Tuesday, July 28, 2015

ડૉ.કલામના પ્રેરણાદાયક નિવેદનો

યુવાનો માટે પ્રેરણામૂર્તિ બનેલા ડૉ.કલામના પ્રેરણાદાયક નિવેદનો
* વિજયી થયા પછી આરામ કરવા ન બેસો, કારણે બીજીવાર તમે નિષ્ફળ જશો તો લોકો કહવા તત્પર જ હોય છે કે તમને પહેલીવાર તો નસીબથી વિજય મળ્યો હતો.
* વરસાદ પડે ત્યારે તમામ પક્ષીઓ ક્યાંક આશરો શોધી લે છે, પરંતુ બાજ હંમેશા વાદળની ઉપર ઉડીને વરસાદની સામે રક્ષણ મેળવી લે છે.
* મારી સફળતા માટેની માન્યતા એટલી દ્રઢ હશે તો નિફ્ળતા ક્યારેય મારી ઉપર હાવી થઈ શકશે નહિ.
* સફળતાનો આનંદ માણવા માટે પણ વ્યક્તિના જીવનમાં તકલીફો હોવી જોઈએ.
* તમારે સૂર્યની માફક ઝળહળવું હોય તો પહેલા સૂર્યની માફક બળતા શીખો.
* કોઈને પરાજય આપવો બહુ જ આસાન છે, પણ કોઈને જીતી લેવા બહુ જ કઠીન છે.
* આપણે સહુ એક સરખી બુદ્ધિપ્રતિભા ધરાવતા નથી, પરંતુ આપણને સહુને આપણી પ્રતિભાને વિકસાવવાની સમાન તક મળે છે.
* નાની નાની વાતમાં ખુશી મેળવવા પાછળ દોટ મૂકવાને બદલે નક્કર સફળતાઓ મેળવવાના ધ્યેયને વળગીને સક્રિય રહો.
* તમારા જીવનમાં ભલેને ગમે તેટલા ચઢાવ ઉતાર આવે, તમારા વિચારો જ તમારી મોટી મૂડી બની રહેવા જોઈએ.
* તમારા સંપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ વિના તમને સફળ ન જ થઈ શકો. તમારું ઇન્વોલ્વમેન્ટ સંપૂર્ણ હોય તો તમે નિષ્ફળ જ જશો નહિ.

No comments:

Post a Comment