Saturday, December 28, 2019

જિંદગીના જુદા જુદા રંગ

ફેસબુક ની નિંદા ખુબ થતી જોઈ છે જે સાવ અકારણ પણ નથી જ પણ હળાહળ કાલકૂટ ને કારણે સમુદ્ર મંથનને દોષ દઈશું તો અમૃતની પ્રાપ્તિ પણ એ સમુદ્ર મંથન થકી જ તો થઇ હતી.
પ્રસ્તાવના પુરી હવે સીધો જ મુખ્ય મુદ્દા પર આવી જાઉં .

અમે ફેસબુક મિત્ર બન્યાં ત્યારે એમનું નામ હતું નાથી મોઢવાડીયા.
ઇઝરાયલ રહેતી પણ રગરગ થી ટિપિકલ મેરાણી .
મે એક વાર ગગી કહ્યું તો કયે
અરે આ નામે તો મને કરસન બાપા બોલાવતા .
એ કોણ ?
મારા મોટા બાપા .
જયારે કરસન બાપા જામનગર ખીજડા મંદિરમા દરવાણી તરીકે સેવા આપતા ત્યારે હુ ત્યાં વિદ્યાર્થી હતો એ ઓળખાણ નીકળી.
પછી તો માત્ર સંબોધનો માં જ નહીં હૃદય થી બહેન ભાઈ જેવો ભાવ થયો.
એમનું મૂળ ગામ કોટડા .
મોટી મારડ ગામની માટીમાં બાળપણ વીત્યું ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું.

સ્વ જ્ઞાતિમાં થયેલ લગ્ન કમનસીબે નિષ્ફ્ળ ગયું પણ એ દુઃખી જીવનના રૂઝાયેલ ભીંગળા નથી ઉખેળવાં .
નાથીને બે દીકરીઓ ય ખરી એમને માવતર પાસે મુકીને પ્રણામી ધર્મ ના સંસ્કાર લઇને આઈ લીર બાઈના કુળમાં જન્મેલ નાથી ૨૦૦૭ માં ઇઝરાયેલ ગઈ
ત્યાં એક મૂળ ભારતીય એવા આયુર્વેદીક ડો. સ્વરૂપ વર્માને ત્યાં અભ્યાસમાં જોડાઇ જેમણે એમને બહેન માની ત્યાં એક ઇઝરાયેલી મહિલા તગીત નિયમીત આવતાં એ નાથી થી અતિ પ્રભાવિત થયાં એમનો વાત્સલ્ય ભાવ એવું ઝંખતો કે
કાશ તું મારી દીકરી હોત તો ?
એમની વ્યથા હતી કે એકનો એક દિકરો ઇદો સંગીત અને વૈરાગ્યના રંગમાં રંગાયો એટલે સંસાર માંડવા તૈયાર નહોતો થતો.
નાથીને માતા તગીતની વ્યથા હૈયા સોંસરવી ઉતરી ગઇ.
માતા માતા જ હોય છે પછી એ ઇઝરાયેલની હોય કે ભારતની .
ભારતીય નારીની નિષ્ઠા તો કચ્છજી ધરતીના કાળા નાગ સમાન જેસલને ય સીધી લાઇન પર લ્યાવી દે જયારે ઇદો તો સંગીતના સુર અને વૈરાગ્યની વાટનો સાત્વિક પ્રવાસી હતો પણ માતા તગીત ની ભાવનાઓ અને વાત્સલ્ય ભર્યા સ્વપનોનુ શુ ?

કુદરત કમાલ કરવા ધારે ત્યારે અવનવાં પરીણામો મળે.
સ્વપન કથા જેવો એક સુંદર સંયોગ રચાયો.
માતા તગીતની ઝંખના મુજબ એમની કુખે નાથી દિકરી રૂપે અવતરી હોત તો એક દિવસ સાસરે વળાવવી પડેત પણ માતા તગીત ને નાથી પુત્રવધુ સ્વરૂપે પરમેન્ટ મળી.
માતા તગીત ના આશીર્વાદ લઇને ૨૦૧૦માં નાથી અને ઇદો ભારત આવે છે
૨૦૧૧ મા બે ય દિકરીઓને ઇઝરાયલ સાથે લઇ જાય છે.
માતા તગીત ને પુત્ર વધુના રૂપમાં નાથી મળે છે (જેનુ નામ હવે શાંતિ છે) અને બે પૌત્રીઓ પણ.
એક સમયે દેશ માં દુઃખના દહાડા દાંતે વછોડતી મારી વહાલસોયી બેન અત્યારે ઇઝરાયલમાં એ....ય ને સુખ ના સાગરમાં હેલ્લારા લ્યે છે.

ઇઝરાયલ માં સાસરીયા માં ભારતીય સંસ્ક્રુતિની સુવાસ પ્રસરાવનાર નાથીના નારાયણીપણાને લાખ લાખ વંદન અને નાથીના પુર્વ સંસારની બે બે દિકરીઓને અંતઃકરણ પુર્વક આંખ્યુના રતનની જેમ રાખનાર માતા તગીત અને ભગત ઇદો દ્રોરીના હ્રદયની વિશાળતાને વંદન વારંવાર
(અહિ જે લખેલ છે એની ઝલક માટે સામેલ ફોટાઓ જુઓ)

No comments:

Post a Comment