Thursday, February 10, 2011

નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.


પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય છે તેમ આકાશનો ગુણ શબ્દ કહેવાયો છે. 
એ તો વિજ્ઞાન સિદ્ધ વાત છે કે આકાશ વગર બોલાયેલા શબ્દો 
ગતિ કરતા નથી અને સાંભળી શકાતા નથી. 
પરંતુ અહીં આકાશનો એક અર્થ અવકાશએમ કરવાનું મન થાય છે. 
અવકાશ એટલે મોકળાશ. 
જ્યારે આપણે નવરાશની પળોમાં એકલાં બેઠાં હોઈએ ત્યારે શબ્દો અને વિચારો સ્ફૂરે છે. 
જેટલો અવકાશ વધારે એટલા નવા વિચારોનું સ્ફૂરણ વધારે. 
નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.

No comments:

Post a Comment