Saturday, August 27, 2016

ગઢવાળા મોડપર (મોડપરના કિલ્લાનો ઈતિહાસ)

મોડપરના કિલ્લાનો ઈતિહાસ
પોરબંદરના જાણીતા ઈતિહાસવિદ લેખક નરોત્તમભાઈ પલાણે કિલ્લાના ઈતિહાસ અંગે એવું જણાવ્યું હતું કે, ઈ.સ. ૧૮૦૦ ના પ્રારંભે એટલે કે ૩૫૦ વર્ષ પહેલા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસીયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો. પોરબંદરના રાણાની સરહદ યાંથી શરૂ થાય છે તેની તદન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લો તૈયાર કર્યેા હતો. જેનું મહત્વ પણ અનેરૂં હતું. આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઓ આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લો વિવિધ જગ્યાઓ ધરાવે છે જેમાં શક્રાગાર, કોઠારરૂમ, દુશ્મનો ઉપર હત્પમલો કરવા માટે ફાયરીંગની જગ્યા, કાળકોટડી, જુદા–જુદા બેરેક, કેદીઓને પૂરવા માટેના અલગ–અલગ રૂમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક, પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળા કૂવા જેવી અનેકવિધ સુવિધાઓ અહીંયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી.

સીમાડાની રક્ષા માટે કિલ્લાનો ઉપયોગ થતો
ગઢવાળા મોડપર તરીકે ઓળખાતા મોડપર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. તેમ જણાવીને ઈતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું કે જામસાહેબ અને રાણાસાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્રારા થતો હતો.પોરબંદરના મહારાણાએ આશીયાપાટનો કિલ્લો બનાવ્યો હતો આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બન્ને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડપરનો કિલ્લો બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે.

શસ્ત્રાગાર અને દારૂગોળાનો ખજાનો
મોડપર ગામના આ કિલ્લાનો રહેવા માટે કયારેય ઉપયોગ કરવામાં આવ્ો નથી પરંતુ ૧૮ મી સદીના આરંભે બનાવાયેલા આ કિલ્લામાં સૈનિકો સિમાડાની રક્ષા માટે ફરજ બજાવવા હાજર રહેતા હતા જેથી ત્યાં શાગાર અને દારૂગોળાનો વિપુલ ખજાનો સંગ્રહવામાં આવતો હતો. કેદીઓને પુરવા માટેના બેરેક ઉપરાંત ફાયરીંગ કરવા માટેની અલગ–અલગ ત્રિકોણાકાર જગ્યાઓને જોતા આજે પણ રોમાંચિત બની જવાય છે. મોટી માત્રામાં હથિયારોનો સંગ્રહ કરવા સહિત દેશીદારૂ ગોળાને ભરવા માટેની કામગીરી અહીંયા સૈનિકો કરતા તેમ પણ જાણવા મળે છે.

”રાજવલ્લભ” ગ્રંથમાં પણ ઉલ્લેખ
શિલ્પ સ્થાપત્ય અંગેના મહાન ગ્રથં ‘રાજવલ્લભ’ માં પણ આ કિલ્લાનો ઉલ્લેખ છે, તેમ જણાવીને નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે આ કિલ્લામાં અનેક છુપા રસ્તાઓ પણ આવેલા છે. જેનો મુખ્ય દરવાજો રસ્તાની સામેની બાજુએ બનાવવાને બદલે પાછળની બાજુએ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં સુધી ઉપર ચડવા માટે અશ્ર્વસવાર સૈનિકો પહોંચી શકે તે માટે રસ્તો પણ હતો પરંતુ આજુબાજુમાં અનેક જગ્યાએ દબાણ થઇ જતાં હાલ એ રસ્તો નામશેષ થઇ ગયો છે અને કેડીએ કેડીએ ચાલીને ડુંગર ઉપર કીલ્લા સુધી પહોંચવું પડે છે.

કિલ્લાની અત્યારની હાલત જર્જરીત
મોડપરના આ કિલ્લાની હાલત ખુબ જ જર્જરીત જોવા મળે છે, તેના મોટાભાગના વિભાગો તુટી–ફત્પટી ગયા છે, દરવાજો અડધો ચોરાઇ ગયો અથવા કયાંક ગુમ કરી દેવાયો હોવાનું પણ અહીં આવતા પ્રવાસીઓ નિહાળીને અનુભવે છે એટલું જ નહીં પરંતુ આ કિલ્લામાં ચારેબાજુ ઉંચી રાંગવાળા ગઢ છે તેમાંથી માત્ર એક ગઢની ઉપર જ હવે ચડી શકાય છે બાકીના ત્રણે–ત્રણ ગઢ ભાંગી ગયા છે અને ઐતિહાસિક કોતરણીવાળા આ કિલ્લામાં મોટાભાગનું બાંધકામ જીર્ણશીર્ણ થઇને ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે અને અમુક વિભાગો તો એવા છે કે, તેમાં અંદર જવામાં પણ પ્રવાસીઓના જીવનું જોખમ જણાય છે.

૧૮પ૭ના વિપ્લવમાં આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવાયા હતા
ઇ.સ. ૧૮પ૭માં સર્જાયેલા વિપ્લવમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લામાં પુરી દેવામાં આવ્ા હતા તેની યાદને તાજી કરતા ઇતિહાસવિદ નરોતમ પલાણે જણાવ્યું હતું કે, એ બળવા સમયે એક અલગ જ આંદોલનનો માહોલ ઉભો થયો હતો જેથી વિરોધ કરનારા સ્વાતંયવિરોને સૌરાષ્ટ્ર્રના મધ્યકાલીન પરંપરા મુજબના છેલ્લા ગણાતા આ કિલ્લામાં પુરી દેવાયા હતા. દ્રારકાના વાઘેરોએ બડં પોકારતા ‘બેટમાં બડવો’ નામનું એક પુસ્તક પણ લખાયું છે ત્યારે તેમાંના અનેક આંદોલનકારીઓને પણ આ કિલ્લામાં પુરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું

posted from Bloggeroid

1 comment: