Friday, October 13, 2017

કરેલું ફોગટ જતું નથી

એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇ ને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો. લોકોને એને જોઈને ઓર આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો ની બંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હે કે કોઈ પચાસ સાલ સે બંદગી કર રહા હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં...
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે, એટલે ફળ તો જરૂર આપશે જ...!!!
"કરેલું ફોગટ જતું નથી" - આ ગીતાજીનો સિદ્ધાંત યાદ છે ને !
---------
મિત્રો વાત ગમે તો શેર જરૂર કરજો...

No comments:

Post a Comment