Sunday, October 6, 2019

દેડકો કેમ મર્યો ....??? જીવન અવલોકન

પહેલા સાયન્સમાં પ્રયોગ કરાવવામાં આવતા જે હાલ પ્રતિબંધિત છે... આ પ્રયોગ પરથી જીવનની અમુક બાબતો શીખવા જેવી છે...

ત્યારે 11, 12 સાયન્સમાં પ્રયોગ માટે માનવ શરીર વિશે સમજાવવવા માટે દેડકાનો ઉપયોગ થતો.. એ સમયમાં એક પ્રયોગ થતો.....

કોઈ દેડકાને પાણી ભરેલા વાસણમાં મુકો અને ધીરે ધીરે વસાણના પાણીને ગરમ કરવાનું શરૂ કરો...જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને પણ બહારના તાપમાન સાથેનું સાનુકૂલન બનાવતો જશે, વાસ્તવમાં જે એની નૈસર્ગીક લાક્ષણિકતા છે ....

જ્યારે પાણી તેના ઉત્કલનબિંદુએ એટલેકે boiling point ઉપર પહોંચશે ત્યારે હવે દેડકા માટે વધુ સાનુકૂલન શક્ય નથી અને પરિણામે દેડકો પાત્ર માંથી બહાર કુદવાનો પ્રયત્ન કરશે પરંતુ તે તાકાતને અભાવે કુદી નહીં કરી શકે કારણકે શરૂઆતમાં તેણે પરિસ્થિતિ સાથે સાનુકૂલન (adjust ) સાધવામાં જ બધી તાકાત ખર્ચી નાખી હતી ...

ઉપરોક્ત પ્રયોગમાં અંતે દેડકો માર્યો જાય છે ....
આ દેડકાનું મોત કયા કારણે થયું ...???
વિચારો ....
ઉકળતા પાણીને કારણે ...???

ના સત્ય એ છે કે દેડકો પોતાની adjust કરી લેવાની પ્રકૃતિને કારણે જ મર્યો અને adjust થવા થવા માં જ જ્યારે જરૂર હતી ત્યારે વાસણમાંથી કૂદકો મારવાનો સમય તેણે ગુમાવી દીધો ....!!

આપણે પણ પરિસ્થિતિ અને આસપાસની વ્યક્તિઓ સાથે સતત adjust થતા રહેવાનો પ્રયત્ન કરતા રહીએ એ છીએ પરંતુ એની સાથે ક્યાં સુધી adjust થવું અને ક્યારે આ adjustment છોડી દેવુ તેની સીમારેખા નથી આંકતા હોતા ... સમયની એક ચોક્કસ ક્ષણે જ આપણે નિર્ણય લેવાનો હોય છે કે હવે આ adjustmwn માં જ રહેવું છે કે બહાર નીકળી જવું છે ....
ઘણી વખત આપણે આપણી આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓ કે જે ક્યાં તો આપણુ શારીરિક ,નાણાકીય , આધ્યાત્મિક, માનસિક કે કુત્રિમ લાગણીઓથી શોષણ કરી રહ્યું હોય તેવું સતત અનુભવાય છે અને આપણે પણ સતત એની સાથે જ adjustment કરવામાં આપણી શક્તિઓ વેડફી નાખતા હોઈ એ છીએ અને દેડકાની જેમ બહાર નીકળવાની યોગ્ય તક ગુમાવી દેતા હોઈ એ છીએ ...
નક્કી કરો કે ક્યારે કૂદકો મારવો છે ....!!

જ્યારે પણ આપણામાં ભરપૂર તાકાત હોય ત્યારે જ અવશ્ય કૂદકો મારી લેવો..
નોંધ :-
આ લખાણ લખતી વખતે કોઈ પણ પ્રાણીને ઇજા કે શારીરિક ત્રાસ અપાયો નથી ..

No comments:

Post a Comment