Tuesday, May 19, 2015

"શ્રાધ્ધ"નો કાગડો બોલે છે...

"શ્રાધ્ધ"નો કાગડો બોલે છે...


👉 જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો
ગુમાવ્યા પછી
"ગીતા" સાંભળવાનો
શું અર્થ?

👉સાથે બેસી જમવાની એમની ઈચ્છા
પ્રેમથી પુરી કરજો
પછી ગામ આખાને લાડવા જમાડવાનો
શું અર્થ?

👉વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી
ભીંજવી દેજો.
ચીર વિદાય પછી આંસુ સારવાથી
શું અર્થ?

👉ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને
ઓળખી લેજો
પછી અડસઠ તીર્થ ફરવાનો
શું અર્થ?

👉સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો
પછી બેસણાંમાં ફોટા સામે
બેસવા બેસાડવાનો
શો અર્થ?

👉લાડકોડ પુરનાર માબાપને સદાય
હૈયામાં રાખજો
પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો
શું અર્થ ?

👉હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું
સુખ આપજો
પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો
શું અર્થ?

👉માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો
પછી રામ નામ સત્ય બોલવાનો
શું અર્થ?

🙏માબાપને ભૂલશો નહીં 🙏

No comments:

Post a Comment