Thursday, February 13, 2020

દરેક માણસમાં કૈંક વિશેષતા કૈંક મર્યાદા હોય



મોદીજીના વિરોધીઓને એમનામાં માત્ર મર્યાદાઓ જ દેખાય છે એ ય વળી અઢળક .
મને એમની વિશેષતામાં જે સૌથી વધુ પ્રભાવિત કરે છે એ વિષે હું કહું .

મોદીજીની રાજકીય વિશેષતા વિષે અત્યારે મારે કઈ કહેવું નથી .
મારે એમના વિષે બે ત્રણ એવી વાત કહેવી છે જેના વિષે એમના કટ્ટર માં કટ્ટર વિરોધીએ પણ સંમત થવું જ પડે.

1. પહેલું સુખ તે જાતે નર્યા
ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સ્વસ્થતાને પ્રથમ પ્રાધાન્ય અપાયેલ છે .
૧૯૫૦ માં જન્મ
એકાવન વર્ષની ઉંમરે ૨૦૦૧ માં સીધા મુખ્ય મંત્રી તરીકે નિયુક્ત થયા ત્યાર થી અત્યાર સુધી આ માણસને છ કલાક થી વધુ આરામ નો સમય ન જ મળતો હોય
એક જ સ્થળે ભોજન કે આરામ નહીં એમ છતાં ય ચૂંટણી સભાઓમાં ભાષણને કારણે અવાજ બેસી જવાને બાદ કરતાં આ માણસ કોઈ બીમારીને કારણે અઠવાડિયું તો શું ત્રણ ચાર દિવસે ય હોસ્પિટલાઇઝ થયાનું ક્યારેય સાંભળ્યું નથી
#ગઝબની_સ્વસ્થતા

2. એ જે પ્રમાણે દેશ વિદેશમાં પ્રવાસો કરતા રહે છે પ્રવાસ પછી ય આરામને બદલે તરત જ કાર્યક્રમો હોય એમાં ય ક્યારેય આળસ મરડતા કે બગાસા લેતા નજરે ન ચડે
#ગઝબની_સક્ષમતા

3. જેટ લેગ વિષે જે જાણતા હશે એ સમજી શકશે કે પ્લેનમાં દિવસના ટેક ઓફ થયા પછી બાર કલાકે દૂર વિદેશમાં પ્લેન લેન્ડ થાય ત્યારે ત્યાં ય દિવસ જ હોય ત્યારે સમય પત્રક પાલન કરવું કેટલું મુશ્કેલ હોય શકે પણ મેં ટીવીમાં એક ઇન્ટરવ્યૂમાં એમને એવું બોલતા સાંભળેલા કે
સવારે જાગવા માટે મારે એલાર્મની જરૂર નથી પડતી અને રાત્રે પથારીમાં લંબાવ્યા પછી છઠ્ઠી મિનિટે હું ઘસઘસાટ ઊંઘી જાવ છું .
૭૦ માં વરસે ય
#ગઝબની_સમર્થતા

હવે પછી તમે જે વાંચશો એ બધા જ શબ્દો મિત્ર મહેશ પુરોહીતના છે.
👇👇
એક વ્યક્તિ મુખ્યમંત્રી બને ને ત્રણ મહિના બાદ જ આખા રાજ્ય મા દંગા ફાટી નીકળે તેના પહેલાં રાજ્ય વ્યવસ્થા નો બહોળો અનુભવ ના હોય આજૂ બાજુ ના ત્રણેય રાજ્યો મા વિપરીત વિચારધારા ની સરકાર હોવા ના કારણે કોઈ પોલીસ મદદ ન મળે અને છતાં ત્રણ દિવસ ના દંગા કંટ્રોલ કરાય છતાં પણ તે દંગા ને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચારિત કરી કરી ને બદનામ કરવામા આવે હા હુ મોદીજી ની વાત કરુ છુ...

મોદીજી ફક્ત નેતા પુરતા જ નહી પરંતુ તેમના અંગત જીવન મા પણ પ્રેરણા રુપ છે. ૨૦૦૨ ના દંગા બાદ તેમના વિશે ખબર નહિ કેવા કેવા ગંદા આરોપો અને શબ્દો વાપરવા મા આવ્યા, નીચ, નપુંસક, રાક્ષશ, મોત નો સોદાગર, આ ઉપરાંત દેશ નુ કહેવાતુ સેકુલર મિડીયા કોઈ એક દિવસ આવો નહિ હોય કે ડિબેટ મા મોદીજી વિશે મનફાવે તેમ ના બોલવા મા આવ્યું હોય, આંતરરાષ્ટ્રીય કક્ષા ની સંસ્થાઓ એક્ટિવ રહી ને તેમને કેટલાક દેશ મા પ્રતિબંધ પણ કરાવ્યો, કેન્દ્ર મા કોન્ગ્રેસ ની સરકાર હોવા થી તમામ કાનુની દબાવ આ માણસે સહન કર્યો, તે એક માત્ર એક મુખ્ય મંત્રી જેમણે આઠ આઠ કલાક SIT નો સામનો કર્યો, આવા માહોલ હોવા ના કારણે ભાજપ ના જ કેટલાક નેતા પણ તેમનો વિરોધ કરવા લાગ્યા હતા, વિચાર કરો આવી સ્થિતિ કેટલી વિકટ હશે, છતા આ માણસ ને મે અકળતા નથી જોયો અકળાઈ ને ગમે તેમ બોલતા નથી જોયો, તેમને કામ પર કામ ચાલુ રાખ્યા આજે પ્રધાન મંત્રી છે. અમેરિકા થી લઈ બ્રિટન લાલ ઝાજમ પાથરે છે.

બસ તમે માનો નહિ કોઈ પણ આવા આરોપ ની કપરી સ્થિતિ મા હુ આખો બંધ કરી આ માણસ ( મોદીજી ) ને યાદ કરી લઉ ને સ્વસથ્ય થઈ જાઉં છુ.

નોટ:- પુરાવા વગર ના આરોપો થી કોઈ ફેર પડતો હોતો નથી. અને ગૂનો કર્યો હોય તો પુરાવા વગર પણ ભગવાન શિક્ષા આપી જ દેતો હોય જ છે.

સાભાર
- મહેશ પુરોહિત, નવસારી

No comments:

Post a Comment