Monday, February 7, 2011

શું આપ જાણો છો..... અંક- 786 ઈસ્લામમાં ખાસ કેમ?

સેંકડો અથવા તેનાથી પણ વધારે ધર્મ છે પ્તુથ્વી પર. દરેક ધર્મની કોઇ વિશિષ્ટતાઓ અથવા ખાસિયત હોય છે. હિન્દુઓમાં ઓમ, સ્વાસ્તિક અને કાર્યના પ્રારંભમાં શ્રી ગણેશાય નમ:નુ વિશેષ મહત્વ માનવામા આવે છે.



સિખોમાં અરદાસ, ગુરુવાણી, સત શ્રી અકાળ અને પાઘડીનુ ખાસ મહત્વ હોય છે. ત્યાંજ ઈસાઈ ધર્મના માનવાવાળાનુ જીસસ ક્રાઈસ્ટ, ક્રોસનુ ચિહ્ન, માતા મરિયમ અને બાઈબલ વગેરેનુ ઘબુ આત્મિય સમ્માન હોય છે.




જેવી રીતે કોઇ નવા અથવા શુભ કાર્યની શરુઆત કરતા પહેલા હિન્દુઓમાં ગણેશને પુજવામા આવે છે, કેમ કે ગણેશને વિઘ્ન હર્તા અને સદબુદ્ધિના દેવતા માનવામા આવે છે. આવી જ રીતે ઈસ્લામ ધર્મામાં અંક- 786 ને શુભ અંક અથવા શુભ પ્રતિક માનવામા આવે છે. અરબમાથી ઈસ્લામ ધર્મમાં અંક-786નુ ઘણુ જ ધાર્મિક મહત્વ માનવામા આવે છે.



પ્રાચિન કાળમાં અંક જ્યોતિષ અને નક્ષત્ર જ્યોતિષ બન્ને એક ભવિષ્ય વિજ્ઞાનના જ અંગ હતા. પ્રાચિન સમયમાં અંક જ્યોતિષના ક્ષેત્રમા અરબ દેશોમાં પણ ઉલ્લેખનીય પ્રગતિ થઈ હતી. આરબ દેશોમા જ ઈસ્લામનો જન્મ અને પ્રારંભિક સંસ્કારીકરણ થયુ છે. અંક- 786 ને અરબી જ્યોતિષમા ઘણુ જ શુભ અંક માનવામા આવ્યો છે.



અંક જ્યોતિષ પ્રમાણે જ્યારે 7+8+6નો યોગ 21 આવે છે, તથા 2+1નો યોગ કરવા પર 3નો આંકડો મળે છે, લગભગ બધાજ ધર્મામાં અત્યંત શુભ અને પવિત્ર અંક માનવામા આવે છે.



બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંખ્યા ત્રણ, અલ્લાહ, પૈગમ્બર અને નુમાઈદની સંખ્યા પણ ત્રણ તથા આખી સ્રુષ્ટિના મુળમા સમાયેલ પ્રમુખ ગુણ- સત રજ અને તમ પણ ત્રણ જ છે

No comments:

Post a Comment