા નથી આવ્યો.. પણ આજે મને એમ લાગે છે કે આ બેસણું એટલે શું ? તે આપણે વિચારવું પડશે.. જ્વલંત તો ગયો પણ આવતીકાલથી તેના પર નભી રહેલા પરિવારનું શું ?.. બેસણું આપણે એક રિવાજ ન બનાવતા તે પરિવાર માટેનો સાચા અર્થમાં આધાર બનાવી દેવો જોઇએ.. આપણો બે મિનિટનો દિલાસો એ માત્ર બેસણું નથી... અને તેનાથી જ્વલંતના પરિવારને આવનારા સમયમાં કોઇ ફર્ક નહી પડે. આ દરવાજો ખુલશે એટલે એ જ કાયમી જુની પ્રથા શરુ થશે.. સામે જ્વલંતની દિકરી તેના પપ્પાની રાહ જોઇને બેઠી છે.... તેને તેના પપ્પાનો જન્મદિવસ મનાવવો છે.. આજ દિન સુધી તેના પપ્પાએ તેમાં હાજરી આપી છે.. જ્યારે આજે નથી, તો આ બેસણાંમાં તેના પપ્પાનો જન્મદિવસ ઉજવીએ... મારો મતલબ કોઇ પાર્ટી કરવાનો નથી.. પણ જ્વલંતની તસ્વીર પર ફુલ ચઢાવવાની સાથે તેના પરિવારને આવતીકાલના ભવિષ્ય માટે થોડી મદદ કરીએ..’ પેલા ભાઇ થોડીવાર ચુપ થઇ ગયા..

‘તો શું કરવું જોઇએ..?’ એક વ્યક્તિએ પુછ્યું.

‘મદદ.. મારો આ એક શબ્દ જ તમે સમજી ગયા હશો.. આપણે દરેક લોકો જો જ્વલંતના પરિવારને થોડીઘણી મદદ કરતા જઇશું તો તેના પરિવારને આવનારા કપરાં સમયનો ટેકો મળી જશે.. પોતાનાથી બનતી મદદ... સમાજ એટલે એકમેકનો સહયોગ.. જો જ્વલંત આજે હાજર હોત તો તેની દિકરીને કોઇક ગિફ્ટ લાવીને આપી હોત.. પણ આજે તે નથી તો આપણે સૌ તેનો ટેકો બનીને ઉભા રહીએ તે જ હકીકતમાં સાચું બેસણું છે.’ અને પેલા ભાઇએ પોતાની વાત પુરી કરી.

થોડીવાર સૌ એકમેકની સાથે ગુસપુસ કરવા લાગ્યા અને સૌએ તેમની વાતને ગંભીરતાથી લીધી. બધાએ પોતાની બનતી મદદ કરવા તૈયારી દર્શાવી અને ઘડીભરમાં તો પચાસેક હજાર જેટલી મોટી રકમ જમા થઇ ગઇ..

અને થોડીવાર પછી દરવાજો ખુલ્યો.

પેલા વ્યક્તિએ મંગાવેલી કેક જ્વલંતની હાર પહેરાવેલી તસ્વીર સામે મુકી અને તેની દિકરીને બોલાવી અને કહ્યું, ‘ બેટા, તારા પપ્પા લાંબી સફરે ગયા છે, તેમને આવતાં વર્ષો લાગશે, તેમને આ કેક મોકલાવી છે. લે તુ આજે કાપીને બધાને ખવડાવી દે.’
તે અણસમજુ દિકરીએ કેક કાપીને તેના ટુકડા બધાની સામે ધર્યા.. બધાએ વ્હાલથી તે ટુકડો લીધો પણ બધાની આંખોમાં આંસુ હતા..

છેલ્લે તે દિકરી પેલા વ્યક્તિ પાસે આવી અને બોલી, ‘ અંકલ, બધા કહે છે મારા પપ્પા મરી ગયા છે, હવે તે પાછા નહી આવે. પણ મને ખબર છે કે તે મને મુકીને ક્યાંય જાય નહી. તે એકવાર જરુર આવશે અને જ્યારે આવશે ત્યારે ખૂબ મોટી કેક લાવીશું અને હું તમને બધાને બોલાવીશ.. પણ કોઇને સફેદ કપડાં પહેરીને નહી બોલાવું, મારી મમ્મી બહુ રડે છે.. તેને કહી દો કે ભલે તે ભગવાનની પાસે હોય તેમના ધબકારા તો મારા હૃદયમાં મને સંભળાય છે.’ અને તે પેલા વ્યક્તિને વળગી પડી.

પેલા વ્યક્તિએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, ‘ હા દિકરી..! પિતાનું હૃદય તો કાયમ દિકરીના હૃદયમાં જ ધબકતું હોય છે.’ અને એકઠી કરેલી રકમ દિકરીના હાથમાં આપી કહ્યું લે આ તારા પપ્પાએ મોકલ્યા છે મમ્મીને આપજે.

પેલા વડીલે આ દ્રશ્ય જોઇને તેમની નજીક આવ્યાં અને પૈસા ભરેલું કવર જોઇને પરિસ્થિતિને પામી ગયા અને પુછ્યું, ‘તમારો પરિચય..?’

પેલા વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘હું જ્વલંતની સાથે કામ કરું છું.. મારી દિકરીના લગ્ન સમયે મારી પાસે પૈસા પણ નહોતા… ત્યારે જ્વલંતે ફેક્ટરીની બહાર ઉભા રહીને મને મદદ કરવા સૌને વિનંતી કરી હતી અને ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ મારી દિકરીનો પ્રસંગ સચવાઇ ગયો હતો.. જ્વલંતે મારી દિકરીને ખુશ કરી હતી તો તેની દિકરીન દુ:ખી થતા હું કેમ જોઇ શકું ?’
અને જ્વલંતની વ્હાલસોયી દીકરીને વળગી પડ્યાં.

*સ્ટેટસ*
*હું પણ ક્યારેક તો નથી જ રહેવાનો,*
*લાવને આજે જ જાણી લઉં મતલબ જીવવાનો...!*

કરેલું ફોગટ જતું નથી

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો. લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો ની બંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હે કે કોઈ પચાસ સાલ સે બંદગી કર રહા હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં...
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે, એટલે ફળ તો જરૂર આપશે જ...!!!
"કરેલું ફોગટ જતું નથી" - આ ગીતાજીનો સિદ્ધાંત યાદ છે ને !
---------
મિત્રો વાત ગમે તો શેર જરૂર કરજો...

cocktailzindagi (આમિર ખાનને ગુજરાતી નાટકમાંથી તગડી મુકાયો હતો!)

LIGHTS, CAMERA, ACTION




એક ગુજરાતી નાટ્યદિગ્દર્શકે આમિર ખાનને બબ્બે વાર જાહેરમાં રડાવ્યો હતો! યસ, આપણે સુપરસ્ટાર આમિર ખાનની જ વાત કરી રહ્યા છીએ. ઉપરના શબ્દોથી અનેક સવાલો તમારા દિમાગમાં ધૂમરાઇ ગયા હશે, પણ એ શબ્દો અક્ષરશ: સાચા છે.

વેલ, આવી થોડીક વધુ આશ્ચર્યજનક વાતો તમને સડસડાટ કહી દઈએ.

આમિર ખાને તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિમાં બેકસ્ટેજથી કરી હતી અને એ દરમિયાન તેણે સ્ટેજ પર ઝાડુ મારવાની ‘ડ્યુટી’ પણ બજાવી હતી.

આમિર તેની મોટી બહેન નિખત ખાનને કારણે ગુજરાતી રંગભૂમિમાં આવી ચડ્યો હતો. આમિરની એરહોસ્ટેસ બહેન નિખત મુંબઈના ધુરંધર ગુજરાતી નાટ્યદિગ્દર્શક (1993માં જેમનું મૃત્યુ થયું હતુ એ) મહેન્દ્ર જોશીના પ્રેમમાં પડી હતી અને પછી તેમને પરણી હતી.

આમિરને બે ગુજરાતી નાટકમાં અભિનય કરવાની તક મળી હતી અને એમાંથી એક નાટકમાં તેનો લીડ રોલ નહીં બલકે સાઇડ રોલ હતો અને બીજા નાટકમાં તો તેનો સાઇડ રોલ પણ નહોતો, માત્ર એકસ્ટ્રા આર્ટિસ્ટ જેવો રોલ તેને મળ્યો હતો; પણ પછી એ નાટકમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી!

હવે આમિર ખાનના ગુજરાતી સ્ટેજ એટલે કે ગુજરાતી રંગભૂમિ સાથેના કનેક્શનની વાત વિગતે માંડીએ.
આમિર ખાન મુંબઈના જુહુ વિસ્તારમાં ગુજરાતી મેનેજમેન્ટવાળી વિલે પાર્લે કેળવણી મંડળની એન. એમ. કાલેજમાં ભણતો હતો. એ વખતે તેની બહેન નિખતને કારણે તે ગુજરાતી રંગભૂમિના મહારથી મહેન્દ્ર જોશીના સંપર્કમાં આવ્યો હતો. આમિરનો પિતરાઈ મનસૂર ખાન (આમિરની પહેલી અને સુપરહિટ ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’નો દિગ્દર્શક) અને મહેન્દ્ર જોશી પણ બહુ સારા દોસ્ત હતા. એ દોસ્તીને કારણે અને પછી સાથે નાટકો કરવાને કારણે આમિરની બહેન નિખતની દિગ્દર્શક મહેન્દ્ર જોશી સાથે દોસ્તી જામી. એ દોસ્તી પ્રણયમાં અને પછી પરિણયમાં પરિણમી હતી. એટલે કે આમિર ખાન મહેન્દ્ર જોશીનો સાળો બન્યો હતો.

એ વખતે આમિર એન. એમ. કોલેજમાં નિખતના ભાઈ તરીકે ઓળખાતો હતો અને નિખતને સૌ મહેન્દ્ર જોશીની પ્રેમિકા તરીકે ઓળખતા હતા. આમિરને નાટકોમાં કામ કરવાનો શોખ જાગ્યો અને તેણે મહેન્દ્ર જોશી પાસે કામ માગ્યું, મહેન્દ્ર જોશીએ તેને બેકસ્ટેજની જવાબદારી સોંપી દીધી. બેકસ્ટેજ એટલે ઝાડુ મારવાથી માંડીને નાનીમોટી વસ્તુઓ લાવી આપવાનું અને કલાકારોનાં કપડાંની કન્ટિન્યુટી ધ્યાન રાખવા સુધીનું કામ. સ્ટેજ પાછળની આ પ્રવૃત્તિ માટે ચણામમરા જેવી રકમ વળતરરૂપે મળે અને એ રકમમાંથી ચણામમરા ન ખરીદવા હોય તો ચાનો અથવા પાણીનો ખર્ચ નીકળે શકે!

મહેન્દ્ર જોશીના ‘ખેલૈયા’ નાટકમાં આમિરે બેકસ્ટેજ કર્યું હતું. એ નાટકમાં આમિરે કૃત્રિમ વરસાદ વરસાવવાનો હતો. આમિરને રંગબેરંગી કાગળો અપાયા હતા. એ કાગળોના નાના-નાના ટુકડા કરીને હીરો-હિરોઇન ગીત ગાતાં હોય ત્યારે તેમનાં પર વરસાવવાના હતા. આમિર એ કામ ઉદય શેટ્ટી નામના વિદ્યાર્થી સાથે કરતો. ‘ખેલૈયા’ ના શોઝ દરમિયાન આમિરે બાકાયદા સ્ટેજ પર ઝાડુ મારવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી હતી!
આમિર ખાન તેની આત્મકથા લખે તો ‘મારા ગુજરાતી રંગભૂમિના પ્રયોગો’ નામનું ખાસ ચૅપ્ટર લખી શકે એમ છે. મહેન્દ્ર જોશીએ ‘કેસરભીના’ નાટક કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આમિરને સાઇડ રોલ આપ્યો હતો. ‘કેસરભીના’ નાટક વિશે અને એ નાટકમાં આમિરના રોલ વિશે વધુ વાતો સાંભળવી હોય તો વર્ષો સુધી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસર ભરત નાયકને મળવું પડે.

ભરત નાયક કહે છે, ‘સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધરાયું હતું એના પરથી મહેન્દ્ર જોશીને ‘કેસરભીના’ નાટક કરવાનો વિચાર આવ્યો હતો. જોકે ટોમ સ્ટોપાર્ડના નાટક ‘સોલ્જર્સ સ્ટોરી’ પરથી પ્રેરણા લઈને એ નાટકની સ્ક્રિપ્ટ લખાઈ હતી. એ નાટકનો પહેલો શો પૃથ્વી ફેસ્ટીવલમાં થયો હતો અને એના કુલ દસ શો થયા હતા. ‘કેસરભીના’ની કથા એવી હતી કે આર્મીની પંજાબ રેજિમેન્ટમાં ગરબડ થાય છે અને એક સૈનિકનું ખૂન થઈ જાય છે. એની તપાસ માટે સીબીઆઈનો એક ઑફિસર આવે છે. ઑફિસર સૈનિકના ખૂનનું રહસ્ય શોધી કાઢે છે. એ નાટકમાં મહેન્દ્ર જોશી, મકરંદ દેશપાંડે, આતિશ કાપડિયા અને અમિત ઠાકુરની સાથે આમિર ખાને સરદારજીનો સ્વાંગ સજીને નાનકડો રોલ નિભાવ્યો હતો અને સીબીઆઇના ઓફિસરનો રોલ હોમી વાડિયાએ કર્યો હતો.’

ભરત નાયક પાસેથી આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશનની વાતો સાંભળવા મળે એ જ રીતે જાણીતા-નાટ્ય- ટીવીસિરિયલ અને ફિલ્મલેખક મિહિર ભુતા અને તેમનાં પત્ની (બીજેપી લીડર) માધવી ભુતાને મળો તો પણ આમિર ખાનના ગુજરાતી રંગભૂમિના કનેકશન વિશે રસપ્રદ અને રોમાંચક વાતો જાણવા મળે.

1982માં ઇન્ટર-કૉલેજ ડ્રામા કોમ્પિટિશનમાં મહેન્દ્ર જોશીનું એક નાટક હતું, ‘પસિયો રંગારો’. એન. એમ. કોલેજ વતી એ નાટક બનાવાયું હતું. એના લેખક હતા ચંદ્ર શાહ. વિખ્યાત હાસ્યલેખક તારક મહેતાના જમાઈ અને ‘જીન્સ’ કાવ્યોના સર્જક. એ નાટકમાં પસિયા રંગારાનો લીડ રોલ અમોલ ગુપ્તેએ કર્યો હતો (આ અમોલ ગુપ્તે એટલે જેમણે આમિરની ‘તારે ઝમીં પર’ ફિલ્મ લખી હતી અને તેમની તથા આમિરની વચ્ચે ક્રિએટિવ મતભેદ થયા એ પછી આમિરે ડિરેકશન જાતે સંભાળ્યું હતુ). ‘પસિયો રંગારો’માં અમોલ ગુપ્તેની હિરોઇન પ્રીતિ નામની ગુજરાતી સ્ટુડન્ટ હતી. જોકે મુંબઈના પુથ્વી થિયેટરમાં ‘પસિયો રંગારો’ના કમર્શિયલ શો થયા ત્યારે અમોલ ગુપ્તેની સાથે શંકર નાગની સાળી અને અરુંધતી નાગની બહેન પદ્માવતી રાવ હિરોઇન બની હતી. એ નાટકમાં માધવી ભુતાએ પસિયા રંગારાની માનો રોલ કર્યો હતો અને જનક જાનીએ પસિયા રંગારાના પિતાનો રોલ કર્યો હતો.

રંગારો એટલે કે કલર કરવાવાળો દર વર્ષે નગરના પુલને રંગ કરે છે. સમય જતાં રંગારાને નગરના પુલ સાથે પ્રેમ થઈ જાય છે. વર્ષો પછી નગરના શાસકો બદલાઈ જાય છે અને નવા શાસકો પસિયા રંગારાનો ‘પ્રેમ’ છીનવી લે છે એવી કથા એ નાટકની હતી.

એ નાટકમાં આમિર ખાનને શું રોલ અપાયો હતો? એ નાટકમાં પંદર-સત્તર રંગારાનું ટોળું બતાવવાનું હતું. એમાંથી એક આમિર ખાન હતો! (જોકે એ વખતે તેણે પોતાનું નામ આમિર હુસેન રાખ્યુ હતું. કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં પણ તેણે ક્રેડિટમાં આમિર હુસેન નામ રાખ્યું હતું. આમિર ઉપરાંત જમનાદાસ મજીઠિયા (જે હવે જે.ડી. તરીકે જાણીતા પ્રોડ્યુસર-એક્ટર બની ગયા છે) અને હવે જાણીતા અભિનેતા પરેશ ગણાત્રા પણ એ ટોળામાં રંગારો બનીને પીંછી ફેરવવાનો અભિનય કરતા હતા.

‘પસિયો રંગારો’નાં રિહર્સલ્સ દરમિયાન આમિર સહકલાકારોના ટિફિનમાંથી લંચ શેર કરતો હતો. માઘવી ભુતાને આટલાં વર્ષો પછી પણ યાદ રહી ગયું છે કે આમિરને ટીંડોળા અને ભીંડા સહિતનાં કેટલાંક ગુજરાતી શાક બહુ ભાવતા હતા. માધવી કે બીજા કોઈ સ્ટુડન્ટના લંચ બોક્સમાં તે ગુજરાતી જુએ તો સફાચટ કરી દેતો હતો. આમિર સહકલાકારો સાથે કયારેક ફિલ્મો જોવા પણ ઉપડી જતો હતો. પોતે હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર તાહિર હુસેનનો દીકરો છે એવો ફાંકો તેને નહોતો. તે મોટે ભાગે શાર્ટ્‌સ પહેરીને ફરતો રહેતો હતો. માધવીને કે બીજી કોઈ સહકલાકારોને રિહર્સલ વખતે મોડું થઈ જાય તો તે તેમને મૂકવા માટે તેમના ઘર સુધી રિક્ષામાં જતો હતો. એક વાર ગૌરી વિસર્જનના દિવસે આમિર અને બીજા સહકલાકારો માધવી ભુતાના ઘરે ગયાં હતાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ગપ્પાં મારતા હતા ત્યારે માધવી ભુતાના ઘરમાં પહેલા માળેથી ત્રણ મહેમાન હિન્દી નાટક જોવા માટે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. બાળાસાહેબ દેવરસ (આર. એસ.એસ.ના નેતા), અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી! (માધવીના પિતા રમેશ મહેતા વિશ્વ હિન્દુ પરિષદના સિનિયર નેતા છે.) તેમના વિશે અછડતો ઉલ્લેખ પણ આમિર અને માધવી તથા અન્ય મિત્રો વચ્ચે થયો અને ઓ.કે. ‘રાજકારણીઓ કયારેક નાટકો જોતા પણ હોય છે!’ એવી કંઈક ટિપ્પણી કરીને આમિર-માધવી મંડળી પાછી અલકમલકની વાતે ચડી ગઈ.

મુંબઈના જુહુ વિસ્તારમાં એન. એમ. કોલેજની અડોઅડ જશોદા રંગમંદિરમાં દોઢ મહિના સુધી ‘પસિયો રંગારો’ નાટકના રિહર્સલ્સ દરમિયાન આમિર ખાને નિયમિત રીતે હાજરી આપી હતી. આવી બધી મજાકમસ્તી અને ધમાલ સાથે પણ રિહર્સલના થેલ્લા દિવસે કોઈ કારણે આમિરે જુહુ સુધી લાંબા થવાનું માંડી વાળ્યું એટલે મહેન્દ્ર જોશી ભડકી ગયા અને તેમણે આમિરને ‘પસિયો રંગારો’ નાટકમાંથી કાઢી મૂક્યો! મહેન્દ્ર જોશીએ સાળા આમિરને શાબ્દિક રીતે ઠમઠોરીને નાટકમાંથી રવાના કરી દીધો ત્યારે આમિર નાના બાળકની જેમ રડી પડ્યો હતો!

વર્ષો પછી આમિર જ્યારે મોટા ગજાનો ફિલ્મસ્ટાર બની ગયો ત્યારે પણ મહેન્દ્ર જોશીએ તેને ડઝનબંધ ફિલ્મસ્ટાર્સ અને રંગભૂમિના અનેક ખેરખાંઓ સહિત સેંકડો માણસોની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડાવ્યો હતો અને એ પણ જશોદા રંગમંદિરની બાજુમાં બનેલા સંતોકબા હોલમાં. ઓક્ટોબર 1993માં મહેન્દ્ર જોશી મૃત્યુ પામ્યા પછી તેમની શોકસભા જુહુના સંતોકબા હોલમાં યોજાઈ હતી. ઓ શોકસભામાં ઘણા કલાકારોએ મહેન્દ્ર જોશીને શબ્દાંજલિ આપી. એ પછી આમિર ખાન બનેવી મહેન્દ્ર જોશી વિશે બોલવા ઊભો થયો. તે થોડાક શબ્દો બોલ્યો અને તેનું ગળું ભરાઈ આવ્યું અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. એ વખતે ત્યાં ઉપસ્થિત અન્ય સેલિબ્રિટીઝની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મારી નવી કોલમ cocktailzindagi.com પર દર શુક્રવારે.

by AASHU PATEL



શ્રીમાન આશુતોષની દીવાલ પરથી સાભાર

Thursday, October 12, 2017

જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જોઈએ..

સુર બદલી ને બોલવા થી પણ

ઘણુ બધૂ તુટી જાય છે..
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને........

સાહેબ....

એ વ્યક્તિ કોઇ દિવસ
બીજા નું ખરાબ નહીં કરે...
*रिश्ते और रास्ते*
तब ख़त्म हो जाते हैँ
जब *पाँव* नहीं
*दिल* थक जाते है.

લેણ-દેણના સંબંધ

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે જોઈ
હસવાનું કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

*દિલની વાત કરું છું...*
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
*"તેરે બીના ભી ક્યાં જીના"*

સાહેબ મને કહો કે-
*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*
*આ યુવાન વર્ગ લાગણી ને સમજે છે શુ ?*

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

*કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.*

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
*"તેરે બીના ભી ક્યાં જીના".*

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) *આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.*

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.*

*પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે.*
અને
*એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય.*

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
👇
*"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.*
*તો જ જિંદગી આનંદથી જશે."*
🙏🙏
👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો.* 🙏🌹🌸🍀

B.K.Chudasama ની પોસ્ટ પરથી સાભાર

Sunday, October 8, 2017

આરોગ્ય

5 mint nikaalo aur padho

*1. सुबह उठ कर कैसा पानी पीना चाहिए*

उत्तर - हल्का गर्म

*2. पानी पीने का क्या तरीका होता है*

उत्तर - सिप सिप करके व नीचे बैठ कर

*3. खाना कितनी बार चबाना चाहिए*

उत्तर. - 32 बार

*4. पेट भर कर खाना कब खाना चाहिए*

उत्तर. - सुबह

*5. सुबह का नाश्ता कब तक खा लेना चाहिए*

उत्तर. - सूरज निकलने के ढाई घण्टे तक

*6. सुबह खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - जूस

*7. दोपहर को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - लस्सी / छाछ

*8. रात को खाने के साथ क्या पीना चाहिए*

उत्तर. - दूध

*9. खट्टे फल किस समय नही खाने चाहिए*

उत्तर. - रात को

*10. आईसक्रीम कब खानी चाहिए*

उत्तर. - कभी नही

*11. फ्रिज़ से निकाली हुई चीज कितनी देर बाद*
*खानी चाहिए*

उत्तर. - 1 घण्टे बाद

*12. क्या कोल्ड ड्रिंक पीना चाहिए*

उत्तर. - नहीं

*13. बना हुआ खाना कितनी देर बाद तक खा*
*लेना चाहिए*

उत्तर. - 40 मिनट

*14. रात को कितना खाना खाना चाहिए*

उत्तर. - न के बराबर

*15. रात का खाना किस समय कर लेना चाहिए*

उत्तर. - सूरज छिपने से पहले

*16. पानी खाना खाने से कितने समय पहले*
*पी सकते हैं*

उत्तर. - 48 मिनट

*17. क्या रात को लस्सी पी सकते हैं*

उत्तर. - नही

*18. सुबह खाने के बाद क्या करना चाहिए*

उत्तर. - काम

*19. दोपहर को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - आराम

*20. रात को खाना खाने के बाद क्या करना*
*चाहिए*

उत्तर. - 500 कदम चलना चाहिए

*21. खाना खाने के बाद हमेशा क्या करना*
चाहिए

उत्तर. - वज्रासन

*22. खाना खाने के बाद वज्रासन कितनी देर*
*करना चाहिए.*

उत्तर. - 5 -10 मिनट

*23. सुबह उठ कर आखों मे क्या डालना चाहिए*

उत्तर. - मुंह की लार

*24. रात को किस समय तक सो जाना चाहिए*

उत्तर. - 9 - 10 बजे तक

*25. तीन जहर के नाम बताओ*

उत्तर.- चीनी , मैदा , सफेद नमक

*26. दोपहर को सब्जी मे क्या डाल कर खाना*
*चाहिए*

उत्तर. - अजवायन

*27. क्या रात को सलाद खानी चाहिए*

उत्तर. - नहीं

*28. खाना हमेशा कैसे खाना चाहिए*

उत्तर. - नीचे बैठकर व खूब चबाकर

*29. चाय कब पीनी चाहिए*

उत्तर. - कभी नहीं

*30. दूध मे क्या डाल कर पीना चाहिए*

उत्तर. - हल्दी

*31. दूध में हल्दी डालकर क्यों पीनी चाहिए*

उत्तर. - कैंसर ना हो इसलिए

*32. कौन सी चिकित्सा पद्धति ठीक है*

उत्तर. - आयुर्वेद

*33. सोने के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - अक्टूबर से मार्च (सर्दियों मे)

*34. ताम्बे के बर्तन का पानी कब पीना चाहिए*

उत्तर. - जून से सितम्बर(वर्षा ऋतु)

*35. मिट्टी के घड़े का पानी कब पीना चाहिए*

उत्तर. - मार्च से जून (गर्मियों में)

*36. सुबह का पानी कितना पीना चाहिए*

उत्तर. - कम से कम 2 - 3 गिलास

*37. सुबह कब उठना चाहिए*

उत्तर. - सूरज निकलने से डेढ़ घण्टा पहल

*38.इस मैसेज को कितने ग्रुप में भेजना चाहिए ।
उत्तर . सभी ग्रुप में,वह भी जरूर से जरूर।
👏👏👏👏👏👏

Saturday, October 7, 2017

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैस

ईश्वर "टूटी" हुई चीज़ों का इस्तेमाल कितनी ख़ूबसूरती से करता है ..,, जैसे ....
बादल टूटने पर पानी की फुहार आती है ......
मिट्टी टूटने पर खेत का रुप लेती है....
फल के टूटने पर बीज अंकुरित हो जाता है .....
और बीज टूटने पर एक नये पौधे की संरचना होती है ....
इसीलिये जब आप ख़ुद को टूटा हुआ महसूस करे तो समझ लिजिये ईश्वर आपका इस्तेमाल किसी बड़ी उपयोगिता के लिये करना चाहता है ।

Wednesday, October 4, 2017

તમારા અભિપ્રાય ની નોંધ ત્યારેજ લેવાશે
જ્યારે તમે તમારી પ્રતિષ્ઠા ઉભી કરી હશે!!!

Wednesday, August 23, 2017

"અંતિમ યાત્રા"નો અંત પણ નજીક છે?

ઘેર ઘેર આ હાલત છે..!

આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે..

શબવાહિનીને છેક બંગલાના કે ફ્લેટના ઝાંપા સુધી લાવવી પડે છે .

બહુ જ તકલીફ છે આ બધી, લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ જનતાને આળસ ચડે છે..

જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે, "બેસણું ક્યારનું રાખ્યું છે" ?

સાથે રાત જાગવાવાળા અડોશ પડોશમાંથી ચા-પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કશુ જ નથી દેખાતુ..સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે,અને જેવા શબવાહિનીમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે..!

સ્મશાનેથી ઘેર આવી અને કોગળા કરી મોઢું ધોઈ ને પછી ઘરમાં જુવો તો પાંચ સાત જણા માંડ બચ્યા હોય..

કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?

બધું જ સરખું રૂટીન માં આવે પછી જ સ્વજનો ઘર છોડતા !

આ બધું જ ઓછું થતું જાય છે..

આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે નામશેષઃ થતી જાય છે, "કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવી" એવી ભાવના..!

ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભડવા જતા..ઘરથી ગામ બહાર આવેલા સ્મશાન સુધી નનામી જતી,બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઇ જતુ..

આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે..!

હા, બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે..!
આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.. બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે.

મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે,પણ ઘણા બધા માટે, ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે..!
આજે ઘણા ફેમિલી મા મરણ એ લાખ સવાલાખ નુ થતુ જાય છે. સમાજ ના કારણે વટ વૈવાર પણ કરવો પડે છે. ના કરતો મારા તમારા જેવા વાતો કરે મઘ્યમ વગઁ ના માણસ ની બહુ કફોડી હાલત ગંભીર બને છે. જો તમારી સમતા હોય તો 5 કે 10 હજાર ની મદદથી તેને ટેકો રહેશે મઘ્યમ વગઁ નો માણસ તમારા પૈસા ખઈ નહિ જાય તે તમને જરુર થી પરત કરશે. કેમ કે તે મરણ ના પૈસા છે.
જે આપણો સભ્ય સમાજ બાવાશ્રી મહારાજ ના ચરણે લાખો નુ દાન કરીને સમાજ મા વટ પાડે છે. ગરીબ મઘ્યમ વગઁ ના એક માણસ ને મદદ કરજો એ એક વ્યક્તિ નહી આખુ ફેમિલી તમને દીલ મા જગ્યા આપશે ને તમે આપેલ પૈસા પણ પરત કરશે.

અને, માણસને માણસની હૂંફની જરૂર હોય છે, મને ઘણા અનુભવ છે,વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત, અરે! ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે.

ફેસબુક અને વોટ્સ એપની તો વાત નથી કરતો, એ તો હવે સર્વવિદિત હકીકત છે કે જેટલા RIP કે OM SHANTI ના સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા..!અને આવ્યા વારા પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ ની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ એજ ચાલતું હોય.

સોશિયલ મીડિયાના આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો..!

એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોએ પણ, કે ખાલી RIP લખી નાખું એ બરાબર છે ? રૂબરૂ નહીં જવું જોઈએ ?

પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે, સામાજિક મર્યાદા એમણે નથી લાંઘી પણ એનાથી નાની ઉમરના છોકરાઓનું શું?

નવી જનરેશનને સ્મશાન દેખાડવાની જરૂર છે, સાથે લઈને જવું જોઈએ. "ભણતર", "ક્લાસ" કે "હવે હું તો આવ્યો છું પછી એની ક્યા જરૂર છે..?"

આ બધા બહાના ખોટા છે…

જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. લગનમાં તો નાચનારા ભાડે લાવ્યા હવે નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો..?

તમે પણ વિચારજો ૧૮ વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..?

નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..?🙏

The Truth of Life

કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો.
(શાંતિથી વિચારજો )


બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.


તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.


કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.



રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે.




શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ.....
ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે....!!!!!

Tuesday, August 22, 2017

The Truth of Life

થાક હરેક વ્યક્તિને લાગે છે
કોઇકને જીંદગીથી તો
કોઇકને જવાબદારીઓથી

ઝુમતાં નહી આવડે તો ચાલશે ,
પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.

Good Morning

Sunday, February 19, 2017

The Truth of Life

पढ़ाई पूरी करने के बाद एक छात्र किसी बड़ी कंपनी में नौकरी पाने की चाह में इंटरव्यू देने के लिए पहुंचा....

छात्र ने बड़ी आसानी से पहला इंटरव्यू पास कर लिया...

अब फाइनल इंटरव्यू
कंपनी के डायरेक्टर को लेना था...

और डायरेक्टर को ही तय
करना था कि उस छात्र को नौकरी पर रखा जाए या नहीं...

डायरेक्टर ने छात्र का सीवी (curricular vitae)  देखा और पाया  कि पढ़ाई के साथ- साथ यह  छात्र ईसी (extra curricular activities)  में भी हमेशा अव्वल रहा...

डायरेक्टर- "क्या तुम्हें  पढ़ाई के दौरान
कभी छात्रवृत्ति (scholarship)  मिली...?"

छात्र- "जी नहीं..."

डायरेक्टर- "इसका मतलब स्कूल-कॉलेज  की फीस तुम्हारे पिता अदा करते थे.."

छात्र- "जी हाँ , श्रीमान ।"

डायरेक्टर- "तुम्हारे पिताजी  क्या काम  करते  है?"

छात्र- "जी वो लोगों के कपड़े धोते हैं..."

यह सुनकर कंपनी के डायरेक्टर ने कहा- "ज़रा अपने हाथ तो दिखाना..."

छात्र के हाथ रेशम की तरह मुलायम और नाज़ुक थे...

डायरेक्टर- "क्या तुमने कभी  कपड़े धोने में अपने  पिताजी की मदद की...?"

छात्र- "जी नहीं, मेरे  पिता हमेशा यही चाहते थे 
कि मैं पढ़ाई  करूं और ज़्यादा से ज़्यादा किताबें
पढ़ूं...

हां , एक बात और, मेरे पिता बड़ी तेजी  से कपड़े धोते हैं..."

डायरेक्टर- "क्या मैं तुम्हें  एक काम कह सकता हूं...?"

छात्र- "जी, आदेश कीजिए..."

डायरेक्टर- "आज घर वापस जाने के बाद अपने पिताजी के हाथ धोना...
फिर कल सुबह मुझसे आकर मिलना..."

छात्र यह सुनकर प्रसन्न हो गया...
उसे लगा कि अब नौकरी  मिलना तो पक्का है,

तभी तो  डायरेक्टर ने कल फिर बुलाया है...

छात्र ने घर आकर खुशी-खुशी अपने पिता को ये सारी बातें बताईं और अपने हाथ दिखाने को कहा...

पिता को थोड़ी हैरानी हुई...
लेकिन फिर भी उसने बेटे
की इच्छा का मान करते हुए अपने दोनों हाथ उसके
हाथों में दे दिए...

छात्र ने पिता के हाथों को धीरे-धीरे धोना शुरू किया। कुछ देर में ही हाथ धोने के साथ ही उसकी आंखों से आंसू भी झर-झर बहने लगे...

पिता के हाथ रेगमाल (emery paper) की तरह सख्त और जगह-जगह से कटे हुए थे...

यहां तक कि जब भी वह  कटे के निशानों पर  पानी डालता, चुभन का अहसास
पिता के चेहरे पर साफ़ झलक जाता था...।

छात्र को ज़िंदगी में पहली बार एहसास हुआ कि ये
वही हाथ हैं जो रोज़ लोगों के कपड़े धो-धोकर उसके
लिए अच्छे खाने, कपड़ों और स्कूल की फीस का इंतज़ाम करते थे...

पिता के हाथ का हर छाला सबूत था उसके एकेडैमिक कैरियर की एक-एक
कामयाबी का...

पिता के हाथ धोने के बाद छात्र को पता ही नहीं चला कि उसने  उस दिन के बचे हुए सारे कपड़े भी एक-एक कर धो डाले...

उसके पिता रोकते ही रह गए , लेकिन छात्र अपनी धुन में कपड़े धोता चला गया...

उस रात बाप- बेटे ने काफ़ी देर तक बातें कीं ...

अगली सुबह छात्र फिर नौकरी  के लिए कंपनी के  डायरेक्टर के ऑफिस में था...

डायरेक्टर का सामना करते हुए छात्र की आंखें गीली थीं...

डायरेक्टर- "हूं , तो फिर कैसा रहा कल घर पर ?
क्या तुम अपना अनुभव मेरे साथ शेयर करना पसंद करोगे....?"

छात्र- " जी हाँ , श्रीमान कल मैंने जिंदगी का एक वास्तविक अनुभव सीखा...

नंबर एक... मैंने सीखा कि सराहना क्या होती है...
मेरे पिता न होते तो मैं पढ़ाई में इतनी आगे नहीं आ सकता था...

नंबर दो... पिता की मदद करने से मुझे पता चला कि किसी काम को करना कितना सख्त और मुश्किल होता है...

नंबर तीन.. . मैंने रिश्तों की अहमियत पहली बार
इतनी शिद्दत के साथ महसूस की..."

डायरेक्टर- "यही सब है जो मैं अपने मैनेजर में देखना चाहता हूं...

मैं यह नौकरी केवल उसे  देना चाहता हूं जो दूसरों की मदद की कद्र करे,
ऐसा व्यक्ति जो काम किए जाने के दौरान दूसरों की तकलीफ भी महसूस करे...

ऐसा शख्स जिसने
सिर्फ पैसे को ही जीवन का ध्येय न बना रखा हो...

मुबारक हो, तुम इस नौकरी  के पूरे हक़दार हो..."

आप अपने बच्चों को बड़ा मकान दें, बढ़िया खाना दें,
बड़ा टीवी, मोबाइल, कंप्यूटर सब कुछ दें...

लेकिन साथ ही  अपने बच्चों को यह अनुभव भी हासिल करने दें कि उन्हें पता चले कि घास काटते हुए कैसा लगता है ?

उन्हें  भी अपने हाथों से ये  काम करने दें...

खाने के बाद कभी बर्तनों को धोने का अनुभव भी अपने साथ घर के सब बच्चों को मिलकर करने दें...

ऐसा इसलिए
नहीं कि आप मेड पर पैसा खर्च नहीं कर सकते,
बल्कि इसलिए कि आप अपने बच्चों से सही प्यार करते हैं...

आप उन्हें समझाते हैं कि पिता कितने भी अमीर
क्यों न हो, एक दिन उनके बाल सफेद होने ही हैं...

सबसे अहम हैं आप के बच्चे  किसी काम को करने
की कोशिश की कद्र करना सीखें...

एक दूसरे का हाथ
बंटाते हुए काम करने का जज्ब़ा अपने अंदर 
लाएं...

यही है सबसे बड़ी सीख..............

 उक्त कहानी यदि पसंद आई हो तो अपने परिवार में सुनाएँ और अपने बच्चों को सर्वोच्च शिक्षा प्रदान कराये

आँखे बन्द करके जो प्रेम करे वो 'प्रेमिका' है।
आँखे खोल के जो प्रेम करे वो 'दोस्त' है।
आँखे दिखाके जो प्रेम करे वो 'पत्नी' है।
अपनी आँखे बंद होने तक जो प्रेम करे वो 'माँ' है।
परन्तु आँखों में प्रेम न जताते हुये भी जो प्रेम करे वो 'पिता' है।
 

Thursday, February 16, 2017

अनुभव

" एक *गलती* आपका *अनुभव* बढ़ा देती है...और *अनुभव* आपकी *गलतियां कम* कर देता है...              ज़िन्दगी में अगर कोई सबसे *सही रास्ता* दिखाने वाला *दोस्त* है तो वो है....." *अनुभव* "

 

Suvichar

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે?
 
ખુબ ઊંચા બારણા રાખયા ભલે,
જે વિવેકી છે ઝુકીને આવશે.

*रिश्ते*

*रिश्ते* चाहे कितने ही बुरे हो उन्हे *तोङना मत* क्योकि *पानी* चाहे कितना भी *गंदा* हो अगर *प्यास* नही बुझा सकता वो आग तो बुझा *सकता है।*

 
      

Life

*બેગુનાહ* કોઇ નથી અહીંયા
બધાના કોઇને કોઇ *રાઝ* છે,

કોઇના *છુપાઇ* જાય છે
તો કોઇના *છપાઇ* જાય છે....😜

किस्मत

*किस्मत*  आपके  हाथ  में  नही  होती  किन्तु  *निर्णय*  आपके  हाथ  में  होता  है....

*किस्मत*  आपका  *निर्णय*  नही  बदल  सकती  किन्तु  आपका  *निर्णय*  आपकी  *किस्मत*  बदल  सकता  है...

Life

<html>
<body>
<marquee>
*गुज़रते दिनों का नही... " बल्कि "   यादगार लम्हों का नाम है...  **जिंदगी**
</marquee>
</body>
</html>

બુદ્ધિશાળી સાથે ગમે તેટલું ફરો 

પણ અનુભવ તો મૂર્ખ બન્યા પછી જ મળે.

બુદ્ધિશાળી સાથે ગમે તેટલું ફરો 

પણ અનુભવ તો મૂર્ખ બન્યા પછી જ મળે.

Tuesday, February 14, 2017

*क्या हम कभी भगवान को धन्यवाद देने मंदिर गये है.?*

एक अमीर आदमी था, उसने अपने गांव के सब गरीब लोगों के लिए और भिखारिओं के लिए माह-वारी (प्रतिमाह) दान बांध दिया था।

किसी को दस रुपये मिलते महीने में तो किसी को बीस रुपये मिलते तो किसी को पचास रुपये।
सभी लोग हर महीने की एक तारिख को आकर अपने पैसे ले जाते थे, यह क्रम वर्षो से ऐसा चल रहा था।

एक भिखारी था जो बहुत ही गरीब था और जिसका बडा परिवार था, उसे 50 रुपये हर महीने मिलते थे।

वह हर महीने की एक तारीख को आकर अपने पैसे ले जाता था।

एक बार महीने की एक तारीख आई, वह बूढा भिखारी रुपये लेने गया।

लेकिन उस धनी सेठ के मैनेजर ने कहा कि:- भाई थोडा अदल-बदल हुआ है, अब से तुम्हें पचास रुपये की जगह सिर्फ पच्चीस रुपये मिलेंगे।

यह सुनकर भिखारी बहुत नाराज हो गया, उसने कहा:- क्या मतलब, मुझे तो हमेशा से पचास रुपये मिलते रहे हैं।
और बिना पचास रुपये लिए मैं यहाँ से नहीं हटुंगा, क्या वजह है पचास की जगह पच्चीस देने की?

मैंनेजर ने कहा कि:- जिनकी तरफ से तुम्हें रुपये मिलते हैं उनकी बेटी का विवाह है, और उस विवाह में बहुत खर्च होने वाला है।
और यह विवाह कोई साधारण विवाह नहीं है, उनकी एक ही बेटी है लाखों का खर्च है।
इस वजह से अभी सम्पत्ति में थोडी असुविधा है, इसलिए अब आपको पचास की जगह पच्चीस ही मिलेंगे।

उस भिखारी ने गुस्से से टेबल पर हाथ पटके और कहा:- इसका क्या मतलब, तुमने मुझे क्या समझ रखा है, मैं कोई बिरला नहीं हूँ?
मेरे पैसे काटकर और अपनी लडकी की शादी?

अगर अपनी बेटी की शादी में लुटाना है तो अपने पैसे लुटाओं।

पिछले कई सालो से उस बुढे भिखारी को पचास रुपये मिलते आ रहे है, इसलिए वह आदी हो गया है, अधिकारी हो गया है, वह अनको अपने मानने लगा है।
उसमें से पच्चीस काट लेने पर उसका विरोध है।

हमें जो मिला है जीवन में, उसे हम अपना मान रहे है।

उसमें से आधा कटेगा तो हम विरोध तो करेंगे, लेकिन जो हमे अब तक मिला है जो अपना नहीं था वह मिला और क्या हमने इसके लिए कभी धन्यवाद भी दिया है।

इस भिखारी ने कभी उस अमीर आदमी के पास जाकर धन्यवाद तक नही दिया की तुम पचास रुपये महीने हमें देते हो इसके लिए धन्यवाद, लेकिन जब कटे तो विरोध किया।

जरा विचार करे:- क्या हम कभी सुख के लिए भगवान को धन्यवाद देने मंदिर गये है?

शायद हीं किसी का जबाब हां होगा...

हम सभी अधिकतर बस दु:ख की शिकायत लेकर ही मंदिर गये है।

जीवन जैसे सुंदर उपहार के लिए हमारे मन में कोई धन्यवाद नहीं है, लेकिन मुत्यु के लिए बडी शिकायत।

सुख के लिए कोई धन्यवाद नहीं है, लेकिन दु:ख के लिए बहुत बडी शिकायत।

जब भी हमने भगवान को पुकारा है तो कोई न कोई पीड़ा या दु:ख के लिए।

क्या हमने कभी धन्यवाद देने के लिए भगवान को पुकारा है?

दुःख में सुमिरन सब करे सुख में करै न कोय।

जो सुख में सुमिरन करे दुःख काहे को होय॥

कबीर दास जी कहते हैं कि दुःख के समय सभी भगवान को याद करते हैं, पर सुख में कोई भी भगवान को याद नहीं करता।

यदि सुख में भी भगवान को याद किया जाए तो दुःख हो ही क्यों।

Thursday, February 9, 2017



ટેલિફોન વાયરથી બંધાયેલો હતો પણ 
માણસો 'છુટ્ટા' હતા,

અત્યારે મોબાઈલ સાવ છુટ્ટો છે પણ 
માણસો 'બંધાઈ' ગયા છે..

સામાજિક રીત રીવાજોમાં થતા ખોટા ખર્ચ

આખીયે દુનિયામાં વસતી જુદી-જુદી પ્રજાઓના લગ્નના રીતરિવાજોમાં ડોકિંયુ કરવું એટલે અત્યંત રસિક ને અજાયબી લગ્ન દુનિયામાં પ્રવેશ કરવા બરાબર છે. સ્ત્રી-પુરુષના દ્વારા નાની-મોટી વિધિને સાંકળતો ના હોય એવું કોઇ ગામ, શહેર, રાજ્ય કે દેશ દુનિયાના પટ પર હયાત નથી.

આજે વધતી જતી જન સંખ્યા  તેમજ વધતી માંઘવારી માં સમાજના વિવિધ પ્રકાર ના રિવાજો માં પરીવર્તન થઈ રહયુ છે. ઘણા સમાજો જુના રીવાજો બંધ કરીને નવા રીવાજો શરૂ કરી રહયા છે તેમાં ઘણા સમાજો તેમની સામાજીક મર્યાદાઓ જળવાય રહે તે માટે રીવાજો બદલવા માટે તૈયાર નથી જેથી તે સમાજો પ્રગતિના બદલે પડતી તરફ ધકેલાઈ જતા હોય છે. માનવી ને કયાંય જવાનો સમય નથી તેને માત્ર પૈસાનો લોભ છે તેથી તે ટુંકા ગાળા માં થતું હોય તેવુ જ કામ કરવા  મથામણ કરતાં હોય છે.દરેક સમાજો માં સૌથી મોટી સમસ્યા લગ્ન ના રીવાઝો ની છે જેના કારણે જેતે સમાજો લગ્ન ના રીવાઝો બાબતે જાણી ગયા છે તે આગળ વધી રહયા છે જેઓ આજ સુધી તેમાં પરીવર્તન લાવવા માટે પ્રેરાયા નથી તે હજી પણ પછાત પણા તરફ ધકેલાઈ રહયા છે સમાજ માં લગ્નના રિવાઝો માં જલસા વાળા કે દેખાવા વાળા જે લગ્ન થાય છે તેના પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ જેના કારણે સમાજના લોકો ને ખુબજ મોટુ નુકશાન થતું હોય છે જેમકે સમય,પૈસો વગેરેને વેડફાઈ જતી હોય છે જેમાં એક વ્યકતિના લગ્ન હોય ત્યાં આખા સમાજ ને આ મુસીબત નો સામનો કરવો પડતો હોય છે. જે સમાજો મોટા અને દુરદુર ના ગામડીયા ધરાવતા સમાજો હોય તો અને એક સીઝન માં વધારે પ્રમાણ માં લગ્ન હોય તો કેવી રીતે દરેક જગ્યાએ પહોંચવું, સમય સાચવવો કે કામ સાચવવું જરા વિચાર કરો,જો કોઈના ત્યાં ના જઈ શકીએ તો પણ રીસાઈ જાય તો કરવુ શું એક લગ્ન માં એક સમાજ નો એક જ માણસ નહી પણ આખું સમાજ હિલ્લોળે ચડી જતું હોય છે, કયાં જવું ને શું કરવું તે સુજે જ નહી આ બાબતે એક જ સમયે એક જ સ્થળે ઓછા ખર્ચે લગ્ન થાય તેવી પ્રથા બહાર પાડવી જોઈએ. આ સીવાય લગ્ન કરનારા પણ વિવિધ ખર્ચ કરવામાં મશ્ગુલ બની જતા હોય છે, જેમકે બેન્ડ વાઝુ, ડાન્સર, વિડીયો ગ્રાફી વગેરે તાયફા કરતા હોય છે જેના પાછળ લાખો રૂપીયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે. આ ખર્ચા પણ લોકો એકબીજાની દેખા દેખી થી કરતા હોય છે, જાણી જોઈને શુ કામ દેવાદાર બનો છો, આટલો ખર્ચ નહી કરો તો પણ લગ્ન થશે તમે કોઈ પાછા નહી કાઢી મુકે આમ લગ્નો માં થતા ખર્ચ પર કાબુ મેળવવા પ્રયત્ન કરશો.

આંપણે બધા જુદા જુદા સમાજ સાથે જોડયેલા છીએ. દરેક સમાજ્ના રીત રીવાજો પણ  જુદા જુદા હોય છે. સામાજિક કાર્યમાં રીત રીવાજો મુજ્બ ખર્ચ કરવો તે આંપણી માન્યતા છે. આંપણે સમાજમાં મોભો વધારવા ખોટી દેખાદેખી કરીને વધુ પડતા ઘણાં ખર્ચ કરીએ છીએ. આ ખર્ચ આંપણે નીચે મુજ્બના પ્રસંગોએ વધુ પ્રમાણમાં કરતા હોઈએ છીએ.
લગ્ન પ્રસંગ
મરણ પ્રસંગ
જન્મ પ્રસંગ
સગપણ પ્રસંગ
જનોઈ પ્રસંગ
વાસ્તુ પ્રસંગ
જન્મ દીનની ઊજવણી
લગ્ન દીનની ઊજવણી
આ સીવાય બીજા પ્રસંગોમાં પણ આંપણે ખર્ચ કરતા હોઈએ છીએ. આ ખર્ચ કેવી રીતે ઓછા કરવા તે પણ આંપણા હાથમાં છે. સૌથી મોટા ખર્ચા લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં કરીએ છીએ. લગ્નપ્રસંગ દરેક સમાજ માટે આનંદ દાયક પ્રસંગ છે તેથી આંપણે સૌથી વધુ ખર્ચ આ પ્રસંગે કરીએ છીએ. લગ્ન પ્રસંગે ઉજવણી, રંગરાગ, નાચગાન, કરીયાવર, જમણવાર, શોખના ખર્ચમાં બેન્ડ, ફટાક્ડા, ક્પડા-દાગીના જેવા ખર્ચ થાય છે. આ બધાં ખર્ચમાં કેવી રીતે કાપ મુકવો તે આંપણાં હાથમાં છે.

લગ્નપ્રસંગમાં કાપ મુકવાનો સીધો અ‍ને સરળ રસ્તો સમૂહ લગ્ન છે. સમૂહ લગ્નમાં જોડાવાથી કરીયાવર, જમણવાર, બેન્ડ, ફટાક્ડા, ક્પડા-દાગીનાનો ખર્ચ બચી જાય છે. બીજું કે સમૂહ લગ્નમાં જોડાવાથી વર કન્યાને આયોજ્કો તરફથી કરીયાવરના રૂપે દાગીના-વાસણ-ઘરવખરીના સાધનો આપવામાં આવે છે.

જો કોઇ સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાવા તૈયાર ના હોય તો પણ બીજી ઘણી રીતે ખર્ચ બચાવી શકાય છે. બેન્ડઅને ફટાક્ડાનો ખર્ચ ન કરીએ તો ધ્વનિ પ્રદુષણ અટકાવી શકાય છે. ખોટી દેખાદેખી કરીને કરવામાં આવતું ડેકોરેશન લગ્ન પુરતુ મર્યાદિત હોય છે અને લગ્ન પછી તેના ખર્ચનુ બીલ છ મહીનાના કરીયાણાના બીલ બરાબર હોય છે. આંપણે આ ખર્ચ બચાવી શકીએ છીએ. 


પ્રેરક લગ્ન 
(1)
લગ્ન એ જે તે વ્યક્તિના જીવનનો અનોખો પ્રસંગ હોય છે કારણકે પુરીે જીંદગીમાં એક જ વાર આવતો હોય છે. મોટા ભાગે લગ્નની ઉજવણી ધામધુમ પૂર્વક કરવામાં આવતી હોય છે. તેમ છેતા કેટલીક વ્યક્તિ પોતાની રીતે અનોખા લગ્ન યોજતા હોય છે. આણંદમાં નાયબ મામલતદાર તરીકે ફરજ નિભાવતા ચૈતન્ય સંઘાણીએ પોતાના લગ્ન કર્યા બાદ જૂનાગઢના અંધ અનાથ અને ચિલ્ડ્રલ હોમમાં રહેતા બાળકો સાથે ભોજન લીધુ હતું સાથે સાથે બાળકોને ધાર્મિક પુસ્તકોની ભેટ આપી હતી. તેઓ આણંદમાં ચાલતા સ્પિપા સાથે પણ સંકળાએલ છે.
લગ્ન પાછળ ખોટા ખર્ચા કરવા કરતા જરુરીયાત મંદ લોકોેને મદદ મળે તે વધુ મહત્વનું છે. લગ્ન સમારોહ પાછળ લાખો રૃપિયાનો ખર્ચ થાય છે ત્યારે લગ્નમાં ઓછો ખર્ચ કરીને બાકીની રકમનું દાન ગરીબો, બેરોજગારો અને વંચિતો પાછળ ખર્ચવામાં આવે તો વિકસીત સમાજની કલ્પના સાકાર થાય તેમ ચૈતન્ય સંઘાણીએ જણાવ્યું હતું.  પોતાના લગ્ન યાદગાર બનાવવા માટે અનોખી પહેલ કરી હતી. ઘરમાં પણ થોડીઘણી અનબન પણ થઈ  હતી. તેમ છતા પરીવારને સમજાવવામાં સફળ થયા હતા. પરીવારની હાજરીમાં લગ્નવિધી પૂર્ણ કર્યા બાદ અંધ-અપંગ બાળકો સાથે ભોજન કર્યુ હતું. સાથે સાથે બાળકોને ધાર્મિક પુસ્તકો આપ્યા હતા અને  બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવ્યુ હતું. તેઓ પોતે આણંદમાં ચાલતા સ્પિપા સેન્ટરમાં પણ પોતાના રસના વિષયોનું માર્ગદર્શન પરીક્ષા આપતા વિદ્યાથીઓને પણ આપે છે.
(2)
અત્યારે ઠેર ઠેર શાહી લગ્નના સમાચાર આપણને જોવા મળતા હોય છે, જેમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ આની બિલકુલ વિરુદ્ધમાં એક દાનવીર ઉદ્યોગપતિએ પોતાની દીકરીના લગ્નમાં કરોડોનું દાન ખર્ચ કરી એક નવો ચીલો ચીતર્યો છે. ઔરંગાબાદના બે ઉદ્યોગપતિ પરિવારે લગ્નનો ખોટો ખર્ચ નહીં કરવાનું પસંદ કરી, તે ખર્ચામાં તેમણે 90 ગરીબ પરિવાર માટે ઘર બનાવી દીધા. એટલું જ નહી જરૂરિયાતમંદ લોકો માટે બનાવેલ આ ઘરોના વચમાં જ મંડપ લગાવી પુત્રીના લગ્ન કરવામાં આવ્યા. જીલ્લા ઔરંગાબાદના પ્રક્યાત ઉદ્યોગપતિ અજયકુમાર મુનોતની દીકરી શ્રેયાના લગ્ન એજ જીલ્લાના ઉદ્યોગપતિ મનોજકુમાર જૈનના પુત્ર બાદલ સાથે નક્કી થયા હતા. બંને પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન છે, જેથી લગ્નની તૈયારી શાહી રીતે કરવાનું નક્કી કર્યું. જેને લઈ ફાઈવ સ્ટાર હોટલથી લઈ તમામ તૈયારીઓ માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું. એવામાં આ બંને પરિવારને વિચાર આવ્યો કે, લગ્ન પાછળ ખોટો ખર્ચ નથી કરવો અને આ રૂપિયામાં આપણે ગરીબોની મદદ કરીએ. આ વિચારને લઈ તેઓ તે વિસ્તારના ધારાસબ્ય પ્રશાંત બંબને મળ્યા અને આ મુદ્દે ચર્ચા કરી. અને નક્કી કર્યું કે, લગ્ન પાછળ થતા ખર્ચમાં આપણે ગરીબો માટે ઘર બનીવીએ. પરંતુ આ ઉદ્યોગપતિઓ પાસે લગ્ન અને ઘર બનાવવા માટે ફક્ત બે મહિનાનો જ સમય હતો. તેવામાં ધારાસભ્યએ એ જવાબદારી લેવાનું નક્કી કર્યું. લાસૂર સ્ટેશનની લગભગ 5-6 કિ.મી. દુર તારાપુરમાં ઘર બનાવવાની શરૂઆત કરવામાં આવી. દારાસબ્યએ એવા લોકોનું લીસ્ટ બનાવ્યું જેમની પાસે ઘર નથી અને ઘરની જરૂર છે. આ માટે એક સર્વે પણ કરવામાં આવ્યો, જેમાં ખાસ દ્યન રાખવામાં આવ્યું કે, ઘર લેવાવાળો વ્યક્તિ ખરેખર જરૂરિયાતમંદ છે કે નહી. ફક્ત 50 દિવસમાં ઘર બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યા અને આ ગરોની વચમાં જ મંડપ લગાવી લગ્નનું આયોજન કરવામાં આવ્યું. લગ્ન સમયે જ ગરીબ પરિવારોને ગરની ચાવીઓ આપવામાં આવી, લગ્નના ખોટા કર્ચને બચાવી અજય મુનોત અને જૈન પરિવારે આ રીતે ગરીબોની મદદ કરી, આ એક સાચે જ શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી ઘટના છે. બેને પરિવારે કહ્યું કે, અમારી જેમ દરેક સુખી સંપન્ન લોકો જો, આ રીતે ખોટા ખર્ચ બંધ કરી ગરીબોની મદદ કરે તો, આ દેશમાં કોઈ ગરીબ ન રહે.   


ઉપાય :-

આ બાબતે સમાજ ના દરેક નાગરીકોએ જાતે નિર્ણય લેવો જોઈએ. આવી મહા મુસીબતથી બચવા શુ કરવુ જોઈએ. તે માટે એક માત્ર ઉપાય છે તે ‘‘ સમુહ લગ્ન ’’. સમુહ લગન ની મારા મત મુજબ ની વ્યાખ્યા ‘‘એક જ સમયે એક જ ખર્ચ માં એક થી વધુ લગ્ન કરવાની આધુનીક ટેકનોલોજીકલ રીવાજ એટલ સમુહ લગ્ન  આ પ્રથા અત્યાર સુધી માં અડધા ભાગના સમાજો માં શરૂ થઈ ગઈ છે જે સમાજો માં આ પ્રથા લાગુ કરી દેવાઈ છે તે સમાજ પુર ઝડપે પ્રગતિ ના પંથે આગળ વધી રહયો છે એ સમાજો એ સામાજીક ની સાથે સાથે શૈક્ષણિક આર્થીક ક્ષેત્રે પણ સારો વિકાસ કરી ચુકયા છે.આ પ્રથા અમલ માં મુકવાથી સમાજ માં લગ્ન ના નામે થતાં તાયફા કે ખોટા ખર્ચ પર પુર્ણ અંશે કાબુ મેળવી શકાસે, તમે એક વ્યકતિ ના લગ્ન માં પણ આખુ સમાજ જાય છે અને આખા સમાજ નો સમુહ લગ્નોત્સવ હોય ત્યાં પણ આખો સમાજ હોય છે માત્ર તફાવત એટલો એ વ્યકતિગત લગ્ન માં માત્ર એક જ વ્યકતિના લગ્ન થાય છે અને સમુહ લગ્નોત્સવ માં સમાજના તમામ અમીર ગરીબ ના લગ્ન થતા હોય છે.
ઘણા લોકો નું એવુ પણ થાય છે કે સમુહ લગ્ન અમાર માટ ની હી જે પૈસ ટક થાક ગીયે ઈયોક માટ હી’’આવી  ગ્રંથી ગણા ઘમંડી અમીર લોકોના મગજ માં ફસાઈ ગયેલી હોય છે જેનાથી આવા સામુહીક સામાજીક પ્રસંગો થતા હોય તો પણ અટકી જતા હોય છે આવા લોકો આવી ગ્રંથી પોતાના મગજ માંથી બહાર ફેકી દેવી જોઈએ તો જ બીજા ગરીબ કે મધ્યમ વર્ગ ના લોકો આ પ્રથા લાગુ કરવા સહયોગ આપશો.
સમાજોમાં પરીવર્તન લાવવુ જ હોય તો સમુહ લગ્ન થવા જ જોઈએ જો સમુહ લગ્ન ના થાય તો જે તે લગ્ન કરનારા જાતે જ જાગ્રુત બને તો પણ ઘણું જ છે. જો તેઓ વધારા ખર્ચ વાળી તાયફા કરીને લગ્ન કરવાને બદલે સમુહ લગ્નમાં કે ઘર મેળે સૌથી ઓછા ખર્ચ માં લગ્ન કરી શકે છે. પણ આજે લોકો એક બીજાની હરીફાઈ કરવામાં થી ઉંચા આવતા નથી, આ બાબતે ઉચ્ચ વર્ગના લોકોએ જાતે વિચાર કરવો પડશે, તેઓ આ પ્રથા ને અમલ માં લાવવા માટે આગળ આવશે તો જરૂર કંઈક બદલાવ આવશે એમ માની શકાય છે. તેઓ ની સાથે સાથે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો પણ ખેંચાય ને આ મહા અભિયાન માં જોડાશે. તો આ બાબતે સૌ મીત્રો એ જાતે જ નિર્ણય લેવો જોઈએ.

જે સમાજો માં સમુહ લગ્નની પ્રથાઓ અમલ માં આવી ગઈ છે તે સમાજો ના પોતાના દવાખાના સ્કુલો ચબુતરા પુસ્તકાલયો આ બધું જ છે પણ જેઓ આ પ્રથામાં સામેલ થવાને બદલે પાછી પાની કરે છે તેઓ ને આજ સુધી કોઈ વિકાસ કરી શકયા નથી.

ઘણા લોકો ને વિશાળ સબંધો બંધાયેલા હોય છે જેઓનું કહેવુ એવુ થાય છે કે અમો સમુહ લગ્ન ન જોડાવાનું કારણ અમારૂ વિશાળ મીત્ર સર્કલ છે જેઓની સાથે અમો જીવન ભર રહયા હોય અને પુત્ર/પુત્રી ના લગ્ન ટાણે એમને આમંત્રણ ના અપી શકીએ તો આવા લોકો આવી નાજુક કારણ થી સમુહ લગ્ન માં જોડાતા નથી  તો તેઓએ સ્વેચ્છાએ સમુહ લગ્નમાં જોડાઈ ને સમાજના હીતાર્થે મહાન કાર્ય કરીને બીજા કે ત્રીજા દિવસે વલીમો/રીશેપ્સન રાખીને સબંધીઓને બોલાવીને તેમને પણ સાચવી શકાય છે. આમ કરવાથી તમો સમાજના પણ રહેશો અને સબંધીઓના જો તમે સમુહ લગ્નમાં નહી જોડાઓ અને મોટા તાયફા કરીને ઘરે લગ્ન કરશો તો તમે માત્ર તમારા સબંધીઓના રહેશો સમાજ ના નહી રહો તો મીત્રો આપણે સમાજ અને સબંધીઓના રહેવાનું હોય તો સમાજના હીતાર્થે લગ્ન ટાણે થતા લાખો રૂપીયા ને બચાવી તે રૂપીયા સમાજ માટે વપરાશ કરવાનું આયોજન કરશો જેથી સમાજના લાખો જરૂરીયાત મંદ લોકોને તેનો લ્હાવો મળી શકે.
સમુહ લગ્ન કરવાથી ખુબજ પ્રમાણ માં ફાયદો જોવા મળે છે જેમાં પ્રથમ તો જે લોકો લગ્ન કરે છે તેઓને કોઈ પણ ઝંઝટ વગર લગ્ન થાય અને દુર દેશપરદેશ રહેતા આપણા સમાજ ના હજારો મહેમાનો એક દિવસ નો સમય મેળવીને લગ્ન કરનાર દંપતીઓને આશીર્વાદ આપી શકે લગ્ન કરનારાઓને વ્યકતિગત થતા ખર્ચ માં પણ ઘટાડો થાય આમ જે ખર્ચ માં ઘટાડો થાય તો તે રકમ તેઓ તેઓના બાળકો ને સારૂ શિક્ષણ આપી શકસે. જો તો પણ રકમ વધશે તો તેઓ અન્ય સમાજના જરૂરીયા મંદ લોકોને મદદ રૂપ થશે, સમુહ લગ્ન સમયે દાન ભેટ હુંડી સ્વરૂપે એકત્રીત થયેલ રકમ પણ સમાજના હિતાર્થે કામ આવી શકે છે જે રકમ કોઈ ઔધોગીક ક્ષેત્રે રોકાણ કરવામાં આવે અને તે ઉધોગ માં આપણા જ સમાજ ના યુવાનો ને રોજગારી પુરી પાડી શકે છે આમ સમુહ લગ્ન થી કોઈ ગેર ફાયદા થાય એવુ જણાય આવતું નથી તેમો સર્વત્ર ફાયદા જ જોવા મળતા હોય છે. આથી મીત્રો તમારે તમારા સમાજ માં ફેલાયેલા અંધકારને મુકત કરી રોશની ફેલાવવી હોય તો લગ્નના રીવાઝો માં તાયફા, જલ્સા, ખોટા ખર્ચા બંધ કરી, ઓછા ખર્ચે સમાજના હિતાર્થે ફાયદો થાય એવી રીતે લગ્નના આયોજન કરશો જેથી સમાજના કોઈ નાગરીક ને કોઈ પરેશાની ના આવે. આ માટે સમુહ લગ્ન અથવા ઘર મેળે લગ્ન આ બે સૌથી ઉત્તમ ઉપાય છે તો મીત્રો હવે જાગ્રુત બનો તમે તમારા સમાજ માટે આજથી આવનારી લગ્નસરા ની સીઝનમાં સમુહ લગ્ન ફરજીયાત બનાવરાવો અથવા ઘરમેળે લગ્ન પ્રથા અમલ માં મુકો એવી મારી સમામ સમાજોના લોકો સામે આપેક્ષા છે.

Saturday, January 21, 2017

શાંત રહી ને પણ દેખાય તે "નદી ની વિશાળતા" છે,,, 
અને
ઝરણાંઓને "અસ્તિત્વ સાબિત કરવા" અવાજ કરવો પડે છે...

Wednesday, January 18, 2017

  प्रख्यात लेखक और उनके महत्वपूर्ण पुस्‍तकें

1. महात्‍मा गांधी - कांक्‍वेस्‍ट ऑफ शेल्‍फ, माई एक्‍सपेरीमेंट विद ट्रुथ, हिंद स्‍वराज, इंडिया ऑफ माई ड्रीम्‍स

2. उमा शंकर जोशी - निशीथ

3. मैथिली शरण गुप्‍त - साकेत

4. मुंशी प्रेमचंद - रंगभूमि, गोदान, शतरंज के खिलाड़ी, गबन, कायाकल्‍प, प्रेमाश्रय

5. पी.वी नरसिंह राव - द इन्‍साइडर

6. अटल बिहारी वाजपेयी - राजनीति की रपटीली राहें, संसद के तीन दशक

7. सुभाष चन्‍द्र बोस - द इंडियन स्‍ट्रगल

8. सरोजिनी नायडू - द गोल्‍डन थ्रेसहोल्‍ड़, द बर्ड ऑफ टाइम, द ब्रोकन विंग, द सांग्‍स ऑफ इंडिया

9. आर. के नारायण - मि.संपत, द गाइड़, माई डेज, द वेंडर ऑफ स्‍वीट़्स, द डार्करूम, टैलिस्‍मैन, मालगुडी ड़ेज

10. अरूंधती रॉय - द गॉड ऑफ स्‍मॉल थिग्ंस, एन ऑर्डिनेरी पर्सन्‍स गाइड़

11. डॉ राजेन्‍द्र प्रसाद - इंडिया डिवाइडेड

12. रवीन्‍द्र नाथ टैगोर - गीताजंली, क्रिसेंट मून, द गार्डनर, चांडालिका, द हंग्रो स्‍टोन्‍स, द कोर्ट डांसर, किंग ऑफ डार्क वेबंर, पोस्‍ट ऑफिस, दरिलिजन ऑफ मैन

13. जवाहर लाल नेहरू - एन ऑटो बायोग्राफी, डिस्‍कवरी ऑफ इंडिया, ग्लिम्‍पसेज ऑफ वर्ल्‍ड हिस्‍ट्री

14. हरीसेन - इलाहबाद प्रशस्ति

15. वी. डी सावरकर - द इंडियन वार ऑफ इंडिपेन्‍डेंस

16. एस राधाकृषणन - हिंदू व्‍यू ऑफ लाइफ

17. अरविंद घोष - न्‍यू लैम्‍प्स फॉर ऑल्‍ड, लाइफ डिवाइन

18. वी एस कॉमथ - इंडिया ऑफ अवर ड्रीम

19. कुलदीप नैय्यर - इंडिया, द क्रिटिकल इयर्ज, द जजमेंट, इंडिया हाऊस, बियोन्‍ड द लाइन्‍स : एन ऑटोबायो ग्राफी

20. तवलीन सिंह - कश्‍मीर : ए ट्रेजडी ऑफ एरर्स

21. खुशवंत सिंह - ट्रेन टु पाकिस्‍तान, ट्रुथ लव एंड ए लिटिल मेलिस

22. डॉ. ए पी जे. अब्‍दुल कलाम - विंग्स ऑफ फायर (अरूण तिवाड़ी और अब्‍दुल कलाम), 2020 – ए विजन फोर द न्‍यू मिलेनियम, इग्‍नाइटेड माइड्ंस माई जर्नी

23. विष्‍णु - पंचतंत्र

24. भीष्‍म साहनी - तमस

25. पी जी. वुडहाउस - जीव्‍स

26. भगस्‍टा - पोइरोट (जासूसी कहानियां)

27. रस्किन - रस्‍टी

28. मैगस्‍थ्‍नीज - डंडिका

29. कालिदास - मेघदुत, मालविकाग्निमित्र, रघुवमसा कुमार संभवम्, शकुंतला, विक्रम उर्वसी

30. कार्ल मार्क्‍स - दास कैपिटल

31. जॉर्ज ओरवैल - नाइन्‍टीन एटी फोर

32. कृष्‍णदेवराय - अमुक्‍तमलयादा

33. सलमान रूश्‍दी - मिडनाइट चिल्‍ड्रन (1981), शेम (1983), द सैटेनिक वर्सेज (1988), मुर्स लास्‍ट साइ (1995)

34. भरत मुनि - नाट्य शास्‍त्र

35. जयप्रकाश नारायण - व्‍हाई सोश लिज्‍म

36. जे एम केन्‍स - एम्प्‍लायमेंट, इंट्रेस्‍ट ऐंड मनी

37. जे के राउलिग - हैरी पॉटर

38. जॉन रस्किन - अन्‍टू इ लास्‍ट

39. वराह मिहिर - पंच सिद्धन्तिका

40. भवभूति - उत्तरराम चरित, मालती माधव

41. कैथ्‍रिन मैयो - मदर इंडिया

42. विलियम शेक्‍सपीयर - मैकबेथ

43. मनोहर गलगांवकर - दि मैन हू क्ल्डि गांधी

44. सत्‍यजीत राय - माई इयर्स विद अपु

45. मोहन राकेश - आधे अधुरे

46. बंकिम चन्‍द्र चटर्जी - आनंद मठ

47. तुषार गांधी - लेट्स किल गांधी

48. विशाखा दत्त - मुद्रराक्षस, देवी चन्‍द्रगुप्‍तम

49. कल्‍हण - राजतंरगिणी

50. पाणिणी - अष्‍ठाध्‍यायी

51. कौटिल्‍य - अर्थशास्‍त्र

52. जयदेव - गीतगोविन्‍द

53. पंतजली - महाभाष्‍य

54. बाणभट्ट - कादम्‍बरी, हर्षचरित्र

55. माद्य - शिशुपालवध

56. जयानक - पृथ्‍वीराज विजय, प्रबंधकोष

57. सूर्यकांत त्रिपाठी निराला - अनामिका, गुंजन, परिमल, जूही की कली

58. तुलसीदास - दोहावली, कवितावली, विनय पत्रिका, रामचरित्र मानस

59. मलिक मुहम्‍मद जायसी - पद्मावत

60. बालगंगाधर तिलक - गीता रहस्‍य

61. अनीता देसाई - क्राई द पिकोक

62. वी. एस नॉयपाल - ए बेंड इन द रिवर

63. विक्रम सेट - टू लाइवज

64. आर. वेकटरमन - माई प्रसिडेसियल ईयर्स

66. एस राधाकृष्‍णन - द हिंदुं व्‍यू ऑफ लाइफ

67. एन सजीव रेड्डी - विदाऊट फियर ओर फेवर

68. नेल्‍सन मंडेला - लॉग वाक टू फ्रीडम

Tuesday, January 17, 2017

*દુખ Auto-update નથી તોય Download થઇ જાય છે..*

*સુખમા Virus નથી તોય Hang થઈ જાય છે..*

*લાગણીઓનુ SD card નથી તોય Storeg થઈ જાય છે..*

*સંબંધમાં Cemero નથી તોય Selfy થઈ જાય છે..*

*જીંદગી Whatsapp નથી તોય Last Seen થઈ જાય છે..*

*માણસ Mobile નથી તોય બદલાઈ જાય છે..*

*
*"आनंद" एक "आभास" है*
*जिसे हर कोई ढूंढ रहा है...*

*"दु:ख" एक "अनुभव" है*
*जो आज हर एक के पास है...*

*फिर भी जिंदगी में वही "कामयाब" है*
*जिसको खुद पर "विश्वास" हे..!!*
જયાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા જેમણે આપણને દુ:ખી કર્યા હોય,

ત્યાં સુધી તેઓ આપણા મનમાં ભાડુ ભર્યા વગર મફતની જગા રોકી રાખે એવું લાગે....!
*जो सफर की*
*शुरुआत करते हैं,*
*वे मंजिल भी पा लेते हैं.*
*बस,*
*एक बार चलने का*
*हौसला रखना जरुरी है.*
*क्योंकि,*
*अच्छे इंसानों का तो*
*रास्ते भी इन्तजार करते हैं..*
*रोने* से तो *आंसू* भी पराये हो जाते हैं ,
लेकिन *मुस्कुराने* से ...
पराये भी अपने हो जाते हैं ।।
मुझे वो रिश्ते पसंद है ,
जिनमें *मैं* नहीं *हम* हो ,
*इंसानियत* दिल में होती है ,
*हैसियत* में नही ,
*उपरवाला कर्म* देखता है ,
*वसीयत* नही ..
*जिंदगीे आसान बनानी पड़ती है.....*

*कुछ 'अंदाज' से,*
*कुछ 'नजर अंदाज' से...
*વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહ માં હમેશા સાંધો હોય છે...!!!*
*"END" અને "AND"*
*બંને સરખી રીતે બોલાય છે.*
*પરંતુ..*
*એક મા પુરુ કરવાની વાત છે અને બીજા મા જોડવાની કળા છે..*.
कुछ इसलिए भी पंसद आते है सच बोलने वाले लोग...

कि वो खुद टुट जाते है मगर किसी का दिल टुटने नही देते..
*मुस्कुराहटें झूठी भी*
*हुआ करती हैं यारों.*

*इंसान को देखना नहीं*
*बस समझना सीखो..*
*ખિસ્સુ ભરેલુ હતું,,
ત્યારે સંબંધો ઘણા મળ્યા..*
*ખિસ્સુ ખાલી થયું,,
ત્યારે અનુભવ ઘણા મળ્યા..!!*

18 January Din Mahima

1896 में आज ही के दिन पहली बार एक्स रे मशीन को दुनिया के सामने लाया गया. एक्स रे मशीन चिकित्सा के क्षेत्र में क्रांतिकारी अविष्कार की तरह सामने आई. इसमें एक्स किरणों के इलेक्ट्रोमैग्नेटिक विकिरण की तकनीक का इस्तेमाल होता है. इस विकिरण की मदद से शरीर के भीतर हड्डियों की तस्वीर ली जाती है. एक्स किरणों का इस्तेमाल इस तरह की चिकित्सीय जांच के अलावा स्टेरिलाइजेशन और फ्लोरेसेंस में भी होता है.

एक्स रे की खोज ब्रिटेन के वैज्ञानिक विलियम क्रुक्स की इलेक्ट्रिकल डिसचार्ज ट्यूब की मदद से हुई. 1895 में विलहेल्म रोएंटगेन ने क्रुक्स ट्यूब पर प्रयोग के दौरान एक्स किरणों के विकिरण को देखा. पहली एक्स रे तस्वीर रोएंटगेन ने अपनी पत्नी के हाथ की निकाली. इस तस्वीर में हड्डियों के साथ अंगूठी की भी आकृति उभर कर सामने आई. इससे काफी कुछ स्पष्ट हो गया. 1896 में एचएल स्मिथ ने एक्स किरणों के विकिरण की तकनीक का इस्तेमाल कर पहली एक्स रे मशीन बनाकर 18 जनवरी को दुनिया के सामने पेश की.

Thursday, January 12, 2017

કર્મ જ એક એવી હોટલ છે, જયાં આપણે ઓડઁર નથી આપવો પડતો,
આપણ ને એ જ પીરસવામાં આવે છે, જે આપણે રાંધ્યું હોય છે.....

Wednesday, January 11, 2017

*_मुँह पर कड़वा बोलने_*
*_वाले लोग कभी धोखा_*
*_नहीं देते…_*

*_डरना तो मीठा बोलने_*
*_वालों से चाहिए...,_*

*_जो…… दिल में नफरत_*
*_पालते हैं_*

*_और_*

*_वक़्त के साथ बदल_*
*_जाते हैं..…*
આજ કાલ લોકો કહે છે કે તું બદલાઇ ગયો છે..
ત્યારે મારો કહેવાનો અર્થ માત્ર એટલો જ છે..
કે બીજાની અપેક્ષા મુજબ જીવવાનું...
અમે બંધ કરી દીધું છે...

Monday, January 9, 2017

જેમ જેમ સમજણ
વધતી જાય...

તેમ તેમ જીવનમાં
મૌનનો મહિમા વધતો
જાય..!!

Sunday, January 8, 2017

જુવોને આ સ્વીચબોર્ડ.......
ઘરના એક ખૂણામાં
એકલતા અનુભવતું હતું...
હવ નિરંતર ચાર્જરોની હૂંફ
મળવાથી
સંબંધોનાં કનેકશનથી
કેવું જોડાયેલું રહે છે..
દુનિયા માં રંગ ઘણા છે પણ

રંગોળી

કે

મેઘધનુષ

થવું હોય તો એક થવુ પડે
*एक*
*बेहतरीन जिंदगी जीने के लिए*
*यह*
*स्वीकार करना भी जरुरी है*
*कि* ...
*सब कुछ*
*सबको नहीं मिल सकता.*...
*ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં 1992 માં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ --*


*ભણેલો :-* જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય

*ખતરનાક કામ :-* 'એક' ખાડા ને 'બે' કુદકા મા પાર કરવો !!

*પતિ :-* પ્રેમીમાંંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યુ તે

*મિટિંગ :-* જયાં 'મિનિટસ' સચવાય છે.. કલાકો બગાડીને..

*શિસ્ત :-* શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પના જોરે શરીર પાસે કરાવાતું વઇતરું

*Sense of humor :-* જે પત્નીમાં હોય તો લગ્ન જીવન તોડી નાંખે અને પતિમાં હોય તો ટકાવી રાખે તેવો ગુણ

*કાયદો :-* કરોળિયા નું એવું જાળું... જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે

*સલાહકાર :-* જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય

*ગુજરાતી :- એવી પ્રજા જેને માત્ર 'શુભ' ઉપર વિશ્વાસ નથી, સાથે 'લાભ' પણ જોઇએ*

*શેરબજાર :-* એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય

*દારૂબંધી :-* જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!

*બુદ્ધિજીવી :-* જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય

*આદર્શ પતિ :-* ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!
*घमंड से अपना सर ऊँचा न करे*

*जीतने वाले भी अपना गोल्ड मैडल*

*सिर झुका के हासिल करते है*
....✍

Saturday, January 7, 2017

એક વાર અર્જુને ભગવાન કૃષ્ણ ને કહયું કે પ્રભુ આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુતો દુખ થાય અને દુખ વાંચું તો સુખ થાય પ્રભુએ લખ્યું
"આ સમય જતો રહેશે"

Thursday, January 5, 2017

धीरे धीरे पढिये

👌मुसीबत में अगर मदद मांगो तो सोच कर मागना क्योंकि मुसीबत थोड़ी देर की होती है और एहसान जिंदगी भर का.....

👌कल एक इन्सान रोटी मांगकर ले गया और करोड़ों कि दुआयें दे गया, पता ही नहीँ चला की, गरीब वो था की मैं....

👌जिस घाव से खून नहीं निकलता, समझ लेना वो ज़ख्म किसी अपने ने ही दिया है..

👌बचपन भी कमाल का था खेलते खेलते चाहें छत पर सोयें या ज़मीन पर, आँख बिस्तर पर ही खुलती थी...

👌खोए हुए हम खुद हैं, और ढूंढते भगवान को हैं...

👌अहंकार दिखा के किसी रिश्ते को तोड़ने से अच्छा है कि माफ़ी मांगकर वो रिश्ता निभाया जाये....

👌जिन्दगी तेरी भी अजब परिभाषा है.. सँवर गई तो जन्नत, नहीं तो सिर्फ तमाशा है...

👌खुशीयाँ तकदीर में होनी चाहिये, तस्वीर मे तो हर कोई मुस्कुराता है...

👌ज़िंदगी भी वीडियो गेम सी हो गयी है एक लेवल क्रॉस करो तो अगला लेवल और मुश्किल आ जाता हैं.....

👌इतनी चाहत तो लाखों रुपये पाने की भी नही होती, जितनी बचपन की तस्वीर देखकर बचपन में जाने की होती है.......

👌हमेशा छोटी छोटी गलतियों से बचने की कोशिश किया करो, क्योंकि इन्सान पहाड़ो से नहीं पत्थरों से ठोकर खाता

​अगर भूल से भी कभी आपको​
​गर्व हो जाये की मेरे बिना तो​
​यहाँ काम चल ही नहीं सकता..​
​तब आप अपने घर की दीवारों पर​
​टंगी अपने पूर्वजों की तस्वीरों की​
​तरफ देख लेना तथा सोचना की क्या​
​उनके जाने से कोई काम रुका है...?​
​जवाब आपको स्वतः ही मिल जायेगा​
​चौरासी लाख योनियों में,​
​एक इंसान ही पैसा कमाता है।​
​अन्य कोई जीव कभी भूखा नहीं मरा,​
​और एक इंसान जिसका कभी पेट नहीं भरा !!​

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો.

બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું ઓછું કરી દીધું. અમુક સમય પછી તો સાવ આવતો જ બંધ થઈ ગયો.

આંબો એકલો એકલો બાળકને યાદ કરીને રડ્યા કરે. એક દિવસ અચાનક એને પેલા બાળકને પોતાના તરફ આવતો જોયો. આંબો તો ખુશ થઈ ગયો.

બાળક જેવો નજીક આવ્યો એટલે આંબાએ કહ્યું, "તું ક્યાં ચાલ્યો ગયો હતો ? હું રોજ તને યાદ કરતો હતો. ચાલ હવે આપણે બંને રમીએ." બાળક હવે મોટો થઈ ગયો હતો. એણે આંબાને કહ્યું, "હવે મારી રમવાની ઉંમર નથી.
મારે ભણવાનું છે પણ મારી પાસે ફી ભરવાના પૈસા નથી." આંબાએ કહ્યું "તું મારી કેરીઓ લઈ જા. એ બજારમાં વેચીશ એટલે તને ઘણા પૈસા મળશે. એમાંથી તું તારી ફી ભરી આપજે." બાળકે આંબા પરની બધી જ કેરીઓ ઉતારી લીધી અને ચાલતો થયો.
ફરીથી એ ત્યાં ડોકાયો જ નહીં. આંબો તો એની રોજ રાહ જોતો, એક દિવસ અચાનક એ આવ્યો અને કહ્યું, "હવે તો મારા લગ્ન થઈ ગયા છે. મને નોકરી મળી છે એનાથી ઘર ચાલે છે પણ મારે મારું પોતાનું ઘર બનાવવું છે એ માટે મારી પાસે પૈસા નથી." આંબાએ કહ્યું, "ચિંતા ન કર. મારી બધી ડાળીઓ કાપીને લઈ જા. એમાંથી તારું ઘર બનાવ." યુવાને આંબાની ડાળીઓ કાપી અને ચાલતો થયો.
*આંબો હવે તો સાવ ઠૂંઠો થઈ ગયો હતો. કોઈ એની સામે પણ ન જુવે. આંબાએ પણ હવે પેલો બાળક પોતાની પાસે આવશે એવી આશા છોડી દીધી હતી. એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો. તેણે આંબાને કહ્યું, "તમે મને નહીં ઓળખો પણ હું એ જ બાળક છું જે વારંવાર તમારી પાસે આવતો અને તમે મદદ કરતા." આંબાએ દુઃખ સાથે કહ્યું, "પણ બેટા હવે મારી પાસે એવું કંઈ નથી જે હું તને આપી શકું."
વૃદ્ધે આંખમાં આંસુ સાથે કહ્યું, "આજે કંઈ લેવા નથી આવ્યો. આજે તો મારે તમારી સાથે રમવું છે. તમારા ખોળામાં માથું મૂકીને સૂઈ જવું છે." આટલું કહીને એ રડતાં રડતાં આંબાને ભેટી પડ્યો અને આંબાની સુકાયેલી ડાળોમાં પણ નવા અંકુર ફૂટ્યા.
વૃક્ષ એ આપણાં માતા-પિતા જેવું છે જ્યારે નાના હતા ત્યારે એમની સાથે રમવું ખૂબ ગમતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમનાથી દૂર થતા ગયા નજીક ત્યારે જ આવ્યા જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થઈ કે કોઈ સમસ્યા આવી. આજે પણ એ ઠૂંઠા વૃક્ષની જેમ રાહ જુવે છે. આપણે જઈને એને ભેટીએ ને એને ઘડપણમાં ફરીથી કૂંપણો ફૂટે...

ક્યાંક કોઈની આંખ ખુલી જાય ...
તો ક્યાંક કોઈની આંખ ભીની પણ થઈ જાય...!!!!!!
🌹🌻🌷💐🌺🌼🌸

Wednesday, January 4, 2017

मुस्कुराहट

​अगर किसी परिस्थिति के लिए आपके पास सही शब्द नहीं है तो सिर्फ मुस्कुरा दीजिये,​
​शब्द उलझा सकते है पर मुस्कुराहट हमेशा काम कर जाती है ।​
​क्योंकि कर्ण ने महाभारत में कहा था कि​ ​दोस्त दुर्योद्धन मुझे मृत्यु से डर नहीं लगता पर​
​भगवान श्रीकृष्ण की निश्चल मुस्कान मेरे सम्पूर्ण अस्तित्व को अंदर से हिला देती हैं।​
😊😊 ​मुस्कुराते रहिये​ 😊😊

Tuesday, January 3, 2017

એક અક્ષર લખવા માટે જો
કાગળ અને કલમ વચ્ચે
પણ સંધર્ષ થતો હોયતો...
વ્હાલા આ તો જીવન છે...
હિટલરનું એક વાક્ય બહુ જ અદભુત છે.

એણે કહ્યું હતું...
તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે
જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે...

ચરિત્રને બનાવો... તો આકાશ જેવું બનાવો...

જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઇચ્છા હોય.....

संस्कार दिये बिना सुविधायें देना, पतन का कारण है।

श्रीकृष्ण ने एक रात को स्वप्न में देखा कि, एक गाय अपने नवजात बछड़े को प्रेम से चाट रही है। चाटते-चाटते वह गाय, उस बछड़े की कोमल खाल को छील देती है । उसके शरीर से रक्त निकलने लगता है । और वह बेहोश होकर, नीचे गिर जाता है। श्रीकृष्ण प्रातः यह स्वप्न,जब भगवान श्री नेमिनाथ को बताते हैं । तो, भगवान कहते हैं कि :-

यह स्वप्न, पंचमकाल (कलियुग) का लक्षण है ।

कलियुग में माता-पिता, अपनी संतान को,इतना प्रेम करेंगे, उन्हें सुविधाओं का इतना व्यसनी बना देंगे कि, वे उनमें डूबकर, अपनी ही हानि कर बैठेंगे। सुविधा, भोगी और कुमार्ग - गामी बनकर विभिन्न अज्ञानताओं में फंसकर अपने होश गँवा देंगे।

आजकल हो भी यही रहा है। माता पिता अपने बच्चों को, मोबाइल, बाइक, कार, कपड़े, फैशन की सामग्री और पैसे उपलब्ध करा देते हैं । बच्चों का चिंतन, इतना विषाक्त हो जाता है कि, वो माता-पिता से झूठ बोलना, बातें छिपाना,बड़ों का अपमान करना आदि सीख जाते हैं ।

☝याद रखियेगा ! 👇

संस्कार दिये बिना सुविधायें देना, पतन का कारण है। 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Monday, January 2, 2017

शुभ और अशुभ कर्मों का फल

*बोध कथा*

काशी में एक ब्राह्मण के सामने से एक गाय भागती हुई किसी गली में घुस गइ तभी वहां एक आदमी आया उसने गाय के बारे में पूछा -

पंडितजी माला फेर रहे थे इसलिए कुछ बोला नहीं बस हाथ से उस गली का इशारा कर दिया जिधर गाय गई थी

पंडितजी इस बात से अंजान थे कि वह आदमी कसाई है, और गौमाता उसके चंगुल से जान बचाकर भागी थीं। कसाई ने पकड़कर गोवध कर दिया।

अंजाने में हुए इस घोर पाप के कारण पंडितजी अगले जन्म में कसाई घर में जन्मे नाम पड़ा, सदना।पर पूर्वजन्म के पुण्यकर्मो के कारण कसाई होकर भी वह उदार और सदाचारी थे।

कसाई परिवार में जन्मे होने के कारण सदना मांस बेचते तो थे, परन्तु भगवत भजन में बड़ी निष्ठा थी एक दिन सदना को नदी के किनारे एक पत्थर पड़ा मिला।

पत्थर अच्छा लगा इसलिए वह उसे मांस तोलने के लिए अपने साथ ले आए।वह इस बात से अंजान थे कि यह वही शालिग्राम थे जिन्हें पूर्वजन्म नित्य पूजते थे ।

सदना कसाई पूर्वजन्म के शालिग्राम को इस जन्म में मांस तोलने के लिए बाँट ( तोल) के रूप में प्रयोग करने लगे।आदत के अनुसार सदना ठाकुरजी के भजन गाते रहते थे।

ठाकुरजी भक्त की स्तुति का पलड़े में झूलते हुए आनंद लेते रहते।बाँट का कमाल ऐसा था कि चाहे आधा किलो तोलना हो, एक किलो या दो किलो सारा वजन उससे पक्का हो जाता।

एक दिन सदना की दुकान के सामने से एक ब्राह्मण निकले, उनकी नजर बाँट पर पड़ी तो सदना के पास आए और शालिग्राम को अपवित्र करने के लिए फटकारा।

उन्होंने कहा- मूर्ख, जिसे पत्थर समझकर मांस तौल रहे हो वे शालिग्राम भगवान हैं। ब्राह्मण ने सदना से शालिग्राम भगवान को
लिया और घर ले आये.

गंगा जल से नहलाया, धूप, दीप,चन्दन से पूजा की। ब्राह्मण को अहंकार हो गया जिस शालिग्राम से पतितों का उद्दार होता है आज एक शालिग्राम का वह उद्धार कर रहा है।

रात को उसके सपने में ठाकुरजी आए और बोले- तुम जहां से लाए हो वहीँ मुझे छोड़ आओ, मेरे भक्त सदन कसाई की भक्ति में जो बात है वह तुम्हारे आडंबर में नहीं।

ब्राह्मण बोला- प्रभु! सदना कसाई का पापकर्म करता है, आपका प्रयोग मांस तोलने में करता है। मांस की दुकान जैसा अपवित्र स्थानआपके योग्य नहीं

भगवान बोले- भक्ति में भरकर सदना मुझे तराजू में रखकर तोलता था मुझे ऐसा लगता है कि वह मुझे झूला रहा हो। मांस की दुकान में आने वालों को भी मेरे नाम का स्मरण कराता है।

मेरा भजन करता है, जो आनन्द वहां मिलता था वह यहां नहीं, तुम मुझे वही छोड आओ। ब्राह्मण शालिग्राम भगवान को वापस सदना कसाई को दे आए।

ब्राह्मण बोला- भगवान को तुम्हारी संगति ही ज्यादा सुहाई। यह तो तुम्हारे पास ही रहना चाहते हैं। ये शालिग्राम भगवान का स्वरुप हैं, हो सके तो इन्हें पूजना बाट मत बनाना।

सदना ने यह सुना अनजाने में हुए अपराध को याद करके दुखी हो गया सदना ने प्राश्चित का निश्चय किया और भगवान जगन्नाथ के दर्शन के लिए निकल पड़ा

वह भी भगवान के दर्शन को जाते एक समूह में शामिल हो गए लेकिन लोगों को पूछने पर उसने बता दिया कि वह कसाई का काम करता था

लोग उससे दूर-दूर रहने लगे। उसका छुआ खाते-पीते नहीं थे। दुखी सदना ने उनका साथ छोड़ा और शालिग्रामजी के साथ भजन करता अकेले चलने लगा

सदना को प्यास लगी थी,रास्ते में एक गांव में कुंआ दिखा तो वह पानी पीने ठहर गया। वहां एक सुन्दर स्त्री पानी भर रही थी।वह सदना के सुंदर मजबूत शरीर पर रीझ गई

उसने सदना से कहा कि शाम हो गई है, इसलिए आज रात वह उसके घर में ही विश्राम कर लें,सदना को उसकी कुटिलता समझ में न आई, वह उसके अतिथि बन गये.

रात में वह स्त्री अपने पति के सो जाने पर सदना के पास पहुंच गई और उनसे अपने प्रेम की बात कही, स्त्री की बात सुनकर सदना चौंक गए और उसे पतिव्रता रहने को कहा

स्त्री को लगा कि शायद पति होने के कारण सदना रुचि नहीं ले रहे, वह चली गई और सोते हुए पति का गला काट लाई

सदना भयभीत हो गए,स्त्री समझ गई कि बात बिगड़ जाएगी इसलिए उसने रोना-चिल्लाना शुरू कर दिया पड़ोसियों से कह दिया कि इस यात्री को घर में जगह दी थी चोरी की नीयत से इसने मेरे पति का गला काट दिया,
सदना को पकड़ कर न्यायाधीश के सामने पेश किया गया। न्यायाधीश ने सदना को देखा तो ताड़ गए कि यह हत्यारा नहीं हो सकता। उन्होने बार-बार सदना से सारी बात पूछी

सदना को लगता था कि यदि वह प्यास से व्याकुल गांव में न पहुंचते तो हत्या न होती।वह स्वयं को ही इसके लिए दोषी मानते थे, अतः वे मौन ही रहे

न्यायाधीश ने राजा को बताया कि एक आदमी अपराधी है नहीं पर चुप रहकर एक तरह से अपराध की मौन स्वीकृति दे रहा है। इसे क्या दंड दिया जाना चाहिए ?

राजा ने कहा- यदि वह प्रतिवाद नहीं करता तो दण्ड अनिवार्य है, अन्यथा प्रजा में गलत सन्देश जाएगा कि अपराधी को दंड नहीं मिला।इसे मृत्युदंड मत दो, हाथ काटने का हुक्म दो.

सदना का दायां हाथ काट दिया गया, सदना ने अपने पूर्वजन्म के कर्म मानकर चुपचाप दंड सहा और जगन्नाथपुरी धाम की यात्रा शुरू की

धाम के निकट पहुंचे तो भगवान ने अपने सेवक राजा को प्रियभक्त सदना कसाई की सम्मान से अगवानी का आदेश दिया। प्रभु आज्ञा से राजा गाजे-बाजे लेकर अगुवानी को आया।
सदना ने यह सम्मान स्वीकार नहीं किया तो स्वयं ठाकुरजी ने दर्शन दिए। उन्हें सारी बात सुनाई- तुम पूर्वजन्म में ब्राहमण थे, तुमने संकेत से एक कसाई को गाय का पता बताया था
तुम्हारे कारण जिस गाय की जान गई थी वही स्त्री बनी है जिसके झूठे आरोपों से तुम्हारा हाथ काटा गया। उस स्त्री का पति पूर्वजन्म का कसाई बना था जिसका वध कर गाय ने बदला लिया है

भगवान जगन्नाथजी बोले- सभी के शुभ और अशुभ कर्मों का फल मैं देता हूँ ।अब तुम निष्पाप हो गए हो।घृणित आजीविका के बावजूद भी तुमने धर्म का साथ न छोड़ा

इसलिए तुम्हारे प्रेम को मैंने स्वीकार किया।मैं तुम्हारे साथ मांस तोलने वाले तराजू में भी प्रसन्न रहा।भगवान के दर्शन से सदनाजी को मोक्ष प्राप्त हुआ।

भक्त सदनाजी की कथा हमें बताती है, कि भक्ति में आडंबर नहीं भावना बनाये रखती है।भगवान के नाम का गुणगान करना सबसे बड़ा पुण्य है.

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼