Sunday, May 29, 2016

મોરારીબાપુએ કીધેલી વાત !
બે ટાબરીયા નિશાળે મોડા પડતા શિક્ષકે કારણ પૂછતા એકે જણાવ્યું :
"મારાપપ્પાએ વાપરવા આપેલ સિક્કો પડી જતા તેને શોધવામાં રહ્યો અને અંતે સિક્કો ન મળતા નિશાળે આવ્યો એટલે મોડું થયું "
બીજા ટાબરીયાએ કહ્યું :
"એનો સિક્કો મેં મારા પગ તળે દબાવ્યો 'તો..એ નીકળે પછી હું નીકળું ને !"
--અંતે બાપુનું તારણ :
"આપણે પરમને પામવામાં બે રીતે મોડા પડીએ છીએ ;
એક --પૈસો શોધવામાં ..
અને
બીજું
કોઈનો પૈસો દબાવવામાં..
સમય વેડફી નાખીએ છીએ..

posted from Bloggeroid

No comments:

Post a Comment