Tuesday, February 21, 2012

શુકન-અપશુકન, દોરા ધાગા, જંતર મંતર, મુઠ, માદળિયાં અને મેલી વિદ્યાનો જમાનો હજી ગયો નથી..
નર્મદના જમાનામાં એક માણસે ઘેર ઘેર પોસ્ટકાર્ડ લખેલા કે અમુક દિવસે સવારે પ્રલય થવાનો છે.
તે દિવસે લોકો મરી જવા માટે વહેલી સવારથી ઓટલા ઉપર બેસી ગયા હતા. 
આવી જ વાતો આજે મોટાભાગના શિક્ષિત લોકોના ગળે શીરાની જેમ ઉતરી જાય છે. 
સંખ્યાબંધ બાબાઓ અને ચમત્કાર કરતા સાધુઓનો રાફડો ફાટ્યો છે. 
એક આખી પેઢી ભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓના અખાડામાં ઉછરી રહી છે...
તે જોતા સવાલ જાગે છે કે મધ્યયુગ ભરતમાં હજી આથમ્યો છે ખરો ????

No comments:

Post a Comment