Sunday, February 20, 2011

આજનો ટોપિક :: મનોરંજનનું સ્તર

અત્યંત કાળી મજૂરી કરનાર મજૂર જેમ થાક ઉતારવા માટે 
વ્યસનનો સહારો લે છે તેમ ક્યારેક અત્યંત બૌદ્ધિક શ્રમ કરનાર 
શિક્ષિત વર્ગને મનોરંજનની જરૂર પડતી હોય છે. 
મનોરંજનના સાધનોની સૌથી વધુ જરૂર એને પડે છે 
જેને પોતાનું કામ નથી ગમતું 
અથવા તો જે પોતાની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ ચાલે છે. 
જેટલો મગજનો થાક વધુ એટલું મનોરંજનનું સ્તર નીચું.
બિભત્સ દ્રશ્યો, અશ્લીલ સંવાદો પર હસતો સમાજ 
માનસિક રીતે થાકેલો કે અસ્વસ્થ છે 
એમ કહેવામાં અતિશયોક્તિ નથી.

No comments:

Post a Comment